Telegram Web Link
ViewFile (30).pdf
3.7 MB
જા.ક્ર. ૩૦૧/૨૦૨૫૨૬ – મહેસૂલ તલાટી, વર્ગ-૩” સંવર્ગની તા.૧૪-૦૯-૨૦૨૫ ના રોજ યોજાયેલ પ્રાથમિક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી
2
3
Talati cut off
6
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻માતા દુર્ગા નું છઠ્ઠું સ્વરૂપ 🙏🏻*

*🔱 કાત્યાયની માતા 🔱*

💁🏻‍♂ માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
2🙏1
👆👆👆👆👆👆👆👆👆👆👆

*🔱   આજની ગ્રુપ DP   🔱*

💁🏻‍♂ માઁ નું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી જગદંબા ની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી.

💁🏻‍♂ થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં.

💁🏻‍♂ મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ.

💁🏻‍♂ એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં.

💁🏻‍♂ અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો.

💁🏻‍♂ ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી.

💁🏻‍♂ આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.
મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે.

💁🏻‍♂ 🦁 આમનું વાહન સિંહ છે.

💁🏻‍♂ *વિશેષ-* દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે.
યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.

💁🏻‍♂ મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે.

💁🏻‍♂ માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસની કરવી જોઈએ.


💁‍♂શ્લોક
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्यादेवी दानवघातिनी॥

💁‍♂ વૃંદાવન,મથુરાના ભૂતેશ્વરમાં કાત્યયન દેવીનું અતિપ્રાચીન મંદિર આવેલું છે.જ્યાં સતીના કેશ પડ્યા હતા તેવું માનવામાં આવે છે.

*એક અજ્ઞાની માણસ*

📌Credit📚જ્ઞાન કી દુનિયા 📚
4
Manish Sindhi
Photo
*Morning Musings*

"Modesty is maturity" (વિનમ્રતા એ પરિપક્વતા છે) આ વાક્ય સૂચવે છે કે વિનમ્રતા (નમ્રતા અથવા સૌમ્યતા) નો વિકાસ એ વ્યક્તિની વધતી જતી પરિપક્વતા (Maturity) ની નિશાની છે.
વિનમ્રતા અને પરિપક્વતા વચ્ચેનો સંબંધ નીચે મુજબના મુખ્ય પાસાઓ પરથી સમજી શકાય છે, કારણ કે વિનમ્રતામાં સામાન્ય રીતે નમ્રતા અને શિષ્ટાચાર નો સમાવેશ થાય છે:

૧. બડાઈને બદલે નમ્રતા (સિદ્ધિઓ અને જ્ઞાનમાં વિનમ્રતા)
વિનમ્રતા એટલે શું:

પોતાની ક્ષમતાઓ, સિદ્ધિઓ અથવા મહત્ત્વ વિશે વધુ પડતો અહંકાર કે ગર્વ ન રાખવો. એક વિનમ્ર વ્યક્તિ અતિશય બડાઈ હાંકવાનું ટાળે છે.

પરિપક્વતા કેવી રીતે દર્શાવે છે: એક પરિપક્વ વ્યક્તિ જાણે છે કે તેમનું મૂલ્ય સતત બાહ્ય માન્યતા અથવા ધ્યાન ખેંચવાની જરૂરિયાત પર આધારિત નથી.

તેમની પાસે આત્મસન્માનની સુરક્ષિત ભાવના હોય છે. તેઓ તેમની શક્તિઓ અને મર્યાદાઓ બંનેને જાણે છે, જે વાસ્તવિક અને શાંત સ્વ-મૂલ્યાંકન (પરિપક્વતાની નિશાની) દર્શાવે છે.

૨. અન્યો પ્રત્યે વિચારણા (સામાજિક વિનમ્રતા)
વિનમ્રતા એટલે શું:

પોતાના વર્તન, વાણી અને કાર્યોમાં અન્ય લોકોના આરામ, સન્માન અને સુખાકારીનો વિચાર કરવો.
પરિપક્વતા કેવી રીતે દર્શાવે છે: પરિપક્વતામાં સ્વ-કેન્દ્રિતતાથી આગળ વધવું શામેલ છે.

એક વિનમ્ર વ્યક્તિ તેમના નિર્ણયોની આસપાસના લોકો પર શું અસર થાય છે તેની ગણતરી કરે છે.

આ સામાજિક સંદર્ભની સમજણ અને અન્યો પ્રત્યે વિકસિત સહાનુભૂતિ અને આદર દર્શાવે છે.

૩. બાહ્ય દેખાવને બદલે આંતરિક ધ્યાન (વ્યક્તિગત વિનમ્રતા)
વિનમ્રતા એટલે શું:

દેખાવમાં, તે એવા પોશાક અને એકંદર પ્રસ્તુતિને પસંદ કરવા વિશે છે જે પરિસ્થિતિ માટે યોગ્ય હોય, અને જે શરીર અથવા સંપત્તિ પર વધુ પડતું ધ્યાન ખેંચવાને બદલે વ્યક્તિના ચારિત્ર્ય પર ધ્યાન દોરે.

પરિપક્વતા કેવી રીતે દર્શાવે છે: એક પરિપક્વ વ્યક્તિ આંતરિક મૂલ્યો, ચારિત્ર્ય અને યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, નહિ કે બાહ્ય દેખાવ પર. તેઓ સમજે છે કે સાચો અને કાયમી આદર તેઓ કેવા છે અને શું કરે છે તેના પરથી મળે છે, નહિ કે તેમનો બાહ્ય દેખાવ કેટલો આકર્ષક કે ભપકાદાર છે તેના પરથી.

આ વલણ સામાન્ય કિશોરવયની ધ્યાન ખેંચવાની જરૂરિયાતમાંથી બહાર નીકળીને વધુ સુરક્ષિત, ગૌરવપૂર્ણ પ્રસ્તુતિ તરફનું સંક્રમણ દર્શાવે છે.

ટૂંકમાં, જે વ્યક્તિ ખરેખર વિનમ્ર હોય છે તે પરિપક્વતા દર્શાવે છે, કારણ કે તેમની પાસે તત્કાળ ધ્યાન, માન્યતા અથવા દેખાડાની જરૂરિયાતમાંથી પાછા હટવા માટે આત્મ-નિયંત્રણ, આત્મ-જાગૃતિ અને ભાવનાત્મક સુરક્ષા હોય છે. તેઓ પોતાનું ધ્યાન "માપની અંદર" (Within Measure) રાખે છે.

*Happy Morning*
5
-2147483648_-217585.jpg
412.3 KB
4
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*માતા દુર્ગા નું સાતમું સ્વરૂપ*

*🙏🏻 કાલરાત્રી માતા 🙏🏻*

💁🏻‍♂ આ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🙏2👏1
💁🏻‍♂નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન સહારા ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે.

💁🏻‍♂ આમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. આમના ત્રણ નેત્રો છે.
માતા ની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે.

💁🏻‍♂ આમનું વાહન ગધેડું છે.

💁🏻‍♂ આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બધાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે.

💁🏻‍♂ મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે.

💁🏻‍♂ આમના થી ભક્તોએ કોઇ પણ પ્રકાર નો ભય કે આતંકિત થવાની જરૂર નથી.

💁🏻‍♂ મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે આમનું સ્મરણ કરવાથી જ ભયભીત થઈ જાય છે. આ ગ્રહબાધાઓને પણ દૂર કરનારી છે. આમના ઉપાસકોને અગ્નિ-ભય, જળ-ભય, જંતુ-ભય, રાત્રિ-ભય વગેરે ક્યારેય નથી હોતા. આમની કૃપાથી તે હંમેશા ભયમુક્ત થઈ જાય છે.

💁🏻‍♂ મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ.

💁🏻‍♂ યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે. તેમની ઉપાસનાથી થનાર શુભોની અવગણના નથી કરી શકાતી. આપણે હંમેશા તેમનું ધ્યાન, પુજા અને સ્મરણ કરવું જોઈએ.

*🙏🏻 જય હો માઁ આદ્યશક્તિ 🙏🏻*

📌Credit📚જ્ઞાન કી દુનિયા 📚
5👏1
ViewFile (24) (1).pdf
3.3 MB
📍જા.ક્ર. ૩૦૧/૨૦૨૫૨૬ – મહેસૂલ તલાટી, વર્ગ-૩” સંવર્ગની પ્રાથમિક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે તા. ૨૬/૦૯/૨૦૨૫ ના રોજ જાહેર કરેલ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી અન્વયેની રિવાઇઝ યાદી

#GSSSB
10💔3👍1
ViewFile (6).pdf
55 MB
૩૦૧/૨૦૨૫૨૬ – મહેસૂલ તલાટી, વર્ગ-૩” સંવર્ગની તા.૧૪-૦૯-૨૦૨૫ ના રોજ યોજાયેલ પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત

#GSSSB
2
2025/09/30 02:55:53
Back to Top
HTML Embed Code: