Telegram Web Link
*🔱 આજ ની ગ્રુપ DP 🔱*

*🙏🏻 સિધ્ધિદાત્રી : માઁ દુર્ગાનું નવમું સ્વરૂપ 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે.
👏3
*🔱 આજ ની ગ્રુપ DP 🔱*

*🙏🏻 સિધ્ધિદાત્રી : માઁ દુર્ગાનું નવમું સ્વરૂપ 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે.

💁🏻‍♂ આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે.

💁🏻‍♂ આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.

💁🏻‍♂ માર્કણ્ડેય પુરાણના મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિધ્ધિયો હોય છે.

💁🏻‍♂ શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ આ પ્રકારના છે.
1. અણિમા
2. લધિમા
3. પ્રાપ્તિ
4. પ્રાકામ્ય
5. મહિમા
6. ઈશિત્વ, વાશિત્વ
7. સર્વકામાવસાયિતા
8. સર્વજ્ઞત્વ
9. દૂરશ્રવાણ
10. પરકાયપ્રવેશન
11. વાકસિધ્ધિ
12. કલ્પવૃક્ષત્વ
13. સૃષ્ટિ
14. સંહારકરણસામર્થ્ય
15. અમરત્વ
16. સર્વન્યાયકત્વ
17. ભાવના
18. સિધ્ધિ

💁🏻‍♂ માઁ સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિધ્ધિયો આપવામાં સમર્થ છે.

💁🏻‍♂ દેવીપુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથીજ આ સિધ્ધિયોને મેળવી હતી. એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું બન્યુ હતુ. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં 'અર્ધનારેશ્વર' ના નામે પ્રસિધ્ધિ થયા હતા.

💁🏻‍♂ માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે.

💁🏻‍♂🦁 તેમનુ વાહન સિંહ છે.

💁🏻‍♂ તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમણે તેમની ચાર ભુજાઓ પર શંખચક્ર, ગદા, પદ્મ અને કમળ ધારણ કર્યાં છે.

💁🏻‍♂ નવદુર્ગાઓમાં માઁ સિધ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે. આ સિધ્ધિદાત્રી માઁ ની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.

💁🏻‍♂ સિધ્ધિદાત્રી માઁના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી, જેને તેઓ પૂરી કરવા માગતા હોય. તે બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓની ઉપર ઉઠીને માનસિક રૂપથી માઁ ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા, વિષય-ભોગ-શૂન્ય થઈ જાય છે.

💁🏻‍♂ માઁ ના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. માઁ ભગવતીનુ સ્મરણ ધ્યાન, પૂજન અમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે.

💁‍♂દુર્ગા સપ્તશતીના અગિયારમાં અધ્યાયમાં જણાવ્યા અનુસાર દેવતાઓને વરદાન અને સિદ્ધિ તથા તેરમાં અધ્યાયમાં જણાવ્યા અનુસાર રાજા સુરથ અને
સમાધી નામના વૈશ્યને અનેક પ્રકારના વરદાન તથા તમામ પ્રકારના ભોગ અને ઈચ્છા મુજબનો મોક્ષ પ્રદાન કરે છે.

💁‍♂મા સિદ્ધિદાત્રીનું પ્રાચીન મંદિર હિમાલયના નંદા પર્વત પર આવેલું છે.જે તીર્થસ્થળ જગપ્રસિદ્ધ છે.

💁‍♂શ્લોક
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥

*🙏🏻 જય હો માઁ આદ્યશક્તિ 🙏🏻*

📌Credit📚જ્ઞાન કી દુનિયા 📚
6👏1
Manish Sindhi
Photo
*Morning Musings*

જે આપણા "હૃદયને તોડી નાખે છે"—તે જ ઘણીવાર ઊંડા વ્યક્તિગત વિકાસ, સ્પષ્ટતા અને વિશ્વની સાચી સમજણ માટે નિર્ણાયક બને છે, જે આપણી "દ્રષ્ટિ સુધારે છે."

૧. "કંઈક તમારું હૃદય તોડે છે..." (પીડા)

આ એક અત્યંત પીડાદાયક અથવા નિરાશાજનક અનુભવનો ઉલ્લેખ કરે છે, જેમ કે:


નિષ્ફળતા: કોઈ મોટો પ્રોજેક્ટ કે ધ્યેય નિષ્ફળ જાય છે.

વિશ્વાસઘાત: તમે જેના પર ઊંડો વિશ્વાસ કરો છો તે વ્યક્તિ તમને દગો આપે છે.

ખોટ: કોઈ સંબંધનો અંત અથવા કોઈ પ્રિયજનનું મૃત્યુ.



૨. "...પણ તમારી દ્રષ્ટિ સુધારે છે" (સ્પષ્ટતા)

તૂટવું એ અંત નથી; તે સ્પષ્ટતા માટેની ભઠ્ઠી છે. આ પીડા તમને એવી વસ્તુઓ જોવા માટે મજબૂર કરે છે જેની તમે પહેલાં જાણ કરવા તૈયાર ન હતા અથવા અસમર્થ હતા. તે આ રીતે તમારી દ્રષ્ટિ સુધારે છે:


ભ્રમ દૂર કરે છે: પીડા પહેલાં, તમે કદાચ કોઈ વ્યક્તિ અથવા પરિસ્થિતિ વિશે એક ભોળા, વધુ પડતા આશાવાદી, અથવા વિકૃત દૃષ્ટિકોણ સાથે જીવતા હશો. આ પીડા તે આરામદાયક ભ્રમને તોડી પાડે છે, તમને વાસ્તવિકતાનું સત્ય જોવા માટે દબાણ કરે છે—વસ્તુઓ ખરેખર કેવી છે, તમે જે રીતે ઈચ્છો છો તે રીતે નહીં.

અગ્રતા નક્કી કરે છે: જ્યારે તમે કંઈક મહત્ત્વનું ગુમાવો છો, ત્યારે તમે ઝડપથી શીખો છો કે ખરેખર શું મહત્ત્વનું છે. પીડા બિનજરૂરી વસ્તુઓને દૂર કરે છે, તમારા મૂલ્યો અને જીવનમાં તમને શું જોઈએ છે તેની સ્પષ્ટતા કરે છે.



મુખ્ય વિચાર: પીડા એ આવશ્યક બળ છે જે આંખે પાટા દૂર કરે છે. તમારે તમારા દૃષ્ટિકોણના ટુકડા થઈ જવાની પીડા સહન કરવી પડે છે જેથી તમે તમારા જીવન માટે એક નવી, સ્પષ્ટ અને વધુ વાસ્તવિક દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકો.


"કોઈ વ્યક્તિ સાથે જીવનનાં ઘણાં વર્ષ કાઢ્યા હોય, તે તમને છોડીને આગળ વધી જાય અને હવે દૂર દૂર સુધી કોઈ ન હોય, બસ પીડા અને પ્રશ્નો જ હોય, ત્યારે શું કરવું?"


પ્રશ્ન ભલે અંગત હોય, પણ તે કોઈ એક વ્યક્તિનો નથી. આવું ઘણા લોકો સાથે થતું હોય છે. સંબંધોની આ પણ કડવી સચ્ચાઈ છે.

પહેલી વાત તો એ કે, જીવનનો એક મોટો સમયગાળો એક વ્યક્તિ સાથે સરસ રીતે પસાર કર્યો હોય, અને તે વ્યક્તિને કારણે જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થયો હોય, તો તે સમયનું સન્માન કરવું જોઈએ.

"હવે એ નથી" એવા વિચારને બદલે, "મારી પાસે એ હતું" એ વિચાર વધુ તાકતવર હોવો જોઈએ. મન જો નકારાત્મકતા પર ફોકસ કરશે તો, શરીર અને મનની તંદુરસ્તી પર અસર કરશે. આપણને છોડી ગયેલી વ્યક્તિ તેની પથારીમાં ઘસઘસાટ ઊંઘતી હોય અને તેના વિચારોમાં આપણે ઉજાગરા કરીએ તેમાં જરાય ડહાપણ નથી.
રહી વાત ખાલીપાની, તો તે સાહજિક છે. એ પીડાનો સ્વીકાર કરીને તેમાંથી પસાર થવું જ જોઈએ. "મારી સાથે આવું કેમ થયું" અથવા "આ તો ખરાબ થયું" એવી લાગણીઓને પંપાળવાને બદલે "જે છે તે આ છે, અને હવે આગળ શું" તેના પર વિચાર કરવો જોઈએ.

તેના માટે "મૂવ ઓન" શબ્દ છે. મૂવ ઓન એટલે પાછળનું ભૂલી જવું તે નહીં, પણ આગળનું વિચારવું તે.
સંબંધ વિચ્છેદમાં દુઃખ વ્યક્તિના જતા રહેવાનું નથી હોતું, અસલી દુઃખ રિજેક્શનનું હોય છે; તેમાં આપણા વજૂદનો ઇન્કાર થાય છે, આપણામાં ખામી હોવાનો સંદેહ પેદા થાય છે, લઘુતાગ્રંથિનો અહેસાસ થાય છે, આપણે નકામા છીએ તેવું લાગે છે.

આવી સ્થિતિમાં ઈગો મજબૂત થાય તેવી અમુક પ્રવૃતિ કરી શકાય. જેમ કે-
* ગમતા લોકો અને ગમતી પ્રવૃતિઓથી એકલતાને ભરવી
* શરીર- મનના સંતુલન માટે કસરત, ધ્યાન, સંગીત કે થેરાપી કરવી
* વ્યવસાય, કલા કે હોબીમાં વધુ ફોકસ કરીને તેમાં સફળતા મેળવવી
* ઇમોશન એક પ્રકારની એનર્જી છે. જો તે નેગેટિવ હશે તો આગળની દિશા પણ નેગેટિવ હશે. એટલે નેગેટિવ સ્મૃતિઓની સામે આનંદ, સુખ અને સંતોષની નવી સ્મૃતિઓ રચવી.
* પોતાની જાતને સક્સેસફૂલ અને પાવરફુલ બનાવવી.
* શરીર અને મનની ઊર્જાને તે વ્યક્તિ પાછળ ખર્ચ કરવાને બદલે, પોતાની જાત પર વાળીએ, તો આ પ્રકારના સંબંધ વિચ્છેદને વધુ તંદુરસ્ત રીતે લઈ શકાય.
*Happy Morning*
10👍2
શહીદ વીર ભગત સિંહ 🙏🙏

બહેરા કાનોને
સંભળાવવા માટે
ધમાકાઓની
જરૂર હોય છે
#ભગતસિંહ
સરકાર નું 10 વર્ષ ભરતી કેલેન્ડર મુજબ ફોરેસ્ટ મો આટલી નવી ભરતી થશે... બિડગાર્ડ 4000 વનપાલ ની 1800
જે તૈયારી ચાલુ છે અથવા પોલીસ મો થોડા માટે રહી ગયા છે એ તૈયારી ચાલુ જ રાખજો સમય જતા વાર નઈ લાગે.
બધા વિભાગ મો નવી ભરતી થશે 10 વર્ષ નું કેલેન્ડર જાહેર કર્યું .
5
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*


મનની શાંતિ, શરીરની ચુસ્તી અને પ્રેમાળ સંબંધો, આ ત્રણ સુખ છે, બાકી બધું સુવિધા છે. અને આ સુખ નસીબથી નથી મળતું, તે સક્રિય પ્રયાસોનું પરિણામ હોય છે.

રોજેરોજ નાના- નાના પ્રયાસો આપણને તે દિશામાં લઈ જાય છે. એ પ્રયાસો વ્યક્તિત્વનો હિસ્સો બની જવો જોઈએ.

*શાંતિ અનુભવવા માટે શાંત થવું પડે*

ચુસ્તી માટે સ્વસ્થ થવું પડે. અને પ્રેમ મેળવવા માટે પ્રેમ બનવું પડે

મનની શાંતિ સકારાત્મકતા અને ધૈર્યની સાબિતી છે. તે લાગણીઓના નિયંત્રણ, વિચારો અને વર્તન પ્રત્યે જાગૃતિ અને યોગ્ય જીવનશૈલીથી આવે છે.

ચુસ્ત શરીર શારીરિક તંદુરસ્તીની સાબિતી છે. તે સ્વસ્થ આહાર અને નિયમિત વ્યાયામ અને યોગ થી આવે છે.
પ્રેમાળ સંબંધો માનસિક સુખ અને સ્વસ્થતાની સાબિતી છે. તે આપસી સામંજસ્ય, બાંધછોડ અને સન્માનની ભાવનાથી આવે છે.

આપણી પાસે ગમે તેટલા પૈસા હોય, આ ત્રણ ચીજ ખરીદી નથી શકાતી.
ચાહે કોઈ અબજોપતિ હોય કે વડાપ્રધાન, તેણે શાંતિનો અનુભવ કરવા માટે, સ્વસ્થ રહેવા માટે અને સંબંધો મધુર રાખવા માટે રોજ મહેનત કરવી પડે. તેનો પૈસો, પદ કે પ્રતિષ્ઠા એમાં કામ નથી આવતી. અને જેની પાસે આ ત્રણ ચીજ હોય, તે સૌથી સુખી છે.

*Happy Morning*
👍82
1
ઉત્તર ગુજરાતમાં નવો અધ્યાય: ૨ ઑક્ટોબરથી વાવ–થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં 
ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં આવતીકાલે, ૨ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ એક નવો અધ્યાય ઉમેરાશે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ–થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં
આ સાથે, ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં
6👍4
2025/10/04 04:09:00
Back to Top
HTML Embed Code: