લક્ષ્યવેધ:મેકિંગ ઓફ અ લાઈફ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/making-of-a-life-135276982.html
26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં ભૂકંપ આવ્યો. અંજાર તૂટી ગયું. અમુક મકાન જમીનદોસ્ત થયાં, અમુક બચી ગયાં. બરાબર ત્રણ દિવસ પછી ધરાશાયી ન થયેલા એક ઘરમાં આશાનું કિરણ જાગ્યું. દીપાલીનો જન્મ થયો. એમ તો છ મહિના સુધી દીપાલીને એનું નામ અને વેક્સિન બંને નહોતા મળ્યાં. ભૂકંપ પછી કચ્છને રિલીફ ફંડ રૂપે સહાય મળી. તેમના ઘરના લોકો હળવાશમાં દીપાલીને ‘સહાય’ કહીને ખીજવતા, કેમ કે દીપાલી ભૂકંપ પછી જન્મ્યાં.
જીવનને હચમચાવી દે એવા ધરતીકંપનો અનુભવ તેમને સાત વરસની ઉંમરે થયો. પિતાનો હાથ માથેથી ઊઠી ગયો. માતા અને દાદા-દાદીએ જવાબદારી સંભાળી લીધી. જોડે બીજાં ત્રણ ભાઈ-બહેન પણ સુખદુઃખના સાથીદાર બન્યાં.
દીપાલી હાડિયા માટે એમના પિતા એમ કહેતા કે તને ડી. આઈ. જી. બનાવવી છે. ડી. આઈ. જી. એટલે શું, એ આટલી નાની છોકરીને ખબર ન પડે પણ દોસ્તોની સ્લેમબૂકમાં એ આવું કંઈક લખે.
ઉંમર વધતી ગઈ એમ સમજણ આવતી ગઈ. દીપાલી બાળપણથી જ શિસ્તના આગ્રહી. અભ્યાસમાં અવ્વલ. ડી. આઈ. જી. થવું હોય તો આઈ. પી. એસ. બનવું પડે અને આઈ. પી. એસ. બનવું હોય તો યુ. પી. એસ. સી.ની સિવિલ સેવા પરીક્ષા આપવી પડે અને ગુજરાતમાં રહીને તૈયારી કરવી હોય તો અમદાવાદ જવું પડે એવું સાદું ગણિત મનની સ્લેટ પર ઘૂંટાઈ રહ્યું હતું.
અમદાવાદની એમ. જી. સાયન્સમાં મેથેમેટિક્સમાં પ્રવેશ મેળવ્યો. અંજારની ભૂગોળથી અમદાવાદના આકાશમાં ઊડવાનો અનુભવ દીપાલી માટે નવો હતો. યુવતી તરીકેનાં સામાજિક બંધનોને તપાસવાની તક મળી. પોતાના વ્યક્તિત્વનો વિકાસ કર્યો.
સિવિલ સેવા પરીક્ષા વિશે થોડું ઘણું જાણ્યું અને કોરોનાના સમયગાળામાં તૈયારીઓ શરૂ કરી. એ તૈયારીના આધારે ‘સ્પીપા’ની પરીક્ષા આપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના નવા યુગમાં જાણે તેમણે પ્રવેશ લીધો. સાથી ઉમેદવારો કેવું અને કેટલું વાંચે છે એ જોઈને તૈયારી કરવાની એક રીત મળી જાણે!
દીપાલી અનુભવોમાંથી શીખી રહ્યાં હતાં. મેથેમેટિક્સને મુખ્ય વૈકલ્પિક વિષય તરીકે પસંદ કર્યો હતો. એકદમ લાંબો અને સમય માગી લેતો આ વિષય તૈયાર કરતા તૈયારીનાં સમીકરણો ધ્રૂજી ગયાં. પણ પછી મજબૂત તૈયારી કરી.
આ વિષય ધીરજ માગી લે એટલો જિદ્દી છે પણ એકવાર મનમાં વસી ગયો તો તર્કના તાબા હેઠળ કાયમી વસવાટ કરી લે. આ જ કારણથી દીપાલી એક એક કન્સેપ્ટ પાછળ આખું અઠવાડિયું આપી દેતાં. કોઈ સંકલ્પના એકવાર સમજી લો પછી કોઈ પણ સવાલ ઉકેલી શકવાની મૂળભૂત ક્ષમતા કેળવી શકાય.
દીપાલી મહેનત ખૂબ કરતા પણ શરૂઆતમાં એ મુજબ પરિણામ ન મળ્યું. અમુક પુસ્તકો પાંચથી છ વાર વાંચ્યાં પણ પ્રીલિમિનરીમાં ઉપયોગી ન નીવડે. જાતમહેનતે શીખ્યા કે વાંચન સાથે પરીક્ષકના મનને પણ સમજવું એટલું જ જરૂરી છે. માહિતી ખરા સમયે યાદ આવે અને પુછાયેલા સવાલ મુજબ તર્ક તરફ દોરી જાય એ જ કામનું. દીપાલી જાતમહેનતે બધું શીખે છે. જીવનની કેટલીય વિપત્તિઓ સામે તેમનો લડાયક મિજાજ કાયમ રહ્યો. મનમાં બફારો બહુ થઈ જાય તો ડાયરી લખીને ઉકળાટ શાંત કરતા.
‘સ્પીપા’માં આવ્યા અને ડાયરી લખવાની શરૂ કરી. પહેલા પાના પર લખ્યું: મેકિંગ ઓફ એન આઈ. એ. એસ.’ જ્યારે સમય મળે ત્યારે લખે, વિચાર્યું કે પરીક્ષા પાસ કરશે ત્યારે પાછા વળીને વાંચશે.
પ્રીલિમિનરીની નિષ્ફળતા પછી મેન્સની નિષ્ફળતાઓ પણ મળી. મન એટલું ઊકળે. ઘરથી દૂર રહીને તૈયારી કરતા ત્રણેક વર્ષ થઈ ગયાં. નિષ્ફળતાઓ જીવનની ઘણીબધી બાબતોને નવી દિશા આપી રહી હતી.
પેલી ડાયરીનું ટાઇટલ બદલ્યું. આઇ. એ. એસ. પર ચેકો માર્યો અને એની જગ્યાએ લખ્યું: ‘મેકિંગ ઓફ એ લાઇફ’.
પ્રીલિમિનરીની મહેનતના કારણે સિવિલ સર્વિસની સાથે લેવાતી ફોરેસ્ટ સર્વિસનું હાઇ કટ ઑફ પણ પાર કરી લીધું. વિજ્ઞાનની સ્નાતકીય પૃષ્ઠભૂમિના કારણે ગણિત વિષય તો હતો જ બીજો વિષય ફોરેસ્ટ્રી રાખ્યો.
લખવાની શૈલી અને શિસ્ત મેન્સમાં ઉપયોગી થઈ. બહારની દુનિયાનું જ્ઞાન મર્યાદિત હતું. ડિજિટલ ન્યૂઝ પેપર વાંચતા અને યોગ્ય લાગે એ માહિતી કોપી પેસ્ટ કરી નોટ્સમાં સાચવતાં. જવાબ લખતી વખતે બધું જ કામ લાગ્યું.
પર્સનાલિટી ટેસ્ટમાં આવા કેટલાક સવાલો પુછાયા: કચ્છમાં ધરતીકંપ કેમ આવે છે? કચ્છનું નાનું રણ જળપ્લાવિત વિસ્તાર ગણાય? આ વિસ્તારમાં કયાં કયાં પક્ષીઓ આવે છે? તમારે વનસેવામાં શા માટે જોડાવું છે? પર્સનાલિટી ટેસ્ટના દિવસની આસપાસ પહલગામની ઘટના ઘટી હતી તો તે સંદર્ભે સમસામયિક સવાલો પૂછવામાં આવ્યા. પરિણામ આવ્યું અને ભારતીય વન સેવા સાથે જોડાવાનો લક્ષ્યવેધ ઓલ ઇન્ડિયા રેન્ક 82 સાથે સાર્થક થયો.
બીજા દિવસે દીપાલીએ પેલી ડાયરી કાઢી. પ્રવાસના ચરમ શિખરેથી તળેટીથી ઉપર આવતો આખો રસ્તો દેખાયો. વાંચતાં વાંચતાં ખબર પડી કે જીવનમાં મળેલી નિષ્ફળતાઓ તો નવી તકની દિશા આપી રહી હતી, જો એ ચૂકાઈ હોત તો આ શિખર સર ન જ કરી શક્યાં હોત! }
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/making-of-a-life-135276982.html
26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં ભૂકંપ આવ્યો. અંજાર તૂટી ગયું. અમુક મકાન જમીનદોસ્ત થયાં, અમુક બચી ગયાં. બરાબર ત્રણ દિવસ પછી ધરાશાયી ન થયેલા એક ઘરમાં આશાનું કિરણ જાગ્યું. દીપાલીનો જન્મ થયો. એમ તો છ મહિના સુધી દીપાલીને એનું નામ અને વેક્સિન બંને નહોતા મળ્યાં. ભૂકંપ પછી કચ્છને રિલીફ ફંડ રૂપે સહાય મળી. તેમના ઘરના લોકો હળવાશમાં દીપાલીને ‘સહાય’ કહીને ખીજવતા, કેમ કે દીપાલી ભૂકંપ પછી જન્મ્યાં.
જીવનને હચમચાવી દે એવા ધરતીકંપનો અનુભવ તેમને સાત વરસની ઉંમરે થયો. પિતાનો હાથ માથેથી ઊઠી ગયો. માતા અને દાદા-દાદીએ જવાબદારી સંભાળી લીધી. જોડે બીજાં ત્રણ ભાઈ-બહેન પણ સુખદુઃખના સાથીદાર બન્યાં.
દીપાલી હાડિયા માટે એમના પિતા એમ કહેતા કે તને ડી. આઈ. જી. બનાવવી છે. ડી. આઈ. જી. એટલે શું, એ આટલી નાની છોકરીને ખબર ન પડે પણ દોસ્તોની સ્લેમબૂકમાં એ આવું કંઈક લખે.
ઉંમર વધતી ગઈ એમ સમજણ આવતી ગઈ. દીપાલી બાળપણથી જ શિસ્તના આગ્રહી. અભ્યાસમાં અવ્વલ. ડી. આઈ. જી. થવું હોય તો આઈ. પી. એસ. બનવું પડે અને આઈ. પી. એસ. બનવું હોય તો યુ. પી. એસ. સી.ની સિવિલ સેવા પરીક્ષા આપવી પડે અને ગુજરાતમાં રહીને તૈયારી કરવી હોય તો અમદાવાદ જવું પડે એવું સાદું ગણિત મનની સ્લેટ પર ઘૂંટાઈ રહ્યું હતું.
અમદાવાદની એમ. જી. સાયન્સમાં મેથેમેટિક્સમાં પ્રવેશ મેળવ્યો. અંજારની ભૂગોળથી અમદાવાદના આકાશમાં ઊડવાનો અનુભવ દીપાલી માટે નવો હતો. યુવતી તરીકેનાં સામાજિક બંધનોને તપાસવાની તક મળી. પોતાના વ્યક્તિત્વનો વિકાસ કર્યો.
સિવિલ સેવા પરીક્ષા વિશે થોડું ઘણું જાણ્યું અને કોરોનાના સમયગાળામાં તૈયારીઓ શરૂ કરી. એ તૈયારીના આધારે ‘સ્પીપા’ની પરીક્ષા આપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના નવા યુગમાં જાણે તેમણે પ્રવેશ લીધો. સાથી ઉમેદવારો કેવું અને કેટલું વાંચે છે એ જોઈને તૈયારી કરવાની એક રીત મળી જાણે!
દીપાલી અનુભવોમાંથી શીખી રહ્યાં હતાં. મેથેમેટિક્સને મુખ્ય વૈકલ્પિક વિષય તરીકે પસંદ કર્યો હતો. એકદમ લાંબો અને સમય માગી લેતો આ વિષય તૈયાર કરતા તૈયારીનાં સમીકરણો ધ્રૂજી ગયાં. પણ પછી મજબૂત તૈયારી કરી.
આ વિષય ધીરજ માગી લે એટલો જિદ્દી છે પણ એકવાર મનમાં વસી ગયો તો તર્કના તાબા હેઠળ કાયમી વસવાટ કરી લે. આ જ કારણથી દીપાલી એક એક કન્સેપ્ટ પાછળ આખું અઠવાડિયું આપી દેતાં. કોઈ સંકલ્પના એકવાર સમજી લો પછી કોઈ પણ સવાલ ઉકેલી શકવાની મૂળભૂત ક્ષમતા કેળવી શકાય.
દીપાલી મહેનત ખૂબ કરતા પણ શરૂઆતમાં એ મુજબ પરિણામ ન મળ્યું. અમુક પુસ્તકો પાંચથી છ વાર વાંચ્યાં પણ પ્રીલિમિનરીમાં ઉપયોગી ન નીવડે. જાતમહેનતે શીખ્યા કે વાંચન સાથે પરીક્ષકના મનને પણ સમજવું એટલું જ જરૂરી છે. માહિતી ખરા સમયે યાદ આવે અને પુછાયેલા સવાલ મુજબ તર્ક તરફ દોરી જાય એ જ કામનું. દીપાલી જાતમહેનતે બધું શીખે છે. જીવનની કેટલીય વિપત્તિઓ સામે તેમનો લડાયક મિજાજ કાયમ રહ્યો. મનમાં બફારો બહુ થઈ જાય તો ડાયરી લખીને ઉકળાટ શાંત કરતા.
‘સ્પીપા’માં આવ્યા અને ડાયરી લખવાની શરૂ કરી. પહેલા પાના પર લખ્યું: મેકિંગ ઓફ એન આઈ. એ. એસ.’ જ્યારે સમય મળે ત્યારે લખે, વિચાર્યું કે પરીક્ષા પાસ કરશે ત્યારે પાછા વળીને વાંચશે.
પ્રીલિમિનરીની નિષ્ફળતા પછી મેન્સની નિષ્ફળતાઓ પણ મળી. મન એટલું ઊકળે. ઘરથી દૂર રહીને તૈયારી કરતા ત્રણેક વર્ષ થઈ ગયાં. નિષ્ફળતાઓ જીવનની ઘણીબધી બાબતોને નવી દિશા આપી રહી હતી.
પેલી ડાયરીનું ટાઇટલ બદલ્યું. આઇ. એ. એસ. પર ચેકો માર્યો અને એની જગ્યાએ લખ્યું: ‘મેકિંગ ઓફ એ લાઇફ’.
પ્રીલિમિનરીની મહેનતના કારણે સિવિલ સર્વિસની સાથે લેવાતી ફોરેસ્ટ સર્વિસનું હાઇ કટ ઑફ પણ પાર કરી લીધું. વિજ્ઞાનની સ્નાતકીય પૃષ્ઠભૂમિના કારણે ગણિત વિષય તો હતો જ બીજો વિષય ફોરેસ્ટ્રી રાખ્યો.
લખવાની શૈલી અને શિસ્ત મેન્સમાં ઉપયોગી થઈ. બહારની દુનિયાનું જ્ઞાન મર્યાદિત હતું. ડિજિટલ ન્યૂઝ પેપર વાંચતા અને યોગ્ય લાગે એ માહિતી કોપી પેસ્ટ કરી નોટ્સમાં સાચવતાં. જવાબ લખતી વખતે બધું જ કામ લાગ્યું.
પર્સનાલિટી ટેસ્ટમાં આવા કેટલાક સવાલો પુછાયા: કચ્છમાં ધરતીકંપ કેમ આવે છે? કચ્છનું નાનું રણ જળપ્લાવિત વિસ્તાર ગણાય? આ વિસ્તારમાં કયાં કયાં પક્ષીઓ આવે છે? તમારે વનસેવામાં શા માટે જોડાવું છે? પર્સનાલિટી ટેસ્ટના દિવસની આસપાસ પહલગામની ઘટના ઘટી હતી તો તે સંદર્ભે સમસામયિક સવાલો પૂછવામાં આવ્યા. પરિણામ આવ્યું અને ભારતીય વન સેવા સાથે જોડાવાનો લક્ષ્યવેધ ઓલ ઇન્ડિયા રેન્ક 82 સાથે સાર્થક થયો.
બીજા દિવસે દીપાલીએ પેલી ડાયરી કાઢી. પ્રવાસના ચરમ શિખરેથી તળેટીથી ઉપર આવતો આખો રસ્તો દેખાયો. વાંચતાં વાંચતાં ખબર પડી કે જીવનમાં મળેલી નિષ્ફળતાઓ તો નવી તકની દિશા આપી રહી હતી, જો એ ચૂકાઈ હોત તો આ શિખર સર ન જ કરી શક્યાં હોત! }
રણમાં ખીલ્યું ગુલાબ:હમ દોનોં કો હમ દોનોં જૈસે બહુત મિલેંગે, બસ હમ દોનોં કો હમ દોનોં નહીં મિલેંગે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/we-will-meet-each-other-as-much-as-we-can-but-we-will-not-meet-each-other-as-well-135276992.html
આઠ વર્ષનો સૌમ્ય ત્રાંસી નજરે દાદીમાની હિલચાલને જોઈ રહ્યો હતો. આવું કંઈ પહેલીવાર નહોતું બની રહ્યું, આ તો રોજ દિવસમાં દસ-પંદર વાર બનતું હતું. આઠ વર્ષના છોકરામાં ઝાઝી સમજણ તો ક્યાંથી હોય! પણ જે કંઈ બની રહ્યું છે તેમાં કશુંક અજુગતું છે એટલું તો બાળકને પણ લાગે.
એંશી વર્ષનાં દાદીમા એમના બેડરૂમમાં હતાં, પથારીમાંથી ઊઠ્યાં, જમણી દીવાલ પાસે રાખેલાં વર્ષો જૂનાં લાકડાંના કબાટ પાસે ગયાં, ચાવી વડે કબાટનું તાળું ખોલ્યું, કોઈ જોઈ ન જાય એ માટે બારણું જરાક ઉઘાડ્યું, પછી અંદરથી સ્નાન કરીને બદલવાનાં વસ્ત્રો બહાર કાઢ્યાં અને પછી તરત જ કબાટનું બારણું બંધ કરીને તાળું વાસી દીધું.
બસ, આ છેલ્લી ઘટના પૌત્ર સૌમ્યને સમજાતી ન હતી. એણે એક વાર એના મમ્મી-પપ્પાને પણ આ વિશે પૂછ્યું હતું, ‘કબાટમાં એવું તે શું છે કે દાદી એક સેકન્ડ માટે પણ એને ખુલ્લું છોડતાં નથી? આમ તો દાદી અમારાથી કંઈ છુપાવતાં નથી. અમને ખૂબ વહાલ કરે છે, વાર્તાઓ સંભળાવે છે, અમે એમના રૂમમાં પડેલી થેલીઓ, પોટલાંઓ બધું જ ફંફોસતાં રહીએ છીએ. દાદી ક્યારેય વઢતાં નથી, પણ કોણ જાણે એમણે કબાટમાં શું સંતાડ્યું છે કે અમે...!’
સૌમ્યના પપ્પા વિનાયકભાઈને પણ આ વાતની જાણ હતી. એમણે પણ પોતાની માતાને કબાટની ચુસ્ત સિક્યુરિટી જાળવતાં જોયાં હતાં. આટલી હદની ગુપ્તતા તો દેશનાં પરમાણુ મથકોની પણ ન જોવા મળે! પિતાને થયું કે દીકરાના મનમાં આટલી કુમળી વયે આવા વિચારો ન વિકસે તો સારું, એમણે સૌમ્યના સવાલોને રોળી-ટોળી નાખ્યો.
એક દિવસ સૌમ્યને તક મળી ગઈ. પપ્પા માને કારમાં બેસાડીને મંદિરે દર્શન કરાવવા માટે લઈ ગયા હતા. મા-દીકરાને પાછાં ફરવામાં સહેજે દોઢ-બે કલાક થઈ જવાના હતા. સૌમ્યની ચકોર નજરમાં એ આવી ગયું હતું કે દાદીમા કબાટની ચાવી સાથે લઈ જવાનું ભૂલી ગયાં હતાં.
દાદીના ગયાંને વીસેક મિનિટ્સ થઈ હશે ત્યારે સૌમ્ય એમના બેડરૂમમાં ઘૂસ્યો. ગાદલાં નીચે છુપાવેલી ચાવી શોધી કાઢી અને કબાટનું બારણું ઉઘાડ્યું. કબાટમાં બીજું બધું તો સામાન્ય લાગતું હતું પણ એક વસ્તુ સૌમ્યને અસામાન્ય લાગી. કબાટમાં કોઈ આધેડ વયના, અજાણ્યા પુરુષનો ફોટો મૂકેલો હતો. ફોટોની આગળ થોડાંક ફૂલો પડેલાં હતાં. એવું લાગતું હતું કે દાદીમા રોજ તાજાં ફૂલો એ ફોટો આગળ ધરતાં હશે!
ફોટોમાં દેખાતા પુરુષના ચહેરાને સૌમ્યે સ્મૃતિમાં સાચવી લીધો. પછી ઝટપટ કબાટનાં બારણાં વાસી દીધાં, ચાવી પાછી ગાદલાં નીચે મૂકી દીધી. એક ઘટના પૂરી થઈ ગઈ પણ સૌમ્યના મનમાં અગણિત પ્રશ્નોને જન્માવી ગઈ.
એ રાત્રે સૌમ્યે પપ્પાને આ વાત કરી અને પૂછ્યું, ‘પપ્પા, એ ફોટો કોનો હશે? દાદાજીનો? જો એ દાદાનો ફોટો હોય તો દાદીમા એને કબાટની અંદર સંતાડીને શા માટે રાખે છે? આપણે દાદાના ફોટાને ઘરની દીવાલ ઉપર શા માટે નથી રાખતા? દાદાજી એટલે તમારા પપ્પાને?’
વિનાયકભાઈને આ વાત ન ગમી, તેઓ ગુસ્સે થઈ ગયા, ‘તેં દાદીના કબાટમાં ખાંખાખોળા શા માટે કર્યા? દાદાજી તો વરસો પહેલાં મરી ગયા, એમને યાદ કરવાથી શું વળવાનું? તું તારા હોમવર્કમાં ધ્યાન આપ. હવે પછી ક્યારેય દાદાજી વિશે ઘરમાં કોઈને પણ પ્રશ્ન નહીં પૂછતો. સમજી ગયોને? નહીંતર માર ખાઈશ.’
સૌમ્ય ડરી ગયો. પપ્પા ક્યારેય હાથ ઉપાડતા ન હતા. દાદાજીની વાત સાંભળીને એ શા માટે ગુસ્સે થયા હશે? દાદાજી ખરાબ માણસ હશે? જો એવા હોય તો શા માટે દાદીજી એમની પૂજા કરે છે? પણ દાદી એવું ખાનગીમાં શા માટે કરતાં હશે? સેંકડો સવાલો હતા પણ જવાબ એકેય ન હતો.
આઠ વર્ષનો સૌમ્ય આઠ દિવસમાં આ ઘટનાને ભૂલી ગયો. સ્કૂલ, હોમવર્ક અને શેરીમિત્રો સાથેની રમતોમાં ખોવાઈ ગયો. એનો બેસ્ટ ફ્રેન્ડ બીજા વિસ્તારમાં રહેતો હતો. એનું નામ રોનક. બધા મિત્રો રોજ સાંજે રોનકના ઘરે જ ભેગા થતા હતા, કારણ કે રોનકનો બંગલો મોટો હતો. બંગલાની વિશેષતા એ હતી કે પાસે-પાસે આવેલા બે વિશાળ બંગલા વચ્ચે દીવાલ ઊભી કરવામાં આવી ન હતી. એટલે બહારનું કમ્પાઉન્ડ ખૂબ મોટું હતું.
સૌમ્ય, રોનક તથા બીજા છોકરાઓ રોજ સાંજે બે-ત્રણ કલાક એ મોટા, ખુલ્લા કમ્પાઉન્ડમાં એટલી ધમાલ કરતા કે ત્યાં રહેવું મુશ્કેલ બની જાય. મજાની વાત એ હતી કે આટલી ધમાલ રોનકનો પરિવાર તો સહન કરી લે, પણ બાજુના બંગલામાં રહેતું ફેમિલી પણ આ તોફાની બારકસોને ક્યારેય ઠપકો આપતું ન હતું.
એક દિવસ એક વિરલ બનાવ બન્યો. ક્રિકેટનો દડો બાજુવાળાના બંગલાની અંદર જતો રહ્યો. ત્યાં જ ફિલ્ડિંગ ભરતો સૌમ્ય દડો લઈ આવવા માટે ઘરમાં દોડી ગયો. એ પહેલી વાર એ અજાણ્યા બંગલાની અંદર ગયો હતો. અંદર પતિ-પત્ની હાજર હતાં. ત્રીસેક વર્ષનો પતિ ચેતન અને અઠ્ઠાવીસેકની પત્ની અંજના. એ બંનેએ હસીને સૌમ્યને કહ્યું, ‘દડો ત્યાં છે, સોફાની નીચે.’
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/we-will-meet-each-other-as-much-as-we-can-but-we-will-not-meet-each-other-as-well-135276992.html
આઠ વર્ષનો સૌમ્ય ત્રાંસી નજરે દાદીમાની હિલચાલને જોઈ રહ્યો હતો. આવું કંઈ પહેલીવાર નહોતું બની રહ્યું, આ તો રોજ દિવસમાં દસ-પંદર વાર બનતું હતું. આઠ વર્ષના છોકરામાં ઝાઝી સમજણ તો ક્યાંથી હોય! પણ જે કંઈ બની રહ્યું છે તેમાં કશુંક અજુગતું છે એટલું તો બાળકને પણ લાગે.
એંશી વર્ષનાં દાદીમા એમના બેડરૂમમાં હતાં, પથારીમાંથી ઊઠ્યાં, જમણી દીવાલ પાસે રાખેલાં વર્ષો જૂનાં લાકડાંના કબાટ પાસે ગયાં, ચાવી વડે કબાટનું તાળું ખોલ્યું, કોઈ જોઈ ન જાય એ માટે બારણું જરાક ઉઘાડ્યું, પછી અંદરથી સ્નાન કરીને બદલવાનાં વસ્ત્રો બહાર કાઢ્યાં અને પછી તરત જ કબાટનું બારણું બંધ કરીને તાળું વાસી દીધું.
બસ, આ છેલ્લી ઘટના પૌત્ર સૌમ્યને સમજાતી ન હતી. એણે એક વાર એના મમ્મી-પપ્પાને પણ આ વિશે પૂછ્યું હતું, ‘કબાટમાં એવું તે શું છે કે દાદી એક સેકન્ડ માટે પણ એને ખુલ્લું છોડતાં નથી? આમ તો દાદી અમારાથી કંઈ છુપાવતાં નથી. અમને ખૂબ વહાલ કરે છે, વાર્તાઓ સંભળાવે છે, અમે એમના રૂમમાં પડેલી થેલીઓ, પોટલાંઓ બધું જ ફંફોસતાં રહીએ છીએ. દાદી ક્યારેય વઢતાં નથી, પણ કોણ જાણે એમણે કબાટમાં શું સંતાડ્યું છે કે અમે...!’
સૌમ્યના પપ્પા વિનાયકભાઈને પણ આ વાતની જાણ હતી. એમણે પણ પોતાની માતાને કબાટની ચુસ્ત સિક્યુરિટી જાળવતાં જોયાં હતાં. આટલી હદની ગુપ્તતા તો દેશનાં પરમાણુ મથકોની પણ ન જોવા મળે! પિતાને થયું કે દીકરાના મનમાં આટલી કુમળી વયે આવા વિચારો ન વિકસે તો સારું, એમણે સૌમ્યના સવાલોને રોળી-ટોળી નાખ્યો.
એક દિવસ સૌમ્યને તક મળી ગઈ. પપ્પા માને કારમાં બેસાડીને મંદિરે દર્શન કરાવવા માટે લઈ ગયા હતા. મા-દીકરાને પાછાં ફરવામાં સહેજે દોઢ-બે કલાક થઈ જવાના હતા. સૌમ્યની ચકોર નજરમાં એ આવી ગયું હતું કે દાદીમા કબાટની ચાવી સાથે લઈ જવાનું ભૂલી ગયાં હતાં.
દાદીના ગયાંને વીસેક મિનિટ્સ થઈ હશે ત્યારે સૌમ્ય એમના બેડરૂમમાં ઘૂસ્યો. ગાદલાં નીચે છુપાવેલી ચાવી શોધી કાઢી અને કબાટનું બારણું ઉઘાડ્યું. કબાટમાં બીજું બધું તો સામાન્ય લાગતું હતું પણ એક વસ્તુ સૌમ્યને અસામાન્ય લાગી. કબાટમાં કોઈ આધેડ વયના, અજાણ્યા પુરુષનો ફોટો મૂકેલો હતો. ફોટોની આગળ થોડાંક ફૂલો પડેલાં હતાં. એવું લાગતું હતું કે દાદીમા રોજ તાજાં ફૂલો એ ફોટો આગળ ધરતાં હશે!
ફોટોમાં દેખાતા પુરુષના ચહેરાને સૌમ્યે સ્મૃતિમાં સાચવી લીધો. પછી ઝટપટ કબાટનાં બારણાં વાસી દીધાં, ચાવી પાછી ગાદલાં નીચે મૂકી દીધી. એક ઘટના પૂરી થઈ ગઈ પણ સૌમ્યના મનમાં અગણિત પ્રશ્નોને જન્માવી ગઈ.
એ રાત્રે સૌમ્યે પપ્પાને આ વાત કરી અને પૂછ્યું, ‘પપ્પા, એ ફોટો કોનો હશે? દાદાજીનો? જો એ દાદાનો ફોટો હોય તો દાદીમા એને કબાટની અંદર સંતાડીને શા માટે રાખે છે? આપણે દાદાના ફોટાને ઘરની દીવાલ ઉપર શા માટે નથી રાખતા? દાદાજી એટલે તમારા પપ્પાને?’
વિનાયકભાઈને આ વાત ન ગમી, તેઓ ગુસ્સે થઈ ગયા, ‘તેં દાદીના કબાટમાં ખાંખાખોળા શા માટે કર્યા? દાદાજી તો વરસો પહેલાં મરી ગયા, એમને યાદ કરવાથી શું વળવાનું? તું તારા હોમવર્કમાં ધ્યાન આપ. હવે પછી ક્યારેય દાદાજી વિશે ઘરમાં કોઈને પણ પ્રશ્ન નહીં પૂછતો. સમજી ગયોને? નહીંતર માર ખાઈશ.’
સૌમ્ય ડરી ગયો. પપ્પા ક્યારેય હાથ ઉપાડતા ન હતા. દાદાજીની વાત સાંભળીને એ શા માટે ગુસ્સે થયા હશે? દાદાજી ખરાબ માણસ હશે? જો એવા હોય તો શા માટે દાદીજી એમની પૂજા કરે છે? પણ દાદી એવું ખાનગીમાં શા માટે કરતાં હશે? સેંકડો સવાલો હતા પણ જવાબ એકેય ન હતો.
આઠ વર્ષનો સૌમ્ય આઠ દિવસમાં આ ઘટનાને ભૂલી ગયો. સ્કૂલ, હોમવર્ક અને શેરીમિત્રો સાથેની રમતોમાં ખોવાઈ ગયો. એનો બેસ્ટ ફ્રેન્ડ બીજા વિસ્તારમાં રહેતો હતો. એનું નામ રોનક. બધા મિત્રો રોજ સાંજે રોનકના ઘરે જ ભેગા થતા હતા, કારણ કે રોનકનો બંગલો મોટો હતો. બંગલાની વિશેષતા એ હતી કે પાસે-પાસે આવેલા બે વિશાળ બંગલા વચ્ચે દીવાલ ઊભી કરવામાં આવી ન હતી. એટલે બહારનું કમ્પાઉન્ડ ખૂબ મોટું હતું.
સૌમ્ય, રોનક તથા બીજા છોકરાઓ રોજ સાંજે બે-ત્રણ કલાક એ મોટા, ખુલ્લા કમ્પાઉન્ડમાં એટલી ધમાલ કરતા કે ત્યાં રહેવું મુશ્કેલ બની જાય. મજાની વાત એ હતી કે આટલી ધમાલ રોનકનો પરિવાર તો સહન કરી લે, પણ બાજુના બંગલામાં રહેતું ફેમિલી પણ આ તોફાની બારકસોને ક્યારેય ઠપકો આપતું ન હતું.
એક દિવસ એક વિરલ બનાવ બન્યો. ક્રિકેટનો દડો બાજુવાળાના બંગલાની અંદર જતો રહ્યો. ત્યાં જ ફિલ્ડિંગ ભરતો સૌમ્ય દડો લઈ આવવા માટે ઘરમાં દોડી ગયો. એ પહેલી વાર એ અજાણ્યા બંગલાની અંદર ગયો હતો. અંદર પતિ-પત્ની હાજર હતાં. ત્રીસેક વર્ષનો પતિ ચેતન અને અઠ્ઠાવીસેકની પત્ની અંજના. એ બંનેએ હસીને સૌમ્યને કહ્યું, ‘દડો ત્યાં છે, સોફાની નીચે.’
સૌમ્ય સોફા પાસે ગયો. ત્યાં બાજુના નાના ટેબલ ઉપર ફેમિલી ફોટો મૂકેલો હતો. આઠ-દસ સભ્યોના એ ગ્રૂપ ફોટોગ્રાફમાં બરાબર વચ્ચે ‘હેડ ઓફ ધી ફેમિલી’ સજ્જન ઊભા હતા, એમની સાવ બાજુમાં એક જાજરમાન સુંદર સ્ત્રી હતી, જે સ્વાભાવિક રીતે જ એમની પત્ની હોઈ શકે. એ બંને ઉપરાંત બે દીકરીઓ, બે દીકરાઓ, પુત્રવધૂઓ વગેરે દેખાતાં હતાં.
સૌમ્યની નજર પરિવારના મુખ્ય સભ્ય પર પડી અને એની આંખો પહોળી થઈ ગઈ. એ પૂછી બેઠો, ‘અંજુઆન્ટી, આ કોણ છે?’
જવાબ અંજુઆન્ટીને બદલે એમના પતિ ચેતને આપ્યો, ‘એ ગુલાબદાસ છે. મારા સસરા છે અને અંજુના પપ્પા.’
‘ગુલાબદાસ? એ.... એ મરી ગયા છે ને?’ અણસમજુ સૌમ્યે ઉભડક રીતે પૂછી લીધું. ‘બેટા, એવું ન પુછાય.’ અંજુઆન્ટીએ સૌમ્યને પોતાના ખોળામાં બેસાડી દીધો, ‘મારા પપ્પા જીવે છે, હૈદરાબાદમાં રહે છે અને પૂરા તંદુરસ્ત છે.’
એ રાત્રે સૌમ્યે ઘરે જઈને પપ્પાને કહ્યું, ‘પપ્પા, મેં ફોટામાં જેમને જોયા એ ગુલાબદાસ આપણા દાદાજી જ છે. તમે તો એવું કહેતા હતા ને કે એ મરી ગયા છે!’
‘બેટા, હું બીજું શું કહું? તને કેવી રીતે સમજાવું કે વર્ષો પહેલાં ભરજુવાનીમાં તારા દાદા અમને છોડીને ક્યાંક જતા રહ્યા હતા? મારી માએ અમને કેવી રીતે મોટા કર્યા એ તને કેવી રીતે સમજાવું? અમે બધાં ભાઈભાંડુ આ જ સુધી એમને નફરત કરતા રહ્યાં છીએ. એક મારી મા ઘેલી છે જે તાળું મારેલા કબાટમાં એ ભાગેડુ પતિની છબિ સંતાડીને એની પૂજા કરી રહી છે. અમને આજ દિન સુધી ખબર ન હતી કે પપ્પા ક્યાં ચાલ્યા ગયા છે અને શા માટે ચાલ્યા ગયા છે! આજે સમજાઈ ગયું કે....’ સૌમ્યની કુમળી વયનો વિચાર આવ્યો એટલે વિનાયકભાઈ અટકી ગયા.
જે સત્ય હતું તે સામે આવી ગયું. જુવાનીના જોશમાં હોશ ગુમાવીને ગુલાબદાસ પોતાની પ્રેમિકાને લઈને દૂર ચાલ્યા ગયા. ત્યાં જઈને નવો સંસાર વસાવ્યો, સંતાનો પેદા કર્યાં, ધંધામાં મબલખ કમાયા અને દાયકાઓ સુધી પોતાના પ્રથમ કુટુંબથી અજ્ઞાતવાસમાં જીવ્યા.
આજથી છ દાયકા પૂર્વેના સમયમાં ગુમ થયેલી વ્યક્તિને શોધવાનું કામ અઘરું હતું. આઠ વર્ષના છોકરા સાથે બનેલી બે ઘટનાઓ આ કામ કરી આપ્યું, દાદીમાની ગેરહાજરીમાં કબાટ ખોલવું અને દડો લેવા માટે અજાણ્યાના ઘરમાં જવું.
એ પછી અંજુઆન્ટીએ પપ્પાને બોલાવ્યા અને બંને પરિવારોનું મિલન પણ કરાવ્યું. ગુલાબદાસે વૃદ્ધ પત્ની સામે બે હાથ જોડ્યા, માફી માગી, માત્ર પોતે જ ન રડ્યા, ત્યાં હાજર સહુને રડાવી દીધાં. એ સૌમ્ય નામનો છોકરો મોટો થઈને ગુજરાતનો લબ્ધપ્રતિષ્ઠ કવિ બન્યો. }
(પાત્રોનાં નામ બદલ્યાં છે.)
સૌમ્યની નજર પરિવારના મુખ્ય સભ્ય પર પડી અને એની આંખો પહોળી થઈ ગઈ. એ પૂછી બેઠો, ‘અંજુઆન્ટી, આ કોણ છે?’
જવાબ અંજુઆન્ટીને બદલે એમના પતિ ચેતને આપ્યો, ‘એ ગુલાબદાસ છે. મારા સસરા છે અને અંજુના પપ્પા.’
‘ગુલાબદાસ? એ.... એ મરી ગયા છે ને?’ અણસમજુ સૌમ્યે ઉભડક રીતે પૂછી લીધું. ‘બેટા, એવું ન પુછાય.’ અંજુઆન્ટીએ સૌમ્યને પોતાના ખોળામાં બેસાડી દીધો, ‘મારા પપ્પા જીવે છે, હૈદરાબાદમાં રહે છે અને પૂરા તંદુરસ્ત છે.’
એ રાત્રે સૌમ્યે ઘરે જઈને પપ્પાને કહ્યું, ‘પપ્પા, મેં ફોટામાં જેમને જોયા એ ગુલાબદાસ આપણા દાદાજી જ છે. તમે તો એવું કહેતા હતા ને કે એ મરી ગયા છે!’
‘બેટા, હું બીજું શું કહું? તને કેવી રીતે સમજાવું કે વર્ષો પહેલાં ભરજુવાનીમાં તારા દાદા અમને છોડીને ક્યાંક જતા રહ્યા હતા? મારી માએ અમને કેવી રીતે મોટા કર્યા એ તને કેવી રીતે સમજાવું? અમે બધાં ભાઈભાંડુ આ જ સુધી એમને નફરત કરતા રહ્યાં છીએ. એક મારી મા ઘેલી છે જે તાળું મારેલા કબાટમાં એ ભાગેડુ પતિની છબિ સંતાડીને એની પૂજા કરી રહી છે. અમને આજ દિન સુધી ખબર ન હતી કે પપ્પા ક્યાં ચાલ્યા ગયા છે અને શા માટે ચાલ્યા ગયા છે! આજે સમજાઈ ગયું કે....’ સૌમ્યની કુમળી વયનો વિચાર આવ્યો એટલે વિનાયકભાઈ અટકી ગયા.
જે સત્ય હતું તે સામે આવી ગયું. જુવાનીના જોશમાં હોશ ગુમાવીને ગુલાબદાસ પોતાની પ્રેમિકાને લઈને દૂર ચાલ્યા ગયા. ત્યાં જઈને નવો સંસાર વસાવ્યો, સંતાનો પેદા કર્યાં, ધંધામાં મબલખ કમાયા અને દાયકાઓ સુધી પોતાના પ્રથમ કુટુંબથી અજ્ઞાતવાસમાં જીવ્યા.
આજથી છ દાયકા પૂર્વેના સમયમાં ગુમ થયેલી વ્યક્તિને શોધવાનું કામ અઘરું હતું. આઠ વર્ષના છોકરા સાથે બનેલી બે ઘટનાઓ આ કામ કરી આપ્યું, દાદીમાની ગેરહાજરીમાં કબાટ ખોલવું અને દડો લેવા માટે અજાણ્યાના ઘરમાં જવું.
એ પછી અંજુઆન્ટીએ પપ્પાને બોલાવ્યા અને બંને પરિવારોનું મિલન પણ કરાવ્યું. ગુલાબદાસે વૃદ્ધ પત્ની સામે બે હાથ જોડ્યા, માફી માગી, માત્ર પોતે જ ન રડ્યા, ત્યાં હાજર સહુને રડાવી દીધાં. એ સૌમ્ય નામનો છોકરો મોટો થઈને ગુજરાતનો લબ્ધપ્રતિષ્ઠ કવિ બન્યો. }
(પાત્રોનાં નામ બદલ્યાં છે.)
અમલપિયાલી:એકવિધતાના અસહ્ય ભારથી મુક્ત પણ થવાતું નથી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/cant-even-get-rid-of-the-unbearable-burden-of-monotony-135276986.html
વિનોદ જોશી એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બેપગા
લગા લગા લગા લગા
- નિરંજન ભગત ટલું નાનકડું જ આ કાવ્ય છે. છંદ છે ગુલબંકી. પૂરા દસ શબ્દો પણ તેમાં નથી પ્રયોજાયા. તેનું શીર્ષક છે ‘એકસૂરીલું’. સૂરીલું હોય તે સહુને ગમે. પણ એકસૂરીલું કોઈને ગમતું નથી. એકસૂરીલું એટલે એકવિધ. એકધારું. વૈવિધ્ય વગરનું. અંગ્રેજીમાં જેને `મોનોટોનસ’ કહીએ તે. તેનું ભાષ્ય કરવા બેસીએ તો આખું પુસ્તક થઈ જાય.
એવું તે શું છે આ પંક્તિઓમાં? `એ જ’ એવા એકાક્ષરી બે શબ્દોથી પ્રારંભ થાય છે. કોઈને સંબોધીને કોઈ કશી વાત કરી રહ્યું છે તેવું તરત સમજાય છે. બોલનારના શબ્દો આપણને સંભળાય છે પણ સાંભળનારની પ્રતિક્રિયા શી હશે તેની ખબર પડતી નથી. તો, ઘડીભર એ સાંભળનાર આપણે જ બની જઈએ.
આ `એ જ’ એટલે `જે હતું તે જ’. અર્થાત્ તેનું તે જ. પણ અહીં કવિએ છુટ્ટા રહેલા `તે’ અને `જ’ને ભેગા કરી દીધા અને `તેજ’ જેવો શબ્દ નીપજાવી લીધો. હવે અહીં તેજનો અર્થ પ્રકાશ થશે. એનો એ જ પ્રકાશ એટલું તો સ્પષ્ટ થયું. પણ પ્રકાશ સાથે કવિએ ભેજને જોડ્યો. કદાચ એ શબ્દ `તેજ’ના પ્રાસથી ખેંચાઇ આવ્યો હોય તેવું બને. પણ તે પ્રકાશમાં કોઈ રોજિંદો ભેજ અનુભવાતો હોય તેવું પણ અહીં ધારી શકાય, કારણ કે પછી તરત આવતો શબ્દ છે ‘સેજ’.
આ સેજ પણ એની એ જ છે. તેમાં કોઈ ફેરફાર નથી અને તેના પર જે સૂએ છે તે પણ એ જ છે. એ જ બેપગા માણસો. બીજું કોઈ નહીં. કોઈ બદલાવ નહીં. બધું જ યંત્રવત્. એકધારું. ગુલબંકી છંદમાં એક લઘુ પછી એક ગુરુ વર્ણ અને એમ વળી પાછી એક લઘુ અને એક ગુરુની આવૃત્તિઓ હોય. તેમાં કોઈ પરિવર્તનને અવકાશ ન હોય. બધું જ એકધારું. કવિએ આ એકધારાપણું જેમાં પ્રતિબિંબિત થાય છે તે ગુલબંકી છંદને વાહન બનાવી એ જ રોજિંદી ઘટમાળમાં ફસાયેલા મનુષ્યની એકધારી જિંદગીનો નિર્દેશ અહીં સહજ રીતે કરી દીધો છે.
આ એકસૂરીલાપણાંમાંથી મુક્ત થવા આપણે જેમ જેમ ફાંફાં મારી છીએ તેમ તેમ તેમાં વધુ ને વધુ અટવાતાં જઈએ છીએ. છેવટે એ લાદવામાં આવેલી પરિસ્થિતિ સ્વીકારી લીધેલી પરિસ્થિતિ બની જાય છે. અને પછી ઘાણીના બળદ પેઠે એક જ ચકરડામાં અને એક જ ગતિમાં સહુ ચાલ્યા કરે છે. આ એકવિધતાનો ભાર વેઠાતો પણ નથી અને તેનાથી મુક્ત પણ થવાતું નથી. નવી નવી ઝંખનાઓ થયા કરે છે પણ તેને આંબી શકાતું નથી. આમ મળ્યું છે તેને કોઠે પાડી દેવાની મજબૂરીમાં અને નથી મળ્યું તે નથી જ મળવાનું તેની લ્હાયમાં જીવન જીવાયા વગર જ પૂરું થઈ જાય છે.
પ્રકૃતિમાં બધુ જ નિત્ય નૂતન છે. સૂર્ય-ચંદ્ર કે સમુદ્ર અને હવાની સ્થિતિ કદી એકધારી નથી. તેમાં દેખાતું પરિવર્તન જ તેમના પ્રત્યેનો અનુરાગ રચી આપે છે. પણ મનુષ્યજીવનની એ કરુણતા છે કે તે અમુક માપનું જ અને નક્કી કરી દેવાયેલું જીવન જ જીવી શકે છે. અને તે પણ એકધારું. બે પળના આયુષ્યમાં સહુએ અનંત જીવી લેવું હોય છે પણ તેમાં પુનરાવર્તન સિવાય કશું જ હોતું નથી. એક સમય એવો આવે છે કે બધું એકનું એક લાગ્યા કરે અને તેને અનિચ્છાએ પણ સ્વીકારી જ લેવું પડે.
કદી પૂરી ન થાય તેવી એક વાર્તા નાનપણમાં સાંભળેલી. એક ઝાડ પર ઘણી બધી ચકલીઓ બેઠી હતી. તેમાંથી એક ચકલી ઊડી, ફર્ર...પછી બીજી ચકલી ઊડી, ફર્ર...પછી ત્રીજી ચકલી ઊડી, ફર્ર... અને આમ એક પછી એક ચકલીઓ વાર્તામાં ઊડ્યાં જ કરે. વાર્તાનો અંત કદી આવે જ નહીં. પછી પેલું ચકલી ઊડ્યાં કરે તેનું એકધારાપણું કોઠે પડી જાય. પછી તો ચકલીનો અને ઊડવાનો અર્થ પણ મનમાંથી નીકળી જાય અને ભાષા માત્ર ધ્વનિ બનીને સંભળાયા કરે. પેલી એકવિધતા આપણને ઘેરી વળે અને આપણે નિરુપાય તેને વેઠ્યા કરીએ.
કવિ માઘનાં મહાકાવ્ય `શિશુપાલવધ’માં એક પંક્તિ છે તે યાદ રાખવા જેવી છે : क्षणे क्षणे यन्नवतामुपैति, तदेव रूपं रमणीयतायाः (પ્રત્યેક ક્ષણે જે નવીનતા પ્રાપ્ત કરે છે તે રૂપ જ રમણીય હોય છે.)
આપણા કવિએ ગુલબંકી છંદના લઘુ પછી ગુરુ અને ગુરુ પછી લઘુના નિશ્ચિત અને એકધારા આવર્તનોમાં ભાષાને અને તેના અર્થોને પૂરી દઈ જીવનનું ખરું સૌંદર્ય આ આવર્તનોમાંથી મુક્ત થવામાં રહેલું છે તેવું સત્ય અહીં આસાન રીતે ખુલ્લું કરી આપ્યું છે અને શીરાની જેમ આપણા ગળે ઉતારી દીધું છે. }
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/cant-even-get-rid-of-the-unbearable-burden-of-monotony-135276986.html
વિનોદ જોશી એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બેપગા
લગા લગા લગા લગા
- નિરંજન ભગત ટલું નાનકડું જ આ કાવ્ય છે. છંદ છે ગુલબંકી. પૂરા દસ શબ્દો પણ તેમાં નથી પ્રયોજાયા. તેનું શીર્ષક છે ‘એકસૂરીલું’. સૂરીલું હોય તે સહુને ગમે. પણ એકસૂરીલું કોઈને ગમતું નથી. એકસૂરીલું એટલે એકવિધ. એકધારું. વૈવિધ્ય વગરનું. અંગ્રેજીમાં જેને `મોનોટોનસ’ કહીએ તે. તેનું ભાષ્ય કરવા બેસીએ તો આખું પુસ્તક થઈ જાય.
એવું તે શું છે આ પંક્તિઓમાં? `એ જ’ એવા એકાક્ષરી બે શબ્દોથી પ્રારંભ થાય છે. કોઈને સંબોધીને કોઈ કશી વાત કરી રહ્યું છે તેવું તરત સમજાય છે. બોલનારના શબ્દો આપણને સંભળાય છે પણ સાંભળનારની પ્રતિક્રિયા શી હશે તેની ખબર પડતી નથી. તો, ઘડીભર એ સાંભળનાર આપણે જ બની જઈએ.
આ `એ જ’ એટલે `જે હતું તે જ’. અર્થાત્ તેનું તે જ. પણ અહીં કવિએ છુટ્ટા રહેલા `તે’ અને `જ’ને ભેગા કરી દીધા અને `તેજ’ જેવો શબ્દ નીપજાવી લીધો. હવે અહીં તેજનો અર્થ પ્રકાશ થશે. એનો એ જ પ્રકાશ એટલું તો સ્પષ્ટ થયું. પણ પ્રકાશ સાથે કવિએ ભેજને જોડ્યો. કદાચ એ શબ્દ `તેજ’ના પ્રાસથી ખેંચાઇ આવ્યો હોય તેવું બને. પણ તે પ્રકાશમાં કોઈ રોજિંદો ભેજ અનુભવાતો હોય તેવું પણ અહીં ધારી શકાય, કારણ કે પછી તરત આવતો શબ્દ છે ‘સેજ’.
આ સેજ પણ એની એ જ છે. તેમાં કોઈ ફેરફાર નથી અને તેના પર જે સૂએ છે તે પણ એ જ છે. એ જ બેપગા માણસો. બીજું કોઈ નહીં. કોઈ બદલાવ નહીં. બધું જ યંત્રવત્. એકધારું. ગુલબંકી છંદમાં એક લઘુ પછી એક ગુરુ વર્ણ અને એમ વળી પાછી એક લઘુ અને એક ગુરુની આવૃત્તિઓ હોય. તેમાં કોઈ પરિવર્તનને અવકાશ ન હોય. બધું જ એકધારું. કવિએ આ એકધારાપણું જેમાં પ્રતિબિંબિત થાય છે તે ગુલબંકી છંદને વાહન બનાવી એ જ રોજિંદી ઘટમાળમાં ફસાયેલા મનુષ્યની એકધારી જિંદગીનો નિર્દેશ અહીં સહજ રીતે કરી દીધો છે.
આ એકસૂરીલાપણાંમાંથી મુક્ત થવા આપણે જેમ જેમ ફાંફાં મારી છીએ તેમ તેમ તેમાં વધુ ને વધુ અટવાતાં જઈએ છીએ. છેવટે એ લાદવામાં આવેલી પરિસ્થિતિ સ્વીકારી લીધેલી પરિસ્થિતિ બની જાય છે. અને પછી ઘાણીના બળદ પેઠે એક જ ચકરડામાં અને એક જ ગતિમાં સહુ ચાલ્યા કરે છે. આ એકવિધતાનો ભાર વેઠાતો પણ નથી અને તેનાથી મુક્ત પણ થવાતું નથી. નવી નવી ઝંખનાઓ થયા કરે છે પણ તેને આંબી શકાતું નથી. આમ મળ્યું છે તેને કોઠે પાડી દેવાની મજબૂરીમાં અને નથી મળ્યું તે નથી જ મળવાનું તેની લ્હાયમાં જીવન જીવાયા વગર જ પૂરું થઈ જાય છે.
પ્રકૃતિમાં બધુ જ નિત્ય નૂતન છે. સૂર્ય-ચંદ્ર કે સમુદ્ર અને હવાની સ્થિતિ કદી એકધારી નથી. તેમાં દેખાતું પરિવર્તન જ તેમના પ્રત્યેનો અનુરાગ રચી આપે છે. પણ મનુષ્યજીવનની એ કરુણતા છે કે તે અમુક માપનું જ અને નક્કી કરી દેવાયેલું જીવન જ જીવી શકે છે. અને તે પણ એકધારું. બે પળના આયુષ્યમાં સહુએ અનંત જીવી લેવું હોય છે પણ તેમાં પુનરાવર્તન સિવાય કશું જ હોતું નથી. એક સમય એવો આવે છે કે બધું એકનું એક લાગ્યા કરે અને તેને અનિચ્છાએ પણ સ્વીકારી જ લેવું પડે.
કદી પૂરી ન થાય તેવી એક વાર્તા નાનપણમાં સાંભળેલી. એક ઝાડ પર ઘણી બધી ચકલીઓ બેઠી હતી. તેમાંથી એક ચકલી ઊડી, ફર્ર...પછી બીજી ચકલી ઊડી, ફર્ર...પછી ત્રીજી ચકલી ઊડી, ફર્ર... અને આમ એક પછી એક ચકલીઓ વાર્તામાં ઊડ્યાં જ કરે. વાર્તાનો અંત કદી આવે જ નહીં. પછી પેલું ચકલી ઊડ્યાં કરે તેનું એકધારાપણું કોઠે પડી જાય. પછી તો ચકલીનો અને ઊડવાનો અર્થ પણ મનમાંથી નીકળી જાય અને ભાષા માત્ર ધ્વનિ બનીને સંભળાયા કરે. પેલી એકવિધતા આપણને ઘેરી વળે અને આપણે નિરુપાય તેને વેઠ્યા કરીએ.
કવિ માઘનાં મહાકાવ્ય `શિશુપાલવધ’માં એક પંક્તિ છે તે યાદ રાખવા જેવી છે : क्षणे क्षणे यन्नवतामुपैति, तदेव रूपं रमणीयतायाः (પ્રત્યેક ક્ષણે જે નવીનતા પ્રાપ્ત કરે છે તે રૂપ જ રમણીય હોય છે.)
આપણા કવિએ ગુલબંકી છંદના લઘુ પછી ગુરુ અને ગુરુ પછી લઘુના નિશ્ચિત અને એકધારા આવર્તનોમાં ભાષાને અને તેના અર્થોને પૂરી દઈ જીવનનું ખરું સૌંદર્ય આ આવર્તનોમાંથી મુક્ત થવામાં રહેલું છે તેવું સત્ય અહીં આસાન રીતે ખુલ્લું કરી આપ્યું છે અને શીરાની જેમ આપણા ગળે ઉતારી દીધું છે. }
હિડન ટ્રુથ:કોર્ટમાં એક હત્યા કેસમાં સ્વપ્ન બન્યું મહત્ત્વનો આધાર
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-dream-became-an-important-basis-in-a-murder-case-in-court-135277020.html
જયેશ દવે સ્વપ્નમાં પૂર્વાભાસની વાત હજારો વર્ષ પહેલાંથી ચાલી આવે છે. એક સમય હતો જ્યારે બધાં જ સપનાંઓને કોઈ સંકેત કે પૂર્વાભાસ તરીકે જ જોવામાં આવતાં.
ઈટાલીના આર્તમિદોરસ નામના વિદ્વાને સ્વપ્નોની વ્યાખ્યા કરવાના સિદ્ધાંતનું પુસ્તક ‘આતીરોક્રિટક’ (આ ઇટાલિયન શબ્દનો અર્થ ‘સ્વપ્નભાસ’ એવો થાય છે.) લખ્યું હતું. આ એ સમયની વાત છે જ્યારે પુસ્તકો હાથે લખવામાં આવતા. પ્રિન્ટિંગ પ્રેસની શોધ થયા પછી આ પુસ્તક છપાયું અને પંદરમી સદીમાં તે બેસ્ટ સેલર પૈકીનું એક હતું.
સપનાં શું કામ દેખાય છે તેનો કોઈ જવાબ નથી અને તેથી સ્વપ્ન ખુદ એક રહસ્ય છે આથી પણ વિશેષ તેમાં દેખાતાં દૃશ્યો અને સંદર્ભો વધુ રહસ્યમય હોય છે.
મનોવૈજ્ઞાનિક ફ્રોઈડે સપનાંઓને માણસની ઈચ્છાઓ સાથે જોડ્યાં છે તો જ્યોતિષશાસ્ત્ર તેને ભવિષ્યના સંકેતો તરીકે જુએ છે. સપનામાં થતો પૂર્વાભાસ આ વાતને પુષ્ટિ આપે છે.
સપનામાં થયેલો પૂર્વાભાસ હત્યા કેસમાં અદાલતમાં માન્ય રખાયો હોય તેવી ઘટના પણ બની છે. ઇંગ્લેન્ડની આ ઘટના છે.
જ્હોન વિલિયમ નામના એક નાગરિકને ઇંગ્લેન્ડના તત્કાલીન નાણામંત્રી પર્સીવલ પ્રત્યે ખાસ લાગણી હતી. તેને એક વખત સપનામાં જોયું કે પાર્લામેન્ટમાં પર્સીવલની હત્યા થાય છે. આ સમયે પર્સીવલે સફેદ વસ્ત્રો પહેર્યા હોવાનું અને હત્યા કરનારનો ચહેરો પણ વિલિયમે જોયો. જ્હોન વિલિયમ એ પોતાના આ પૂર્વાભાસ અંગે પાર્લામેન્ટના સુરક્ષા કર્મીઓ અને અન્ય સભ્યોને પણ જાણ કરી. જોકે કોઈએ આ અંગે ધ્યાન ન આપ્યું.
આખરે થોડા દિવસ પછી પર્સીવલની પાર્લામેન્ટમાં જ હત્યા થઈ. આ સમયે તેણે સફેદ કપડાં પહેર્યાં હતાં.
વધુમાં હત્યારાની ધરપકડ થઈ ત્યારે જ્હોન વિલિયમે જે વર્ણન આપ્યું હતું તેવો જ આ આરોપી હતો! વધુમાં આ હત્યા કેસના ઇંગ્લેન્ડની કોર્ટમાં ચાલેલા કેસ દરમિયાન જ્હોન વિલિયમ્સને પણ સાક્ષી તરીકે માન્ય ગણવામાં આવ્યો હતો.
સપનાં તે માત્ર આપણી મનોદશા કે લાગણીઓ પૂરતા સીમિત નથી તેની સાથે વૈશ્વિક ચેતના પણ જોડાયેલી છે અને તેના સંકેતો પણ મળતા હોય છે. જોકે, આ સંકેતોને ઉકેલવા અઘરા હોય છે પરંતુ કેટલીક વ્યક્તિઓને આ સંકેત ખૂબ સ્પષ્ટ મળતા હોય તેને પૂર્વાભાસ તરીકે ગણવામાં આવે છે.
કાર્લ જંગે આપેલા સિદ્ધાંત ‘ધ કોન્સેપ્ટ ઓફ ધ કલેક્ટિવ અનકોન્શિયસ’માં સપનાં વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું છે ઈચ્છા પ્રમાણે સપના જોવા સંભવ નથી કારણ કે તે માત્ર પોતાની મનોદશા પર આધારિત નથી. હા, સપનામાંના સંકેતોને અભ્યાસ અને બારીકાઈથી સમજી જરૂર શકાય છે.
‘ફાઈનલ ડેસ્ટિનેશન’ ફિલ્મમાં મોતનાપૂર્વાભાસ અને મૃત્યુથી બચવાના નિરર્થક પ્રયાસની વાત છે. આવી જ ઘટનાઓમાં સ્વપ્નનો સંકેત સમજવા છતાં કાળ પીછો છોડતો નથી તેવા કિસ્સા પણ નોંધાયા છે. અમેરિકામાં એક સરકારી અધિકારીને સપનું આવ્યું કે આવતીકાલે તેનું અકસ્માતે મોત થવાનું છે. તેણે આ વાત તેણે પોતાની પત્નીને કરી. બંનેએ સપનાને ગંભીરતાથી લઈ આખો દિવસ ઘરની બહાર ન જવાનો નિર્ણય લીધો. સાંજ સુધી કશું જ ન થયું અને બંને રાહત અનુભવી.
દરમિયાનમાં પડોશી મિત્ર બીમાર હોવાના સમાચાર મળ્યા. બાજુમાં જ તેનું ઘર હતું અને પતિપત્ની બંને ત્યાં જવાં નીકળ્યાં. દરવાજાની બહાર નીકળ્યાં અને ફૂટપાથ પર ચાલી રહ્યાં હતાં ત્યારે પૂરપાટ આવતી જીપે તે અધિકારીને અડફેટે લીધા અને તેનું મૃત્યુ થયું.
સ્વપ્નમાં તથા પૂર્વાભાસની તથ્યતા તપાસવા ડો. જે. બી. રાયન અને તેમનાં પત્નીએ ભેગાં મળી વર્ષો સુધી કાર્ય કર્યું છે. પરીક્ષણો અને વિશ્લેષણના આધારે તેમણે જણાવ્યું હતું કે, માણસની અંદર રહેલી ચેતના ખૂબ દૂર સુધી સંપર્કો સાધી શકે છે આ ચેતનાની શક્તિ છે કેટલાક સંજોગોમાં ભવિષ્યના સંકેતો પણ આપે છે આ પૈકી બહુ થોડા સ્પષ્ટ હોય છે જ્યારે બાકીનાને સમજવા મુશ્કેલ હોય છે.
સ્વપ્નની દુનિયા આપણી સમજની બહાર હોય તેવું લાગે. પાંચ વર્ષની ઉંમરે દૃશ્ય અને શ્રવણ-શક્તિ ગુમાવી ચૂકેલી રશિયાની ઓસ્કૌરોખોદોવાએ ‘માય પરસેપ્શન એન્ડ કન્સેપ્શન ઓફ ધ વર્લ્ડ’ નામના પુસ્તકમાં સ્વપ્ન વિશે પણ લખ્યું છે.
તે કહે છે, ‘સ્વપ્નમાં કોઈ ચિત્ર ન આવે પરંતુ ધ્વનિ અને ગંધ પણ સ્વપ્ન તરીકે અનુભવાતાં હોય છે. આ ગંધ અને ધ્વનિ દ્વારા આખરે શું સંકેત હતો તે પણ સમજાઈ જતું હોય છે.’ તો કહી શકાય કે સ્વપ્ન તે માત્ર જોવાની જ પ્રક્રિયા નથી તે અનુભૂતિનો ભાગ છે. }
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-dream-became-an-important-basis-in-a-murder-case-in-court-135277020.html
જયેશ દવે સ્વપ્નમાં પૂર્વાભાસની વાત હજારો વર્ષ પહેલાંથી ચાલી આવે છે. એક સમય હતો જ્યારે બધાં જ સપનાંઓને કોઈ સંકેત કે પૂર્વાભાસ તરીકે જ જોવામાં આવતાં.
ઈટાલીના આર્તમિદોરસ નામના વિદ્વાને સ્વપ્નોની વ્યાખ્યા કરવાના સિદ્ધાંતનું પુસ્તક ‘આતીરોક્રિટક’ (આ ઇટાલિયન શબ્દનો અર્થ ‘સ્વપ્નભાસ’ એવો થાય છે.) લખ્યું હતું. આ એ સમયની વાત છે જ્યારે પુસ્તકો હાથે લખવામાં આવતા. પ્રિન્ટિંગ પ્રેસની શોધ થયા પછી આ પુસ્તક છપાયું અને પંદરમી સદીમાં તે બેસ્ટ સેલર પૈકીનું એક હતું.
સપનાં શું કામ દેખાય છે તેનો કોઈ જવાબ નથી અને તેથી સ્વપ્ન ખુદ એક રહસ્ય છે આથી પણ વિશેષ તેમાં દેખાતાં દૃશ્યો અને સંદર્ભો વધુ રહસ્યમય હોય છે.
મનોવૈજ્ઞાનિક ફ્રોઈડે સપનાંઓને માણસની ઈચ્છાઓ સાથે જોડ્યાં છે તો જ્યોતિષશાસ્ત્ર તેને ભવિષ્યના સંકેતો તરીકે જુએ છે. સપનામાં થતો પૂર્વાભાસ આ વાતને પુષ્ટિ આપે છે.
સપનામાં થયેલો પૂર્વાભાસ હત્યા કેસમાં અદાલતમાં માન્ય રખાયો હોય તેવી ઘટના પણ બની છે. ઇંગ્લેન્ડની આ ઘટના છે.
જ્હોન વિલિયમ નામના એક નાગરિકને ઇંગ્લેન્ડના તત્કાલીન નાણામંત્રી પર્સીવલ પ્રત્યે ખાસ લાગણી હતી. તેને એક વખત સપનામાં જોયું કે પાર્લામેન્ટમાં પર્સીવલની હત્યા થાય છે. આ સમયે પર્સીવલે સફેદ વસ્ત્રો પહેર્યા હોવાનું અને હત્યા કરનારનો ચહેરો પણ વિલિયમે જોયો. જ્હોન વિલિયમ એ પોતાના આ પૂર્વાભાસ અંગે પાર્લામેન્ટના સુરક્ષા કર્મીઓ અને અન્ય સભ્યોને પણ જાણ કરી. જોકે કોઈએ આ અંગે ધ્યાન ન આપ્યું.
આખરે થોડા દિવસ પછી પર્સીવલની પાર્લામેન્ટમાં જ હત્યા થઈ. આ સમયે તેણે સફેદ કપડાં પહેર્યાં હતાં.
વધુમાં હત્યારાની ધરપકડ થઈ ત્યારે જ્હોન વિલિયમે જે વર્ણન આપ્યું હતું તેવો જ આ આરોપી હતો! વધુમાં આ હત્યા કેસના ઇંગ્લેન્ડની કોર્ટમાં ચાલેલા કેસ દરમિયાન જ્હોન વિલિયમ્સને પણ સાક્ષી તરીકે માન્ય ગણવામાં આવ્યો હતો.
સપનાં તે માત્ર આપણી મનોદશા કે લાગણીઓ પૂરતા સીમિત નથી તેની સાથે વૈશ્વિક ચેતના પણ જોડાયેલી છે અને તેના સંકેતો પણ મળતા હોય છે. જોકે, આ સંકેતોને ઉકેલવા અઘરા હોય છે પરંતુ કેટલીક વ્યક્તિઓને આ સંકેત ખૂબ સ્પષ્ટ મળતા હોય તેને પૂર્વાભાસ તરીકે ગણવામાં આવે છે.
કાર્લ જંગે આપેલા સિદ્ધાંત ‘ધ કોન્સેપ્ટ ઓફ ધ કલેક્ટિવ અનકોન્શિયસ’માં સપનાં વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું છે ઈચ્છા પ્રમાણે સપના જોવા સંભવ નથી કારણ કે તે માત્ર પોતાની મનોદશા પર આધારિત નથી. હા, સપનામાંના સંકેતોને અભ્યાસ અને બારીકાઈથી સમજી જરૂર શકાય છે.
‘ફાઈનલ ડેસ્ટિનેશન’ ફિલ્મમાં મોતનાપૂર્વાભાસ અને મૃત્યુથી બચવાના નિરર્થક પ્રયાસની વાત છે. આવી જ ઘટનાઓમાં સ્વપ્નનો સંકેત સમજવા છતાં કાળ પીછો છોડતો નથી તેવા કિસ્સા પણ નોંધાયા છે. અમેરિકામાં એક સરકારી અધિકારીને સપનું આવ્યું કે આવતીકાલે તેનું અકસ્માતે મોત થવાનું છે. તેણે આ વાત તેણે પોતાની પત્નીને કરી. બંનેએ સપનાને ગંભીરતાથી લઈ આખો દિવસ ઘરની બહાર ન જવાનો નિર્ણય લીધો. સાંજ સુધી કશું જ ન થયું અને બંને રાહત અનુભવી.
દરમિયાનમાં પડોશી મિત્ર બીમાર હોવાના સમાચાર મળ્યા. બાજુમાં જ તેનું ઘર હતું અને પતિપત્ની બંને ત્યાં જવાં નીકળ્યાં. દરવાજાની બહાર નીકળ્યાં અને ફૂટપાથ પર ચાલી રહ્યાં હતાં ત્યારે પૂરપાટ આવતી જીપે તે અધિકારીને અડફેટે લીધા અને તેનું મૃત્યુ થયું.
સ્વપ્નમાં તથા પૂર્વાભાસની તથ્યતા તપાસવા ડો. જે. બી. રાયન અને તેમનાં પત્નીએ ભેગાં મળી વર્ષો સુધી કાર્ય કર્યું છે. પરીક્ષણો અને વિશ્લેષણના આધારે તેમણે જણાવ્યું હતું કે, માણસની અંદર રહેલી ચેતના ખૂબ દૂર સુધી સંપર્કો સાધી શકે છે આ ચેતનાની શક્તિ છે કેટલાક સંજોગોમાં ભવિષ્યના સંકેતો પણ આપે છે આ પૈકી બહુ થોડા સ્પષ્ટ હોય છે જ્યારે બાકીનાને સમજવા મુશ્કેલ હોય છે.
સ્વપ્નની દુનિયા આપણી સમજની બહાર હોય તેવું લાગે. પાંચ વર્ષની ઉંમરે દૃશ્ય અને શ્રવણ-શક્તિ ગુમાવી ચૂકેલી રશિયાની ઓસ્કૌરોખોદોવાએ ‘માય પરસેપ્શન એન્ડ કન્સેપ્શન ઓફ ધ વર્લ્ડ’ નામના પુસ્તકમાં સ્વપ્ન વિશે પણ લખ્યું છે.
તે કહે છે, ‘સ્વપ્નમાં કોઈ ચિત્ર ન આવે પરંતુ ધ્વનિ અને ગંધ પણ સ્વપ્ન તરીકે અનુભવાતાં હોય છે. આ ગંધ અને ધ્વનિ દ્વારા આખરે શું સંકેત હતો તે પણ સમજાઈ જતું હોય છે.’ તો કહી શકાય કે સ્વપ્ન તે માત્ર જોવાની જ પ્રક્રિયા નથી તે અનુભૂતિનો ભાગ છે. }
ફરીથી મળવું Áપારુલ કંદર્પ દેસાઇ
પાનાં: 112 Áકિંમત: 150 રૂ.
અગિયાર વર્ષના લાંબા સમય પછી પારુલબહેનનો આ બીજો વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે. નાની, સરળ, સમજાય એવી કુલ 15 વાર્તાઓ સમાવાઈ છે. પુસ્તકનું નામ જેના પરથી છે એ ‘ફરીથી મળવું’ વાર્તા બે બહેનપણીઓ ફરીથી મળ્યા પછી કેવી રીતે પોતાના મતભેદો મૂકીને પણ મળે છે, તેની વાત કહેવાઈ છે. હિરોઇન પહોંચે છે પૂર્વ પ્રેમીના શહેરમાં. ‘એ શહેરમાં’ એવા પ્રેમીના નગરમાં પહોંચતી હિરોઇનની વાર્તા છે. પહોંચ્યા પછી શું થાય એમાં જ વાર્તા સમાયેલી છે. ‘રિયાની મમ્મા’ યુવતીઓની માતાની ચિંતા આબેહૂબ રીતે રજૂ કરે છે. ‘તેજલિસોટો’ પણ કંઈક દીકરીની માતા-પરિવાજનોની જ સમસ્યા રજૂ કરતી નવા દૃષ્ટિકોણની વાર્તા છે.
લગ્ન પછી પૂર્વ પ્રેમીની ‘ફ્રેન્ડ રિક્વેસ્ટ’ આવે તો શું થાય અને શું કરવું એનો પણ જવાબ છે. ‘પપ્પાનું ઘર’ નામ મુજબ પપ્પાના ઘરનો સદ્ઉયપોગ દર્શાવે છે. કોઈને લાંબા સમય પછી મળીએ તો એની સાવ નવી અને વાસ્તવિક ઓળખ મળે એ કથા ‘આફ્ટર અ લૉંગટાઇમ’માં છે. મોટા ભાગની વાર્તા સ્ત્રીની કથાને રજૂ કરે છે. સરળ રીતે નવા યુગની સમસ્યાઓ રજૂ થઈ છે.
***
મરલ્ડ Áપન્ના નાયક
Áતસવીર- સંપાદન: સંજય વૈદ્ય
પાનાં: 138 Áકિંમત: 350 રૂ.
મૂળ ભારતીય પણ અમેરિકા નિવાસી કવયિત્રી પન્ના નાયકનો સાહિત્યિક સર્જનનો આ તસવીરી સંગ્રહ છે. ‘એમરલ્ડ’ સંપાદન સંગ્રહમાં પન્ના નાયકનું સાહિત્ય અને બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો છે. સંપાદન સંગ્રહની શરૂઆતમાં ડાબી બાજુના પાને કવયિત્રી પન્ના નાયકની તસવીર છે અને સામેના પાને તેમનું સર્જન ‘હું’ છે. મમળાવવા જેવું ‘તને ખબર છે’ અછાંદસ કાવ્ય છે. આ ઉપરાંત લેખ ‘મારું જીવનસૂત્ર’ અને ટૂંકી વાર્તા ‘ફ્લેમિન્ગો’નો સમાવેશ કરાયો છે. આપણી ભાષાના પ્રતિષ્ઠિત કવિ વિનોદ જોશીએ પન્ના નાયકના ‘આ મારું ઘર’ કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે. ગીતકવિ તરીકે પ્રસિદ્ધ કવિએ અછાંદસ કાવ્યનું રસદર્શન કરાવ્યું છે. પન્ના નાયકના હસ્તાક્ષરમાં ‘તને ખબર છે:’ સામેલ છે.
અને એક માછલી
સાગરનું સરનામું
શોધતી રહી…
આ સંપાદન સંગ્રહનું અંતિમ સર્જન છે. આ સંપાદન સંગ્રહની મજા એ છે કે કવિતાનું માધ્યમ કાવ્ય જ નહીં, પણ ચિત્ર પણ છે.
***
અંજળપાણી વાસુદેવ સોઢા
પાનાં: 120 Áકિંમત: 180 રૂ.
ટૂંકી વાર્તના આ સંગ્રહમાં સમાજજીવનનાં પ્રતિબિંબ ઝીલતી અને બેવડું નિશાન તાકતી કુલ 18 વાર્તાઓ સમાવિષ્ટ છે. સંગ્રહની શરૂઆત ‘તમાચો’ સાથે થાય છે અને અંતિમ વાર્તા ‘આળ’ છે. સંગ્રહની સોળમી વાર્તા ‘અંજળપાણી’ ટૂંકી વાર્તા સંગ્રહનું શીર્ષક બન્યું છે. સંગ્રહની 11મી વાર્તા ‘ગ્રહ (ગૃહ) નડતર’નો ઉપાડ ગ્રહ નડતરની ચાડી ખાય છે. સંગ્રહની તમામ વાર્તાઓમાં લેખકે પ્રયોગશીલતા કે પરંપરાના પ્રવાહમાં તણાયા વિના આગવું વાર્તાવિશ્વ સર્જ્યું છે. આ વાર્તાઓના દર્પણમાં સમાજનો સાફ ચહેરો દેખાય છે.
‘અંજળપાણી’ ઉપરાંત લેખકનો અન્ય વાર્તા સંગ્રહ ‘આયામ’ પ્રગટ થયો છે. તેમાં માનવમનની આંટીઘૂંટીને આકાર આપતી કુલ 20 ટૂંકી વાર્તાઓ છે. કુલ 92 પાનાંઓના આ સંગ્રહનો અંત ‘છેલ્લી છોકરી’ સાથે આવે છે.
***
કિંત્સુગી ટેલ્સ ઝરણાં
પાનાં: 120 Áકિંમત: 210 રૂ.
કિંત્સુગી ટેલ્સ એક જાપાનીઝ શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘તૂટેલા વાસણને સોનાથી જોડવાની એક કળા’. બસ આ શબ્દની જેમ જ આ પુસ્તક કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતી મહિલાઓને એ પીડાદાયક અને દુ:ખદાયક યાતનાઓથી ભરેલી જિંદગીમાં હિંમત આપી આવી પરિસ્થિતિમાં પણ જીવનનો આનંદ માણવાનો શીખવી જાય છે. આ પુસ્તકમાં એક વાક્ય પણ છે કે, ‘કેન્સર એ માત્ર મેડિકલ બીમારી નથી, એ જિંદગીને બદલી નાખતી એક સફર છે.’ આ બીમારીમાં હતાશ થઈ જીવનથી હાર માની લેવાના બદલે જીવનને ભરપૂર રીતે માણવાનું શીખવે છે. આ પુસ્તક લોકોની એકલતા દૂર કરી એક આશા જગાડવા માટે પ્રેરે છે.
પુસ્તકમાં અલગ અલગ ઉંમરમાં થયેલા કેન્સર અને અલગ અલગ કેન્સરથી પીડાતા પીડિતની વાત છે. અહીં અંત પણ છે ને એક નવો આરંભ પણ છે.
***
શરદસાહિત્ય મારી નજરે Áજયશ્રી પટેલ ‘જયુ’
પાનાં: 166 Áકિંમત: 250 રૂ.
પુસ્તકના શીર્ષક ઉપરથી જ સમજાઈ જાય કે લેખિકાનું આ પુસ્તક સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર એવા શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનું છે. અહીં લેખિકાએ શરદબાબુની જાણીતી અને વિભિન્ન પ્રકારની વાર્તાઓનો રસાસ્વાદ કરાવ્યો છે, જેમાં શરદબાબુના સાહિત્યનો, તેમના જીવનકવનનો, એ સમયની સમાજવ્યવસ્થાનો તેમજ સામાજિક સંબંધોનો સંપૂર્ણ ચિતાર મળી આવે છે. સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ એ વખતે કેવી હીતે એનું પણ આબેહૂબ દર્શન પુસ્તકના માધ્યમથી મળી આવે છે. અહીં બીજી નોંધવાલાયક બાબત એ પણ છે કે નવલિકા, નવલિકાનો અનુવાદ કોણ કર્યો છે અને એ ઉપરથી જુદાં જુદાં સમયગાળામાં બનેલી ફિલ્મો, ડિરેક્ટર અને એક્ટરના નામનું પણ તેમણે ખાસ ધ્યાન રાખ્યું છે. ‘નવવિધાન’, ‘સતી’, ‘અવરણીયા’ જેવી નવલકથા અને ‘પથેર દાબિ’નાં પાત્રોની મજબૂત વાત પુસ્તકમાં દેખાઈ આવે છે.
***
હૃદયમાં ધબકે વાંસળીના સૂર
પાનાં: 112 Áકિંમત: 150 રૂ.
અગિયાર વર્ષના લાંબા સમય પછી પારુલબહેનનો આ બીજો વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે. નાની, સરળ, સમજાય એવી કુલ 15 વાર્તાઓ સમાવાઈ છે. પુસ્તકનું નામ જેના પરથી છે એ ‘ફરીથી મળવું’ વાર્તા બે બહેનપણીઓ ફરીથી મળ્યા પછી કેવી રીતે પોતાના મતભેદો મૂકીને પણ મળે છે, તેની વાત કહેવાઈ છે. હિરોઇન પહોંચે છે પૂર્વ પ્રેમીના શહેરમાં. ‘એ શહેરમાં’ એવા પ્રેમીના નગરમાં પહોંચતી હિરોઇનની વાર્તા છે. પહોંચ્યા પછી શું થાય એમાં જ વાર્તા સમાયેલી છે. ‘રિયાની મમ્મા’ યુવતીઓની માતાની ચિંતા આબેહૂબ રીતે રજૂ કરે છે. ‘તેજલિસોટો’ પણ કંઈક દીકરીની માતા-પરિવાજનોની જ સમસ્યા રજૂ કરતી નવા દૃષ્ટિકોણની વાર્તા છે.
લગ્ન પછી પૂર્વ પ્રેમીની ‘ફ્રેન્ડ રિક્વેસ્ટ’ આવે તો શું થાય અને શું કરવું એનો પણ જવાબ છે. ‘પપ્પાનું ઘર’ નામ મુજબ પપ્પાના ઘરનો સદ્ઉયપોગ દર્શાવે છે. કોઈને લાંબા સમય પછી મળીએ તો એની સાવ નવી અને વાસ્તવિક ઓળખ મળે એ કથા ‘આફ્ટર અ લૉંગટાઇમ’માં છે. મોટા ભાગની વાર્તા સ્ત્રીની કથાને રજૂ કરે છે. સરળ રીતે નવા યુગની સમસ્યાઓ રજૂ થઈ છે.
***
મરલ્ડ Áપન્ના નાયક
Áતસવીર- સંપાદન: સંજય વૈદ્ય
પાનાં: 138 Áકિંમત: 350 રૂ.
મૂળ ભારતીય પણ અમેરિકા નિવાસી કવયિત્રી પન્ના નાયકનો સાહિત્યિક સર્જનનો આ તસવીરી સંગ્રહ છે. ‘એમરલ્ડ’ સંપાદન સંગ્રહમાં પન્ના નાયકનું સાહિત્ય અને બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો છે. સંપાદન સંગ્રહની શરૂઆતમાં ડાબી બાજુના પાને કવયિત્રી પન્ના નાયકની તસવીર છે અને સામેના પાને તેમનું સર્જન ‘હું’ છે. મમળાવવા જેવું ‘તને ખબર છે’ અછાંદસ કાવ્ય છે. આ ઉપરાંત લેખ ‘મારું જીવનસૂત્ર’ અને ટૂંકી વાર્તા ‘ફ્લેમિન્ગો’નો સમાવેશ કરાયો છે. આપણી ભાષાના પ્રતિષ્ઠિત કવિ વિનોદ જોશીએ પન્ના નાયકના ‘આ મારું ઘર’ કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે. ગીતકવિ તરીકે પ્રસિદ્ધ કવિએ અછાંદસ કાવ્યનું રસદર્શન કરાવ્યું છે. પન્ના નાયકના હસ્તાક્ષરમાં ‘તને ખબર છે:’ સામેલ છે.
અને એક માછલી
સાગરનું સરનામું
શોધતી રહી…
આ સંપાદન સંગ્રહનું અંતિમ સર્જન છે. આ સંપાદન સંગ્રહની મજા એ છે કે કવિતાનું માધ્યમ કાવ્ય જ નહીં, પણ ચિત્ર પણ છે.
***
અંજળપાણી વાસુદેવ સોઢા
પાનાં: 120 Áકિંમત: 180 રૂ.
ટૂંકી વાર્તના આ સંગ્રહમાં સમાજજીવનનાં પ્રતિબિંબ ઝીલતી અને બેવડું નિશાન તાકતી કુલ 18 વાર્તાઓ સમાવિષ્ટ છે. સંગ્રહની શરૂઆત ‘તમાચો’ સાથે થાય છે અને અંતિમ વાર્તા ‘આળ’ છે. સંગ્રહની સોળમી વાર્તા ‘અંજળપાણી’ ટૂંકી વાર્તા સંગ્રહનું શીર્ષક બન્યું છે. સંગ્રહની 11મી વાર્તા ‘ગ્રહ (ગૃહ) નડતર’નો ઉપાડ ગ્રહ નડતરની ચાડી ખાય છે. સંગ્રહની તમામ વાર્તાઓમાં લેખકે પ્રયોગશીલતા કે પરંપરાના પ્રવાહમાં તણાયા વિના આગવું વાર્તાવિશ્વ સર્જ્યું છે. આ વાર્તાઓના દર્પણમાં સમાજનો સાફ ચહેરો દેખાય છે.
‘અંજળપાણી’ ઉપરાંત લેખકનો અન્ય વાર્તા સંગ્રહ ‘આયામ’ પ્રગટ થયો છે. તેમાં માનવમનની આંટીઘૂંટીને આકાર આપતી કુલ 20 ટૂંકી વાર્તાઓ છે. કુલ 92 પાનાંઓના આ સંગ્રહનો અંત ‘છેલ્લી છોકરી’ સાથે આવે છે.
***
કિંત્સુગી ટેલ્સ ઝરણાં
પાનાં: 120 Áકિંમત: 210 રૂ.
કિંત્સુગી ટેલ્સ એક જાપાનીઝ શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘તૂટેલા વાસણને સોનાથી જોડવાની એક કળા’. બસ આ શબ્દની જેમ જ આ પુસ્તક કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતી મહિલાઓને એ પીડાદાયક અને દુ:ખદાયક યાતનાઓથી ભરેલી જિંદગીમાં હિંમત આપી આવી પરિસ્થિતિમાં પણ જીવનનો આનંદ માણવાનો શીખવી જાય છે. આ પુસ્તકમાં એક વાક્ય પણ છે કે, ‘કેન્સર એ માત્ર મેડિકલ બીમારી નથી, એ જિંદગીને બદલી નાખતી એક સફર છે.’ આ બીમારીમાં હતાશ થઈ જીવનથી હાર માની લેવાના બદલે જીવનને ભરપૂર રીતે માણવાનું શીખવે છે. આ પુસ્તક લોકોની એકલતા દૂર કરી એક આશા જગાડવા માટે પ્રેરે છે.
પુસ્તકમાં અલગ અલગ ઉંમરમાં થયેલા કેન્સર અને અલગ અલગ કેન્સરથી પીડાતા પીડિતની વાત છે. અહીં અંત પણ છે ને એક નવો આરંભ પણ છે.
***
શરદસાહિત્ય મારી નજરે Áજયશ્રી પટેલ ‘જયુ’
પાનાં: 166 Áકિંમત: 250 રૂ.
પુસ્તકના શીર્ષક ઉપરથી જ સમજાઈ જાય કે લેખિકાનું આ પુસ્તક સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર એવા શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનું છે. અહીં લેખિકાએ શરદબાબુની જાણીતી અને વિભિન્ન પ્રકારની વાર્તાઓનો રસાસ્વાદ કરાવ્યો છે, જેમાં શરદબાબુના સાહિત્યનો, તેમના જીવનકવનનો, એ સમયની સમાજવ્યવસ્થાનો તેમજ સામાજિક સંબંધોનો સંપૂર્ણ ચિતાર મળી આવે છે. સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ એ વખતે કેવી હીતે એનું પણ આબેહૂબ દર્શન પુસ્તકના માધ્યમથી મળી આવે છે. અહીં બીજી નોંધવાલાયક બાબત એ પણ છે કે નવલિકા, નવલિકાનો અનુવાદ કોણ કર્યો છે અને એ ઉપરથી જુદાં જુદાં સમયગાળામાં બનેલી ફિલ્મો, ડિરેક્ટર અને એક્ટરના નામનું પણ તેમણે ખાસ ધ્યાન રાખ્યું છે. ‘નવવિધાન’, ‘સતી’, ‘અવરણીયા’ જેવી નવલકથા અને ‘પથેર દાબિ’નાં પાત્રોની મજબૂત વાત પુસ્તકમાં દેખાઈ આવે છે.
***
હૃદયમાં ધબકે વાંસળીના સૂર
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
પાનાં: 100 Áકિંમત: 275 રૂ.
આ પુસ્તકમાં સાત વાર્તા છે અને સાતેય કૃષ્ણને સમર્પિત છે. એ રીતે કૃષ્ણને જુદી કલ્પના સાથે રજૂ કરવાનો લેખકે પ્રયાસ કર્યો છે. મોરપંખ, વાંસળીના સૂર, કૃષ્ણલીલા 2.0, મોરપીંછ, મણીનું રહસ્ય, કાન્હાની અન્ય લીલાઓ અને હૃદયમાં ધબકે વાંસળીના સૂર. પુસ્તકમાં ચિત્રો પણ મુકાયાં છે, જે ધોરણ 9ના વિદ્યાર્થીએ બનાવ્યાં છે.
***
એંધાણ Áલાલજીભાઈ બી.ઠાકોર
પાનાં: 64 Áકિંમત: 100 રૂ.
પુસ્તકમા લેખકે પોતાના જીવનમાં બનેલા, જોયેલા અનુભવોને પ્રસંગોને વાર્તા સ્વરૂપે લખ્યા છે. ‘કરમમાં લખેલું કયાં જાય’, ‘બખડિયા પીર’, ‘ગોવિંદડીનો ટીંબો’, ‘ગોલણબાપુ’, ‘ધાર્મિક પિતા’, ‘કેદારનાથમાં કહેરના એંધાણ’ એમ કુલ 14 કથા છે.
પાનાં: 100 Áકિંમત: 275 રૂ.
આ પુસ્તકમાં સાત વાર્તા છે અને સાતેય કૃષ્ણને સમર્પિત છે. એ રીતે કૃષ્ણને જુદી કલ્પના સાથે રજૂ કરવાનો લેખકે પ્રયાસ કર્યો છે. મોરપંખ, વાંસળીના સૂર, કૃષ્ણલીલા 2.0, મોરપીંછ, મણીનું રહસ્ય, કાન્હાની અન્ય લીલાઓ અને હૃદયમાં ધબકે વાંસળીના સૂર. પુસ્તકમાં ચિત્રો પણ મુકાયાં છે, જે ધોરણ 9ના વિદ્યાર્થીએ બનાવ્યાં છે.
***
એંધાણ Áલાલજીભાઈ બી.ઠાકોર
પાનાં: 64 Áકિંમત: 100 રૂ.
પુસ્તકમા લેખકે પોતાના જીવનમાં બનેલા, જોયેલા અનુભવોને પ્રસંગોને વાર્તા સ્વરૂપે લખ્યા છે. ‘કરમમાં લખેલું કયાં જાય’, ‘બખડિયા પીર’, ‘ગોવિંદડીનો ટીંબો’, ‘ગોલણબાપુ’, ‘ધાર્મિક પિતા’, ‘કેદારનાથમાં કહેરના એંધાણ’ એમ કુલ 14 કથા છે.
વિકાસની વાટે:દરેક વાંચન આપણામાં નવો બદલાવ લાવે છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/every-reading-brings-a-new-change-in-us-135277073.html
હસમુખ પટેલ ‘મારો સાક્ષાત્કારી હૃદય રોગ’ ડોક્ટર અભય બંગનું પુસ્તક છે. લેખક મહારાષ્ટ્રના નક્સલવાદથી અસરગ્રસ્ત આદિવાસી જિલ્લા ગડચિરોલીમાં ‘શોધગ્રામ’ નામની સંસ્થાના માધ્યમથી ત્યાંનાં રહીશોના આરોગ્ય અને ઉત્થાનનું કામ કરે છે.
આજથી ત્રણ દાયકા પૂર્વે 44 વર્ષની ઉંમરે લેખકને હૃદય રોગનો હુમલો આવે છે. ડોક્ટર તરીકે બધી જ જાણકારી હોવા છતાં સેવાની ધૂનમાં જીવનશૈલી જ હૃદયરોગ નોતરે તેવી બની જાય છે તેની ખબર સુધ્ધાં પડતી નથી. આ અનુભવ લેખક અને તેમના પરિવાર માટે ખૂબ જ આઘાતજનક હોય છે. આઘાતમાંથી બહાર નીકળી લેખક જીવનશૈલીમાં ફેરફાર કરે છે. વિભિન્ન સ્ત્રોતોથી માહિતી મેળવી તેઓ કસરત, ખોરાક, ધ્યાન આદિના પ્રયોગ કરે છે. સ્વઅવલોકન દ્વારા શીખતા જાય છે. ત્રણ વર્ષમાં સંપૂર્ણ રીતે રોગમુક્ત થાય છે. તેઓના અનુભવ વિશેના વ્યાખ્યાન ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક થયાનું સાંભળ્યું છે.
દસ વર્ષ પહેલાં મેં આ પુસ્તક વાંચ્યું. તેમાં માત્ર આરોગ્યની વાત નથી. તેમાંથી લેખકના રૂપાંતરણનો આપણને અનુભવ થાય છે. પુસ્તક મને એટલું ગમ્યું કે ઘણાં વર્ષો સુધી હું તેની નકલો મારી પાસે રાખતો અને સ્નેહીઓને ભેટ આપતો. છેલ્લા પાંચેક વર્ષથી ફરી વાંચવાનો વિચાર કરતો હતો.
હમણાં મેં પુસ્તક ફરી વાંચ્યું. ઝડપી વાંચનની મેં શીખેલી નવી તરકીબનો પહેલીવાર આખું પુસ્તક વાંચવા ઉપયોગ કર્યો. આ તરકીબ વિના આ પુસ્તક પૂરું થયું ન હોત!
આ પુસ્તક વાંચીએ અને આપણે બદલાઇએ નહીં તેવું ન બને. બલકે દરેક વાંચન આપણામાં નવો બદલાવ લાવે. આર્થિક સુધારાને પગલે આવેલા મૂડીવાદે આપણા જીવન પર કેવો કબજો જમાવ્યો છે?
લેખક લખે છે: ‘અગાઉ ઘરમાં શ્રીખંડ બનાવતા ત્યારે મારી માને બે દિવસ પહેલાં દહીં જમાવવું પડે. પછી તેમાંથી પાણી કાઢી નાખવા માટે તેને કપડાંમાં બાંધી લટકાવવું પડે. પછી તેમાં ખાંડ, કેસર, એલચી કૂટીને મઠા સાથે મસળવું પડે. સ્વાભાવિક રીતે ઘરમાં મીઠાઈ મહિને એક વાર બનતી. આજે બજારમાંથી રેડીમેડ શ્રીખંડ, આઈસક્રીમ, ગુલાબ જાંબુના ડબ્બા લઇ આવવાના, ડબ્બો ખોલવાનું માત્ર કષ્ટ કરવું પડે, હોટલમાં ગયા તો તે કષ્ટમાંથી પણ મુક્તિ, હોટલમાં જવાનું કષ્ટ ન લેવું પડે તે માટે હોમ સર્વિસ પણ શરૂ થઈ છે. કારખાનાંના હાથ ઘર સુધી પહોંચી ગયા છે.’
‘પ્રોસેસ ફૂડના ક્ષેત્રે નફો રળી લેવા માટે માર્કેટિંગની વ્યવસ્થા, વિજ્ઞાપનોનું જિંગલ્સ, ડિસ્કાઉન્ટ કુપન્સ – તમામ યુક્તિઓ અજમાવી આ નવી જીવનશૈલીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.’
‘આવી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, માર્કેટ ઇકોનોમી, આવી ભોગવાદી સંસ્કૃતિ પ્રચલિત હોય ત્યારે હું તથા સમાજની કોઈ પણ વ્યક્તિ નિરોગી આહાર કેવી રીતે ટકાવી શકે?’
‘જીવન માટે ઘાતક એવાં ખાનપાનની જાહેરાતો શા માટે? માણસ વધુ પ્રમાણમાં ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવી શકે એટલા માટે? ભોગ શા માટે વધારવો? માલ ખપાવીને વધુ નફો રળવા માટે? આ નફામાં હિસ્સો મળે તે માટે અમારે જ તેના શેર વેચાતા લેવાના? ભાઈ, શા માટે શ્રીમંત થવું છે? બીજો વધુ શ્રીમંત છે માટે અમારી શ્રીમંત થવાની સ્પર્ધા છે. સ્પર્ધા સિવાય માણસ કામ કરતો નથી. એવી માણસ વિશેની ધારણા છે. લોભ સિવાય માણસ સ્પર્ધા કરતો નથી. સ્પર્ધા સિવાય પ્રગતિ થતી નથી. એવી આ બધી કારણ પરંપરા છે. ક્યાંક કંઈ ગરબડ થઈ છે. આ વિષચક્રમાં ફસાયા પછી થોભી જઈ પુન: વિચાર કરવાનો અવકાશ નથી.
‘આધુનિક સમૃદ્ધિનો આધાર ભોગ, સ્વાર્થ, સ્પર્ધા અને લોભમાં વધારો કરવાનો હોય તો એ માણસ આનંદી રહી શકે ખરો ? માણસની આ પ્રવૃત્તિઓને સતત ઉત્તેજિત કરનારા સમાજમાં એકલો માણસ નૈસર્ગિક, તાણરહિત આધ્યાત્મિક જીવનશૈલી કઈ રીતે જીવી શકે?’
દસ વર્ષ પહેલાં મેં આ પુસ્તક વાંચ્યું ત્યારે મને ગમતી વાતો પર મેં પેન્સિલથી નિશાની કરી છે. તેમાં ઉપરની વાતોનો સમાવેશ થતો નથી. ત્યારે મને આ વાતો સમજાઇ કે સ્પર્શી નહીં હોય. મારા આ હાલ હોય તો નવી પેઢી તો આ માયાજાળથી અંજાય તેમાં શી નવાઈ?
2010 સુધી મારા ઘરમાં ફ્રિજ ન હતું. હું ફ્રિજને રોગનું ઘર માનતો. ફ્રિજ રાખીએ તો વાસી ખાવાની આદત પડે તેવું હું માનતો. મારા આગ્રહને કારણે ઘરમાં ફ્રીજ આવ્યું ન હતું. પરંતુ તે મારા ઘરનાને પજવતું. આજે અમે સૌ ફ્રિજના ગુલામ છીએ. ગુલામી આ રીતે જ પગપેસારો કરતી હોય છે. મુઘલોને વિદેશી વેપારીઓ કમાઉ દીકરા જેવા લાગતા હતા. જેમણે છેવટે આપણને ગુલામ બનાવ્યા. આજે ભલે તેમણે દેશ છોડ્યો હોય આજે પણ તેમની આર્થિક વ્યવસ્થાના ગુલામ છીએ.
આપણી જીવનશૈલીની નાની નાની ચીજોને યાદ રાખી જાળવી લેવી પડશે. ઘડો મૂકીને ગૃહપ્રવેશ કરનારા સમાજમાં ઘડાનું સ્થાન ફ્રિજ લે, ઘડો અદૃશ્ય થશે પછી કશુંય બચશે નહીં.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/every-reading-brings-a-new-change-in-us-135277073.html
હસમુખ પટેલ ‘મારો સાક્ષાત્કારી હૃદય રોગ’ ડોક્ટર અભય બંગનું પુસ્તક છે. લેખક મહારાષ્ટ્રના નક્સલવાદથી અસરગ્રસ્ત આદિવાસી જિલ્લા ગડચિરોલીમાં ‘શોધગ્રામ’ નામની સંસ્થાના માધ્યમથી ત્યાંનાં રહીશોના આરોગ્ય અને ઉત્થાનનું કામ કરે છે.
આજથી ત્રણ દાયકા પૂર્વે 44 વર્ષની ઉંમરે લેખકને હૃદય રોગનો હુમલો આવે છે. ડોક્ટર તરીકે બધી જ જાણકારી હોવા છતાં સેવાની ધૂનમાં જીવનશૈલી જ હૃદયરોગ નોતરે તેવી બની જાય છે તેની ખબર સુધ્ધાં પડતી નથી. આ અનુભવ લેખક અને તેમના પરિવાર માટે ખૂબ જ આઘાતજનક હોય છે. આઘાતમાંથી બહાર નીકળી લેખક જીવનશૈલીમાં ફેરફાર કરે છે. વિભિન્ન સ્ત્રોતોથી માહિતી મેળવી તેઓ કસરત, ખોરાક, ધ્યાન આદિના પ્રયોગ કરે છે. સ્વઅવલોકન દ્વારા શીખતા જાય છે. ત્રણ વર્ષમાં સંપૂર્ણ રીતે રોગમુક્ત થાય છે. તેઓના અનુભવ વિશેના વ્યાખ્યાન ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક થયાનું સાંભળ્યું છે.
દસ વર્ષ પહેલાં મેં આ પુસ્તક વાંચ્યું. તેમાં માત્ર આરોગ્યની વાત નથી. તેમાંથી લેખકના રૂપાંતરણનો આપણને અનુભવ થાય છે. પુસ્તક મને એટલું ગમ્યું કે ઘણાં વર્ષો સુધી હું તેની નકલો મારી પાસે રાખતો અને સ્નેહીઓને ભેટ આપતો. છેલ્લા પાંચેક વર્ષથી ફરી વાંચવાનો વિચાર કરતો હતો.
હમણાં મેં પુસ્તક ફરી વાંચ્યું. ઝડપી વાંચનની મેં શીખેલી નવી તરકીબનો પહેલીવાર આખું પુસ્તક વાંચવા ઉપયોગ કર્યો. આ તરકીબ વિના આ પુસ્તક પૂરું થયું ન હોત!
આ પુસ્તક વાંચીએ અને આપણે બદલાઇએ નહીં તેવું ન બને. બલકે દરેક વાંચન આપણામાં નવો બદલાવ લાવે. આર્થિક સુધારાને પગલે આવેલા મૂડીવાદે આપણા જીવન પર કેવો કબજો જમાવ્યો છે?
લેખક લખે છે: ‘અગાઉ ઘરમાં શ્રીખંડ બનાવતા ત્યારે મારી માને બે દિવસ પહેલાં દહીં જમાવવું પડે. પછી તેમાંથી પાણી કાઢી નાખવા માટે તેને કપડાંમાં બાંધી લટકાવવું પડે. પછી તેમાં ખાંડ, કેસર, એલચી કૂટીને મઠા સાથે મસળવું પડે. સ્વાભાવિક રીતે ઘરમાં મીઠાઈ મહિને એક વાર બનતી. આજે બજારમાંથી રેડીમેડ શ્રીખંડ, આઈસક્રીમ, ગુલાબ જાંબુના ડબ્બા લઇ આવવાના, ડબ્બો ખોલવાનું માત્ર કષ્ટ કરવું પડે, હોટલમાં ગયા તો તે કષ્ટમાંથી પણ મુક્તિ, હોટલમાં જવાનું કષ્ટ ન લેવું પડે તે માટે હોમ સર્વિસ પણ શરૂ થઈ છે. કારખાનાંના હાથ ઘર સુધી પહોંચી ગયા છે.’
‘પ્રોસેસ ફૂડના ક્ષેત્રે નફો રળી લેવા માટે માર્કેટિંગની વ્યવસ્થા, વિજ્ઞાપનોનું જિંગલ્સ, ડિસ્કાઉન્ટ કુપન્સ – તમામ યુક્તિઓ અજમાવી આ નવી જીવનશૈલીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.’
‘આવી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, માર્કેટ ઇકોનોમી, આવી ભોગવાદી સંસ્કૃતિ પ્રચલિત હોય ત્યારે હું તથા સમાજની કોઈ પણ વ્યક્તિ નિરોગી આહાર કેવી રીતે ટકાવી શકે?’
‘જીવન માટે ઘાતક એવાં ખાનપાનની જાહેરાતો શા માટે? માણસ વધુ પ્રમાણમાં ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવી શકે એટલા માટે? ભોગ શા માટે વધારવો? માલ ખપાવીને વધુ નફો રળવા માટે? આ નફામાં હિસ્સો મળે તે માટે અમારે જ તેના શેર વેચાતા લેવાના? ભાઈ, શા માટે શ્રીમંત થવું છે? બીજો વધુ શ્રીમંત છે માટે અમારી શ્રીમંત થવાની સ્પર્ધા છે. સ્પર્ધા સિવાય માણસ કામ કરતો નથી. એવી માણસ વિશેની ધારણા છે. લોભ સિવાય માણસ સ્પર્ધા કરતો નથી. સ્પર્ધા સિવાય પ્રગતિ થતી નથી. એવી આ બધી કારણ પરંપરા છે. ક્યાંક કંઈ ગરબડ થઈ છે. આ વિષચક્રમાં ફસાયા પછી થોભી જઈ પુન: વિચાર કરવાનો અવકાશ નથી.
‘આધુનિક સમૃદ્ધિનો આધાર ભોગ, સ્વાર્થ, સ્પર્ધા અને લોભમાં વધારો કરવાનો હોય તો એ માણસ આનંદી રહી શકે ખરો ? માણસની આ પ્રવૃત્તિઓને સતત ઉત્તેજિત કરનારા સમાજમાં એકલો માણસ નૈસર્ગિક, તાણરહિત આધ્યાત્મિક જીવનશૈલી કઈ રીતે જીવી શકે?’
દસ વર્ષ પહેલાં મેં આ પુસ્તક વાંચ્યું ત્યારે મને ગમતી વાતો પર મેં પેન્સિલથી નિશાની કરી છે. તેમાં ઉપરની વાતોનો સમાવેશ થતો નથી. ત્યારે મને આ વાતો સમજાઇ કે સ્પર્શી નહીં હોય. મારા આ હાલ હોય તો નવી પેઢી તો આ માયાજાળથી અંજાય તેમાં શી નવાઈ?
2010 સુધી મારા ઘરમાં ફ્રિજ ન હતું. હું ફ્રિજને રોગનું ઘર માનતો. ફ્રિજ રાખીએ તો વાસી ખાવાની આદત પડે તેવું હું માનતો. મારા આગ્રહને કારણે ઘરમાં ફ્રીજ આવ્યું ન હતું. પરંતુ તે મારા ઘરનાને પજવતું. આજે અમે સૌ ફ્રિજના ગુલામ છીએ. ગુલામી આ રીતે જ પગપેસારો કરતી હોય છે. મુઘલોને વિદેશી વેપારીઓ કમાઉ દીકરા જેવા લાગતા હતા. જેમણે છેવટે આપણને ગુલામ બનાવ્યા. આજે ભલે તેમણે દેશ છોડ્યો હોય આજે પણ તેમની આર્થિક વ્યવસ્થાના ગુલામ છીએ.
આપણી જીવનશૈલીની નાની નાની ચીજોને યાદ રાખી જાળવી લેવી પડશે. ઘડો મૂકીને ગૃહપ્રવેશ કરનારા સમાજમાં ઘડાનું સ્થાન ફ્રિજ લે, ઘડો અદૃશ્ય થશે પછી કશુંય બચશે નહીં.
મરક મરક:મોટી ઉંમરની પત્નીના ફાયદાઓ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/advantages-of-an-older-wife-135277062.html
ધ્રુવ બોરીસાગર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પોતાનાથી ચોવીસ વરસ મોટાં ડ્રામા ટીચર બ્રિજિટ સાથે પંદર વર્ષે પ્રેમ અને ત્રીસ વર્ષે લગ્ન કર્યાં ત્યારે આંગળિયાત પુત્રો પણ એનાથી મોટી ઉંમરના હતા. (આપણે ત્યાં તો આવું હોતું નથી તો પછી પિતાને ‘ભાઈ’ કહીને કેમ બોલાવતાં હશે?)
હમણાં આપણે ત્યાં પણ સુરતનાં શિક્ષિકાને એમના તેર વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો. બંને ભાગ્યા પરંતુ ઝડપાઈ જતાં શિક્ષિકાએ ભાવિ પતિ અને ભારતે ભાવિ રાષ્ટ્રપતિ (મેક્રોન) ખોયા!
ફ્રાન્સ રાષ્ટ્રપતિ મેક્રોન પત્ની બ્રિજિટે મારેલો લાફો અને લાફો ખાધા પછી ‘જાણે કંઈ બન્યું જ નથી’ના અદભુત અભિનય માટે આજકાલ વધારે ચર્ચામાં છે. (કાંઈક શીખો ભારતીય પતિઓ, કાંઈક શીખો)
મેક્રોનની લીધેલી ટેલિફોનિક મુલાકાતમાં એમણે જણાવેલા મોટી ઉંમરની પત્નીના ફાયદાઓ – એમના જ શબ્દોમાં...
‘સૌપ્રથમ તો એ સ્પષ્ટતા કરી લઉં કે હું જ્યારે પણ ગુસ્તાખી કરું તો એ કાયમ મને બાળસહજ વહાલથી ટપલી મારે. એ દિવસે મેં વધેલી ઉંમરને કારણે મનચલીને પડેલી કરચલીની મજાક કરી હતી. કોઈ પણ સ્ત્રી માટે પોતાની વધેલી ઉંમરનો સ્વીકાર કરવો અઘરો હોય છે એ હું ભૂલી ગયો હતો અને એ ભૂલી ગઈ કે હું પતિ ઉપરાંત હવે રાષ્ટ્રપતિ પણ છું. પ્લેનનો દરવાજો અમારા ધાર્યા કરતાં જરા વહેલો ખૂલી ગયો. નૉ ડાઉટ એ દિવસે ટપલી નહોતી, ટપલો હતો, જેને જગતે લાફા તરીકે ઓળખ્યો. રહ્યો સવાલ વિમાનમાંથી ઊતરતાં મારા હાથમાં એણે હાથ નહીં પરોવ્યો એનો, તો એનું કારણ એ છે કે બ્રિજિટ રિસામણાં અને મનામણાં બાબતે ભારતીય સ્ત્રીઓને ફૉલો કરે છે!
વટસાવિત્રી નહીં, પણ વઢસાવિત્રી (પત્નીઓ) જો દસેક વર્ષ મોટી ઉંમરની શોધીએ તો પપ્પાની પરીમાં પરિપક્વતા, છત્રછાયા અને દયાભાવના ત્રિવેણીસંગમનો અનુભવ થાય છે! કઈ ટીવી સિરિયલ જોવી? પંખા અને એ. સી. કઈ સ્પીડથી ચલાવવાથી માંડીને અનેક મિસમૅચિંગ દરેકના સંસારમાં રહેવાનાં; પણ, ઉંમરના આ મિસમૅચિંગને કારણે પત્ની પતિને અનુકૂળ થવાનો પ્રયત્ન ચોક્કસ કરશે. સ્ત્રીઓના સ્વભાવને પણ સ્થિતિસ્થાપકતાનો નિયમ લાગુ પડતો હોવાથી આ સાનુકૂળ સ્થિતિ થોડો સમય જ રહેશે.
મોટી ઉંમરની પત્ની તમારામાં રહેલા નિર્ણયશક્તિના અભાવનો અહેસાસ તમને થવા જ નહીં દે, કારણ કે તમે નિર્ણય લો એ પહેલાં તો એણે લીધેલા નિર્ણયની તમને જાણ કરી અમલીકરણ પણ શરૂ કરી દેશે. પછી પતિએ ખાલી ખાલી ગાવાનું... ‘મિલે સુર, મેરા તુમ્હારા, તો સુર બને હમારા…’ હા, એટલું ખરું કે તમારા ખાધલક્ષી અર્થતંત્રને પણ કોઈ પણ સરકારની જેમ કૉસ્મેટિક, પ્લાસ્ટિક સર્જરી કરીને વિકાસલક્ષી અર્થતંત્ર બનાવી દેશે.
ઘરમાં લાઇવ ‘રામાયણ’ અને ‘મહાભારત’ ભજવનારાં અમર ઍન્ટિ પાત્રો જેવાં કે દેરાણી-જેઠાણી, નણંદ-ભોજાઈ તો ક્યારેક સાસુ-વહુ વચ્ચે પણ બહુ ઝાઝો ઉંમરનો તફાવત ન હોવાને કારણે એમના વચ્ચે સારું ટ્યૂનિંગ રહેવાની શક્યતા છે.
ઉંમરને ધ્યાનમાં રાખીને વીમા એજન્ટો દ્વારા પત્નીનો વીમો લેવાના આગ્રહો વધી જશે અને પતિઓ પણ આ વીમાઓ હરખભેર ઉતરાવશે, જેથી વીમાબજારમાં એક નવી તેજી આવશે. પચીસમી લગ્નતિથિએ લોકો આશ્વાસન આપશે કે ‘જેટલાં કાઢ્યાં એટલાં હવે કાઢવાનાં નથી!’ આ આશ્વાસન પુરુષના આયુષ્ય માટે ઈંધણનું કામ કરશે. ઉંમર પ્રમાણે જ જો વિદાયક્રમ ગોઠવાય તો ‘છેલ્લાં વર્ષોમાં ફરી થોડો સમય આઝાદી મળે તો સારું’ એવી દરેક પતિની ધરબાયેલી મહેચ્છા પૂરી થશે!
સામાન્ય રીતે પોતાના ધડની સલામતી ખાતર પતિ ક્યારેય પત્ની સાથે ધડ કરતા નથી. સાંભળ્યું છે કે તમારે ત્યાં પત્નીની ટકટકનું પ્રમાણ વધારે છે. નાનકુડિયા ચકુડિયા પતિ સાથે લમણાં લઈને શું ફાયદો? એવું વિચારીને મોટી ઉંમરની પત્ની ઓછી ટકટક કરશે. મહેમાનોની હાજરીમાં પતિના વાણીસ્વાતંત્ર્ય પર પત્ની તરાપ ઓછી મારશે. મારા અનુભવે ઉંમરને કારણે તકરારોના છૂટાછવાયા બનાવો સિવાય એકંદરે શાંતિ રહે છે. ટૂંકમાં, તમે કરેલું ઉંમરનું બલિદાન એળે નહીં જાય!
છેલ્લો પણ અગત્યનો ફાયદો, મોટી ઉંમરની પત્ની સાથે પરણ્યા પછી ભૂલ થઈ ગયા જેવું પતિને લાગશે તો થયેલી ભૂલ સુધારવા માટે પતિ પાસે પૂરતો સમય રહેશે!
ઇન્ટરવ્યૂ તો તમારી ગુજરાતી ભાષામાં જ છપાવાનોને? પાછો લાફો ખાવાનો, સૉરી ટપલો ખાવાનો વારો ન આવે એટલે પૂછું છું!’
આઇસ ક્યૂબ: પત્નીની ઉંમર મોટી હોય તો ભલેને કહ્યા કરતી ‘મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે’ પણ પતિને હોળી ઓછાં વર્ષો જોવી પડશે એ ફાયદો જને! }
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/advantages-of-an-older-wife-135277062.html
ધ્રુવ બોરીસાગર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પોતાનાથી ચોવીસ વરસ મોટાં ડ્રામા ટીચર બ્રિજિટ સાથે પંદર વર્ષે પ્રેમ અને ત્રીસ વર્ષે લગ્ન કર્યાં ત્યારે આંગળિયાત પુત્રો પણ એનાથી મોટી ઉંમરના હતા. (આપણે ત્યાં તો આવું હોતું નથી તો પછી પિતાને ‘ભાઈ’ કહીને કેમ બોલાવતાં હશે?)
હમણાં આપણે ત્યાં પણ સુરતનાં શિક્ષિકાને એમના તેર વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો. બંને ભાગ્યા પરંતુ ઝડપાઈ જતાં શિક્ષિકાએ ભાવિ પતિ અને ભારતે ભાવિ રાષ્ટ્રપતિ (મેક્રોન) ખોયા!
ફ્રાન્સ રાષ્ટ્રપતિ મેક્રોન પત્ની બ્રિજિટે મારેલો લાફો અને લાફો ખાધા પછી ‘જાણે કંઈ બન્યું જ નથી’ના અદભુત અભિનય માટે આજકાલ વધારે ચર્ચામાં છે. (કાંઈક શીખો ભારતીય પતિઓ, કાંઈક શીખો)
મેક્રોનની લીધેલી ટેલિફોનિક મુલાકાતમાં એમણે જણાવેલા મોટી ઉંમરની પત્નીના ફાયદાઓ – એમના જ શબ્દોમાં...
‘સૌપ્રથમ તો એ સ્પષ્ટતા કરી લઉં કે હું જ્યારે પણ ગુસ્તાખી કરું તો એ કાયમ મને બાળસહજ વહાલથી ટપલી મારે. એ દિવસે મેં વધેલી ઉંમરને કારણે મનચલીને પડેલી કરચલીની મજાક કરી હતી. કોઈ પણ સ્ત્રી માટે પોતાની વધેલી ઉંમરનો સ્વીકાર કરવો અઘરો હોય છે એ હું ભૂલી ગયો હતો અને એ ભૂલી ગઈ કે હું પતિ ઉપરાંત હવે રાષ્ટ્રપતિ પણ છું. પ્લેનનો દરવાજો અમારા ધાર્યા કરતાં જરા વહેલો ખૂલી ગયો. નૉ ડાઉટ એ દિવસે ટપલી નહોતી, ટપલો હતો, જેને જગતે લાફા તરીકે ઓળખ્યો. રહ્યો સવાલ વિમાનમાંથી ઊતરતાં મારા હાથમાં એણે હાથ નહીં પરોવ્યો એનો, તો એનું કારણ એ છે કે બ્રિજિટ રિસામણાં અને મનામણાં બાબતે ભારતીય સ્ત્રીઓને ફૉલો કરે છે!
વટસાવિત્રી નહીં, પણ વઢસાવિત્રી (પત્નીઓ) જો દસેક વર્ષ મોટી ઉંમરની શોધીએ તો પપ્પાની પરીમાં પરિપક્વતા, છત્રછાયા અને દયાભાવના ત્રિવેણીસંગમનો અનુભવ થાય છે! કઈ ટીવી સિરિયલ જોવી? પંખા અને એ. સી. કઈ સ્પીડથી ચલાવવાથી માંડીને અનેક મિસમૅચિંગ દરેકના સંસારમાં રહેવાનાં; પણ, ઉંમરના આ મિસમૅચિંગને કારણે પત્ની પતિને અનુકૂળ થવાનો પ્રયત્ન ચોક્કસ કરશે. સ્ત્રીઓના સ્વભાવને પણ સ્થિતિસ્થાપકતાનો નિયમ લાગુ પડતો હોવાથી આ સાનુકૂળ સ્થિતિ થોડો સમય જ રહેશે.
મોટી ઉંમરની પત્ની તમારામાં રહેલા નિર્ણયશક્તિના અભાવનો અહેસાસ તમને થવા જ નહીં દે, કારણ કે તમે નિર્ણય લો એ પહેલાં તો એણે લીધેલા નિર્ણયની તમને જાણ કરી અમલીકરણ પણ શરૂ કરી દેશે. પછી પતિએ ખાલી ખાલી ગાવાનું... ‘મિલે સુર, મેરા તુમ્હારા, તો સુર બને હમારા…’ હા, એટલું ખરું કે તમારા ખાધલક્ષી અર્થતંત્રને પણ કોઈ પણ સરકારની જેમ કૉસ્મેટિક, પ્લાસ્ટિક સર્જરી કરીને વિકાસલક્ષી અર્થતંત્ર બનાવી દેશે.
ઘરમાં લાઇવ ‘રામાયણ’ અને ‘મહાભારત’ ભજવનારાં અમર ઍન્ટિ પાત્રો જેવાં કે દેરાણી-જેઠાણી, નણંદ-ભોજાઈ તો ક્યારેક સાસુ-વહુ વચ્ચે પણ બહુ ઝાઝો ઉંમરનો તફાવત ન હોવાને કારણે એમના વચ્ચે સારું ટ્યૂનિંગ રહેવાની શક્યતા છે.
ઉંમરને ધ્યાનમાં રાખીને વીમા એજન્ટો દ્વારા પત્નીનો વીમો લેવાના આગ્રહો વધી જશે અને પતિઓ પણ આ વીમાઓ હરખભેર ઉતરાવશે, જેથી વીમાબજારમાં એક નવી તેજી આવશે. પચીસમી લગ્નતિથિએ લોકો આશ્વાસન આપશે કે ‘જેટલાં કાઢ્યાં એટલાં હવે કાઢવાનાં નથી!’ આ આશ્વાસન પુરુષના આયુષ્ય માટે ઈંધણનું કામ કરશે. ઉંમર પ્રમાણે જ જો વિદાયક્રમ ગોઠવાય તો ‘છેલ્લાં વર્ષોમાં ફરી થોડો સમય આઝાદી મળે તો સારું’ એવી દરેક પતિની ધરબાયેલી મહેચ્છા પૂરી થશે!
સામાન્ય રીતે પોતાના ધડની સલામતી ખાતર પતિ ક્યારેય પત્ની સાથે ધડ કરતા નથી. સાંભળ્યું છે કે તમારે ત્યાં પત્નીની ટકટકનું પ્રમાણ વધારે છે. નાનકુડિયા ચકુડિયા પતિ સાથે લમણાં લઈને શું ફાયદો? એવું વિચારીને મોટી ઉંમરની પત્ની ઓછી ટકટક કરશે. મહેમાનોની હાજરીમાં પતિના વાણીસ્વાતંત્ર્ય પર પત્ની તરાપ ઓછી મારશે. મારા અનુભવે ઉંમરને કારણે તકરારોના છૂટાછવાયા બનાવો સિવાય એકંદરે શાંતિ રહે છે. ટૂંકમાં, તમે કરેલું ઉંમરનું બલિદાન એળે નહીં જાય!
છેલ્લો પણ અગત્યનો ફાયદો, મોટી ઉંમરની પત્ની સાથે પરણ્યા પછી ભૂલ થઈ ગયા જેવું પતિને લાગશે તો થયેલી ભૂલ સુધારવા માટે પતિ પાસે પૂરતો સમય રહેશે!
ઇન્ટરવ્યૂ તો તમારી ગુજરાતી ભાષામાં જ છપાવાનોને? પાછો લાફો ખાવાનો, સૉરી ટપલો ખાવાનો વારો ન આવે એટલે પૂછું છું!’
આઇસ ક્યૂબ: પત્નીની ઉંમર મોટી હોય તો ભલેને કહ્યા કરતી ‘મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે’ પણ પતિને હોળી ઓછાં વર્ષો જોવી પડશે એ ફાયદો જને! }
કાવ્યાયન:શાળાના સરનામે સોનાનો સૂરજ ક્યારે ઊગશે?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/when-will-the-golden-sun-rise-over-the-schools-address-135300596.html
હરદ્વાર ગોસ્વામી હાં રે અમે ગ્યાં’તાં હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે, અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે ઊડયાં હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે, આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં હો મહેલના કિનારે
પંખીના ઉતારે, કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે, પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે, કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢયાં છલકંતી છોળે,
દરિયાને હિંડોળે, ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે, રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં તારાના તરંગે,
રઢિયાળા રંગે, આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
–સુન્દરમ્
સ્કૂલ ચાલુ થયા પછી પણ મામાના ઘરે જવાની સુખદ ક્ષણોનું રીટેલિકાસ્ટ થયા કરે છે. વેકેશન શબ્દ સાંભળતા જ મનના તમામ ભાર હડસેલી દેવાનું મન થાય છે. અરે મન સુધ્ધા ફગાવી દેવાનું મન થાય છે. હૃદય સાથે જલ્સેદાર જીવી લેવાની ક્ષણો એટલે વેકેશન. બાળપણમાં તો સ્કૂલમાં બેઠા એ દિવસથી જ વેકેશનની પ્રતીક્ષા કરતા હતા. વેકેશન એ વેકેશન અને બીજા બધા ટ્રેન વિનાના સ્ટેશન... પરીક્ષાની તૈયારી નહોતા કરતા એટલી તૈયારી વેકેશનના આયોજન માટે થતી હતી.
વેકેશનનો હેંગઓવર ઉતર્યો ન હોય ત્યાં સ્કૂલ ખૂલે છે. વિધાર્થીને એમ થાય કે ઘડીમાં વેકેશન પૂરું થઇ ગયું. આમ પણ આપણો ગમતો સમય ગરુડની ઝડપે જાય છે. પરીક્ષા વખતનો સમય કીડીની ગતિએ ચાલે છે. વેકેશન એ પાછલા વર્ષનું બોનસ અને આગલા વર્ષનો ઓવરટાઈમ છે. હોશિયાર વિદ્યાર્થીઓ મોટેભાગે વેકેશનમાં જ આવનારા ધોરણના અભ્યાસક્રમમાંથી પસાર થઇ જાય છે. જેને કારણે મનમાં એક પશ્ચાદભૂ રચાઈ જાય છે, જેથી વર્ગમાં બેઠા હોઈએ ત્યાં સ્વર્ગનો અનુભવ થાય, કંટાળાના કાટમાળનો નહીં.
વેકેશન પૂરું થતા શાળાના સૂમસામ આંગણા (હોય તો) ફરી જીવંત થાય છે. ક્લાસરૂમની એકલતા પર કલરવનો માળો સર્જાશે. બેન્ચને જીભ હોય છે એટલે જ દીવાલોને પણ કાન હોય છે એવું કહેવાયું હશે. વેકેશનની તીવ્રતા જેટલો જ ઉત્સાહ શાળા ઉઘડવાનો હોય તો શિક્ષણની નિસબત સાચી સમજવી.
શિક્ષણ એટલે માત્ર નોકરી એ કોન્સેપ્ટને કાઢી નાખવા જેવો છે. ધંધો કરવા પણ સારું શિક્ષણ જરૂરી છે. ઋષિ-મુનિઓ આશ્રમશાળામાં સર્વાંગી શિક્ષણ આપતા હતા. કોઈ ઉદ્યોગો નહોતા તોય કોઈ બેકાર ન હતું. તણાવમાં કોઈ વિધાર્થીએ આત્મહત્યા કરી નહોતી. આજના શિક્ષણને જીવનલક્ષી બનાવવાની વધુ જરૂર છે.
બાળકો જ્યારે પિતાને એમ કહેશે, ‘લગ્નમાં જઈશ તો મારું ભણવાનું બગડશે’ તો અને તો જ શાળાની સાર્થકતા સિદ્ધ થશે. શાળાને સન્માન નહીં આપીએ ત્યાં સુધી શાળા પણ આપણને સન્માન નહીં આપે. બાળકોને હોંશે હોંશે આવવાનું મન થાય એવું નિર્ભય – નિર્મળ વાતાવરણ રચાવું જોઈએ. આજકાલ શાળાઓ વાઈબ્રેટિંગ મોડ પર છે અને ટ્યુશન ક્લાસની તીવ્ર રીંગટોન સંભળાઈ રહી છે. દરેક વાલીને પોતાના બાળકને પહેલા નંબરે લાવવો છે અને આકાંક્ષાનો ટોપલો ઠેલવી દીધો છે. સવારના છથી તે સાંજના છ સુધીનું ટાઈમટેબલ બાળકની મૌલિકતાને હણી નાખે છે.
ટયુશનમાં શિક્ષક જેટલું શાળાના શિક્ષકને ગંભીરતાથી નથી લેતા. એમાં સરકારી મેન્ટાલિટી હશે જ. ગુરુ દક્ષિણામાં અંગુઠો આપી દેનાર એકલવ્ય નથી રહ્યો તો ગુરુદ્રોણ જેવા ગુરુ પણ ક્યાં રહ્યા છે! બંને પક્ષે ખાલીપો થયો છે. અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી જેમ્સ એન્જલ કહે છે કે, ‘શિક્ષકનું કામ રોટલો કેમ રળવો તે નહીં પણ કોળિયો મીઠો કેમ કરવો તે છે.’ મેકોલોએ આપેલી ચોક ડસ્ટર ને બેન્ચની શિક્ષણ પ્રણાલીને કારણે આજે પણ આપણે અંગ્રેજોના ગુલામ છીએ. નવી શિક્ષણ નીતિમાં ભારતીય સંસ્કૃતિ સાથે માનવીય અભિગમને વણી લેવાયા છે.
આશાના અજવાળાંમાં શિક્ષણનો સૂરજ ઊગશે. સાંદીપનિના આશ્રમથી આરંભાયેલી આપણી શિક્ષણ પરંપરા સર્વાંગી હતી. આજનું શિક્ષણ સ્વકેન્દ્રી થઇ ગયું છે. ‘માણસ બનાવવાનો આભ્યાસક્રમ યુનિ.માં સત્વરે દાખલ કરવાની જરૂર છે.’ ક્યારની ભીડી છે બાથ
ને મુકાબલો કરું છું આ કોરા કાગળનો
પણ ગળામાં અટવાયેલી ચીસ
અવતરતી નથી - શબ્દદેહે
દૂ...ર સુધી કળાતાય નથી કોઈ એંધાણ...
વિસ્મૃતિનું વરદાન પણ ક્યાં !
રૂબરૂ ન થતી એ સંવેદના
લોહીમાં ભળી કાગારોળ મચાવે છે અવતરવા
એક પણ ખૂણો લંબાશે
તો હથિયાવી લેશે આખું કોરું આકાશ
પણ ક્યાંક, કશુંક
ભટકે છે, છટકે છે, બટકે છે
વળી અટકે છે, ખટકે છે
ઊંડે...સતત ‘ને તોયે
હાથવગું બધું જાણે સરકે છે
માંહ્યલાની એ મથામણમાં
ભીતરનો દાહ...ઉષ્મા બને તો...
આ ભટકણ, છટકણ, બટકણને
પહોંચી વળાય....... ને....
હું સ્થિતપ્રજ્ઞ !
- રક્ષા એચ. દવે
જાઉં છું એમ ફરી બાળપણમાં,
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/when-will-the-golden-sun-rise-over-the-schools-address-135300596.html
હરદ્વાર ગોસ્વામી હાં રે અમે ગ્યાં’તાં હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે, અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે ઊડયાં હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે, આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં હો મહેલના કિનારે
પંખીના ઉતારે, કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે, પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે, કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢયાં છલકંતી છોળે,
દરિયાને હિંડોળે, ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે, રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં તારાના તરંગે,
રઢિયાળા રંગે, આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
–સુન્દરમ્
સ્કૂલ ચાલુ થયા પછી પણ મામાના ઘરે જવાની સુખદ ક્ષણોનું રીટેલિકાસ્ટ થયા કરે છે. વેકેશન શબ્દ સાંભળતા જ મનના તમામ ભાર હડસેલી દેવાનું મન થાય છે. અરે મન સુધ્ધા ફગાવી દેવાનું મન થાય છે. હૃદય સાથે જલ્સેદાર જીવી લેવાની ક્ષણો એટલે વેકેશન. બાળપણમાં તો સ્કૂલમાં બેઠા એ દિવસથી જ વેકેશનની પ્રતીક્ષા કરતા હતા. વેકેશન એ વેકેશન અને બીજા બધા ટ્રેન વિનાના સ્ટેશન... પરીક્ષાની તૈયારી નહોતા કરતા એટલી તૈયારી વેકેશનના આયોજન માટે થતી હતી.
વેકેશનનો હેંગઓવર ઉતર્યો ન હોય ત્યાં સ્કૂલ ખૂલે છે. વિધાર્થીને એમ થાય કે ઘડીમાં વેકેશન પૂરું થઇ ગયું. આમ પણ આપણો ગમતો સમય ગરુડની ઝડપે જાય છે. પરીક્ષા વખતનો સમય કીડીની ગતિએ ચાલે છે. વેકેશન એ પાછલા વર્ષનું બોનસ અને આગલા વર્ષનો ઓવરટાઈમ છે. હોશિયાર વિદ્યાર્થીઓ મોટેભાગે વેકેશનમાં જ આવનારા ધોરણના અભ્યાસક્રમમાંથી પસાર થઇ જાય છે. જેને કારણે મનમાં એક પશ્ચાદભૂ રચાઈ જાય છે, જેથી વર્ગમાં બેઠા હોઈએ ત્યાં સ્વર્ગનો અનુભવ થાય, કંટાળાના કાટમાળનો નહીં.
વેકેશન પૂરું થતા શાળાના સૂમસામ આંગણા (હોય તો) ફરી જીવંત થાય છે. ક્લાસરૂમની એકલતા પર કલરવનો માળો સર્જાશે. બેન્ચને જીભ હોય છે એટલે જ દીવાલોને પણ કાન હોય છે એવું કહેવાયું હશે. વેકેશનની તીવ્રતા જેટલો જ ઉત્સાહ શાળા ઉઘડવાનો હોય તો શિક્ષણની નિસબત સાચી સમજવી.
શિક્ષણ એટલે માત્ર નોકરી એ કોન્સેપ્ટને કાઢી નાખવા જેવો છે. ધંધો કરવા પણ સારું શિક્ષણ જરૂરી છે. ઋષિ-મુનિઓ આશ્રમશાળામાં સર્વાંગી શિક્ષણ આપતા હતા. કોઈ ઉદ્યોગો નહોતા તોય કોઈ બેકાર ન હતું. તણાવમાં કોઈ વિધાર્થીએ આત્મહત્યા કરી નહોતી. આજના શિક્ષણને જીવનલક્ષી બનાવવાની વધુ જરૂર છે.
બાળકો જ્યારે પિતાને એમ કહેશે, ‘લગ્નમાં જઈશ તો મારું ભણવાનું બગડશે’ તો અને તો જ શાળાની સાર્થકતા સિદ્ધ થશે. શાળાને સન્માન નહીં આપીએ ત્યાં સુધી શાળા પણ આપણને સન્માન નહીં આપે. બાળકોને હોંશે હોંશે આવવાનું મન થાય એવું નિર્ભય – નિર્મળ વાતાવરણ રચાવું જોઈએ. આજકાલ શાળાઓ વાઈબ્રેટિંગ મોડ પર છે અને ટ્યુશન ક્લાસની તીવ્ર રીંગટોન સંભળાઈ રહી છે. દરેક વાલીને પોતાના બાળકને પહેલા નંબરે લાવવો છે અને આકાંક્ષાનો ટોપલો ઠેલવી દીધો છે. સવારના છથી તે સાંજના છ સુધીનું ટાઈમટેબલ બાળકની મૌલિકતાને હણી નાખે છે.
ટયુશનમાં શિક્ષક જેટલું શાળાના શિક્ષકને ગંભીરતાથી નથી લેતા. એમાં સરકારી મેન્ટાલિટી હશે જ. ગુરુ દક્ષિણામાં અંગુઠો આપી દેનાર એકલવ્ય નથી રહ્યો તો ગુરુદ્રોણ જેવા ગુરુ પણ ક્યાં રહ્યા છે! બંને પક્ષે ખાલીપો થયો છે. અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી જેમ્સ એન્જલ કહે છે કે, ‘શિક્ષકનું કામ રોટલો કેમ રળવો તે નહીં પણ કોળિયો મીઠો કેમ કરવો તે છે.’ મેકોલોએ આપેલી ચોક ડસ્ટર ને બેન્ચની શિક્ષણ પ્રણાલીને કારણે આજે પણ આપણે અંગ્રેજોના ગુલામ છીએ. નવી શિક્ષણ નીતિમાં ભારતીય સંસ્કૃતિ સાથે માનવીય અભિગમને વણી લેવાયા છે.
આશાના અજવાળાંમાં શિક્ષણનો સૂરજ ઊગશે. સાંદીપનિના આશ્રમથી આરંભાયેલી આપણી શિક્ષણ પરંપરા સર્વાંગી હતી. આજનું શિક્ષણ સ્વકેન્દ્રી થઇ ગયું છે. ‘માણસ બનાવવાનો આભ્યાસક્રમ યુનિ.માં સત્વરે દાખલ કરવાની જરૂર છે.’ ક્યારની ભીડી છે બાથ
ને મુકાબલો કરું છું આ કોરા કાગળનો
પણ ગળામાં અટવાયેલી ચીસ
અવતરતી નથી - શબ્દદેહે
દૂ...ર સુધી કળાતાય નથી કોઈ એંધાણ...
વિસ્મૃતિનું વરદાન પણ ક્યાં !
રૂબરૂ ન થતી એ સંવેદના
લોહીમાં ભળી કાગારોળ મચાવે છે અવતરવા
એક પણ ખૂણો લંબાશે
તો હથિયાવી લેશે આખું કોરું આકાશ
પણ ક્યાંક, કશુંક
ભટકે છે, છટકે છે, બટકે છે
વળી અટકે છે, ખટકે છે
ઊંડે...સતત ‘ને તોયે
હાથવગું બધું જાણે સરકે છે
માંહ્યલાની એ મથામણમાં
ભીતરનો દાહ...ઉષ્મા બને તો...
આ ભટકણ, છટકણ, બટકણને
પહોંચી વળાય....... ને....
હું સ્થિતપ્રજ્ઞ !
- રક્ષા એચ. દવે
જાઉં છું એમ ફરી બાળપણમાં,
પહોંચી જાઉં શાળાના આંગણમાં,
દોડતી જાઉં છું, ચાલી પગપાળા,
આજે શમણાંમાં આવે છે શાળા.
- લતા ભટ્ટ
સૂક્ષ્મકોષથી બ્રહ્માંડના જ્ઞાનને જોડતી શાળા,
એકમથી અબજો સુધી વિસ્તરતી શાળા,
ઈતિહાસના પન્નામાંથી દસ્તક દઈ,
નાગરિકતાની નાડ પરખતી શાળા,
નાનકડા ઓરડાથી આખી ભૂગોળમાં ફેલાતી
કાળા બેરંગ પાટિયા દ્વારા
જિંદગીને સાતેય રંગે રંગતી શાળા!
- હાર્દિક જોષી ‘રઘુ’ ક્યાંક ખોવાઈ ગઈ એ જિંદગી,
હાથ તાળી દઈ ગઈ એ જિંદગી.
આભને અડવા હતી જે નીકળી,
ખાખ થઈ ઉડી ગઈ એ જિંદગી.
જે હતી હસતી રહી તે આજથી,
મૌન કાયમ થઈ ગઈ એ જિંદગી.
યાદમાં એને સદાયે સાચવી,
જીવજો કાયમ રહી જે જિંદગી.
- કવિ નિ:શબ્દ
શાળાનો પહેલો દિવસ, શાળા છોડ્યાનો છેલ્લો દિવસ
બન્ને સરખાં હતાં, પહેલાં દિવસે શાળાએ જવું ના હતું
એટલે રડ્યા હતાં, છેલ્લા દિવસે શાળાને છોડવી પડી
એટલે રડ્યા હતાં.
- હર્ષિત દવે માંગ્યો નહોતો સાથ દૂર-સુદૂરનો
આમ સાત ડગલે છોડી ક્યાં ચાલ્યા?
ઓ ભેરુ, અમને મૂકીને ક્યાં ચાલ્યા?
કળી મટી હજુ સુમન બન્યા'તા તમે,
સુગંધ લઈ - દઈ ક્યાં ચાલ્યા ?
હતો સ્વભાવ શાંત નરમ તમારો,
કારમી ચીસો પાડી ક્યાં ચાલ્યા ?
હતાં સંવેદનાનાં સાગર તમે તો,
વેદનાનાં રણ દઇ ક્યાં ચાલ્યા ?
ખાલી હાથે જવાનું ભૂલી ગયાં તમે ?
અમારું સઘળું લુંટી ક્યાં ચાલ્યા ?
જીવતા'તા જે તમ અસ્તિત્વ ઓજથી
એને જીવતાં મારી ક્યાં ચાલ્યા...
- ડૉ. નલિની ગણાત્રા શાળા છોડવાનું પ્રમાણપત્ર લઈને
હાઈસ્કૂલનો દાદરો ઊતરતાં ઊતરતાં
પાળેલી એષણાઓ
આજે મારાં મેલાંદાટ પ્રમાણપત્રો પર
ખંડેર બનીને આક્રંદી રહી છે.
સતત ‘Sorry’ નો ચારો ચરતું
મારું Degree Certificate
બે બે વરસથી
મારા નામની શરણાઈને દૂર હડસેલી રહ્યું છે.
મારી મૂંઝવણોના વનમાં
Overage નામનો રાક્ષસ
આવીને વસે તે પહેલાં
મને કોઈ અલાઉદ્દીનના જાદુઈ
ચિરાગની વારતા તો કહો.
- ગોવિંદ પરમાર તમારી યાદમાં રણની રજેરજ તરબતર માગી,
ફૂલો પાસે જઈ-જઈને તમારી નિત ખબર માગી.
મોહબ્બતમાં અમે આ ચાર વસ્તુ ઉમ્રભર માગી,
જિગર માગ્યું, નજર માગી, અસર માગી, સબર માગી.
ખરેખર એ સમયની પણ બલિહારી છે, હે જીવન !
ચમન પાસે અમે તો ભરવસંતે પાનખર માગી.
ઊઠ્યા ના હાથ પૂરા ત્યાં તો એ મંજૂર પણ થઈ ગઈ,
ખરેખર મુજ દુઆ કાજે ભલા કોકે અસર માગી.
ધરા ત્યાગી શકાયે ના, રગેરગ લૂણ છે એનું,
અમે જન્નત-જહન્નમ બેય આ ધરતી ઉપર માગી.
બતાવી માર્ગ કોઈને જીવન-સિદ્ધિવરી લીધી,
વિલયને નોતરી લીધો, સિતારાએ સહર માગી.
મુકદરને સદા આગળ ધરે છે માનવી ત્યારે,
મળે છે જિંદગીમાં જ્યારે કો' વસ્તુ વગર-માગી.
નવાઈ શી કોઈ પાગલ ગણી ‘મુકબિલ!' તિરસ્કારે,
અમે આ બેકદર દુનિયા કને સાચી કદર માગી. -મુકબિલ કુરેશી 24-6-1925 16-6-2005
દોડતી જાઉં છું, ચાલી પગપાળા,
આજે શમણાંમાં આવે છે શાળા.
- લતા ભટ્ટ
સૂક્ષ્મકોષથી બ્રહ્માંડના જ્ઞાનને જોડતી શાળા,
એકમથી અબજો સુધી વિસ્તરતી શાળા,
ઈતિહાસના પન્નામાંથી દસ્તક દઈ,
નાગરિકતાની નાડ પરખતી શાળા,
નાનકડા ઓરડાથી આખી ભૂગોળમાં ફેલાતી
કાળા બેરંગ પાટિયા દ્વારા
જિંદગીને સાતેય રંગે રંગતી શાળા!
- હાર્દિક જોષી ‘રઘુ’ ક્યાંક ખોવાઈ ગઈ એ જિંદગી,
હાથ તાળી દઈ ગઈ એ જિંદગી.
આભને અડવા હતી જે નીકળી,
ખાખ થઈ ઉડી ગઈ એ જિંદગી.
જે હતી હસતી રહી તે આજથી,
મૌન કાયમ થઈ ગઈ એ જિંદગી.
યાદમાં એને સદાયે સાચવી,
જીવજો કાયમ રહી જે જિંદગી.
- કવિ નિ:શબ્દ
શાળાનો પહેલો દિવસ, શાળા છોડ્યાનો છેલ્લો દિવસ
બન્ને સરખાં હતાં, પહેલાં દિવસે શાળાએ જવું ના હતું
એટલે રડ્યા હતાં, છેલ્લા દિવસે શાળાને છોડવી પડી
એટલે રડ્યા હતાં.
- હર્ષિત દવે માંગ્યો નહોતો સાથ દૂર-સુદૂરનો
આમ સાત ડગલે છોડી ક્યાં ચાલ્યા?
ઓ ભેરુ, અમને મૂકીને ક્યાં ચાલ્યા?
કળી મટી હજુ સુમન બન્યા'તા તમે,
સુગંધ લઈ - દઈ ક્યાં ચાલ્યા ?
હતો સ્વભાવ શાંત નરમ તમારો,
કારમી ચીસો પાડી ક્યાં ચાલ્યા ?
હતાં સંવેદનાનાં સાગર તમે તો,
વેદનાનાં રણ દઇ ક્યાં ચાલ્યા ?
ખાલી હાથે જવાનું ભૂલી ગયાં તમે ?
અમારું સઘળું લુંટી ક્યાં ચાલ્યા ?
જીવતા'તા જે તમ અસ્તિત્વ ઓજથી
એને જીવતાં મારી ક્યાં ચાલ્યા...
- ડૉ. નલિની ગણાત્રા શાળા છોડવાનું પ્રમાણપત્ર લઈને
હાઈસ્કૂલનો દાદરો ઊતરતાં ઊતરતાં
પાળેલી એષણાઓ
આજે મારાં મેલાંદાટ પ્રમાણપત્રો પર
ખંડેર બનીને આક્રંદી રહી છે.
સતત ‘Sorry’ નો ચારો ચરતું
મારું Degree Certificate
બે બે વરસથી
મારા નામની શરણાઈને દૂર હડસેલી રહ્યું છે.
મારી મૂંઝવણોના વનમાં
Overage નામનો રાક્ષસ
આવીને વસે તે પહેલાં
મને કોઈ અલાઉદ્દીનના જાદુઈ
ચિરાગની વારતા તો કહો.
- ગોવિંદ પરમાર તમારી યાદમાં રણની રજેરજ તરબતર માગી,
ફૂલો પાસે જઈ-જઈને તમારી નિત ખબર માગી.
મોહબ્બતમાં અમે આ ચાર વસ્તુ ઉમ્રભર માગી,
જિગર માગ્યું, નજર માગી, અસર માગી, સબર માગી.
ખરેખર એ સમયની પણ બલિહારી છે, હે જીવન !
ચમન પાસે અમે તો ભરવસંતે પાનખર માગી.
ઊઠ્યા ના હાથ પૂરા ત્યાં તો એ મંજૂર પણ થઈ ગઈ,
ખરેખર મુજ દુઆ કાજે ભલા કોકે અસર માગી.
ધરા ત્યાગી શકાયે ના, રગેરગ લૂણ છે એનું,
અમે જન્નત-જહન્નમ બેય આ ધરતી ઉપર માગી.
બતાવી માર્ગ કોઈને જીવન-સિદ્ધિવરી લીધી,
વિલયને નોતરી લીધો, સિતારાએ સહર માગી.
મુકદરને સદા આગળ ધરે છે માનવી ત્યારે,
મળે છે જિંદગીમાં જ્યારે કો' વસ્તુ વગર-માગી.
નવાઈ શી કોઈ પાગલ ગણી ‘મુકબિલ!' તિરસ્કારે,
અમે આ બેકદર દુનિયા કને સાચી કદર માગી. -મુકબિલ કુરેશી 24-6-1925 16-6-2005
સજાવટ:સુંદર ગાલીચાની જાળવણી આ રીતે કરો
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/this-is-how-to-maintain-a-beautiful-carpet-135300588.html
દિવ્યા દેસાઇ કોઇ ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, જ્યારે ઘરની સફાઇની વાત આવે ત્યારે એ કોઇ કસર બાકી નથી રાખતી. ઘરમાં એક યા બીજી રીતે ધૂળ તો આવે જ છે. ઘરનું સૌંદર્ય વધારવામાં ગાલીચો ખાસ ભૂમિકા ભજવે છે. પરંતુ જો એ જ ગાલીચા પર ડાઘ પડી જાય તો તેના આખા સૌંદર્યનો સત્યાનાશ થઈ જાય છે. ગાલીચા પર ક્યારેક ચીજવસ્તુ કે પ્રવાહીના ડાઘ પડી જતાં હોય છે.
ઘરમાં બાળક નાનું હોય તો ગાલીચા પર કંઇ ખાવાની વસ્તુ ઢોળાય અથવા અન્ય કંઇ ઢોળાય તેના ડાઘ પડી જાય છે, જે સાફ થતા નથી. ઘરમાં પાળતુ કૂતરા કે બિલાડી જેવાં પ્રાણીઓ હોય ત્યારે તેમની રુવાંટી (વાળ) પણ ગાલીચા પર ખરે છે. આવી પરિસ્થિતિમાં પ્રોફેશનલ ક્લિનિંગ વારંવાર તો શક્ય ન બની શકે. ત્યારે ઘરે જ અમુક ઉપાયો અજમાવી તમારા પ્રિય અને મોંઘા ગાલીચાનું આયુષ્ય વધારીએ.
કેટલાક ઘરેલુ અને સરળ ઉપાય અપનાવી ગાલીચાને સાફ કરી શકો છો. એનાથી સમય બચશે અને લાંબા સમય સુધી ગાલીચો નવા જેવો રહેશે.
લીંબુનો રસ કાઢો. તેની છાલને સૂકવીને મિક્સરમાં ક્રશ કરી લો. તેને કોર્નફ્લોર સાથે મિક્સ કરી આખા ગાલીચા પર છાંટો. તે પછી મુલાયમ બ્રશથી હળવા હાથે ગાલીચાના રેસા ઘસો. તે પછી તેને આખી રાત અથવા બે-ત્રણ કલાક રહેવા દો. કોર્નફ્લોર અને લીંબુની છાલ ગંદકી અને દુર્ગંધ શોષી લેશે. થોડા કલાક પછી કે બીજા દિવસે વેક્યૂમ ક્લીનરથી ગાલીચાને સાફ કરી લો.
બીજા ઉપાય તરીકે લીંબુનો રસ અને પાણીને એક વાટકીમાં મિક્સ કરો. તેને સ્પ્રે બોટલમાં ભરી ડાઘા પર સ્પ્રે કરો. પાંચ-દસ મિનિટ પછી ચોખ્ખા કપડા અથવા સ્પોન્જથી અંદરથી બહારની તરફ આવે એમ ઘસો.
એથી ડાઘ પ્રસરશે નહીં. પછી સ્વચ્છ ભીના કપડાંથી એ જગ્યા લૂછી, કોરું થવા દો. આટલું કરશો તો તમારા પ્રિય કે મોંઘા ગાલીચાને ચોખ્ખા અને નવાનક્કોર રાખી શકશો.
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/this-is-how-to-maintain-a-beautiful-carpet-135300588.html
દિવ્યા દેસાઇ કોઇ ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, જ્યારે ઘરની સફાઇની વાત આવે ત્યારે એ કોઇ કસર બાકી નથી રાખતી. ઘરમાં એક યા બીજી રીતે ધૂળ તો આવે જ છે. ઘરનું સૌંદર્ય વધારવામાં ગાલીચો ખાસ ભૂમિકા ભજવે છે. પરંતુ જો એ જ ગાલીચા પર ડાઘ પડી જાય તો તેના આખા સૌંદર્યનો સત્યાનાશ થઈ જાય છે. ગાલીચા પર ક્યારેક ચીજવસ્તુ કે પ્રવાહીના ડાઘ પડી જતાં હોય છે.
ઘરમાં બાળક નાનું હોય તો ગાલીચા પર કંઇ ખાવાની વસ્તુ ઢોળાય અથવા અન્ય કંઇ ઢોળાય તેના ડાઘ પડી જાય છે, જે સાફ થતા નથી. ઘરમાં પાળતુ કૂતરા કે બિલાડી જેવાં પ્રાણીઓ હોય ત્યારે તેમની રુવાંટી (વાળ) પણ ગાલીચા પર ખરે છે. આવી પરિસ્થિતિમાં પ્રોફેશનલ ક્લિનિંગ વારંવાર તો શક્ય ન બની શકે. ત્યારે ઘરે જ અમુક ઉપાયો અજમાવી તમારા પ્રિય અને મોંઘા ગાલીચાનું આયુષ્ય વધારીએ.
કેટલાક ઘરેલુ અને સરળ ઉપાય અપનાવી ગાલીચાને સાફ કરી શકો છો. એનાથી સમય બચશે અને લાંબા સમય સુધી ગાલીચો નવા જેવો રહેશે.
લીંબુનો રસ કાઢો. તેની છાલને સૂકવીને મિક્સરમાં ક્રશ કરી લો. તેને કોર્નફ્લોર સાથે મિક્સ કરી આખા ગાલીચા પર છાંટો. તે પછી મુલાયમ બ્રશથી હળવા હાથે ગાલીચાના રેસા ઘસો. તે પછી તેને આખી રાત અથવા બે-ત્રણ કલાક રહેવા દો. કોર્નફ્લોર અને લીંબુની છાલ ગંદકી અને દુર્ગંધ શોષી લેશે. થોડા કલાક પછી કે બીજા દિવસે વેક્યૂમ ક્લીનરથી ગાલીચાને સાફ કરી લો.
બીજા ઉપાય તરીકે લીંબુનો રસ અને પાણીને એક વાટકીમાં મિક્સ કરો. તેને સ્પ્રે બોટલમાં ભરી ડાઘા પર સ્પ્રે કરો. પાંચ-દસ મિનિટ પછી ચોખ્ખા કપડા અથવા સ્પોન્જથી અંદરથી બહારની તરફ આવે એમ ઘસો.
એથી ડાઘ પ્રસરશે નહીં. પછી સ્વચ્છ ભીના કપડાંથી એ જગ્યા લૂછી, કોરું થવા દો. આટલું કરશો તો તમારા પ્રિય કે મોંઘા ગાલીચાને ચોખ્ખા અને નવાનક્કોર રાખી શકશો.
ફેશન:વરસાદી મોસમમાં ટી-શર્ટ એ સ્ટાઇલ પણ, આરામ પણ!
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/t-shirts-are-both-stylish-and-comfortable-in-the-rainy-season-135300584.html
ફેશનેબલ પ્રેક્ટિકલ વિકલ્પ એટલે ટી-શર્ટ. ટી-શર્ટ જોકે એવું આઉટફિટ છે જે દરેક મોસમમાં આરામદાયક સાબિત થાય છે. ગરમીમાં તાજગી આપે છે, શિયાળામાં જેકેટની અંદર પહેરીને ડિફરન્ટ લેયરિંગ કરી શકાય. ખાસ કરીને વરસાદી મોસમમાં તો તે સૌથી ઉપયોગી અને કમફર્ટેબલ વિકલ્પ બની જાય છે. એવામાં ટીશર્ટ એક સાહજિક પસંદગી છે.
ટી-શર્ટ મોટાભાગે કોટન કે બ્લેન્ડેડ ફેબ્રિકથી બનેલી હોય છે, જે ભેજવાળી હવામાં ત્વચાને શ્વાસ લેવા દે છે. વરસાદમાં ભીંજાઈ જવું સામાન્ય છે. ટી- શર્ટ ભીની થઈ જાય તો પણ જલદી સુકાઈ જાય છે આથી ત્વચા પર લાંબો સમય ભેજ રહેતો નથી. લેયરિંગ માટે પણ તે પરફેક્ટ છે. તેની ઉપર રેઈનકોટ, ડેનિમ શર્ટ કે શ્રગ પહેરી શકાય. અંદર કમ્ફર્ટ અને બહાર પ્રોટેક્શન.
આમ, બંનેમાં સંતુલન રહે છે. ઇમરજન્સી વેર તરીકે પણ ટીશર્ટ બેસ્ટ છે. ભીંજાઈ જાઓ તો બેગમાં ફોલ્ડ કરેલી ટીશર્ટ રાખવી પણ સરળ છે. જગ્યા ઓછી રોકે અને કામમાં વધુ આવે. આજકાલ ગ્રાફિક પ્રિન્ટ, રેટ્રો સ્ટાઇલ, સ્લોગન વાળી, કાર્ટૂન કે મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ પ્રિન્ટવાળી અને બેગી ટીશર્ટ્સ Gen Zમાં ખૂબ લોકપ્રિય છે.
ટ્રેન્ડમાં રહેલી વિવિધ સ્ટાઈલિસ્ટ ટી-શર્ટ્સ
ટી-શર્ટ હવે ફક્ત કેમ્પસ, કોલેજ કે કેઝ્યુઅલ વેર પૂરતી મર્યાદિત રહી નથી. અલગ-અલગ વેરાયટીઓ, કપડાં અને ફિટિંગ્સ સાથે ટી-શર્ટ ઉપલબ્ધ છે. ચાલો, જોઈએ કઈ ટી-શર્ટ્સ ટ્રેન્ડમાં છે.
રાઉન્ડ નેક
સૌથી ક્લાસિક અને કોમન વિકલ્પ
સામાન્ય બોડીટાઇપ માટે પરફેક્ટ
ડેનિમ સાથે ક્લાસિક લૂક આપે છે
V નેક ટીશર્ટ
નેકલાઇન થોડી નીચે હોય
ચહેરાને લાંબો લૂક આપે
મેન અને વુમન બંને માટે પર્ફેક્ટ
પોલો ટીશર્ટ
હાઈ નેક ટી-શર્ટ
ઓફિસ આઉટિંગ કે ઇન્ટરવ્યુ માટે યોગ્ય
ઓવરસાઈઝ ટીશર્ટ
આજકાલ Gen Zમાં ખૂબ જ ટ્રેન્ડી છે.
આરામદાયક અને કમ્ફર્ટ ફ્લોઈ લુક
સ્કિની જીન્સ, લેગિંગ્સ અથવા બાઈકર શોર્ટ્સ સાથે સ્ટાઇલ કરી શકાય
ગ્રાફિક કે સ્લોગન લખેલી ટીશર્ટ
સામાજિક સંદેશો, ફિલ્મી ડાયલોગ્સ કે ક્વોટ્સ છપાયેલી ટી-શર્ટ
વ્યક્તિગત અભિવ્યક્તિ દર્શાવતી સ્ટાઇલ
ટીનએજર અને કોલેજ યુવામાં ખાસ પોપ્યુલર
Crop T-Shirts
નાની ટી-શર્ટ જેમાં પેટનો થોડો ભાગ દેખાય.
ટ્રેન્ડી અને યંગ લુક માટે સારો વિકલ્પ.
સ્કર્ટ, હાઇ વેસ્ટ જીન્સ કે પલાઝો સાથે સુંદર લાગે.
ટીનએજ યુવતીઓની ખાસ પસંદ
લોંગલાઈન ટીશર્ટ
સામાન્ય ટી-શર્ટ કરતાં થોડી વધુ લાંબી.
લેયરિંગ માટે સારી (જેકેટની અંદર પહેરાય)
રેંગલન ટીશર્ટ
અલગ રંગની સ્લીવ્સ અને બોડી હોય છે.
સ્પોર્ટ્સ લુક માટે આદર્શ
ટેન્ક ટોપ કે સ્લીવલેસ ટીશર્ટ
ખાસ કરીને જિમ કે ફિટનેસ વેર માટે. બેગી ટીશર્ટ
આજે યુવા પેઢી ફિટિંગ નહીં, પણ ફ્રી ફ્લો અને ઓવરસાઈઝ લૂક પસંદ કરી રહી છે. ત્યારે બેગી ટીશર્ટ માત્ર ટ્રેન્ડ જ નહીં, પણ 'આઇ એમ કુલ' વાળું ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે.
ટી-શર્ટ ડ્રેસ
ટીશર્ટ ડ્રેસ એટલે એ રીતે ડિઝાઇન કરેલી લાંબી ટીશર્ટ જે ફ્રોક કે ડ્રેસ જેવી લાગે. તેને પહેરવામાં આરામદાયક ફિટિંગની મજા છે.
ટિપ્સ ફોર સ્ટાઇલિંગ
સ્લિમ ફિટ ટીશર્ટ પર ફ્લેર પેન્ટ્સ પહેરો.
ઓવરસાઈઝ અને લાંબી ટીશર્ટને બેલ્ટ સાથે ફ્રોકની જેમ પહેરો.
ગ્રાફિક ટીશર્ટ ઉપર લેયરિંગ કરો – જેકેટ કે કોટ સાથે.
કલર પોપ લુક માટે વિવિધ રંગો અજમાવો. યલો, લાઈમ ગ્રીન, લવેન્ડર અને ટર્કોઇઝ વગેરે રંગ ખૂબ ટ્રેન્ડમાં છે.
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/t-shirts-are-both-stylish-and-comfortable-in-the-rainy-season-135300584.html
ફેશનેબલ પ્રેક્ટિકલ વિકલ્પ એટલે ટી-શર્ટ. ટી-શર્ટ જોકે એવું આઉટફિટ છે જે દરેક મોસમમાં આરામદાયક સાબિત થાય છે. ગરમીમાં તાજગી આપે છે, શિયાળામાં જેકેટની અંદર પહેરીને ડિફરન્ટ લેયરિંગ કરી શકાય. ખાસ કરીને વરસાદી મોસમમાં તો તે સૌથી ઉપયોગી અને કમફર્ટેબલ વિકલ્પ બની જાય છે. એવામાં ટીશર્ટ એક સાહજિક પસંદગી છે.
ટી-શર્ટ મોટાભાગે કોટન કે બ્લેન્ડેડ ફેબ્રિકથી બનેલી હોય છે, જે ભેજવાળી હવામાં ત્વચાને શ્વાસ લેવા દે છે. વરસાદમાં ભીંજાઈ જવું સામાન્ય છે. ટી- શર્ટ ભીની થઈ જાય તો પણ જલદી સુકાઈ જાય છે આથી ત્વચા પર લાંબો સમય ભેજ રહેતો નથી. લેયરિંગ માટે પણ તે પરફેક્ટ છે. તેની ઉપર રેઈનકોટ, ડેનિમ શર્ટ કે શ્રગ પહેરી શકાય. અંદર કમ્ફર્ટ અને બહાર પ્રોટેક્શન.
આમ, બંનેમાં સંતુલન રહે છે. ઇમરજન્સી વેર તરીકે પણ ટીશર્ટ બેસ્ટ છે. ભીંજાઈ જાઓ તો બેગમાં ફોલ્ડ કરેલી ટીશર્ટ રાખવી પણ સરળ છે. જગ્યા ઓછી રોકે અને કામમાં વધુ આવે. આજકાલ ગ્રાફિક પ્રિન્ટ, રેટ્રો સ્ટાઇલ, સ્લોગન વાળી, કાર્ટૂન કે મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ પ્રિન્ટવાળી અને બેગી ટીશર્ટ્સ Gen Zમાં ખૂબ લોકપ્રિય છે.
ટ્રેન્ડમાં રહેલી વિવિધ સ્ટાઈલિસ્ટ ટી-શર્ટ્સ
ટી-શર્ટ હવે ફક્ત કેમ્પસ, કોલેજ કે કેઝ્યુઅલ વેર પૂરતી મર્યાદિત રહી નથી. અલગ-અલગ વેરાયટીઓ, કપડાં અને ફિટિંગ્સ સાથે ટી-શર્ટ ઉપલબ્ધ છે. ચાલો, જોઈએ કઈ ટી-શર્ટ્સ ટ્રેન્ડમાં છે.
રાઉન્ડ નેક
સૌથી ક્લાસિક અને કોમન વિકલ્પ
સામાન્ય બોડીટાઇપ માટે પરફેક્ટ
ડેનિમ સાથે ક્લાસિક લૂક આપે છે
V નેક ટીશર્ટ
નેકલાઇન થોડી નીચે હોય
ચહેરાને લાંબો લૂક આપે
મેન અને વુમન બંને માટે પર્ફેક્ટ
પોલો ટીશર્ટ
હાઈ નેક ટી-શર્ટ
ઓફિસ આઉટિંગ કે ઇન્ટરવ્યુ માટે યોગ્ય
ઓવરસાઈઝ ટીશર્ટ
આજકાલ Gen Zમાં ખૂબ જ ટ્રેન્ડી છે.
આરામદાયક અને કમ્ફર્ટ ફ્લોઈ લુક
સ્કિની જીન્સ, લેગિંગ્સ અથવા બાઈકર શોર્ટ્સ સાથે સ્ટાઇલ કરી શકાય
ગ્રાફિક કે સ્લોગન લખેલી ટીશર્ટ
સામાજિક સંદેશો, ફિલ્મી ડાયલોગ્સ કે ક્વોટ્સ છપાયેલી ટી-શર્ટ
વ્યક્તિગત અભિવ્યક્તિ દર્શાવતી સ્ટાઇલ
ટીનએજર અને કોલેજ યુવામાં ખાસ પોપ્યુલર
Crop T-Shirts
નાની ટી-શર્ટ જેમાં પેટનો થોડો ભાગ દેખાય.
ટ્રેન્ડી અને યંગ લુક માટે સારો વિકલ્પ.
સ્કર્ટ, હાઇ વેસ્ટ જીન્સ કે પલાઝો સાથે સુંદર લાગે.
ટીનએજ યુવતીઓની ખાસ પસંદ
લોંગલાઈન ટીશર્ટ
સામાન્ય ટી-શર્ટ કરતાં થોડી વધુ લાંબી.
લેયરિંગ માટે સારી (જેકેટની અંદર પહેરાય)
રેંગલન ટીશર્ટ
અલગ રંગની સ્લીવ્સ અને બોડી હોય છે.
સ્પોર્ટ્સ લુક માટે આદર્શ
ટેન્ક ટોપ કે સ્લીવલેસ ટીશર્ટ
ખાસ કરીને જિમ કે ફિટનેસ વેર માટે. બેગી ટીશર્ટ
આજે યુવા પેઢી ફિટિંગ નહીં, પણ ફ્રી ફ્લો અને ઓવરસાઈઝ લૂક પસંદ કરી રહી છે. ત્યારે બેગી ટીશર્ટ માત્ર ટ્રેન્ડ જ નહીં, પણ 'આઇ એમ કુલ' વાળું ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે.
ટી-શર્ટ ડ્રેસ
ટીશર્ટ ડ્રેસ એટલે એ રીતે ડિઝાઇન કરેલી લાંબી ટીશર્ટ જે ફ્રોક કે ડ્રેસ જેવી લાગે. તેને પહેરવામાં આરામદાયક ફિટિંગની મજા છે.
ટિપ્સ ફોર સ્ટાઇલિંગ
સ્લિમ ફિટ ટીશર્ટ પર ફ્લેર પેન્ટ્સ પહેરો.
ઓવરસાઈઝ અને લાંબી ટીશર્ટને બેલ્ટ સાથે ફ્રોકની જેમ પહેરો.
ગ્રાફિક ટીશર્ટ ઉપર લેયરિંગ કરો – જેકેટ કે કોટ સાથે.
કલર પોપ લુક માટે વિવિધ રંગો અજમાવો. યલો, લાઈમ ગ્રીન, લવેન્ડર અને ટર્કોઇઝ વગેરે રંગ ખૂબ ટ્રેન્ડમાં છે.
પેરેન્ટિંગ:ઓહ! બાપ રે! બાળકોના ઝઘડા!
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/oh-father-childrens-fights-135300580.html
જે ઘરમાં બેથી વધારે બાળકો હોય તો તેઓ એકલતા અનુભવતા નથી. સાથે રમે, ધીંગામસ્તી કરે અને સમય ક્યાંય પસાર થઇ જાય તેની ખબર નથી પડતી. હા, કોઇ વાર નાનીઅમથી વાતે ઝઘડીય પડે. રમતાં રમતાં ઝઘડવું એ તો બાળક માટે સામાન્ય વાત કહેવાય, પણ આ ઝઘડાનું પ્રમાણ વધી જાય ત્યારે એ ચિંતાનો વિષય બની જાય છે.
ભાઇબહેન વચ્ચે નાના-મોટા લડાઇ-ઝઘડા થાય તો ચિંતા કરવા જેવું નથી, પણ વાતનું વતેસર થાય, વાતવાતમાં એકબીજાને ઉતારી પાડે, નીચા દેખાડવાનો પ્રયત્ન કરે, ઇર્ષ્યાથી છળી મરે અને એકબીજાના કટ્ટર હરીફ સમજવા લાગે ત્યારે માતાપિતાએ બાળકોના આવાં વર્તનથી ચેતી જવું જોઇએ.
આ પ્રકારનાં વર્તનથી ભાઇ-બહેન કે ભાઇ-ભાઇ વચ્ચેના લાગણીના સંબંધમાં ઓટ આવે છે. આવા સંજોગોમાં બાળકોના વાલીએ બાળઉછેર દરમિયાન અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ, જેથી કરીને બાળકો પરસ્પર પ્રેમના તાંતણેથી બંધાયેલા રહે અને ઝઘડાને લીધે સંબંધમાં કડવાશ ન આવી જાય. ઝઘડાળુ બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ કેવી રીતે કરી શકાય એ જાણીએ.
વાતચીત કરવાની રીતભાત શિખવાડો: ઘરમાં ઘણીવાર બાળકો પોતાનો કક્કો ખરો કરવા માટે એકબીજા સાથે ઝઘડતા હોય તો તેમને પોતાની વાત મનાવવા માટેની યોગ્ય રીત શીખવો. એમને કહો કે ઝઘડતી વખતે બૂમબરાડા પાડવાથી પોતાની વાતને સાચી સાબિત કરી શકાતી નથી. આવી રીતો જોરજોરથી ઝઘડો કરવાથી વાત વધુ વણસે છે. બાળકોને ઉચિત રીતે વાતચીત કરતા શીખવો. શાલીનતાથી વાતચીત કરવાના સંસ્કારોનું સિંચન કરવું એ વાલી તરીકેની મોટી અને મહત્ત્વની ફરજ છે.
બાળકોના હકારાત્મક વર્તનનાં વખાણ કરો: જો તમારાં સંતાને પોતાનાં ભાઈબહેન સાથે ઉગ્ર બોલાચાલી કરી હોય અને પછી એને પોતાની સમજદારીથી વાતને વાળી લીધી હોય ત્યારે તેનાં વખાણ અવશ્ય કરવાં. આ રીતે પણ જો ભાઇબહેન વચ્ચેનો સંપ જળવાઇ રહે તો તેની પીઠ થાબડવી જોઇએ. સમય આવ્યે, જરૂર પડ્યે તે આવી જ સમજદારીપૂર્વક વર્તે એ માટે પ્રોત્સાહન આપવું જોઇએ.
મધ્યસ્થી: બે બાળકો એકબીજા સાથે ઝઘડતા હોય ત્યારે તેમની વચ્ચે પડીને સમાધાન કરાવવું જોઇએ અને સારાં-નરસાં વચ્ચેનો ભેદ પારખતા શિખવાડવું જોઇએ. સૌથી પહેલા તો બાળક પાસેથી એ જાણવું જોઇએ કે, ઝઘડાનું મૂળ કારણ શું છે. બંને બાળકોના અભિગમને સમજવો. એને ધ્યાનમાં રાખીને મધ્યસ્થી કરો અને ઝઘડો શાંત પાડવાનો પ્રયત્ન કરો. બંને બાળકો માતાપિતાને મન એકસમાન હોય છે. એટલે ઝઘડતા અટકાવો ત્યારે એવું કદી ન કહેવું કે તું તો એના કરતાં મોટો કે મોટી છે, એટલે તારે જતું કરી દેવું જોઇએ અથવા તો એ તારા કરતાં નાનો કે નાની છે એટલે તારે સમજવું જોઇએ વગેરે…. માતાપિતાએ આવાં વેણ ન કહેવાં. તમામ બાળકો સાથે વાલીએ એકસરખું વર્તન કરવું જોઇએ.
ઝઘડાનાં કારણો ઓછાં કરવાં: જો બાળકો કોઇ ને કોઇ વાતે બરાબરના ઝઘડ્યા કરતા હોય તો તેમને એ સમજાવવાનો પ્રયત્ન કરો તે જે મુદ્દા પર ઝઘડે છે તે ખરેખર સાચો છે કે નહીં? ઘરમાં કોઇ એવાં રમકડાં, ગેજેટ્સ કે બીજી કોઇ વસ્તુ હોય, જેના માટે થઇને બાળકો ઝઘડતા હોય તો એ વસ્તુ બાળકોથી દૂર મૂકી દો. આ ઉપરાંત બાળઉછેર દરમિયાન બાળકોના મન પર લાગણીના-સંબંધોનો ઉઝરડાઓ ન પડે એવી કોઇ ભૂલ તમે ન કરી શકો એ બાબતનું ધ્યાન રાખવું. બાળકના મનમાં એ વાત ઘર ન કરી જાય કે મારા પેરેન્ટ્સ મારાં કરતાં મારાં ભાઇ કે બહેનને વધારે વહાલ કરે છે. આવી લાગણી બાળકના મનમાં ઇર્ષ્યા ઊભી કરે છે.
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/oh-father-childrens-fights-135300580.html
જે ઘરમાં બેથી વધારે બાળકો હોય તો તેઓ એકલતા અનુભવતા નથી. સાથે રમે, ધીંગામસ્તી કરે અને સમય ક્યાંય પસાર થઇ જાય તેની ખબર નથી પડતી. હા, કોઇ વાર નાનીઅમથી વાતે ઝઘડીય પડે. રમતાં રમતાં ઝઘડવું એ તો બાળક માટે સામાન્ય વાત કહેવાય, પણ આ ઝઘડાનું પ્રમાણ વધી જાય ત્યારે એ ચિંતાનો વિષય બની જાય છે.
ભાઇબહેન વચ્ચે નાના-મોટા લડાઇ-ઝઘડા થાય તો ચિંતા કરવા જેવું નથી, પણ વાતનું વતેસર થાય, વાતવાતમાં એકબીજાને ઉતારી પાડે, નીચા દેખાડવાનો પ્રયત્ન કરે, ઇર્ષ્યાથી છળી મરે અને એકબીજાના કટ્ટર હરીફ સમજવા લાગે ત્યારે માતાપિતાએ બાળકોના આવાં વર્તનથી ચેતી જવું જોઇએ.
આ પ્રકારનાં વર્તનથી ભાઇ-બહેન કે ભાઇ-ભાઇ વચ્ચેના લાગણીના સંબંધમાં ઓટ આવે છે. આવા સંજોગોમાં બાળકોના વાલીએ બાળઉછેર દરમિયાન અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ, જેથી કરીને બાળકો પરસ્પર પ્રેમના તાંતણેથી બંધાયેલા રહે અને ઝઘડાને લીધે સંબંધમાં કડવાશ ન આવી જાય. ઝઘડાળુ બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ કેવી રીતે કરી શકાય એ જાણીએ.
વાતચીત કરવાની રીતભાત શિખવાડો: ઘરમાં ઘણીવાર બાળકો પોતાનો કક્કો ખરો કરવા માટે એકબીજા સાથે ઝઘડતા હોય તો તેમને પોતાની વાત મનાવવા માટેની યોગ્ય રીત શીખવો. એમને કહો કે ઝઘડતી વખતે બૂમબરાડા પાડવાથી પોતાની વાતને સાચી સાબિત કરી શકાતી નથી. આવી રીતો જોરજોરથી ઝઘડો કરવાથી વાત વધુ વણસે છે. બાળકોને ઉચિત રીતે વાતચીત કરતા શીખવો. શાલીનતાથી વાતચીત કરવાના સંસ્કારોનું સિંચન કરવું એ વાલી તરીકેની મોટી અને મહત્ત્વની ફરજ છે.
બાળકોના હકારાત્મક વર્તનનાં વખાણ કરો: જો તમારાં સંતાને પોતાનાં ભાઈબહેન સાથે ઉગ્ર બોલાચાલી કરી હોય અને પછી એને પોતાની સમજદારીથી વાતને વાળી લીધી હોય ત્યારે તેનાં વખાણ અવશ્ય કરવાં. આ રીતે પણ જો ભાઇબહેન વચ્ચેનો સંપ જળવાઇ રહે તો તેની પીઠ થાબડવી જોઇએ. સમય આવ્યે, જરૂર પડ્યે તે આવી જ સમજદારીપૂર્વક વર્તે એ માટે પ્રોત્સાહન આપવું જોઇએ.
મધ્યસ્થી: બે બાળકો એકબીજા સાથે ઝઘડતા હોય ત્યારે તેમની વચ્ચે પડીને સમાધાન કરાવવું જોઇએ અને સારાં-નરસાં વચ્ચેનો ભેદ પારખતા શિખવાડવું જોઇએ. સૌથી પહેલા તો બાળક પાસેથી એ જાણવું જોઇએ કે, ઝઘડાનું મૂળ કારણ શું છે. બંને બાળકોના અભિગમને સમજવો. એને ધ્યાનમાં રાખીને મધ્યસ્થી કરો અને ઝઘડો શાંત પાડવાનો પ્રયત્ન કરો. બંને બાળકો માતાપિતાને મન એકસમાન હોય છે. એટલે ઝઘડતા અટકાવો ત્યારે એવું કદી ન કહેવું કે તું તો એના કરતાં મોટો કે મોટી છે, એટલે તારે જતું કરી દેવું જોઇએ અથવા તો એ તારા કરતાં નાનો કે નાની છે એટલે તારે સમજવું જોઇએ વગેરે…. માતાપિતાએ આવાં વેણ ન કહેવાં. તમામ બાળકો સાથે વાલીએ એકસરખું વર્તન કરવું જોઇએ.
ઝઘડાનાં કારણો ઓછાં કરવાં: જો બાળકો કોઇ ને કોઇ વાતે બરાબરના ઝઘડ્યા કરતા હોય તો તેમને એ સમજાવવાનો પ્રયત્ન કરો તે જે મુદ્દા પર ઝઘડે છે તે ખરેખર સાચો છે કે નહીં? ઘરમાં કોઇ એવાં રમકડાં, ગેજેટ્સ કે બીજી કોઇ વસ્તુ હોય, જેના માટે થઇને બાળકો ઝઘડતા હોય તો એ વસ્તુ બાળકોથી દૂર મૂકી દો. આ ઉપરાંત બાળઉછેર દરમિયાન બાળકોના મન પર લાગણીના-સંબંધોનો ઉઝરડાઓ ન પડે એવી કોઇ ભૂલ તમે ન કરી શકો એ બાબતનું ધ્યાન રાખવું. બાળકના મનમાં એ વાત ઘર ન કરી જાય કે મારા પેરેન્ટ્સ મારાં કરતાં મારાં ભાઇ કે બહેનને વધારે વહાલ કરે છે. આવી લાગણી બાળકના મનમાં ઇર્ષ્યા ઊભી કરે છે.
પ્રશ્ન : હું કોલેજમાં અભ્યાસ કરું છું અને થોડા સમય પછી મારી સગાઇ થવાની છે. મારી સમસ્યા એ છે કે મને માસ્ટરબેશનની આદત છે. મને મારી બહેનપણીઓએ કહ્યું કે યુવતીઓ માસ્ટરબેશન કરે કે સારી ટેવ નથી. શું કોઇ યુવતી માસ્ટરબેશન ન કરી શકે? એનાથી મને કોઇ શારીરિક નુકસાન તો નહીં થાય ને?- એક યુવતી
ઉત્તર : તમને જેણે પણ આ માહિતી આપી છે, એ ખોટી માન્યતા ધરાવે છે. ખરેખર તો ફીમેલ માસ્ટરબેશન મહિલાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારક નીવડે છે. જેમ કે એનાથી સ્ટ્રેસમાં ઘટાડો થાય છે, સારી ઊંઘ આવે છે અને સેક્સ્યુઅલ સેલ્ફ-અવેરનેસમાં વૃદ્ધિ થાય છે. માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે, કેમ કે ફીમેલ માસ્ટરબેશનથી શરીરમાં ડોપામાઇન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન અને સેરેટોનિન જેવા હોર્મોન્સ ડિપ્રેશન અને એંગ્ઝાઇટી વગેરેમાં ઘટાડો કરે છે. તેના કારણે ભાવનાત્મક સ્ટ્રેસમાં ઘટાડો થાય છે. ઘણી યુવતીઓને પીરિયડ્સ દરમિયાન ક્રેમ્પ્સની તકલીફ થતી હોય છે. ફીમેલ માસ્ટરબેશનને કારણે પીરિયડ્સ દરમિયાન થતા દુ:ખાવામાં ઘટાડો થાય છે અને ઓક્સિટોસિન હોર્મોનનું પ્રમાણ વધવાને કારણે ક્રેમ્પ્સમાં પણ લાભ થાય છે. ઉપરાંત, માસ્ટરબેશનના કારણે ઊંઘ પણ સારી આવે છે. વળી, માસ્ટરબેશનથી તમે તમારી જાતને જાતીય સંબંધ માણવા માટે કઇ રીતે વધારે ઉત્તેજિત કરી શકો છો, તેનો ખ્યાલ આવવાથી તમારું ભાવિ સહજીવન પણ વધારે સારું બને છે. માટે ચિંતા ન કરો. તમને આના કારણે કોઇ પ્રકારનું શારીરિક નુકસાન નહીં થાય.
પ્રશ્ન : મારે એક દીકરી છે. મારી પત્નીને ડીલિવરી વખતે ડોક્ટરે કહ્યું હતું કે એના ગર્ભાશયનું મુખ સાંકડું હોવાથી પ્રથમ ડીલિવરી ભલે નોર્મલ થઇ હોય, પણ બીજી ડીલિવરી વખતે સીઝેરિયન કરવાની જરૂર પડી શકે છે. એથી અમે બંનેએ બીજું સંતાન ન થવા દેવાનું નક્કી કર્યું હતું. જોકે હમણાં જાણ થઇ કે મારી પત્ની ફરીથી પ્રેગ્નન્ટ છે. શું આ સંતાનને અમારે દુનિયામાં લાવવું જોઇએ? - એક પુરુષ
ઉત્તર : તમારે એક દીકરી છે અને ડોક્ટરે તમને તમારાં પત્નીની શારીરિક સ્થિતિ વિશે સ્પષ્ટ જણાવ્યું હતું. તમે બંનેએ ફરીથી સંતાનને જન્મ ન આપવાનું નક્કી કરવા છતાં જો હવે તમારાં પત્ની ફરી પ્રેગ્નન્ટ હોય તો સૌથી પહેલાં તો તમે ગાયનેકોલોજિસ્ટને બતાવો. તેઓ જે રીપોર્ટ કરાવવાનું કહે તે વહેલી તકે કરાવો અને જો ડીલિવરી દરમિયાન સીઝેરિયન કરવાથી માતા (તમારાં પત્ની) અને બાળકનો જીવ જોખમમાં મુકાય તેમ ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા આ બીજા સંતાનને દુનિયામાં આવવા દો.
પ્રશ્ન : મારી પત્નીને થોડા સમય પહેલાં ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું છે. તે પછી એનું વજન વધી ગયું છે અને પેટની આસપાસ ખૂબ ચરબી જમા થઇ ગઇ છે. આમ થવાનું શું કારણ? એણે શું ધ્યાન રાખવું જોઇએ? - એક પુરુષ
ઉત્તર : તમારાં પત્નીએ ગર્ભાશય કઢાવી નાખ્યા બાદ ડોક્ટરની સલાહ અનુસાર જે એક્સરસાઇઝ કરવી જોઇએ તે નહીં કરી હોય. આ ઉપરાંત, તેમને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતાં પણ નહીં ફાવ્યું હોય. ગર્ભાશય કઢાવી નાખવાથી સ્ત્રીના શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થાય છે. તેના કારણે વજન વધવાની સંપૂર્ણ શક્યતા રહે છે. તે સાથે જ તેમણે કેટલીક કસરતો જે ડોક્ટરે કરવાનું જણાવ્યું હોય, તે પણ કરવી જરૂરી છે. પેટના ભાગે જમા થયેલી ચરબી ઓછી કરવા માટે તેમણે સ્વસ્થ અને સંતુલિત ભોજન કરવું જોઇએ. ઘણી મહિલાઓ આ ઓપરેશન પછી કડક રીતે ડાયટિંગ કરતી હોય છે. તેના કારણે શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની ખામી સર્જાય છે. આવી ભૂલ ન કરવા દેતાં, તેમને સંતુલિત અને સ્વસ્થ ભોજન લેવાનું જણાવો. પેટની ચરબી ઘટાડવા માટે સ્વિમિંગ, સાઇક્લિંગ વગેરે એક્સરસાઇઝ કરી શકાય.
પ્રશ્ન : મારાં લગ્નને ત્રણ વર્ષ થઇ ગયાં છે. આ દરમિયાન અમે સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્નો કર્યા, પરંતુ કોઇ પોઝિટિવ પરિણામ નથી મળ્યું. અમે ડોક્ટરને બતાવ્યું તો એમનું કહેવું છે કે મારી ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોવાથી હું ગર્ભધારણ નથી કરી શકતી. મને આ વિશે વિશેષ માર્ગદર્શન આપશો.
- એક મહિલા
ઉત્તર : ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોવી એટલે કે તમારી ફેલોપિયન ટ્યૂબમાં બ્લોકેજ હોય અથવા તે અન્ય કોઇ કારણસર પણ ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોય. આ માટેના કેટલાક લક્ષણો જોવા મળે છે, જેમ કે, પેડૂમાં દુ:ખાવો અને સોજો આવવો. આમાં પેડૂના ભાગમાં અસહ્ય દુ:ખાવો ક્યારેક થોડા સમય પૂરતો અને ઓછો દુ:ખાવો થાય છે, તો કોઇ વાર અસહ્ય દુ:ખાવો થતો હોય છે. અન્ય લક્ષણોમાં માસિકસ્રાવમાં અનિયમિતતા અને તે દરમિયાન પણ અસહ્ય દુખાવો થતો હોય છે. માસિકસ્રાવ પણ અનિયમિત થઇ જાય છે અથવા ઘણી વાર વધારે પડતું બ્લીડિંગ થઇ શકે છે. તદુપરાંત, માસિકસ્રાવ દરમિયાન અથવા તેના પહેલાં કે પછી પણ પેટ અને કમરનો અસહ્ય દુખાવો થતો હોય છે. સારી રીતે પાચન થઇ શકે એવો ખોરાક લો. સાથોસાથ તમારા ગાયનેકોલોજિટ્સની મુલાકાત લઇ, તમારી તકલીફ અંગે એમને વિસ્તૃત રીતે માહિતી મેળવો.
ઉત્તર : તમને જેણે પણ આ માહિતી આપી છે, એ ખોટી માન્યતા ધરાવે છે. ખરેખર તો ફીમેલ માસ્ટરબેશન મહિલાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારક નીવડે છે. જેમ કે એનાથી સ્ટ્રેસમાં ઘટાડો થાય છે, સારી ઊંઘ આવે છે અને સેક્સ્યુઅલ સેલ્ફ-અવેરનેસમાં વૃદ્ધિ થાય છે. માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે, કેમ કે ફીમેલ માસ્ટરબેશનથી શરીરમાં ડોપામાઇન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન અને સેરેટોનિન જેવા હોર્મોન્સ ડિપ્રેશન અને એંગ્ઝાઇટી વગેરેમાં ઘટાડો કરે છે. તેના કારણે ભાવનાત્મક સ્ટ્રેસમાં ઘટાડો થાય છે. ઘણી યુવતીઓને પીરિયડ્સ દરમિયાન ક્રેમ્પ્સની તકલીફ થતી હોય છે. ફીમેલ માસ્ટરબેશનને કારણે પીરિયડ્સ દરમિયાન થતા દુ:ખાવામાં ઘટાડો થાય છે અને ઓક્સિટોસિન હોર્મોનનું પ્રમાણ વધવાને કારણે ક્રેમ્પ્સમાં પણ લાભ થાય છે. ઉપરાંત, માસ્ટરબેશનના કારણે ઊંઘ પણ સારી આવે છે. વળી, માસ્ટરબેશનથી તમે તમારી જાતને જાતીય સંબંધ માણવા માટે કઇ રીતે વધારે ઉત્તેજિત કરી શકો છો, તેનો ખ્યાલ આવવાથી તમારું ભાવિ સહજીવન પણ વધારે સારું બને છે. માટે ચિંતા ન કરો. તમને આના કારણે કોઇ પ્રકારનું શારીરિક નુકસાન નહીં થાય.
પ્રશ્ન : મારે એક દીકરી છે. મારી પત્નીને ડીલિવરી વખતે ડોક્ટરે કહ્યું હતું કે એના ગર્ભાશયનું મુખ સાંકડું હોવાથી પ્રથમ ડીલિવરી ભલે નોર્મલ થઇ હોય, પણ બીજી ડીલિવરી વખતે સીઝેરિયન કરવાની જરૂર પડી શકે છે. એથી અમે બંનેએ બીજું સંતાન ન થવા દેવાનું નક્કી કર્યું હતું. જોકે હમણાં જાણ થઇ કે મારી પત્ની ફરીથી પ્રેગ્નન્ટ છે. શું આ સંતાનને અમારે દુનિયામાં લાવવું જોઇએ? - એક પુરુષ
ઉત્તર : તમારે એક દીકરી છે અને ડોક્ટરે તમને તમારાં પત્નીની શારીરિક સ્થિતિ વિશે સ્પષ્ટ જણાવ્યું હતું. તમે બંનેએ ફરીથી સંતાનને જન્મ ન આપવાનું નક્કી કરવા છતાં જો હવે તમારાં પત્ની ફરી પ્રેગ્નન્ટ હોય તો સૌથી પહેલાં તો તમે ગાયનેકોલોજિસ્ટને બતાવો. તેઓ જે રીપોર્ટ કરાવવાનું કહે તે વહેલી તકે કરાવો અને જો ડીલિવરી દરમિયાન સીઝેરિયન કરવાથી માતા (તમારાં પત્ની) અને બાળકનો જીવ જોખમમાં મુકાય તેમ ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા આ બીજા સંતાનને દુનિયામાં આવવા દો.
પ્રશ્ન : મારી પત્નીને થોડા સમય પહેલાં ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું છે. તે પછી એનું વજન વધી ગયું છે અને પેટની આસપાસ ખૂબ ચરબી જમા થઇ ગઇ છે. આમ થવાનું શું કારણ? એણે શું ધ્યાન રાખવું જોઇએ? - એક પુરુષ
ઉત્તર : તમારાં પત્નીએ ગર્ભાશય કઢાવી નાખ્યા બાદ ડોક્ટરની સલાહ અનુસાર જે એક્સરસાઇઝ કરવી જોઇએ તે નહીં કરી હોય. આ ઉપરાંત, તેમને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતાં પણ નહીં ફાવ્યું હોય. ગર્ભાશય કઢાવી નાખવાથી સ્ત્રીના શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થાય છે. તેના કારણે વજન વધવાની સંપૂર્ણ શક્યતા રહે છે. તે સાથે જ તેમણે કેટલીક કસરતો જે ડોક્ટરે કરવાનું જણાવ્યું હોય, તે પણ કરવી જરૂરી છે. પેટના ભાગે જમા થયેલી ચરબી ઓછી કરવા માટે તેમણે સ્વસ્થ અને સંતુલિત ભોજન કરવું જોઇએ. ઘણી મહિલાઓ આ ઓપરેશન પછી કડક રીતે ડાયટિંગ કરતી હોય છે. તેના કારણે શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની ખામી સર્જાય છે. આવી ભૂલ ન કરવા દેતાં, તેમને સંતુલિત અને સ્વસ્થ ભોજન લેવાનું જણાવો. પેટની ચરબી ઘટાડવા માટે સ્વિમિંગ, સાઇક્લિંગ વગેરે એક્સરસાઇઝ કરી શકાય.
પ્રશ્ન : મારાં લગ્નને ત્રણ વર્ષ થઇ ગયાં છે. આ દરમિયાન અમે સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્નો કર્યા, પરંતુ કોઇ પોઝિટિવ પરિણામ નથી મળ્યું. અમે ડોક્ટરને બતાવ્યું તો એમનું કહેવું છે કે મારી ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોવાથી હું ગર્ભધારણ નથી કરી શકતી. મને આ વિશે વિશેષ માર્ગદર્શન આપશો.
- એક મહિલા
ઉત્તર : ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોવી એટલે કે તમારી ફેલોપિયન ટ્યૂબમાં બ્લોકેજ હોય અથવા તે અન્ય કોઇ કારણસર પણ ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોય. આ માટેના કેટલાક લક્ષણો જોવા મળે છે, જેમ કે, પેડૂમાં દુ:ખાવો અને સોજો આવવો. આમાં પેડૂના ભાગમાં અસહ્ય દુ:ખાવો ક્યારેક થોડા સમય પૂરતો અને ઓછો દુ:ખાવો થાય છે, તો કોઇ વાર અસહ્ય દુ:ખાવો થતો હોય છે. અન્ય લક્ષણોમાં માસિકસ્રાવમાં અનિયમિતતા અને તે દરમિયાન પણ અસહ્ય દુખાવો થતો હોય છે. માસિકસ્રાવ પણ અનિયમિત થઇ જાય છે અથવા ઘણી વાર વધારે પડતું બ્લીડિંગ થઇ શકે છે. તદુપરાંત, માસિકસ્રાવ દરમિયાન અથવા તેના પહેલાં કે પછી પણ પેટ અને કમરનો અસહ્ય દુખાવો થતો હોય છે. સારી રીતે પાચન થઇ શકે એવો ખોરાક લો. સાથોસાથ તમારા ગાયનેકોલોજિટ્સની મુલાકાત લઇ, તમારી તકલીફ અંગે એમને વિસ્તૃત રીતે માહિતી મેળવો.
પ્રશ્ન : મારી બહેને એક મહિલા પહેલાં બાળકને જન્મ આપ્યો છે. તેના જન્મ પછી મારી બહેન ખૂબ જ ઉદાસ અને ગૂમસુમ રહે છે. ક્યારેક એ વિના કારણે ગુસ્સે થઇ જાય છે, તો કોઇ વાર રડવા લાગે છે. એ આવી રીતે કેમ વર્તતી હશે? શું તે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો ભોગ બની હશે? - એક યુવતી
ઉત્તર : પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં પ્રેગ્નન્સી અને સંતાનનાં જન્મ પછીનો સમય માતા માટે ખાસ મહત્ત્વનો હોય છે. આ દરમિયાન માતાના શરીરમાં અનેક પરિવર્તન થતાં હોય છે. જેમાં હોર્મોનલ પરિવર્તનને કારણે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. ઘણી વાર મહિલાનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે, તો ક્યારેક તે એક યા બીજા કારણસર ઉદાસીમાં સરી પડે છે. આ સ્થિતિ ઘણી વાર મહિલાના સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં મહિલા વધારે પડતી ઇમોશનલ થઇ જાય છે. પરિણામે તેનામાં તમે જણાવ્યા મુજબના ફેરફાર જોવા મળે છે. તમે બહેન સાથે સમય વિતાવો. એમને પૌષ્ટિક ખોરાક આપો અને એમનાં શરીરમાં થઇ રહેલા હોર્મોનલ ચેન્જીસ અંગે ગાયનેકોલોજિસ્ટ સાથે ચર્ચા કરી જરૂરી દવાઓ આપો.
ઉત્તર : પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં પ્રેગ્નન્સી અને સંતાનનાં જન્મ પછીનો સમય માતા માટે ખાસ મહત્ત્વનો હોય છે. આ દરમિયાન માતાના શરીરમાં અનેક પરિવર્તન થતાં હોય છે. જેમાં હોર્મોનલ પરિવર્તનને કારણે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. ઘણી વાર મહિલાનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે, તો ક્યારેક તે એક યા બીજા કારણસર ઉદાસીમાં સરી પડે છે. આ સ્થિતિ ઘણી વાર મહિલાના સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં મહિલા વધારે પડતી ઇમોશનલ થઇ જાય છે. પરિણામે તેનામાં તમે જણાવ્યા મુજબના ફેરફાર જોવા મળે છે. તમે બહેન સાથે સમય વિતાવો. એમને પૌષ્ટિક ખોરાક આપો અને એમનાં શરીરમાં થઇ રહેલા હોર્મોનલ ચેન્જીસ અંગે ગાયનેકોલોજિસ્ટ સાથે ચર્ચા કરી જરૂરી દવાઓ આપો.
મૂડ એન્ડ માઇન્ડ:સોશિયલ બેટરી
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/social-battery-135300569.html
ડો. સ્પંદન ઠાકર રચનાનું જીવન ખુબ જ આનંદમય હતું. લોકો સાથે જોડાવું પસંદ કરતી અને દરેકનું ધ્યાન રાખતી. ઓફિસમાં પણ ખુશમિજાજ, મિત્રો વચ્ચે હંમેશા રહેતી. એને ક્યારેય કોઈને ‘ના’ કહેવાનું ગમતું નહીં. દરેકને ખુશ રાખવા માટે એ પોતાનું બધું પાછું પાડી દેતી. કોઈ મિત્રને ચા પીવી હોય તો કહેતી ‘ચાલો’, કોઈને દુઃખ હોય તો કહે કે ‘હું છું ને’, કે પછી કોઇને ક્યાંક ફરવાનું મન થાય તો તરત કહે ‘રેડી.’ તેની ઉર્જા કણાભસૂત્ર જેવી હતી, હંમેશાં ચાર્જ રહે.
પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ અજાણ્યા પ્રકારનો થાક આવવા લાગ્યો. એ લોકોને મળતી, પણ પોતે અંદરથી એકલાં હોય તેવું અનુભવતી. ક્યાંક ઉદાસીનતા વધવા લાગેલી, ઉર્જા ઘટવા લાગેલી. એક દિવસ જ્યારે એક જૂથે ટ્રેકિંગ પ્લાન બનાવ્યો, તો રચનાએ કહ્યું કે, ‘મારે તો એકલા રહેવું છે, ક્યાંય જવું નથી.’ બધા ચકિત થઈ ગયા. ‘શું? તને શું થયું? તું તો પાર્ટી કવીન હતી ને!’ પણ રચનાનું મન તેને આજે રોકી રહ્યું હતું.
એ સાંજ રચના ઘરમાં એકલી રહી. ફોન સાયલન્ટ પર મુક્યો, લાઇટો બંધ કરી, બસ એકલાં પડી રહી. એ સમય એને કંઈક સમજાવતો ગયો. એ લોકો સાથે રહેવાથી નહીં, પણ સતત આનંદના મોકા શોધવાથી, મજાકમાં હસતા હસતા થાકી ગઈ હતી. રોજ કોઈકને કોઈક માણસોની કંપની બનવું તેના માટે હવે એક દબાણ બની ગયું હતું. એને સમજાયું કે એ માત્ર શારીરિક રીતે નહીં, પણ માનસિક રીતે પણ થાકી ગઈ છે. આ બધામાં રચના પોતાની જાત સાથે ક્યારેય રહી જ ન હતી.
એના અંદર એક વાત ઊભી થઈ ‘શું હું બધાની વચ્ચે રહેવા માટે જન્મી છું? મારી શાંતિનો, મારી ઈચ્છાનું કોઈ મૂલ્ય નથી?’ આ રીતે એ સમજવા લાગી કે દરેક માણસની એક 'સોશિયલ બેટરી' હોય છે. કેટલાક લોકો બધાની વચ્ચે રહીને ચાર્જ થાય છે, તો કેટલાક લોકો એકલા રહીને શાંતિ અનુભવે છે. આ બંને બાબતો વચ્ચે સમન્વય હોવું ખૂબ જ જરૂરી છે. હંમેશાં એકલા રહેવું જેટલું અયોગ્ય છે, તેટલું જ અયોગ્ય હંમેશાં કંઈકને કંઈક એક્ટિવિટીમાં રહેવું છે. દરેક વ્યક્તિએ પોતાની બેટરીના ટકા મુજબ નિર્ણય લેવો જોઈએ.
રચના જેવી સંવેદનશીલ વ્યક્તિઓ મોટેભાગે ‘પ્લીઝીંગ નેચર’ રાખે છે, પણ એક સમયે આવી પીપલ-પ્લીઝીંગ બાબતો રોજિંદા થાકનું કારણ બને છે. અહેસાસ થયા પછી એ પોતાની આસપાસ થોડું અંતર રાખવા લાગી. જરૂરી હોય ત્યાં જ વાત કરવી, મળવાનું મન હોય ત્યારે જ મળવું. પોતાના ‘મી-ટાઈમ’ને સન્માન આપવાનું શીખી. હવે એ લોકોથી દુર રહીને પણ ખુદથી નજીક રહી શકે છે. એ ક્યારેક પોતાની કંપની માણે છે. તેને એકલતા ગણે છે, એકલાપણુ નહીં. હવે એની મનની શાંતિ એના માટે ‘પ્રાયોરિટી’ બની ગઈ છે. એ હવે ક્યારેક ના પાડવાનું શીખી ગઈ છે.
મૂડ મંત્ર: ‘બધાને ખુશ રાખવામાં કંઈ ખરાબ નથી, પણ જો એમાં તમારું પોતાનું મન ખોવાઈ જાય, તો એ લાગણી ખુશી નહીં પણ એક થકાવટ બની જાય છે.’
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/social-battery-135300569.html
ડો. સ્પંદન ઠાકર રચનાનું જીવન ખુબ જ આનંદમય હતું. લોકો સાથે જોડાવું પસંદ કરતી અને દરેકનું ધ્યાન રાખતી. ઓફિસમાં પણ ખુશમિજાજ, મિત્રો વચ્ચે હંમેશા રહેતી. એને ક્યારેય કોઈને ‘ના’ કહેવાનું ગમતું નહીં. દરેકને ખુશ રાખવા માટે એ પોતાનું બધું પાછું પાડી દેતી. કોઈ મિત્રને ચા પીવી હોય તો કહેતી ‘ચાલો’, કોઈને દુઃખ હોય તો કહે કે ‘હું છું ને’, કે પછી કોઇને ક્યાંક ફરવાનું મન થાય તો તરત કહે ‘રેડી.’ તેની ઉર્જા કણાભસૂત્ર જેવી હતી, હંમેશાં ચાર્જ રહે.
પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ અજાણ્યા પ્રકારનો થાક આવવા લાગ્યો. એ લોકોને મળતી, પણ પોતે અંદરથી એકલાં હોય તેવું અનુભવતી. ક્યાંક ઉદાસીનતા વધવા લાગેલી, ઉર્જા ઘટવા લાગેલી. એક દિવસ જ્યારે એક જૂથે ટ્રેકિંગ પ્લાન બનાવ્યો, તો રચનાએ કહ્યું કે, ‘મારે તો એકલા રહેવું છે, ક્યાંય જવું નથી.’ બધા ચકિત થઈ ગયા. ‘શું? તને શું થયું? તું તો પાર્ટી કવીન હતી ને!’ પણ રચનાનું મન તેને આજે રોકી રહ્યું હતું.
એ સાંજ રચના ઘરમાં એકલી રહી. ફોન સાયલન્ટ પર મુક્યો, લાઇટો બંધ કરી, બસ એકલાં પડી રહી. એ સમય એને કંઈક સમજાવતો ગયો. એ લોકો સાથે રહેવાથી નહીં, પણ સતત આનંદના મોકા શોધવાથી, મજાકમાં હસતા હસતા થાકી ગઈ હતી. રોજ કોઈકને કોઈક માણસોની કંપની બનવું તેના માટે હવે એક દબાણ બની ગયું હતું. એને સમજાયું કે એ માત્ર શારીરિક રીતે નહીં, પણ માનસિક રીતે પણ થાકી ગઈ છે. આ બધામાં રચના પોતાની જાત સાથે ક્યારેય રહી જ ન હતી.
એના અંદર એક વાત ઊભી થઈ ‘શું હું બધાની વચ્ચે રહેવા માટે જન્મી છું? મારી શાંતિનો, મારી ઈચ્છાનું કોઈ મૂલ્ય નથી?’ આ રીતે એ સમજવા લાગી કે દરેક માણસની એક 'સોશિયલ બેટરી' હોય છે. કેટલાક લોકો બધાની વચ્ચે રહીને ચાર્જ થાય છે, તો કેટલાક લોકો એકલા રહીને શાંતિ અનુભવે છે. આ બંને બાબતો વચ્ચે સમન્વય હોવું ખૂબ જ જરૂરી છે. હંમેશાં એકલા રહેવું જેટલું અયોગ્ય છે, તેટલું જ અયોગ્ય હંમેશાં કંઈકને કંઈક એક્ટિવિટીમાં રહેવું છે. દરેક વ્યક્તિએ પોતાની બેટરીના ટકા મુજબ નિર્ણય લેવો જોઈએ.
રચના જેવી સંવેદનશીલ વ્યક્તિઓ મોટેભાગે ‘પ્લીઝીંગ નેચર’ રાખે છે, પણ એક સમયે આવી પીપલ-પ્લીઝીંગ બાબતો રોજિંદા થાકનું કારણ બને છે. અહેસાસ થયા પછી એ પોતાની આસપાસ થોડું અંતર રાખવા લાગી. જરૂરી હોય ત્યાં જ વાત કરવી, મળવાનું મન હોય ત્યારે જ મળવું. પોતાના ‘મી-ટાઈમ’ને સન્માન આપવાનું શીખી. હવે એ લોકોથી દુર રહીને પણ ખુદથી નજીક રહી શકે છે. એ ક્યારેક પોતાની કંપની માણે છે. તેને એકલતા ગણે છે, એકલાપણુ નહીં. હવે એની મનની શાંતિ એના માટે ‘પ્રાયોરિટી’ બની ગઈ છે. એ હવે ક્યારેક ના પાડવાનું શીખી ગઈ છે.
મૂડ મંત્ર: ‘બધાને ખુશ રાખવામાં કંઈ ખરાબ નથી, પણ જો એમાં તમારું પોતાનું મન ખોવાઈ જાય, તો એ લાગણી ખુશી નહીં પણ એક થકાવટ બની જાય છે.’
વુમનોલોજી:ઇન્સ્ટન્ટ પ્રસિદ્ધિપચે કઈ રીતે?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/how-to-digest-instant-fame-135300564.html
‘ભવિષ્યમાં, બધા જ પંદર મિનિટ માટે પ્રસિદ્ધ થશે.’ એન્ડી વરહોલ નામના અમેરિકન દિગ્દર્શક અને વિઝ્યુઅલ આર્ટિસ્ટનું એક ખુબ જાણીતું વાક્ય છે. આ વિધાન એમણે ટેલિવિઝન અને મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે આપ્યું હતું. જે હવે સોશિયલ મીડિયા માટે બિલકુલ સાચું સાબિત થયું. દુનિયાના કોઈ પણ છેડે રહેતી દરેક વ્યક્તિ માટે હવે વિસ્તરવું અને પ્રસિદ્ધ થવું ખાસ્સું સહેલું થઇ ગયું છે. એમાં જો સુંદર છોકરી કે સ્ત્રી હોય તો ધ્યાન ખેંચવાના સમીકરણો બદલાઈ જાય.
આ વાત એટલે માંડવી પડી છે કે, ઇન્સ્ટા રીલમાં મળેલી ઇન્સટન્ટ પ્રસિદ્ધિ અને ત્યારબાદ ઇન્ફ્લ્યુન્સર બનીને રાતોરાત પૈસા કમાતી યુવતીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તો એમાં ખોટું શું છે? શું એને હક નથી? પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, પૈસા અને પાવર મેળવવામાં કશું જ ખોટું નથી.
ઓછા સમયમાં, ઓwછી મહેનતે અને ખાસ કરીને નાની ઉંમરે જયારે વધુ પ્રમાણમાં એટેન્શન મળે છે ત્યારે એમાં કેટલાક ભયસ્થાનો પણ હોય છે. અનેક અજાણ્યા લોકો જ્યારે સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈક અને હાર્ટ આપીને હારતોરા કરે છે, ત્યારે વાસ્તવિક જીવન અને સગપણોનું મહત્ત્વ ઘટતું જાય છે એ ખોટું છે. સુંદરતા વળગણ થઇ જાય અને નાનકડો ડાઘ પણ ડિપ્રેશન આપે તે ખોટું છે. પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને નિમ્ન કક્ષા સુધી પહોંચી જાય તે ખોટું છે.
ડિજિટલ એડિક્શનને કારણે સ્વાસ્થ્ય પણ આડઅસર થાય તે ખોટું છે. પોસ્ટને ઓછો પ્રતિસાદ મળે ત્યારે આત્મહત્યાનો વિચાર આવે તે ખોટું છે. રીલ અને શોર્ટ્સ બનાવવા માટે જીવ પણ જોખમમાં મૂકે તે ખોટું છે. અને બિલકુલ અતિશિયોક્તિ વગર કહું તો આ તમામ લિસ્ટ પ્રતિદિન નહીં, પ્રતિક્ષણ હવે વધે છે.
રૂપાળી છોકરીને વગર મહેનતે સમાજનું એટેન્શન મળી જાય છે. અને એ પછી તેની મહેનત, જીવનમાં વિવિધ પડાવો માટેના પ્રયત્નો અને શિસ્ત ઘટી જાય છે. એ સુંદર છે એટલે બુદ્ધિશાળી છે કે એ સુંદર છે એટલે બાય ડિફોલ્ટ એ સફળ છે એવી ગેરમાન્યતા એની પ્રગતિ માટે સૌથી મોટો અવરોધ સાબિત થાય છે. ચૌદ-પંદર વર્ષની છોકરી જયારે ઇન્સ્ટાગ્રામ પર ઇન્ફ્લ્યુઅન્સર બને છે અને એને લાખથી વધુ ફોલોઅર મળી જાય છે ત્યારે એને કારકિર્દીનું સૌથી ઊંચું શિખર એ જ દેખાય છે. એને જ્યારે સમજાઈ જાય છે કે મારા દેખાવ કે મારા નખરાંને કારણે મને અનેક આંખો મળે છે ત્યારે એ બીજી કોઈ મહેનત માટે પ્રયત્નો નથી કરતી.
સોશિયલ મીડિયામાં માર્કેટિંગ, અલ્ગોરિધમ અને આખી ટેક્નોલોજી જ એવી છે જેમાં તમે ધારો એટલું તમને ઓડિયન્સ મળે. એક તરફ અરીસો, અનેક આંખો અને અજાણ્યા ચહેરાઓ સતત આકર્ષક અને સુંદર હોવાની પુષ્ટિ કરતા હોય અને બીજી તરફ વાસ્તવિક જીવનમાં બિલકુલ વિપરીત દૃશ્ય હોય તો? ભણવા માટે, કંઈક બનવા માટે, ઘરની જવાબદારી માટે કે અન્ય રોજિંદા કામ માટે પેલી હજારો હાર્ટવાળી છોકરીને ઠપકો મળે ત્યારે શરૂ થાય છે સંઘર્ષ. આસપાસના વર્તુળમાં જયારે એ છોકરીને પ્રશસ્તિ ન મળે ત્યારે તેની માનસિક અને સામાજિક સ્થિતિ માંદી થઇ જાય.
પ્રસિદ્ધિ અને બહારના જગતે આપેલી ઇમેજ ભાંગીને ભુક્કો થઇ જાય છે. સરવાળે જે તે છોકરી ‘ફાઇવ કે ફિફટીન મિનિટ ફેમ’ની મમતમાં પોતીકી ઓળખ, ક્ષમતા અને વાસ્તવિક જીવન ખોઈ બેસે છે.
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/how-to-digest-instant-fame-135300564.html
‘ભવિષ્યમાં, બધા જ પંદર મિનિટ માટે પ્રસિદ્ધ થશે.’ એન્ડી વરહોલ નામના અમેરિકન દિગ્દર્શક અને વિઝ્યુઅલ આર્ટિસ્ટનું એક ખુબ જાણીતું વાક્ય છે. આ વિધાન એમણે ટેલિવિઝન અને મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે આપ્યું હતું. જે હવે સોશિયલ મીડિયા માટે બિલકુલ સાચું સાબિત થયું. દુનિયાના કોઈ પણ છેડે રહેતી દરેક વ્યક્તિ માટે હવે વિસ્તરવું અને પ્રસિદ્ધ થવું ખાસ્સું સહેલું થઇ ગયું છે. એમાં જો સુંદર છોકરી કે સ્ત્રી હોય તો ધ્યાન ખેંચવાના સમીકરણો બદલાઈ જાય.
આ વાત એટલે માંડવી પડી છે કે, ઇન્સ્ટા રીલમાં મળેલી ઇન્સટન્ટ પ્રસિદ્ધિ અને ત્યારબાદ ઇન્ફ્લ્યુન્સર બનીને રાતોરાત પૈસા કમાતી યુવતીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તો એમાં ખોટું શું છે? શું એને હક નથી? પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, પૈસા અને પાવર મેળવવામાં કશું જ ખોટું નથી.
ઓછા સમયમાં, ઓwછી મહેનતે અને ખાસ કરીને નાની ઉંમરે જયારે વધુ પ્રમાણમાં એટેન્શન મળે છે ત્યારે એમાં કેટલાક ભયસ્થાનો પણ હોય છે. અનેક અજાણ્યા લોકો જ્યારે સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈક અને હાર્ટ આપીને હારતોરા કરે છે, ત્યારે વાસ્તવિક જીવન અને સગપણોનું મહત્ત્વ ઘટતું જાય છે એ ખોટું છે. સુંદરતા વળગણ થઇ જાય અને નાનકડો ડાઘ પણ ડિપ્રેશન આપે તે ખોટું છે. પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને નિમ્ન કક્ષા સુધી પહોંચી જાય તે ખોટું છે.
ડિજિટલ એડિક્શનને કારણે સ્વાસ્થ્ય પણ આડઅસર થાય તે ખોટું છે. પોસ્ટને ઓછો પ્રતિસાદ મળે ત્યારે આત્મહત્યાનો વિચાર આવે તે ખોટું છે. રીલ અને શોર્ટ્સ બનાવવા માટે જીવ પણ જોખમમાં મૂકે તે ખોટું છે. અને બિલકુલ અતિશિયોક્તિ વગર કહું તો આ તમામ લિસ્ટ પ્રતિદિન નહીં, પ્રતિક્ષણ હવે વધે છે.
રૂપાળી છોકરીને વગર મહેનતે સમાજનું એટેન્શન મળી જાય છે. અને એ પછી તેની મહેનત, જીવનમાં વિવિધ પડાવો માટેના પ્રયત્નો અને શિસ્ત ઘટી જાય છે. એ સુંદર છે એટલે બુદ્ધિશાળી છે કે એ સુંદર છે એટલે બાય ડિફોલ્ટ એ સફળ છે એવી ગેરમાન્યતા એની પ્રગતિ માટે સૌથી મોટો અવરોધ સાબિત થાય છે. ચૌદ-પંદર વર્ષની છોકરી જયારે ઇન્સ્ટાગ્રામ પર ઇન્ફ્લ્યુઅન્સર બને છે અને એને લાખથી વધુ ફોલોઅર મળી જાય છે ત્યારે એને કારકિર્દીનું સૌથી ઊંચું શિખર એ જ દેખાય છે. એને જ્યારે સમજાઈ જાય છે કે મારા દેખાવ કે મારા નખરાંને કારણે મને અનેક આંખો મળે છે ત્યારે એ બીજી કોઈ મહેનત માટે પ્રયત્નો નથી કરતી.
સોશિયલ મીડિયામાં માર્કેટિંગ, અલ્ગોરિધમ અને આખી ટેક્નોલોજી જ એવી છે જેમાં તમે ધારો એટલું તમને ઓડિયન્સ મળે. એક તરફ અરીસો, અનેક આંખો અને અજાણ્યા ચહેરાઓ સતત આકર્ષક અને સુંદર હોવાની પુષ્ટિ કરતા હોય અને બીજી તરફ વાસ્તવિક જીવનમાં બિલકુલ વિપરીત દૃશ્ય હોય તો? ભણવા માટે, કંઈક બનવા માટે, ઘરની જવાબદારી માટે કે અન્ય રોજિંદા કામ માટે પેલી હજારો હાર્ટવાળી છોકરીને ઠપકો મળે ત્યારે શરૂ થાય છે સંઘર્ષ. આસપાસના વર્તુળમાં જયારે એ છોકરીને પ્રશસ્તિ ન મળે ત્યારે તેની માનસિક અને સામાજિક સ્થિતિ માંદી થઇ જાય.
પ્રસિદ્ધિ અને બહારના જગતે આપેલી ઇમેજ ભાંગીને ભુક્કો થઇ જાય છે. સરવાળે જે તે છોકરી ‘ફાઇવ કે ફિફટીન મિનિટ ફેમ’ની મમતમાં પોતીકી ઓળખ, ક્ષમતા અને વાસ્તવિક જીવન ખોઈ બેસે છે.
એકબીજાને ગમતાં રહીએ:દુરાગ્રહ જુઠ્ઠું બોલવાની ફરજ પાડે છે
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/prejudice-compels-one-to-lie-135300566.html
ગ્નનો પાંચ દિવસનો જલસો છે, તમારે આવવું જ પડશે’ અથવા ‘જમ્યા વગર નહીં જ જવાય’ અથવા ‘પાર્ટીમાં તમે ન આવો તો કેમ ચાલે?’ થી શરૂ કરીને ‘તું અત્યારે ને અત્યારે અહીંયા આવ...’ અથવા ‘બેબી! યુ હેવ ટુ મીટ માય ફ્રેન્ડ્સ’ જેવા આગ્રહો સામેની વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દે છે!
આગ્રહ કરનાર વ્યક્તિની લાગણીને આપણે ઓછી નથી આંકતા, પરંતુ દરેક વ્યક્તિના પોતાના ગમા-અણગમા હોય છે, એનો એક કમ્ફર્ટઝોન હોય છે. દરેક વ્યક્તિ દરેક વખતે સામેની વ્યક્તિનું મન અને માન રાખી જ શકે એવો આગ્રહ કરનાર દરેક વ્યક્તિ પોતાની પ્રિય વ્યક્તિને, મિત્રને કે પરિવારની વ્યક્તિને જુઠ્ઠું બોલવાની ફરજ પાડે છે.
આવું જુઠ જ્યારે પકડાય છે ત્યારે આગ્રહ કરનાર વ્યક્તિને ખૂબ દુઃખ થાય છે-એને છેતરાયાની લાગણી થાય છે, પરંતુ જો એકવાર પોતાના હઠાગ્રહ કે દુરાગ્રહને એનાલાઈઝ કરીને જુએ તો ચોક્કસ સમજાય કે લાગણીથી આમંત્રણ આપવું, પોતાની સાથે લઈ જવાની હોંશ કે સ્નેહ રાખવો, પ્રેમથી સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરવો... આ બધું પોતાની જગ્યાએ બરાબર છે, પરંતુ કેટલીક વ્યક્તિને આ અનુકૂળ ન હોય તો નિમંત્રણ આપનાર, આગ્રહ કરનાર અથવા પોતાના સ્નેહનું માન રાખવાની અપેક્ષા રાખનાર વ્યક્તિએ એ પ્રતિકુળતા સમજવી જ પડે!
જેના ઘેર લગ્ન હોય એને માટે અને નિકટના લોકો માટે ચાર-પાંચ દિવસનો જલસો આનંદના, પરિવારને એકત્રિત કરવાના અને મજાના પ્રસંગો છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેને રોજ તૈયાર થઈને અનેક લોકોને મળવું કોઈ સજા જેવું લાગે છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને બે-ચાર વ્યક્તિઓ સાથે ખૂબ મજા પડે, પરંતુ 200-250 લોકો જ્યારે ભેગા થઈ જાય ત્યારે એમને પોતાની હાજરી અપ્રસ્તુત અથવા બોજ લાગવા માંડે છે.
વાત ખોટી પણ નથી જ, પાંચ દિવસ સુધી મળનારા એકના એક માણસો સાથે રોજના ત્રણ-ચાર કલાક શું વાતો થઈ શકે? આવા લોકો સ્નેહને કારણે સાચું નથી બોલી શકતા, એટલે બહાનું કાઢે છે. કોઈની માંદગીનું, કોઈના મરણનું બહાનું તરત સ્વીકારવામાં આવે... ઓફિસના કામનું બહાનું કાઢે તો સામેના માણસને ‘ખોટું લાગે!’ અને, સાચું બોલે તો ‘વધુ ખોટું લાગે!’
આ માત્ર લગ્ન કે પારિવારિક પ્રસંગોની વાત નથી... ક્યારેક માતા-પિતા સંતાનોને દુરાગ્રહ કરતા હોય છે તો ક્યારેક યુવા યુગલ એકમેક ઉપર દુરાગ્રહની હથોડી ઠોકે છે. ‘કરવું જ પડે’, ‘જવું જ પડે’, ‘મળવું જ પડે’ કે ‘બોલાવવા જ પડે’ જેવી ફરજિયાત બાબતો જ્યારે માણસની પહોંચ કે સહનશક્તિની બહાર નીકળી જાય ત્યારે અત્યંત સ્વાભાવિક પ્રતિક્રિયા તરીકે માણસ જુઠ્ઠું બોલે છે.
પ્રેમિકા રોજ મળવાનો આગ્રહ કરતી હોય-અને છોકરાને થોડો સમય પોતાના પુરુષ મિત્ર સાથે વિતાવવો હોય કે પછી બોયફ્રેન્ડ-ફિયોન્સે પોતાની થનારી પત્નીને, ગર્લફ્રેન્ડને અમુક જ કપડા પહેરવાનો આગ્રહ કરે, અમુક લોકોને ન મળવાની શરતો મૂકે ત્યારે સહજ રીતે વ્યક્તિની અંદર રહેલી સ્વતંત્રતાની મૂળ લાગણી વિદ્રોહ કરે છે. દુનિયાના કોઈ માણસ ઉપર અમુક હદથી વધારે આગ્રહ કે દુરાગ્રહ કરવાનો અર્થ જ એ છે કે આપણે એને જુઠ્ઠું બોલવા મજબૂર કરીએ છીએ. સામેની વ્યક્તિ જ્યારે જુઠ્ઠું બોલે છે ત્યારે એનો ઈરાદો આપણને છેતરવાનો નથી હોતો... બલ્કે, એ આપણને ચાહે છે અને નારાજ કરવા નથી માગતા માટે જુઠ્ઠું બોલીને પરિસ્થિતિનો સરળ ઉપાય શોધી કાઢે છે.
માતા-પિતા જ્યારે પારિવારિક લગ્નોમાં, પ્રસંગોમાં આવવાનો આગ્રહ કરે ત્યારે સંતાન ના પાડે... પછી માતા-પિતા બ્લેકમેઈલ કરે છે, ‘અમે તમારા માટે કેટલું બધું કર્યું છે, તમે આટલું ના કરી શકો?’ જેવા વાક્યો લાગણીશીલ સંતાનને થોડો સમય માટે મજબૂર કરી શકે, પરંતુ એક ક્ષણ એવી આવે જ છે કે જ્યારે સંતાન આદર અને લાગણી બંનેને નકારીને સ્પષ્ટ ના પાડે અથવા જુઠ્ઠું બોલીને એમના આગ્રહ-બ્લેકમેઈલમાંથી બચવાનો પ્રયાસ કરે!
પિયર લઈ જવા માટે આગ્રહ કરતી પત્ની કે પોતાના પરિવારના લોકોનું માન રાખવા-એ કહે તેમ કરવા આગ્રહ કરતો પતિ પણ અંતે પોતાના જીવનસાથીને જુઠ્ઠું બોલવાની જ સ્થિતિમાં મૂકે છે.
આપણે આમાંથી કંઈ પણ કરતા હોઈએ તો સમય છે જાગી જવાનો! આજના સમયમાં સૌની પ્રાયોરિટી જુદી છે. નોકરીમાં સરળતાથી રજા નથી મળતી, બાળકોની સ્કૂલમાં લાંબી રજા પાડી નથી શકાતી, પોતાનો વ્યવસાય હોય તો ગેરહાજર નથી રહી શકાતું કે પછી કંઈ ન હોય તેમ છતાં પોતાને મળતો વધારાનો સમય પોતાને ગમે તે રીતે પસાર કરવાની મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે.
આજના સમયમાં સહુ વ્યસ્ત છે ત્યારે થોડોક સમય માંડ બચાવી શકાય એ સ્થિતિમાં, અન્યનું મન કે માન રાખવામાં માંડ મળેલી રજા કે એકાદી સાંજ વેડફી નાખવાનું કોઈને ન પણ ગમે... આપણે શું માનીએ છીએ એના કરતા સામેની વ્યક્તિની સગવડ શું છે, એ સમજવાથી સંબંધ મજબૂત બને છે અને લાંબા ટકે છે.
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/prejudice-compels-one-to-lie-135300566.html
ગ્નનો પાંચ દિવસનો જલસો છે, તમારે આવવું જ પડશે’ અથવા ‘જમ્યા વગર નહીં જ જવાય’ અથવા ‘પાર્ટીમાં તમે ન આવો તો કેમ ચાલે?’ થી શરૂ કરીને ‘તું અત્યારે ને અત્યારે અહીંયા આવ...’ અથવા ‘બેબી! યુ હેવ ટુ મીટ માય ફ્રેન્ડ્સ’ જેવા આગ્રહો સામેની વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દે છે!
આગ્રહ કરનાર વ્યક્તિની લાગણીને આપણે ઓછી નથી આંકતા, પરંતુ દરેક વ્યક્તિના પોતાના ગમા-અણગમા હોય છે, એનો એક કમ્ફર્ટઝોન હોય છે. દરેક વ્યક્તિ દરેક વખતે સામેની વ્યક્તિનું મન અને માન રાખી જ શકે એવો આગ્રહ કરનાર દરેક વ્યક્તિ પોતાની પ્રિય વ્યક્તિને, મિત્રને કે પરિવારની વ્યક્તિને જુઠ્ઠું બોલવાની ફરજ પાડે છે.
આવું જુઠ જ્યારે પકડાય છે ત્યારે આગ્રહ કરનાર વ્યક્તિને ખૂબ દુઃખ થાય છે-એને છેતરાયાની લાગણી થાય છે, પરંતુ જો એકવાર પોતાના હઠાગ્રહ કે દુરાગ્રહને એનાલાઈઝ કરીને જુએ તો ચોક્કસ સમજાય કે લાગણીથી આમંત્રણ આપવું, પોતાની સાથે લઈ જવાની હોંશ કે સ્નેહ રાખવો, પ્રેમથી સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરવો... આ બધું પોતાની જગ્યાએ બરાબર છે, પરંતુ કેટલીક વ્યક્તિને આ અનુકૂળ ન હોય તો નિમંત્રણ આપનાર, આગ્રહ કરનાર અથવા પોતાના સ્નેહનું માન રાખવાની અપેક્ષા રાખનાર વ્યક્તિએ એ પ્રતિકુળતા સમજવી જ પડે!
જેના ઘેર લગ્ન હોય એને માટે અને નિકટના લોકો માટે ચાર-પાંચ દિવસનો જલસો આનંદના, પરિવારને એકત્રિત કરવાના અને મજાના પ્રસંગો છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેને રોજ તૈયાર થઈને અનેક લોકોને મળવું કોઈ સજા જેવું લાગે છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને બે-ચાર વ્યક્તિઓ સાથે ખૂબ મજા પડે, પરંતુ 200-250 લોકો જ્યારે ભેગા થઈ જાય ત્યારે એમને પોતાની હાજરી અપ્રસ્તુત અથવા બોજ લાગવા માંડે છે.
વાત ખોટી પણ નથી જ, પાંચ દિવસ સુધી મળનારા એકના એક માણસો સાથે રોજના ત્રણ-ચાર કલાક શું વાતો થઈ શકે? આવા લોકો સ્નેહને કારણે સાચું નથી બોલી શકતા, એટલે બહાનું કાઢે છે. કોઈની માંદગીનું, કોઈના મરણનું બહાનું તરત સ્વીકારવામાં આવે... ઓફિસના કામનું બહાનું કાઢે તો સામેના માણસને ‘ખોટું લાગે!’ અને, સાચું બોલે તો ‘વધુ ખોટું લાગે!’
આ માત્ર લગ્ન કે પારિવારિક પ્રસંગોની વાત નથી... ક્યારેક માતા-પિતા સંતાનોને દુરાગ્રહ કરતા હોય છે તો ક્યારેક યુવા યુગલ એકમેક ઉપર દુરાગ્રહની હથોડી ઠોકે છે. ‘કરવું જ પડે’, ‘જવું જ પડે’, ‘મળવું જ પડે’ કે ‘બોલાવવા જ પડે’ જેવી ફરજિયાત બાબતો જ્યારે માણસની પહોંચ કે સહનશક્તિની બહાર નીકળી જાય ત્યારે અત્યંત સ્વાભાવિક પ્રતિક્રિયા તરીકે માણસ જુઠ્ઠું બોલે છે.
પ્રેમિકા રોજ મળવાનો આગ્રહ કરતી હોય-અને છોકરાને થોડો સમય પોતાના પુરુષ મિત્ર સાથે વિતાવવો હોય કે પછી બોયફ્રેન્ડ-ફિયોન્સે પોતાની થનારી પત્નીને, ગર્લફ્રેન્ડને અમુક જ કપડા પહેરવાનો આગ્રહ કરે, અમુક લોકોને ન મળવાની શરતો મૂકે ત્યારે સહજ રીતે વ્યક્તિની અંદર રહેલી સ્વતંત્રતાની મૂળ લાગણી વિદ્રોહ કરે છે. દુનિયાના કોઈ માણસ ઉપર અમુક હદથી વધારે આગ્રહ કે દુરાગ્રહ કરવાનો અર્થ જ એ છે કે આપણે એને જુઠ્ઠું બોલવા મજબૂર કરીએ છીએ. સામેની વ્યક્તિ જ્યારે જુઠ્ઠું બોલે છે ત્યારે એનો ઈરાદો આપણને છેતરવાનો નથી હોતો... બલ્કે, એ આપણને ચાહે છે અને નારાજ કરવા નથી માગતા માટે જુઠ્ઠું બોલીને પરિસ્થિતિનો સરળ ઉપાય શોધી કાઢે છે.
માતા-પિતા જ્યારે પારિવારિક લગ્નોમાં, પ્રસંગોમાં આવવાનો આગ્રહ કરે ત્યારે સંતાન ના પાડે... પછી માતા-પિતા બ્લેકમેઈલ કરે છે, ‘અમે તમારા માટે કેટલું બધું કર્યું છે, તમે આટલું ના કરી શકો?’ જેવા વાક્યો લાગણીશીલ સંતાનને થોડો સમય માટે મજબૂર કરી શકે, પરંતુ એક ક્ષણ એવી આવે જ છે કે જ્યારે સંતાન આદર અને લાગણી બંનેને નકારીને સ્પષ્ટ ના પાડે અથવા જુઠ્ઠું બોલીને એમના આગ્રહ-બ્લેકમેઈલમાંથી બચવાનો પ્રયાસ કરે!
પિયર લઈ જવા માટે આગ્રહ કરતી પત્ની કે પોતાના પરિવારના લોકોનું માન રાખવા-એ કહે તેમ કરવા આગ્રહ કરતો પતિ પણ અંતે પોતાના જીવનસાથીને જુઠ્ઠું બોલવાની જ સ્થિતિમાં મૂકે છે.
આપણે આમાંથી કંઈ પણ કરતા હોઈએ તો સમય છે જાગી જવાનો! આજના સમયમાં સૌની પ્રાયોરિટી જુદી છે. નોકરીમાં સરળતાથી રજા નથી મળતી, બાળકોની સ્કૂલમાં લાંબી રજા પાડી નથી શકાતી, પોતાનો વ્યવસાય હોય તો ગેરહાજર નથી રહી શકાતું કે પછી કંઈ ન હોય તેમ છતાં પોતાને મળતો વધારાનો સમય પોતાને ગમે તે રીતે પસાર કરવાની મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે.
આજના સમયમાં સહુ વ્યસ્ત છે ત્યારે થોડોક સમય માંડ બચાવી શકાય એ સ્થિતિમાં, અન્યનું મન કે માન રાખવામાં માંડ મળેલી રજા કે એકાદી સાંજ વેડફી નાખવાનું કોઈને ન પણ ગમે... આપણે શું માનીએ છીએ એના કરતા સામેની વ્યક્તિની સગવડ શું છે, એ સમજવાથી સંબંધ મજબૂત બને છે અને લાંબા ટકે છે.
આપણે સ્નેહથી નિમંત્રણ આપીએ, આપણી અનુકૂળતા જણાવીએ, યોગ્ય આગ્રહ પણ કરીએ, પરંતુ એ પછી જો સામેની વ્યક્તિ ન આવે કે આપણા નિમંત્રણને ન સ્વીકારે તો બહુ સરળતાથી એના એ નિર્ણયને સ્વીકારીને આપણને ગમે તે કરવું અને એને જે ગમે તે કરવા દેવું...
હવે કદાચ એવો સવાલ થાય, કે દરેક માણસ પોતાનું ધાર્યું કરે તો સમાજ કેવી રીતે ટકે? લગ્ન કે પારિવારિક પ્રસંગોએ સહુ ભેગા ન થાય તો પ્રસંગ કેવી રીતે ઉજવાય? પ્રેમી, પ્રેમિકા કે જીવનસાથી એકબીજાની લાગણી ન સમજે, એકબીજાની ઈચ્છાને ન અનુસરે તો સંબંધ કેમ ટકે? આ બધા સવાલોનો જવાબ એ છે કે, માણસ તરીકે આપણે બધા સ્વતંત્રતા ઈચ્છીએ છીએ-પરંતુ, જ્યારે બીજાનો સવાલ આવે ત્યારે આપણે એવું પણ ઈચ્છીએ છીએ કે સામેની વ્યક્તિ આપણી લાગણી સમજે-આગ્રહને અનુસરે...
આ અશક્ય બાબત છે! આપણને આપણા પ્રસંગનું, આપણી લાગણીનું, આપણી ઈચ્છાનું કે આપણી અનુકૂળતાનું જેટલું મહત્વ છે એટલું જ અન્ય વ્યક્તિને પોતાની ઈચ્છા અને અનુકૂળતાનું મહત્વ હોય જ, આ વાત સમજી શકીએ તો જ સામેની વ્યક્તિ આપણી સાથે સાચું બોલશે! દુરાગ્રહ કે હઠાગ્રહ છોડીને સામેની વ્યક્તિને પોતાની સ્વતંત્રતા મુજબ સંબંધ રાખવાની છુટ આપી શકીએ તો જ આપણે એક સાચા અને સારા સંબંધને ટકાવી શકીશું.
હવે કદાચ એવો સવાલ થાય, કે દરેક માણસ પોતાનું ધાર્યું કરે તો સમાજ કેવી રીતે ટકે? લગ્ન કે પારિવારિક પ્રસંગોએ સહુ ભેગા ન થાય તો પ્રસંગ કેવી રીતે ઉજવાય? પ્રેમી, પ્રેમિકા કે જીવનસાથી એકબીજાની લાગણી ન સમજે, એકબીજાની ઈચ્છાને ન અનુસરે તો સંબંધ કેમ ટકે? આ બધા સવાલોનો જવાબ એ છે કે, માણસ તરીકે આપણે બધા સ્વતંત્રતા ઈચ્છીએ છીએ-પરંતુ, જ્યારે બીજાનો સવાલ આવે ત્યારે આપણે એવું પણ ઈચ્છીએ છીએ કે સામેની વ્યક્તિ આપણી લાગણી સમજે-આગ્રહને અનુસરે...
આ અશક્ય બાબત છે! આપણને આપણા પ્રસંગનું, આપણી લાગણીનું, આપણી ઈચ્છાનું કે આપણી અનુકૂળતાનું જેટલું મહત્વ છે એટલું જ અન્ય વ્યક્તિને પોતાની ઈચ્છા અને અનુકૂળતાનું મહત્વ હોય જ, આ વાત સમજી શકીએ તો જ સામેની વ્યક્તિ આપણી સાથે સાચું બોલશે! દુરાગ્રહ કે હઠાગ્રહ છોડીને સામેની વ્યક્તિને પોતાની સ્વતંત્રતા મુજબ સંબંધ રાખવાની છુટ આપી શકીએ તો જ આપણે એક સાચા અને સારા સંબંધને ટકાવી શકીશું.