Telegram Web Link
*🙏🏻 મહાગૌરી : મહાશક્તિનું આઠમું રૂપ 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી.
4👏1🙏1
💁🏻‍♂ દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા

💁🏻‍♂ મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે.

💁🏻‍♂ અષ્ટવર્ષા ભવેદ ગૌરી' આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે.

💁🏻‍♂ મહાગૌરીના ચાર હાથ છે.

💁🏻‍♂ તેમનુ વાહન વૃષભ છે.

💁🏻‍♂ તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.

💁🏻‍♂ પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે
*'व्रियेऽहं वरदं शम्भुं नान्यं देवं महेश्वरात्‌।' (નારદ પાંચરાત્ર)* ગોસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો -
*जन्म कोटि लगि रगर हमारी।*
*बरऊँ संभु न त रहऊँ कुँआरी॥*

💁🏻‍♂ આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી અભિષેક કર્યો ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.

💁‍♂ શ્લોક

श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥

💁🏻‍♂ માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદારચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.

*🙏🏻 જય હો માઁ આદ્યશક્તિ 🙏🏻*

📌Credit📚જ્ઞાન કી દુનિયા 📚
4👏1
🔥1
Manish Sindhi
Photo
*Morning Musings*


"Love the life to Express" (જીવનને વ્યક્ત કરવા માટે પ્રેમ કરો)

આ પ્રમાણિકતા અને આંતરિક સંતોષ વિશે છે.

તમારા સાચા સ્વને વહેંચો: આનો અર્થ એ છે કે તમારા સાચા વ્યક્તિત્વ, ઉત્કટતા, પ્રતિભા અને મૂલ્યોને બહાર લાવે તે રીતે જીવવું. તમે અન્યની અપેક્ષાઓ પ્રમાણે નહીં, પરંતુ તમારા પોતાના આંતરિક માર્ગદર્શક પ્રમાણે કાર્ય કરી રહ્યા છો.

આનંદથી કાર્ય: તમારા કાર્યો બાહ્ય પુરસ્કાર કે માન્યતાની જરૂરિયાતથી નહીં, પરંતુ સાચા ઉત્સાહ અને હેતુથી પ્રેરિત હોય છે. તમે વસ્તુઓ કરો છો કારણ કે તે તમને આનંદ કે અર્થ આપે છે.

સ્વતંત્રતા: જ્યારે તમે તમારી જાતને વ્યક્ત કરો છો, ત્યારે તમે સ્વતંત્રતા અનુભવો છો. તમે તમારી પોતાની વાર્તાના લેખક છો અને તમે તમારા જીવન વિશે કેવું અનુભવો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો, નહીં કે અન્ય લોકો તેના વિશે શું વિચારી શકે.



"Not to Impress" (પ્રભાવિત કરવા નહીં)

આ બાહ્ય માન્યતા (external validation)ની જરૂરિયાતને નકારવા વિશે છે.


પ્રદર્શનનો અસ્વીકાર: આનો અર્થ છે કે માત્ર પ્રશંસા, ઈર્ષ્યા અથવા અન્યની મંજૂરી મેળવવા માટે "શો કરવો" અથવા તમે જે નથી તે હોવાનો ડોળ કરવાની જરૂરિયાતને છોડી દેવી.

મૂળ તત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવું: તમે છીછરા દેખાવ કરતાં વાસ્તવિક મૂળ તત્વ (substance)ને મૂલ્ય આપો છો. તમે એવા અનુભવો, લોકો અને કાર્યો પસંદ કરો છો જે તમારા માટે અર્થપૂર્ણ હોય, નહી કે જે સોશિયલ મીડિયા પર અથવા વાતચીતમાં "સારા" લાગે.

સરખામણી ટાળવી: પ્રભાવિત કરવાની જરૂરિયાત સામાન્ય રીતે તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાથી આવે છે. પ્રભાવિત ન થવાનું પસંદ કરીને, તમે સરખામણીની જાળમાંથી બહાર નીકળી જાઓ છો અને તમારી અનન્ય યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરો છો.



સરળ શબ્દોમાં

તમારા જીવનને અન્ય લોકોની તાળીઓ (applause) માટે નહીં, પરંતુ તમારા સાચા સ્વ હોવાના આનંદ માટે જીવો.


આપણને આવવા-જવાની સુવિધા માટે વાહન, સુરક્ષિત રહેવા માટે ઘર, સમયનું ભાન રહે તે માટે ઘડિયાળ કે પેટ ભરવા માટે આહાર નથી જોઈતો.
આપણને કાર લેટેસ્ટ જોઈએ છીએ, ઘડિયાળ ફેન્સી જોઈએ છીએ, ઘર ભવ્ય જોઈએ છીએ અને ફૂડ હાઈ ક્લાસ જોઈએ છીએ. આમાં લેટેસ્ટ, ફેન્સી, ભવ્ય અને હાઈ ક્લાસ શબ્દો અગત્યના છે.

આપણને સુવિધા એકલી નથી જોઈતી, આપણને બીજા લોકોની વાહવાહી પણ જોઈએ છીએ. વાહન તો બધા પાસે હોય, એમાં શું? પણ કાર લેટેસ્ટ હોય તો લોકો મારી તરફ જુવે ને!
સ્ટેટ્સ સિમ્બલના આધારે જીવતા લોકો એટેન્શનને આદર ગણતા હોય છે, પરંતુ ફેન્સી કારથી મળતા "માન"ની ટ્રેજેડી એ છે કે હું જ્યારે એવી કારમાં જતો હોઉં ત્યારે, તમે એવું નથી કહેવાના કે "આ માણસ કેટલો શાનદાર છે." તમે એવું વિચારશો કે "મારી પાસે આવી શાનદાર કાર હોય તો મારોય વટ પડે."

લોકોને એવું લાગતું હોય છે કે સમૃદ્ધિથી માન મળે છે, પણ હકીકતમાં બીજા લોકો તમારી ઉપેક્ષા કરે છે અને તમારી સમૃદ્ધિની ખેવના કરે છે, જેથી તેમને સમાજમાં આદર મળે છે.

લોકો તમારી ફેન્સી કાર જોઈને તમારા વિશે નથી વિચારતા, તેઓ ખુદની પાસે કાર હોય તો કેવું, એ વિચારતા હોય છે. આમાં તમારું અપમાન અને કારનું સન્માન છે.

લોકો તો એવુંય વિચારતા હોય છે કે "આ બોગસ માણસને આવી ફેન્સી કાર કેમ મળી?"
એટલા માટે જાતને ફેન્સી કાર સાથે ન જોડવી.

જાતને આવડત, ગુણ, બુદ્ધિ અને સિદ્ધિઓ સાથે જોડવી. અસલી આદર તેનો મળવો જોઈએ. અને એ જો ન મળતો હોય તો, તે શરમ ગણાવવી જોઈએ.
*Happy Morning*
8👍1
*🔱 આજ ની ગ્રુપ DP 🔱*

*🙏🏻 સિધ્ધિદાત્રી : માઁ દુર્ગાનું નવમું સ્વરૂપ 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે.
👏1
*🔱 આજ ની ગ્રુપ DP 🔱*

*🙏🏻 સિધ્ધિદાત્રી : માઁ દુર્ગાનું નવમું સ્વરૂપ 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે.

💁🏻‍♂ આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે.

💁🏻‍♂ આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.

💁🏻‍♂ માર્કણ્ડેય પુરાણના મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિધ્ધિયો હોય છે.

💁🏻‍♂ શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ આ પ્રકારના છે.
1. અણિમા
2. લધિમા
3. પ્રાપ્તિ
4. પ્રાકામ્ય
5. મહિમા
6. ઈશિત્વ, વાશિત્વ
7. સર્વકામાવસાયિતા
8. સર્વજ્ઞત્વ
9. દૂરશ્રવાણ
10. પરકાયપ્રવેશન
11. વાકસિધ્ધિ
12. કલ્પવૃક્ષત્વ
13. સૃષ્ટિ
14. સંહારકરણસામર્થ્ય
15. અમરત્વ
16. સર્વન્યાયકત્વ
17. ભાવના
18. સિધ્ધિ

💁🏻‍♂ માઁ સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિધ્ધિયો આપવામાં સમર્થ છે.

💁🏻‍♂ દેવીપુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથીજ આ સિધ્ધિયોને મેળવી હતી. એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું બન્યુ હતુ. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં 'અર્ધનારેશ્વર' ના નામે પ્રસિધ્ધિ થયા હતા.

💁🏻‍♂ માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે.

💁🏻‍♂🦁 તેમનુ વાહન સિંહ છે.

💁🏻‍♂ તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમણે તેમની ચાર ભુજાઓ પર શંખચક્ર, ગદા, પદ્મ અને કમળ ધારણ કર્યાં છે.

💁🏻‍♂ નવદુર્ગાઓમાં માઁ સિધ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે. આ સિધ્ધિદાત્રી માઁ ની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.

💁🏻‍♂ સિધ્ધિદાત્રી માઁના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી, જેને તેઓ પૂરી કરવા માગતા હોય. તે બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓની ઉપર ઉઠીને માનસિક રૂપથી માઁ ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા, વિષય-ભોગ-શૂન્ય થઈ જાય છે.

💁🏻‍♂ માઁ ના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. માઁ ભગવતીનુ સ્મરણ ધ્યાન, પૂજન અમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે.

💁‍♂દુર્ગા સપ્તશતીના અગિયારમાં અધ્યાયમાં જણાવ્યા અનુસાર દેવતાઓને વરદાન અને સિદ્ધિ તથા તેરમાં અધ્યાયમાં જણાવ્યા અનુસાર રાજા સુરથ અને
સમાધી નામના વૈશ્યને અનેક પ્રકારના વરદાન તથા તમામ પ્રકારના ભોગ અને ઈચ્છા મુજબનો મોક્ષ પ્રદાન કરે છે.

💁‍♂મા સિદ્ધિદાત્રીનું પ્રાચીન મંદિર હિમાલયના નંદા પર્વત પર આવેલું છે.જે તીર્થસ્થળ જગપ્રસિદ્ધ છે.

💁‍♂શ્લોક
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥

*🙏🏻 જય હો માઁ આદ્યશક્તિ 🙏🏻*

📌Credit📚જ્ઞાન કી દુનિયા 📚
5👏1
Manish Sindhi
Photo
*Morning Musings*

જે આપણા "હૃદયને તોડી નાખે છે"—તે જ ઘણીવાર ઊંડા વ્યક્તિગત વિકાસ, સ્પષ્ટતા અને વિશ્વની સાચી સમજણ માટે નિર્ણાયક બને છે, જે આપણી "દ્રષ્ટિ સુધારે છે."

૧. "કંઈક તમારું હૃદય તોડે છે..." (પીડા)

આ એક અત્યંત પીડાદાયક અથવા નિરાશાજનક અનુભવનો ઉલ્લેખ કરે છે, જેમ કે:


નિષ્ફળતા: કોઈ મોટો પ્રોજેક્ટ કે ધ્યેય નિષ્ફળ જાય છે.

વિશ્વાસઘાત: તમે જેના પર ઊંડો વિશ્વાસ કરો છો તે વ્યક્તિ તમને દગો આપે છે.

ખોટ: કોઈ સંબંધનો અંત અથવા કોઈ પ્રિયજનનું મૃત્યુ.



૨. "...પણ તમારી દ્રષ્ટિ સુધારે છે" (સ્પષ્ટતા)

તૂટવું એ અંત નથી; તે સ્પષ્ટતા માટેની ભઠ્ઠી છે. આ પીડા તમને એવી વસ્તુઓ જોવા માટે મજબૂર કરે છે જેની તમે પહેલાં જાણ કરવા તૈયાર ન હતા અથવા અસમર્થ હતા. તે આ રીતે તમારી દ્રષ્ટિ સુધારે છે:


ભ્રમ દૂર કરે છે: પીડા પહેલાં, તમે કદાચ કોઈ વ્યક્તિ અથવા પરિસ્થિતિ વિશે એક ભોળા, વધુ પડતા આશાવાદી, અથવા વિકૃત દૃષ્ટિકોણ સાથે જીવતા હશો. આ પીડા તે આરામદાયક ભ્રમને તોડી પાડે છે, તમને વાસ્તવિકતાનું સત્ય જોવા માટે દબાણ કરે છે—વસ્તુઓ ખરેખર કેવી છે, તમે જે રીતે ઈચ્છો છો તે રીતે નહીં.

અગ્રતા નક્કી કરે છે: જ્યારે તમે કંઈક મહત્ત્વનું ગુમાવો છો, ત્યારે તમે ઝડપથી શીખો છો કે ખરેખર શું મહત્ત્વનું છે. પીડા બિનજરૂરી વસ્તુઓને દૂર કરે છે, તમારા મૂલ્યો અને જીવનમાં તમને શું જોઈએ છે તેની સ્પષ્ટતા કરે છે.



મુખ્ય વિચાર: પીડા એ આવશ્યક બળ છે જે આંખે પાટા દૂર કરે છે. તમારે તમારા દૃષ્ટિકોણના ટુકડા થઈ જવાની પીડા સહન કરવી પડે છે જેથી તમે તમારા જીવન માટે એક નવી, સ્પષ્ટ અને વધુ વાસ્તવિક દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકો.


"કોઈ વ્યક્તિ સાથે જીવનનાં ઘણાં વર્ષ કાઢ્યા હોય, તે તમને છોડીને આગળ વધી જાય અને હવે દૂર દૂર સુધી કોઈ ન હોય, બસ પીડા અને પ્રશ્નો જ હોય, ત્યારે શું કરવું?"


પ્રશ્ન ભલે અંગત હોય, પણ તે કોઈ એક વ્યક્તિનો નથી. આવું ઘણા લોકો સાથે થતું હોય છે. સંબંધોની આ પણ કડવી સચ્ચાઈ છે.

પહેલી વાત તો એ કે, જીવનનો એક મોટો સમયગાળો એક વ્યક્તિ સાથે સરસ રીતે પસાર કર્યો હોય, અને તે વ્યક્તિને કારણે જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થયો હોય, તો તે સમયનું સન્માન કરવું જોઈએ.

"હવે એ નથી" એવા વિચારને બદલે, "મારી પાસે એ હતું" એ વિચાર વધુ તાકતવર હોવો જોઈએ. મન જો નકારાત્મકતા પર ફોકસ કરશે તો, શરીર અને મનની તંદુરસ્તી પર અસર કરશે. આપણને છોડી ગયેલી વ્યક્તિ તેની પથારીમાં ઘસઘસાટ ઊંઘતી હોય અને તેના વિચારોમાં આપણે ઉજાગરા કરીએ તેમાં જરાય ડહાપણ નથી.
રહી વાત ખાલીપાની, તો તે સાહજિક છે. એ પીડાનો સ્વીકાર કરીને તેમાંથી પસાર થવું જ જોઈએ. "મારી સાથે આવું કેમ થયું" અથવા "આ તો ખરાબ થયું" એવી લાગણીઓને પંપાળવાને બદલે "જે છે તે આ છે, અને હવે આગળ શું" તેના પર વિચાર કરવો જોઈએ.

તેના માટે "મૂવ ઓન" શબ્દ છે. મૂવ ઓન એટલે પાછળનું ભૂલી જવું તે નહીં, પણ આગળનું વિચારવું તે.
સંબંધ વિચ્છેદમાં દુઃખ વ્યક્તિના જતા રહેવાનું નથી હોતું, અસલી દુઃખ રિજેક્શનનું હોય છે; તેમાં આપણા વજૂદનો ઇન્કાર થાય છે, આપણામાં ખામી હોવાનો સંદેહ પેદા થાય છે, લઘુતાગ્રંથિનો અહેસાસ થાય છે, આપણે નકામા છીએ તેવું લાગે છે.

આવી સ્થિતિમાં ઈગો મજબૂત થાય તેવી અમુક પ્રવૃતિ કરી શકાય. જેમ કે-
* ગમતા લોકો અને ગમતી પ્રવૃતિઓથી એકલતાને ભરવી
* શરીર- મનના સંતુલન માટે કસરત, ધ્યાન, સંગીત કે થેરાપી કરવી
* વ્યવસાય, કલા કે હોબીમાં વધુ ફોકસ કરીને તેમાં સફળતા મેળવવી
* ઇમોશન એક પ્રકારની એનર્જી છે. જો તે નેગેટિવ હશે તો આગળની દિશા પણ નેગેટિવ હશે. એટલે નેગેટિવ સ્મૃતિઓની સામે આનંદ, સુખ અને સંતોષની નવી સ્મૃતિઓ રચવી.
* પોતાની જાતને સક્સેસફૂલ અને પાવરફુલ બનાવવી.
* શરીર અને મનની ઊર્જાને તે વ્યક્તિ પાછળ ખર્ચ કરવાને બદલે, પોતાની જાત પર વાળીએ, તો આ પ્રકારના સંબંધ વિચ્છેદને વધુ તંદુરસ્ત રીતે લઈ શકાય.
*Happy Morning*
8👍1
શહીદ વીર ભગત સિંહ 🙏🙏

બહેરા કાનોને
સંભળાવવા માટે
ધમાકાઓની
જરૂર હોય છે
#ભગતસિંહ
2025/10/01 21:03:25
Back to Top
HTML Embed Code: