પેરેન્ટિંગ:ઓહ! બાપ રે! બાળકોના ઝઘડા!
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/oh-father-childrens-fights-135300580.html
જે ઘરમાં બેથી વધારે બાળકો હોય તો તેઓ એકલતા અનુભવતા નથી. સાથે રમે, ધીંગામસ્તી કરે અને સમય ક્યાંય પસાર થઇ જાય તેની ખબર નથી પડતી. હા, કોઇ વાર નાનીઅમથી વાતે ઝઘડીય પડે. રમતાં રમતાં ઝઘડવું એ તો બાળક માટે સામાન્ય વાત કહેવાય, પણ આ ઝઘડાનું પ્રમાણ વધી જાય ત્યારે એ ચિંતાનો વિષય બની જાય છે.
ભાઇબહેન વચ્ચે નાના-મોટા લડાઇ-ઝઘડા થાય તો ચિંતા કરવા જેવું નથી, પણ વાતનું વતેસર થાય, વાતવાતમાં એકબીજાને ઉતારી પાડે, નીચા દેખાડવાનો પ્રયત્ન કરે, ઇર્ષ્યાથી છળી મરે અને એકબીજાના કટ્ટર હરીફ સમજવા લાગે ત્યારે માતાપિતાએ બાળકોના આવાં વર્તનથી ચેતી જવું જોઇએ.
આ પ્રકારનાં વર્તનથી ભાઇ-બહેન કે ભાઇ-ભાઇ વચ્ચેના લાગણીના સંબંધમાં ઓટ આવે છે. આવા સંજોગોમાં બાળકોના વાલીએ બાળઉછેર દરમિયાન અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ, જેથી કરીને બાળકો પરસ્પર પ્રેમના તાંતણેથી બંધાયેલા રહે અને ઝઘડાને લીધે સંબંધમાં કડવાશ ન આવી જાય. ઝઘડાળુ બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ કેવી રીતે કરી શકાય એ જાણીએ.
વાતચીત કરવાની રીતભાત શિખવાડો: ઘરમાં ઘણીવાર બાળકો પોતાનો કક્કો ખરો કરવા માટે એકબીજા સાથે ઝઘડતા હોય તો તેમને પોતાની વાત મનાવવા માટેની યોગ્ય રીત શીખવો. એમને કહો કે ઝઘડતી વખતે બૂમબરાડા પાડવાથી પોતાની વાતને સાચી સાબિત કરી શકાતી નથી. આવી રીતો જોરજોરથી ઝઘડો કરવાથી વાત વધુ વણસે છે. બાળકોને ઉચિત રીતે વાતચીત કરતા શીખવો. શાલીનતાથી વાતચીત કરવાના સંસ્કારોનું સિંચન કરવું એ વાલી તરીકેની મોટી અને મહત્ત્વની ફરજ છે.
બાળકોના હકારાત્મક વર્તનનાં વખાણ કરો: જો તમારાં સંતાને પોતાનાં ભાઈબહેન સાથે ઉગ્ર બોલાચાલી કરી હોય અને પછી એને પોતાની સમજદારીથી વાતને વાળી લીધી હોય ત્યારે તેનાં વખાણ અવશ્ય કરવાં. આ રીતે પણ જો ભાઇબહેન વચ્ચેનો સંપ જળવાઇ રહે તો તેની પીઠ થાબડવી જોઇએ. સમય આવ્યે, જરૂર પડ્યે તે આવી જ સમજદારીપૂર્વક વર્તે એ માટે પ્રોત્સાહન આપવું જોઇએ.
મધ્યસ્થી: બે બાળકો એકબીજા સાથે ઝઘડતા હોય ત્યારે તેમની વચ્ચે પડીને સમાધાન કરાવવું જોઇએ અને સારાં-નરસાં વચ્ચેનો ભેદ પારખતા શિખવાડવું જોઇએ. સૌથી પહેલા તો બાળક પાસેથી એ જાણવું જોઇએ કે, ઝઘડાનું મૂળ કારણ શું છે. બંને બાળકોના અભિગમને સમજવો. એને ધ્યાનમાં રાખીને મધ્યસ્થી કરો અને ઝઘડો શાંત પાડવાનો પ્રયત્ન કરો. બંને બાળકો માતાપિતાને મન એકસમાન હોય છે. એટલે ઝઘડતા અટકાવો ત્યારે એવું કદી ન કહેવું કે તું તો એના કરતાં મોટો કે મોટી છે, એટલે તારે જતું કરી દેવું જોઇએ અથવા તો એ તારા કરતાં નાનો કે નાની છે એટલે તારે સમજવું જોઇએ વગેરે…. માતાપિતાએ આવાં વેણ ન કહેવાં. તમામ બાળકો સાથે વાલીએ એકસરખું વર્તન કરવું જોઇએ.
ઝઘડાનાં કારણો ઓછાં કરવાં: જો બાળકો કોઇ ને કોઇ વાતે બરાબરના ઝઘડ્યા કરતા હોય તો તેમને એ સમજાવવાનો પ્રયત્ન કરો તે જે મુદ્દા પર ઝઘડે છે તે ખરેખર સાચો છે કે નહીં? ઘરમાં કોઇ એવાં રમકડાં, ગેજેટ્સ કે બીજી કોઇ વસ્તુ હોય, જેના માટે થઇને બાળકો ઝઘડતા હોય તો એ વસ્તુ બાળકોથી દૂર મૂકી દો. આ ઉપરાંત બાળઉછેર દરમિયાન બાળકોના મન પર લાગણીના-સંબંધોનો ઉઝરડાઓ ન પડે એવી કોઇ ભૂલ તમે ન કરી શકો એ બાબતનું ધ્યાન રાખવું. બાળકના મનમાં એ વાત ઘર ન કરી જાય કે મારા પેરેન્ટ્સ મારાં કરતાં મારાં ભાઇ કે બહેનને વધારે વહાલ કરે છે. આવી લાગણી બાળકના મનમાં ઇર્ષ્યા ઊભી કરે છે.
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/oh-father-childrens-fights-135300580.html
જે ઘરમાં બેથી વધારે બાળકો હોય તો તેઓ એકલતા અનુભવતા નથી. સાથે રમે, ધીંગામસ્તી કરે અને સમય ક્યાંય પસાર થઇ જાય તેની ખબર નથી પડતી. હા, કોઇ વાર નાનીઅમથી વાતે ઝઘડીય પડે. રમતાં રમતાં ઝઘડવું એ તો બાળક માટે સામાન્ય વાત કહેવાય, પણ આ ઝઘડાનું પ્રમાણ વધી જાય ત્યારે એ ચિંતાનો વિષય બની જાય છે.
ભાઇબહેન વચ્ચે નાના-મોટા લડાઇ-ઝઘડા થાય તો ચિંતા કરવા જેવું નથી, પણ વાતનું વતેસર થાય, વાતવાતમાં એકબીજાને ઉતારી પાડે, નીચા દેખાડવાનો પ્રયત્ન કરે, ઇર્ષ્યાથી છળી મરે અને એકબીજાના કટ્ટર હરીફ સમજવા લાગે ત્યારે માતાપિતાએ બાળકોના આવાં વર્તનથી ચેતી જવું જોઇએ.
આ પ્રકારનાં વર્તનથી ભાઇ-બહેન કે ભાઇ-ભાઇ વચ્ચેના લાગણીના સંબંધમાં ઓટ આવે છે. આવા સંજોગોમાં બાળકોના વાલીએ બાળઉછેર દરમિયાન અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ, જેથી કરીને બાળકો પરસ્પર પ્રેમના તાંતણેથી બંધાયેલા રહે અને ઝઘડાને લીધે સંબંધમાં કડવાશ ન આવી જાય. ઝઘડાળુ બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ કેવી રીતે કરી શકાય એ જાણીએ.
વાતચીત કરવાની રીતભાત શિખવાડો: ઘરમાં ઘણીવાર બાળકો પોતાનો કક્કો ખરો કરવા માટે એકબીજા સાથે ઝઘડતા હોય તો તેમને પોતાની વાત મનાવવા માટેની યોગ્ય રીત શીખવો. એમને કહો કે ઝઘડતી વખતે બૂમબરાડા પાડવાથી પોતાની વાતને સાચી સાબિત કરી શકાતી નથી. આવી રીતો જોરજોરથી ઝઘડો કરવાથી વાત વધુ વણસે છે. બાળકોને ઉચિત રીતે વાતચીત કરતા શીખવો. શાલીનતાથી વાતચીત કરવાના સંસ્કારોનું સિંચન કરવું એ વાલી તરીકેની મોટી અને મહત્ત્વની ફરજ છે.
બાળકોના હકારાત્મક વર્તનનાં વખાણ કરો: જો તમારાં સંતાને પોતાનાં ભાઈબહેન સાથે ઉગ્ર બોલાચાલી કરી હોય અને પછી એને પોતાની સમજદારીથી વાતને વાળી લીધી હોય ત્યારે તેનાં વખાણ અવશ્ય કરવાં. આ રીતે પણ જો ભાઇબહેન વચ્ચેનો સંપ જળવાઇ રહે તો તેની પીઠ થાબડવી જોઇએ. સમય આવ્યે, જરૂર પડ્યે તે આવી જ સમજદારીપૂર્વક વર્તે એ માટે પ્રોત્સાહન આપવું જોઇએ.
મધ્યસ્થી: બે બાળકો એકબીજા સાથે ઝઘડતા હોય ત્યારે તેમની વચ્ચે પડીને સમાધાન કરાવવું જોઇએ અને સારાં-નરસાં વચ્ચેનો ભેદ પારખતા શિખવાડવું જોઇએ. સૌથી પહેલા તો બાળક પાસેથી એ જાણવું જોઇએ કે, ઝઘડાનું મૂળ કારણ શું છે. બંને બાળકોના અભિગમને સમજવો. એને ધ્યાનમાં રાખીને મધ્યસ્થી કરો અને ઝઘડો શાંત પાડવાનો પ્રયત્ન કરો. બંને બાળકો માતાપિતાને મન એકસમાન હોય છે. એટલે ઝઘડતા અટકાવો ત્યારે એવું કદી ન કહેવું કે તું તો એના કરતાં મોટો કે મોટી છે, એટલે તારે જતું કરી દેવું જોઇએ અથવા તો એ તારા કરતાં નાનો કે નાની છે એટલે તારે સમજવું જોઇએ વગેરે…. માતાપિતાએ આવાં વેણ ન કહેવાં. તમામ બાળકો સાથે વાલીએ એકસરખું વર્તન કરવું જોઇએ.
ઝઘડાનાં કારણો ઓછાં કરવાં: જો બાળકો કોઇ ને કોઇ વાતે બરાબરના ઝઘડ્યા કરતા હોય તો તેમને એ સમજાવવાનો પ્રયત્ન કરો તે જે મુદ્દા પર ઝઘડે છે તે ખરેખર સાચો છે કે નહીં? ઘરમાં કોઇ એવાં રમકડાં, ગેજેટ્સ કે બીજી કોઇ વસ્તુ હોય, જેના માટે થઇને બાળકો ઝઘડતા હોય તો એ વસ્તુ બાળકોથી દૂર મૂકી દો. આ ઉપરાંત બાળઉછેર દરમિયાન બાળકોના મન પર લાગણીના-સંબંધોનો ઉઝરડાઓ ન પડે એવી કોઇ ભૂલ તમે ન કરી શકો એ બાબતનું ધ્યાન રાખવું. બાળકના મનમાં એ વાત ઘર ન કરી જાય કે મારા પેરેન્ટ્સ મારાં કરતાં મારાં ભાઇ કે બહેનને વધારે વહાલ કરે છે. આવી લાગણી બાળકના મનમાં ઇર્ષ્યા ઊભી કરે છે.
પ્રશ્ન : હું કોલેજમાં અભ્યાસ કરું છું અને થોડા સમય પછી મારી સગાઇ થવાની છે. મારી સમસ્યા એ છે કે મને માસ્ટરબેશનની આદત છે. મને મારી બહેનપણીઓએ કહ્યું કે યુવતીઓ માસ્ટરબેશન કરે કે સારી ટેવ નથી. શું કોઇ યુવતી માસ્ટરબેશન ન કરી શકે? એનાથી મને કોઇ શારીરિક નુકસાન તો નહીં થાય ને?- એક યુવતી
ઉત્તર : તમને જેણે પણ આ માહિતી આપી છે, એ ખોટી માન્યતા ધરાવે છે. ખરેખર તો ફીમેલ માસ્ટરબેશન મહિલાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારક નીવડે છે. જેમ કે એનાથી સ્ટ્રેસમાં ઘટાડો થાય છે, સારી ઊંઘ આવે છે અને સેક્સ્યુઅલ સેલ્ફ-અવેરનેસમાં વૃદ્ધિ થાય છે. માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે, કેમ કે ફીમેલ માસ્ટરબેશનથી શરીરમાં ડોપામાઇન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન અને સેરેટોનિન જેવા હોર્મોન્સ ડિપ્રેશન અને એંગ્ઝાઇટી વગેરેમાં ઘટાડો કરે છે. તેના કારણે ભાવનાત્મક સ્ટ્રેસમાં ઘટાડો થાય છે. ઘણી યુવતીઓને પીરિયડ્સ દરમિયાન ક્રેમ્પ્સની તકલીફ થતી હોય છે. ફીમેલ માસ્ટરબેશનને કારણે પીરિયડ્સ દરમિયાન થતા દુ:ખાવામાં ઘટાડો થાય છે અને ઓક્સિટોસિન હોર્મોનનું પ્રમાણ વધવાને કારણે ક્રેમ્પ્સમાં પણ લાભ થાય છે. ઉપરાંત, માસ્ટરબેશનના કારણે ઊંઘ પણ સારી આવે છે. વળી, માસ્ટરબેશનથી તમે તમારી જાતને જાતીય સંબંધ માણવા માટે કઇ રીતે વધારે ઉત્તેજિત કરી શકો છો, તેનો ખ્યાલ આવવાથી તમારું ભાવિ સહજીવન પણ વધારે સારું બને છે. માટે ચિંતા ન કરો. તમને આના કારણે કોઇ પ્રકારનું શારીરિક નુકસાન નહીં થાય.
પ્રશ્ન : મારે એક દીકરી છે. મારી પત્નીને ડીલિવરી વખતે ડોક્ટરે કહ્યું હતું કે એના ગર્ભાશયનું મુખ સાંકડું હોવાથી પ્રથમ ડીલિવરી ભલે નોર્મલ થઇ હોય, પણ બીજી ડીલિવરી વખતે સીઝેરિયન કરવાની જરૂર પડી શકે છે. એથી અમે બંનેએ બીજું સંતાન ન થવા દેવાનું નક્કી કર્યું હતું. જોકે હમણાં જાણ થઇ કે મારી પત્ની ફરીથી પ્રેગ્નન્ટ છે. શું આ સંતાનને અમારે દુનિયામાં લાવવું જોઇએ? - એક પુરુષ
ઉત્તર : તમારે એક દીકરી છે અને ડોક્ટરે તમને તમારાં પત્નીની શારીરિક સ્થિતિ વિશે સ્પષ્ટ જણાવ્યું હતું. તમે બંનેએ ફરીથી સંતાનને જન્મ ન આપવાનું નક્કી કરવા છતાં જો હવે તમારાં પત્ની ફરી પ્રેગ્નન્ટ હોય તો સૌથી પહેલાં તો તમે ગાયનેકોલોજિસ્ટને બતાવો. તેઓ જે રીપોર્ટ કરાવવાનું કહે તે વહેલી તકે કરાવો અને જો ડીલિવરી દરમિયાન સીઝેરિયન કરવાથી માતા (તમારાં પત્ની) અને બાળકનો જીવ જોખમમાં મુકાય તેમ ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા આ બીજા સંતાનને દુનિયામાં આવવા દો.
પ્રશ્ન : મારી પત્નીને થોડા સમય પહેલાં ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું છે. તે પછી એનું વજન વધી ગયું છે અને પેટની આસપાસ ખૂબ ચરબી જમા થઇ ગઇ છે. આમ થવાનું શું કારણ? એણે શું ધ્યાન રાખવું જોઇએ? - એક પુરુષ
ઉત્તર : તમારાં પત્નીએ ગર્ભાશય કઢાવી નાખ્યા બાદ ડોક્ટરની સલાહ અનુસાર જે એક્સરસાઇઝ કરવી જોઇએ તે નહીં કરી હોય. આ ઉપરાંત, તેમને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતાં પણ નહીં ફાવ્યું હોય. ગર્ભાશય કઢાવી નાખવાથી સ્ત્રીના શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થાય છે. તેના કારણે વજન વધવાની સંપૂર્ણ શક્યતા રહે છે. તે સાથે જ તેમણે કેટલીક કસરતો જે ડોક્ટરે કરવાનું જણાવ્યું હોય, તે પણ કરવી જરૂરી છે. પેટના ભાગે જમા થયેલી ચરબી ઓછી કરવા માટે તેમણે સ્વસ્થ અને સંતુલિત ભોજન કરવું જોઇએ. ઘણી મહિલાઓ આ ઓપરેશન પછી કડક રીતે ડાયટિંગ કરતી હોય છે. તેના કારણે શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની ખામી સર્જાય છે. આવી ભૂલ ન કરવા દેતાં, તેમને સંતુલિત અને સ્વસ્થ ભોજન લેવાનું જણાવો. પેટની ચરબી ઘટાડવા માટે સ્વિમિંગ, સાઇક્લિંગ વગેરે એક્સરસાઇઝ કરી શકાય.
પ્રશ્ન : મારાં લગ્નને ત્રણ વર્ષ થઇ ગયાં છે. આ દરમિયાન અમે સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્નો કર્યા, પરંતુ કોઇ પોઝિટિવ પરિણામ નથી મળ્યું. અમે ડોક્ટરને બતાવ્યું તો એમનું કહેવું છે કે મારી ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોવાથી હું ગર્ભધારણ નથી કરી શકતી. મને આ વિશે વિશેષ માર્ગદર્શન આપશો.
- એક મહિલા
ઉત્તર : ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોવી એટલે કે તમારી ફેલોપિયન ટ્યૂબમાં બ્લોકેજ હોય અથવા તે અન્ય કોઇ કારણસર પણ ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોય. આ માટેના કેટલાક લક્ષણો જોવા મળે છે, જેમ કે, પેડૂમાં દુ:ખાવો અને સોજો આવવો. આમાં પેડૂના ભાગમાં અસહ્ય દુ:ખાવો ક્યારેક થોડા સમય પૂરતો અને ઓછો દુ:ખાવો થાય છે, તો કોઇ વાર અસહ્ય દુ:ખાવો થતો હોય છે. અન્ય લક્ષણોમાં માસિકસ્રાવમાં અનિયમિતતા અને તે દરમિયાન પણ અસહ્ય દુખાવો થતો હોય છે. માસિકસ્રાવ પણ અનિયમિત થઇ જાય છે અથવા ઘણી વાર વધારે પડતું બ્લીડિંગ થઇ શકે છે. તદુપરાંત, માસિકસ્રાવ દરમિયાન અથવા તેના પહેલાં કે પછી પણ પેટ અને કમરનો અસહ્ય દુખાવો થતો હોય છે. સારી રીતે પાચન થઇ શકે એવો ખોરાક લો. સાથોસાથ તમારા ગાયનેકોલોજિટ્સની મુલાકાત લઇ, તમારી તકલીફ અંગે એમને વિસ્તૃત રીતે માહિતી મેળવો.
ઉત્તર : તમને જેણે પણ આ માહિતી આપી છે, એ ખોટી માન્યતા ધરાવે છે. ખરેખર તો ફીમેલ માસ્ટરબેશન મહિલાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારક નીવડે છે. જેમ કે એનાથી સ્ટ્રેસમાં ઘટાડો થાય છે, સારી ઊંઘ આવે છે અને સેક્સ્યુઅલ સેલ્ફ-અવેરનેસમાં વૃદ્ધિ થાય છે. માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે, કેમ કે ફીમેલ માસ્ટરબેશનથી શરીરમાં ડોપામાઇન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન અને સેરેટોનિન જેવા હોર્મોન્સ ડિપ્રેશન અને એંગ્ઝાઇટી વગેરેમાં ઘટાડો કરે છે. તેના કારણે ભાવનાત્મક સ્ટ્રેસમાં ઘટાડો થાય છે. ઘણી યુવતીઓને પીરિયડ્સ દરમિયાન ક્રેમ્પ્સની તકલીફ થતી હોય છે. ફીમેલ માસ્ટરબેશનને કારણે પીરિયડ્સ દરમિયાન થતા દુ:ખાવામાં ઘટાડો થાય છે અને ઓક્સિટોસિન હોર્મોનનું પ્રમાણ વધવાને કારણે ક્રેમ્પ્સમાં પણ લાભ થાય છે. ઉપરાંત, માસ્ટરબેશનના કારણે ઊંઘ પણ સારી આવે છે. વળી, માસ્ટરબેશનથી તમે તમારી જાતને જાતીય સંબંધ માણવા માટે કઇ રીતે વધારે ઉત્તેજિત કરી શકો છો, તેનો ખ્યાલ આવવાથી તમારું ભાવિ સહજીવન પણ વધારે સારું બને છે. માટે ચિંતા ન કરો. તમને આના કારણે કોઇ પ્રકારનું શારીરિક નુકસાન નહીં થાય.
પ્રશ્ન : મારે એક દીકરી છે. મારી પત્નીને ડીલિવરી વખતે ડોક્ટરે કહ્યું હતું કે એના ગર્ભાશયનું મુખ સાંકડું હોવાથી પ્રથમ ડીલિવરી ભલે નોર્મલ થઇ હોય, પણ બીજી ડીલિવરી વખતે સીઝેરિયન કરવાની જરૂર પડી શકે છે. એથી અમે બંનેએ બીજું સંતાન ન થવા દેવાનું નક્કી કર્યું હતું. જોકે હમણાં જાણ થઇ કે મારી પત્ની ફરીથી પ્રેગ્નન્ટ છે. શું આ સંતાનને અમારે દુનિયામાં લાવવું જોઇએ? - એક પુરુષ
ઉત્તર : તમારે એક દીકરી છે અને ડોક્ટરે તમને તમારાં પત્નીની શારીરિક સ્થિતિ વિશે સ્પષ્ટ જણાવ્યું હતું. તમે બંનેએ ફરીથી સંતાનને જન્મ ન આપવાનું નક્કી કરવા છતાં જો હવે તમારાં પત્ની ફરી પ્રેગ્નન્ટ હોય તો સૌથી પહેલાં તો તમે ગાયનેકોલોજિસ્ટને બતાવો. તેઓ જે રીપોર્ટ કરાવવાનું કહે તે વહેલી તકે કરાવો અને જો ડીલિવરી દરમિયાન સીઝેરિયન કરવાથી માતા (તમારાં પત્ની) અને બાળકનો જીવ જોખમમાં મુકાય તેમ ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા આ બીજા સંતાનને દુનિયામાં આવવા દો.
પ્રશ્ન : મારી પત્નીને થોડા સમય પહેલાં ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું છે. તે પછી એનું વજન વધી ગયું છે અને પેટની આસપાસ ખૂબ ચરબી જમા થઇ ગઇ છે. આમ થવાનું શું કારણ? એણે શું ધ્યાન રાખવું જોઇએ? - એક પુરુષ
ઉત્તર : તમારાં પત્નીએ ગર્ભાશય કઢાવી નાખ્યા બાદ ડોક્ટરની સલાહ અનુસાર જે એક્સરસાઇઝ કરવી જોઇએ તે નહીં કરી હોય. આ ઉપરાંત, તેમને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતાં પણ નહીં ફાવ્યું હોય. ગર્ભાશય કઢાવી નાખવાથી સ્ત્રીના શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થાય છે. તેના કારણે વજન વધવાની સંપૂર્ણ શક્યતા રહે છે. તે સાથે જ તેમણે કેટલીક કસરતો જે ડોક્ટરે કરવાનું જણાવ્યું હોય, તે પણ કરવી જરૂરી છે. પેટના ભાગે જમા થયેલી ચરબી ઓછી કરવા માટે તેમણે સ્વસ્થ અને સંતુલિત ભોજન કરવું જોઇએ. ઘણી મહિલાઓ આ ઓપરેશન પછી કડક રીતે ડાયટિંગ કરતી હોય છે. તેના કારણે શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની ખામી સર્જાય છે. આવી ભૂલ ન કરવા દેતાં, તેમને સંતુલિત અને સ્વસ્થ ભોજન લેવાનું જણાવો. પેટની ચરબી ઘટાડવા માટે સ્વિમિંગ, સાઇક્લિંગ વગેરે એક્સરસાઇઝ કરી શકાય.
પ્રશ્ન : મારાં લગ્નને ત્રણ વર્ષ થઇ ગયાં છે. આ દરમિયાન અમે સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્નો કર્યા, પરંતુ કોઇ પોઝિટિવ પરિણામ નથી મળ્યું. અમે ડોક્ટરને બતાવ્યું તો એમનું કહેવું છે કે મારી ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોવાથી હું ગર્ભધારણ નથી કરી શકતી. મને આ વિશે વિશેષ માર્ગદર્શન આપશો.
- એક મહિલા
ઉત્તર : ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોવી એટલે કે તમારી ફેલોપિયન ટ્યૂબમાં બ્લોકેજ હોય અથવા તે અન્ય કોઇ કારણસર પણ ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ ન હોય. આ માટેના કેટલાક લક્ષણો જોવા મળે છે, જેમ કે, પેડૂમાં દુ:ખાવો અને સોજો આવવો. આમાં પેડૂના ભાગમાં અસહ્ય દુ:ખાવો ક્યારેક થોડા સમય પૂરતો અને ઓછો દુ:ખાવો થાય છે, તો કોઇ વાર અસહ્ય દુ:ખાવો થતો હોય છે. અન્ય લક્ષણોમાં માસિકસ્રાવમાં અનિયમિતતા અને તે દરમિયાન પણ અસહ્ય દુખાવો થતો હોય છે. માસિકસ્રાવ પણ અનિયમિત થઇ જાય છે અથવા ઘણી વાર વધારે પડતું બ્લીડિંગ થઇ શકે છે. તદુપરાંત, માસિકસ્રાવ દરમિયાન અથવા તેના પહેલાં કે પછી પણ પેટ અને કમરનો અસહ્ય દુખાવો થતો હોય છે. સારી રીતે પાચન થઇ શકે એવો ખોરાક લો. સાથોસાથ તમારા ગાયનેકોલોજિટ્સની મુલાકાત લઇ, તમારી તકલીફ અંગે એમને વિસ્તૃત રીતે માહિતી મેળવો.
પ્રશ્ન : મારી બહેને એક મહિલા પહેલાં બાળકને જન્મ આપ્યો છે. તેના જન્મ પછી મારી બહેન ખૂબ જ ઉદાસ અને ગૂમસુમ રહે છે. ક્યારેક એ વિના કારણે ગુસ્સે થઇ જાય છે, તો કોઇ વાર રડવા લાગે છે. એ આવી રીતે કેમ વર્તતી હશે? શું તે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો ભોગ બની હશે? - એક યુવતી
ઉત્તર : પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં પ્રેગ્નન્સી અને સંતાનનાં જન્મ પછીનો સમય માતા માટે ખાસ મહત્ત્વનો હોય છે. આ દરમિયાન માતાના શરીરમાં અનેક પરિવર્તન થતાં હોય છે. જેમાં હોર્મોનલ પરિવર્તનને કારણે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. ઘણી વાર મહિલાનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે, તો ક્યારેક તે એક યા બીજા કારણસર ઉદાસીમાં સરી પડે છે. આ સ્થિતિ ઘણી વાર મહિલાના સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં મહિલા વધારે પડતી ઇમોશનલ થઇ જાય છે. પરિણામે તેનામાં તમે જણાવ્યા મુજબના ફેરફાર જોવા મળે છે. તમે બહેન સાથે સમય વિતાવો. એમને પૌષ્ટિક ખોરાક આપો અને એમનાં શરીરમાં થઇ રહેલા હોર્મોનલ ચેન્જીસ અંગે ગાયનેકોલોજિસ્ટ સાથે ચર્ચા કરી જરૂરી દવાઓ આપો.
ઉત્તર : પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં પ્રેગ્નન્સી અને સંતાનનાં જન્મ પછીનો સમય માતા માટે ખાસ મહત્ત્વનો હોય છે. આ દરમિયાન માતાના શરીરમાં અનેક પરિવર્તન થતાં હોય છે. જેમાં હોર્મોનલ પરિવર્તનને કારણે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. ઘણી વાર મહિલાનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે, તો ક્યારેક તે એક યા બીજા કારણસર ઉદાસીમાં સરી પડે છે. આ સ્થિતિ ઘણી વાર મહિલાના સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં મહિલા વધારે પડતી ઇમોશનલ થઇ જાય છે. પરિણામે તેનામાં તમે જણાવ્યા મુજબના ફેરફાર જોવા મળે છે. તમે બહેન સાથે સમય વિતાવો. એમને પૌષ્ટિક ખોરાક આપો અને એમનાં શરીરમાં થઇ રહેલા હોર્મોનલ ચેન્જીસ અંગે ગાયનેકોલોજિસ્ટ સાથે ચર્ચા કરી જરૂરી દવાઓ આપો.
મૂડ એન્ડ માઇન્ડ:સોશિયલ બેટરી
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/social-battery-135300569.html
ડો. સ્પંદન ઠાકર રચનાનું જીવન ખુબ જ આનંદમય હતું. લોકો સાથે જોડાવું પસંદ કરતી અને દરેકનું ધ્યાન રાખતી. ઓફિસમાં પણ ખુશમિજાજ, મિત્રો વચ્ચે હંમેશા રહેતી. એને ક્યારેય કોઈને ‘ના’ કહેવાનું ગમતું નહીં. દરેકને ખુશ રાખવા માટે એ પોતાનું બધું પાછું પાડી દેતી. કોઈ મિત્રને ચા પીવી હોય તો કહેતી ‘ચાલો’, કોઈને દુઃખ હોય તો કહે કે ‘હું છું ને’, કે પછી કોઇને ક્યાંક ફરવાનું મન થાય તો તરત કહે ‘રેડી.’ તેની ઉર્જા કણાભસૂત્ર જેવી હતી, હંમેશાં ચાર્જ રહે.
પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ અજાણ્યા પ્રકારનો થાક આવવા લાગ્યો. એ લોકોને મળતી, પણ પોતે અંદરથી એકલાં હોય તેવું અનુભવતી. ક્યાંક ઉદાસીનતા વધવા લાગેલી, ઉર્જા ઘટવા લાગેલી. એક દિવસ જ્યારે એક જૂથે ટ્રેકિંગ પ્લાન બનાવ્યો, તો રચનાએ કહ્યું કે, ‘મારે તો એકલા રહેવું છે, ક્યાંય જવું નથી.’ બધા ચકિત થઈ ગયા. ‘શું? તને શું થયું? તું તો પાર્ટી કવીન હતી ને!’ પણ રચનાનું મન તેને આજે રોકી રહ્યું હતું.
એ સાંજ રચના ઘરમાં એકલી રહી. ફોન સાયલન્ટ પર મુક્યો, લાઇટો બંધ કરી, બસ એકલાં પડી રહી. એ સમય એને કંઈક સમજાવતો ગયો. એ લોકો સાથે રહેવાથી નહીં, પણ સતત આનંદના મોકા શોધવાથી, મજાકમાં હસતા હસતા થાકી ગઈ હતી. રોજ કોઈકને કોઈક માણસોની કંપની બનવું તેના માટે હવે એક દબાણ બની ગયું હતું. એને સમજાયું કે એ માત્ર શારીરિક રીતે નહીં, પણ માનસિક રીતે પણ થાકી ગઈ છે. આ બધામાં રચના પોતાની જાત સાથે ક્યારેય રહી જ ન હતી.
એના અંદર એક વાત ઊભી થઈ ‘શું હું બધાની વચ્ચે રહેવા માટે જન્મી છું? મારી શાંતિનો, મારી ઈચ્છાનું કોઈ મૂલ્ય નથી?’ આ રીતે એ સમજવા લાગી કે દરેક માણસની એક 'સોશિયલ બેટરી' હોય છે. કેટલાક લોકો બધાની વચ્ચે રહીને ચાર્જ થાય છે, તો કેટલાક લોકો એકલા રહીને શાંતિ અનુભવે છે. આ બંને બાબતો વચ્ચે સમન્વય હોવું ખૂબ જ જરૂરી છે. હંમેશાં એકલા રહેવું જેટલું અયોગ્ય છે, તેટલું જ અયોગ્ય હંમેશાં કંઈકને કંઈક એક્ટિવિટીમાં રહેવું છે. દરેક વ્યક્તિએ પોતાની બેટરીના ટકા મુજબ નિર્ણય લેવો જોઈએ.
રચના જેવી સંવેદનશીલ વ્યક્તિઓ મોટેભાગે ‘પ્લીઝીંગ નેચર’ રાખે છે, પણ એક સમયે આવી પીપલ-પ્લીઝીંગ બાબતો રોજિંદા થાકનું કારણ બને છે. અહેસાસ થયા પછી એ પોતાની આસપાસ થોડું અંતર રાખવા લાગી. જરૂરી હોય ત્યાં જ વાત કરવી, મળવાનું મન હોય ત્યારે જ મળવું. પોતાના ‘મી-ટાઈમ’ને સન્માન આપવાનું શીખી. હવે એ લોકોથી દુર રહીને પણ ખુદથી નજીક રહી શકે છે. એ ક્યારેક પોતાની કંપની માણે છે. તેને એકલતા ગણે છે, એકલાપણુ નહીં. હવે એની મનની શાંતિ એના માટે ‘પ્રાયોરિટી’ બની ગઈ છે. એ હવે ક્યારેક ના પાડવાનું શીખી ગઈ છે.
મૂડ મંત્ર: ‘બધાને ખુશ રાખવામાં કંઈ ખરાબ નથી, પણ જો એમાં તમારું પોતાનું મન ખોવાઈ જાય, તો એ લાગણી ખુશી નહીં પણ એક થકાવટ બની જાય છે.’
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/social-battery-135300569.html
ડો. સ્પંદન ઠાકર રચનાનું જીવન ખુબ જ આનંદમય હતું. લોકો સાથે જોડાવું પસંદ કરતી અને દરેકનું ધ્યાન રાખતી. ઓફિસમાં પણ ખુશમિજાજ, મિત્રો વચ્ચે હંમેશા રહેતી. એને ક્યારેય કોઈને ‘ના’ કહેવાનું ગમતું નહીં. દરેકને ખુશ રાખવા માટે એ પોતાનું બધું પાછું પાડી દેતી. કોઈ મિત્રને ચા પીવી હોય તો કહેતી ‘ચાલો’, કોઈને દુઃખ હોય તો કહે કે ‘હું છું ને’, કે પછી કોઇને ક્યાંક ફરવાનું મન થાય તો તરત કહે ‘રેડી.’ તેની ઉર્જા કણાભસૂત્ર જેવી હતી, હંમેશાં ચાર્જ રહે.
પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ અજાણ્યા પ્રકારનો થાક આવવા લાગ્યો. એ લોકોને મળતી, પણ પોતે અંદરથી એકલાં હોય તેવું અનુભવતી. ક્યાંક ઉદાસીનતા વધવા લાગેલી, ઉર્જા ઘટવા લાગેલી. એક દિવસ જ્યારે એક જૂથે ટ્રેકિંગ પ્લાન બનાવ્યો, તો રચનાએ કહ્યું કે, ‘મારે તો એકલા રહેવું છે, ક્યાંય જવું નથી.’ બધા ચકિત થઈ ગયા. ‘શું? તને શું થયું? તું તો પાર્ટી કવીન હતી ને!’ પણ રચનાનું મન તેને આજે રોકી રહ્યું હતું.
એ સાંજ રચના ઘરમાં એકલી રહી. ફોન સાયલન્ટ પર મુક્યો, લાઇટો બંધ કરી, બસ એકલાં પડી રહી. એ સમય એને કંઈક સમજાવતો ગયો. એ લોકો સાથે રહેવાથી નહીં, પણ સતત આનંદના મોકા શોધવાથી, મજાકમાં હસતા હસતા થાકી ગઈ હતી. રોજ કોઈકને કોઈક માણસોની કંપની બનવું તેના માટે હવે એક દબાણ બની ગયું હતું. એને સમજાયું કે એ માત્ર શારીરિક રીતે નહીં, પણ માનસિક રીતે પણ થાકી ગઈ છે. આ બધામાં રચના પોતાની જાત સાથે ક્યારેય રહી જ ન હતી.
એના અંદર એક વાત ઊભી થઈ ‘શું હું બધાની વચ્ચે રહેવા માટે જન્મી છું? મારી શાંતિનો, મારી ઈચ્છાનું કોઈ મૂલ્ય નથી?’ આ રીતે એ સમજવા લાગી કે દરેક માણસની એક 'સોશિયલ બેટરી' હોય છે. કેટલાક લોકો બધાની વચ્ચે રહીને ચાર્જ થાય છે, તો કેટલાક લોકો એકલા રહીને શાંતિ અનુભવે છે. આ બંને બાબતો વચ્ચે સમન્વય હોવું ખૂબ જ જરૂરી છે. હંમેશાં એકલા રહેવું જેટલું અયોગ્ય છે, તેટલું જ અયોગ્ય હંમેશાં કંઈકને કંઈક એક્ટિવિટીમાં રહેવું છે. દરેક વ્યક્તિએ પોતાની બેટરીના ટકા મુજબ નિર્ણય લેવો જોઈએ.
રચના જેવી સંવેદનશીલ વ્યક્તિઓ મોટેભાગે ‘પ્લીઝીંગ નેચર’ રાખે છે, પણ એક સમયે આવી પીપલ-પ્લીઝીંગ બાબતો રોજિંદા થાકનું કારણ બને છે. અહેસાસ થયા પછી એ પોતાની આસપાસ થોડું અંતર રાખવા લાગી. જરૂરી હોય ત્યાં જ વાત કરવી, મળવાનું મન હોય ત્યારે જ મળવું. પોતાના ‘મી-ટાઈમ’ને સન્માન આપવાનું શીખી. હવે એ લોકોથી દુર રહીને પણ ખુદથી નજીક રહી શકે છે. એ ક્યારેક પોતાની કંપની માણે છે. તેને એકલતા ગણે છે, એકલાપણુ નહીં. હવે એની મનની શાંતિ એના માટે ‘પ્રાયોરિટી’ બની ગઈ છે. એ હવે ક્યારેક ના પાડવાનું શીખી ગઈ છે.
મૂડ મંત્ર: ‘બધાને ખુશ રાખવામાં કંઈ ખરાબ નથી, પણ જો એમાં તમારું પોતાનું મન ખોવાઈ જાય, તો એ લાગણી ખુશી નહીં પણ એક થકાવટ બની જાય છે.’
વુમનોલોજી:ઇન્સ્ટન્ટ પ્રસિદ્ધિપચે કઈ રીતે?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/how-to-digest-instant-fame-135300564.html
‘ભવિષ્યમાં, બધા જ પંદર મિનિટ માટે પ્રસિદ્ધ થશે.’ એન્ડી વરહોલ નામના અમેરિકન દિગ્દર્શક અને વિઝ્યુઅલ આર્ટિસ્ટનું એક ખુબ જાણીતું વાક્ય છે. આ વિધાન એમણે ટેલિવિઝન અને મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે આપ્યું હતું. જે હવે સોશિયલ મીડિયા માટે બિલકુલ સાચું સાબિત થયું. દુનિયાના કોઈ પણ છેડે રહેતી દરેક વ્યક્તિ માટે હવે વિસ્તરવું અને પ્રસિદ્ધ થવું ખાસ્સું સહેલું થઇ ગયું છે. એમાં જો સુંદર છોકરી કે સ્ત્રી હોય તો ધ્યાન ખેંચવાના સમીકરણો બદલાઈ જાય.
આ વાત એટલે માંડવી પડી છે કે, ઇન્સ્ટા રીલમાં મળેલી ઇન્સટન્ટ પ્રસિદ્ધિ અને ત્યારબાદ ઇન્ફ્લ્યુન્સર બનીને રાતોરાત પૈસા કમાતી યુવતીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તો એમાં ખોટું શું છે? શું એને હક નથી? પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, પૈસા અને પાવર મેળવવામાં કશું જ ખોટું નથી.
ઓછા સમયમાં, ઓwછી મહેનતે અને ખાસ કરીને નાની ઉંમરે જયારે વધુ પ્રમાણમાં એટેન્શન મળે છે ત્યારે એમાં કેટલાક ભયસ્થાનો પણ હોય છે. અનેક અજાણ્યા લોકો જ્યારે સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈક અને હાર્ટ આપીને હારતોરા કરે છે, ત્યારે વાસ્તવિક જીવન અને સગપણોનું મહત્ત્વ ઘટતું જાય છે એ ખોટું છે. સુંદરતા વળગણ થઇ જાય અને નાનકડો ડાઘ પણ ડિપ્રેશન આપે તે ખોટું છે. પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને નિમ્ન કક્ષા સુધી પહોંચી જાય તે ખોટું છે.
ડિજિટલ એડિક્શનને કારણે સ્વાસ્થ્ય પણ આડઅસર થાય તે ખોટું છે. પોસ્ટને ઓછો પ્રતિસાદ મળે ત્યારે આત્મહત્યાનો વિચાર આવે તે ખોટું છે. રીલ અને શોર્ટ્સ બનાવવા માટે જીવ પણ જોખમમાં મૂકે તે ખોટું છે. અને બિલકુલ અતિશિયોક્તિ વગર કહું તો આ તમામ લિસ્ટ પ્રતિદિન નહીં, પ્રતિક્ષણ હવે વધે છે.
રૂપાળી છોકરીને વગર મહેનતે સમાજનું એટેન્શન મળી જાય છે. અને એ પછી તેની મહેનત, જીવનમાં વિવિધ પડાવો માટેના પ્રયત્નો અને શિસ્ત ઘટી જાય છે. એ સુંદર છે એટલે બુદ્ધિશાળી છે કે એ સુંદર છે એટલે બાય ડિફોલ્ટ એ સફળ છે એવી ગેરમાન્યતા એની પ્રગતિ માટે સૌથી મોટો અવરોધ સાબિત થાય છે. ચૌદ-પંદર વર્ષની છોકરી જયારે ઇન્સ્ટાગ્રામ પર ઇન્ફ્લ્યુઅન્સર બને છે અને એને લાખથી વધુ ફોલોઅર મળી જાય છે ત્યારે એને કારકિર્દીનું સૌથી ઊંચું શિખર એ જ દેખાય છે. એને જ્યારે સમજાઈ જાય છે કે મારા દેખાવ કે મારા નખરાંને કારણે મને અનેક આંખો મળે છે ત્યારે એ બીજી કોઈ મહેનત માટે પ્રયત્નો નથી કરતી.
સોશિયલ મીડિયામાં માર્કેટિંગ, અલ્ગોરિધમ અને આખી ટેક્નોલોજી જ એવી છે જેમાં તમે ધારો એટલું તમને ઓડિયન્સ મળે. એક તરફ અરીસો, અનેક આંખો અને અજાણ્યા ચહેરાઓ સતત આકર્ષક અને સુંદર હોવાની પુષ્ટિ કરતા હોય અને બીજી તરફ વાસ્તવિક જીવનમાં બિલકુલ વિપરીત દૃશ્ય હોય તો? ભણવા માટે, કંઈક બનવા માટે, ઘરની જવાબદારી માટે કે અન્ય રોજિંદા કામ માટે પેલી હજારો હાર્ટવાળી છોકરીને ઠપકો મળે ત્યારે શરૂ થાય છે સંઘર્ષ. આસપાસના વર્તુળમાં જયારે એ છોકરીને પ્રશસ્તિ ન મળે ત્યારે તેની માનસિક અને સામાજિક સ્થિતિ માંદી થઇ જાય.
પ્રસિદ્ધિ અને બહારના જગતે આપેલી ઇમેજ ભાંગીને ભુક્કો થઇ જાય છે. સરવાળે જે તે છોકરી ‘ફાઇવ કે ફિફટીન મિનિટ ફેમ’ની મમતમાં પોતીકી ઓળખ, ક્ષમતા અને વાસ્તવિક જીવન ખોઈ બેસે છે.
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/how-to-digest-instant-fame-135300564.html
‘ભવિષ્યમાં, બધા જ પંદર મિનિટ માટે પ્રસિદ્ધ થશે.’ એન્ડી વરહોલ નામના અમેરિકન દિગ્દર્શક અને વિઝ્યુઅલ આર્ટિસ્ટનું એક ખુબ જાણીતું વાક્ય છે. આ વિધાન એમણે ટેલિવિઝન અને મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે આપ્યું હતું. જે હવે સોશિયલ મીડિયા માટે બિલકુલ સાચું સાબિત થયું. દુનિયાના કોઈ પણ છેડે રહેતી દરેક વ્યક્તિ માટે હવે વિસ્તરવું અને પ્રસિદ્ધ થવું ખાસ્સું સહેલું થઇ ગયું છે. એમાં જો સુંદર છોકરી કે સ્ત્રી હોય તો ધ્યાન ખેંચવાના સમીકરણો બદલાઈ જાય.
આ વાત એટલે માંડવી પડી છે કે, ઇન્સ્ટા રીલમાં મળેલી ઇન્સટન્ટ પ્રસિદ્ધિ અને ત્યારબાદ ઇન્ફ્લ્યુન્સર બનીને રાતોરાત પૈસા કમાતી યુવતીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તો એમાં ખોટું શું છે? શું એને હક નથી? પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, પૈસા અને પાવર મેળવવામાં કશું જ ખોટું નથી.
ઓછા સમયમાં, ઓwછી મહેનતે અને ખાસ કરીને નાની ઉંમરે જયારે વધુ પ્રમાણમાં એટેન્શન મળે છે ત્યારે એમાં કેટલાક ભયસ્થાનો પણ હોય છે. અનેક અજાણ્યા લોકો જ્યારે સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈક અને હાર્ટ આપીને હારતોરા કરે છે, ત્યારે વાસ્તવિક જીવન અને સગપણોનું મહત્ત્વ ઘટતું જાય છે એ ખોટું છે. સુંદરતા વળગણ થઇ જાય અને નાનકડો ડાઘ પણ ડિપ્રેશન આપે તે ખોટું છે. પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને નિમ્ન કક્ષા સુધી પહોંચી જાય તે ખોટું છે.
ડિજિટલ એડિક્શનને કારણે સ્વાસ્થ્ય પણ આડઅસર થાય તે ખોટું છે. પોસ્ટને ઓછો પ્રતિસાદ મળે ત્યારે આત્મહત્યાનો વિચાર આવે તે ખોટું છે. રીલ અને શોર્ટ્સ બનાવવા માટે જીવ પણ જોખમમાં મૂકે તે ખોટું છે. અને બિલકુલ અતિશિયોક્તિ વગર કહું તો આ તમામ લિસ્ટ પ્રતિદિન નહીં, પ્રતિક્ષણ હવે વધે છે.
રૂપાળી છોકરીને વગર મહેનતે સમાજનું એટેન્શન મળી જાય છે. અને એ પછી તેની મહેનત, જીવનમાં વિવિધ પડાવો માટેના પ્રયત્નો અને શિસ્ત ઘટી જાય છે. એ સુંદર છે એટલે બુદ્ધિશાળી છે કે એ સુંદર છે એટલે બાય ડિફોલ્ટ એ સફળ છે એવી ગેરમાન્યતા એની પ્રગતિ માટે સૌથી મોટો અવરોધ સાબિત થાય છે. ચૌદ-પંદર વર્ષની છોકરી જયારે ઇન્સ્ટાગ્રામ પર ઇન્ફ્લ્યુઅન્સર બને છે અને એને લાખથી વધુ ફોલોઅર મળી જાય છે ત્યારે એને કારકિર્દીનું સૌથી ઊંચું શિખર એ જ દેખાય છે. એને જ્યારે સમજાઈ જાય છે કે મારા દેખાવ કે મારા નખરાંને કારણે મને અનેક આંખો મળે છે ત્યારે એ બીજી કોઈ મહેનત માટે પ્રયત્નો નથી કરતી.
સોશિયલ મીડિયામાં માર્કેટિંગ, અલ્ગોરિધમ અને આખી ટેક્નોલોજી જ એવી છે જેમાં તમે ધારો એટલું તમને ઓડિયન્સ મળે. એક તરફ અરીસો, અનેક આંખો અને અજાણ્યા ચહેરાઓ સતત આકર્ષક અને સુંદર હોવાની પુષ્ટિ કરતા હોય અને બીજી તરફ વાસ્તવિક જીવનમાં બિલકુલ વિપરીત દૃશ્ય હોય તો? ભણવા માટે, કંઈક બનવા માટે, ઘરની જવાબદારી માટે કે અન્ય રોજિંદા કામ માટે પેલી હજારો હાર્ટવાળી છોકરીને ઠપકો મળે ત્યારે શરૂ થાય છે સંઘર્ષ. આસપાસના વર્તુળમાં જયારે એ છોકરીને પ્રશસ્તિ ન મળે ત્યારે તેની માનસિક અને સામાજિક સ્થિતિ માંદી થઇ જાય.
પ્રસિદ્ધિ અને બહારના જગતે આપેલી ઇમેજ ભાંગીને ભુક્કો થઇ જાય છે. સરવાળે જે તે છોકરી ‘ફાઇવ કે ફિફટીન મિનિટ ફેમ’ની મમતમાં પોતીકી ઓળખ, ક્ષમતા અને વાસ્તવિક જીવન ખોઈ બેસે છે.
એકબીજાને ગમતાં રહીએ:દુરાગ્રહ જુઠ્ઠું બોલવાની ફરજ પાડે છે
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/prejudice-compels-one-to-lie-135300566.html
ગ્નનો પાંચ દિવસનો જલસો છે, તમારે આવવું જ પડશે’ અથવા ‘જમ્યા વગર નહીં જ જવાય’ અથવા ‘પાર્ટીમાં તમે ન આવો તો કેમ ચાલે?’ થી શરૂ કરીને ‘તું અત્યારે ને અત્યારે અહીંયા આવ...’ અથવા ‘બેબી! યુ હેવ ટુ મીટ માય ફ્રેન્ડ્સ’ જેવા આગ્રહો સામેની વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દે છે!
આગ્રહ કરનાર વ્યક્તિની લાગણીને આપણે ઓછી નથી આંકતા, પરંતુ દરેક વ્યક્તિના પોતાના ગમા-અણગમા હોય છે, એનો એક કમ્ફર્ટઝોન હોય છે. દરેક વ્યક્તિ દરેક વખતે સામેની વ્યક્તિનું મન અને માન રાખી જ શકે એવો આગ્રહ કરનાર દરેક વ્યક્તિ પોતાની પ્રિય વ્યક્તિને, મિત્રને કે પરિવારની વ્યક્તિને જુઠ્ઠું બોલવાની ફરજ પાડે છે.
આવું જુઠ જ્યારે પકડાય છે ત્યારે આગ્રહ કરનાર વ્યક્તિને ખૂબ દુઃખ થાય છે-એને છેતરાયાની લાગણી થાય છે, પરંતુ જો એકવાર પોતાના હઠાગ્રહ કે દુરાગ્રહને એનાલાઈઝ કરીને જુએ તો ચોક્કસ સમજાય કે લાગણીથી આમંત્રણ આપવું, પોતાની સાથે લઈ જવાની હોંશ કે સ્નેહ રાખવો, પ્રેમથી સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરવો... આ બધું પોતાની જગ્યાએ બરાબર છે, પરંતુ કેટલીક વ્યક્તિને આ અનુકૂળ ન હોય તો નિમંત્રણ આપનાર, આગ્રહ કરનાર અથવા પોતાના સ્નેહનું માન રાખવાની અપેક્ષા રાખનાર વ્યક્તિએ એ પ્રતિકુળતા સમજવી જ પડે!
જેના ઘેર લગ્ન હોય એને માટે અને નિકટના લોકો માટે ચાર-પાંચ દિવસનો જલસો આનંદના, પરિવારને એકત્રિત કરવાના અને મજાના પ્રસંગો છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેને રોજ તૈયાર થઈને અનેક લોકોને મળવું કોઈ સજા જેવું લાગે છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને બે-ચાર વ્યક્તિઓ સાથે ખૂબ મજા પડે, પરંતુ 200-250 લોકો જ્યારે ભેગા થઈ જાય ત્યારે એમને પોતાની હાજરી અપ્રસ્તુત અથવા બોજ લાગવા માંડે છે.
વાત ખોટી પણ નથી જ, પાંચ દિવસ સુધી મળનારા એકના એક માણસો સાથે રોજના ત્રણ-ચાર કલાક શું વાતો થઈ શકે? આવા લોકો સ્નેહને કારણે સાચું નથી બોલી શકતા, એટલે બહાનું કાઢે છે. કોઈની માંદગીનું, કોઈના મરણનું બહાનું તરત સ્વીકારવામાં આવે... ઓફિસના કામનું બહાનું કાઢે તો સામેના માણસને ‘ખોટું લાગે!’ અને, સાચું બોલે તો ‘વધુ ખોટું લાગે!’
આ માત્ર લગ્ન કે પારિવારિક પ્રસંગોની વાત નથી... ક્યારેક માતા-પિતા સંતાનોને દુરાગ્રહ કરતા હોય છે તો ક્યારેક યુવા યુગલ એકમેક ઉપર દુરાગ્રહની હથોડી ઠોકે છે. ‘કરવું જ પડે’, ‘જવું જ પડે’, ‘મળવું જ પડે’ કે ‘બોલાવવા જ પડે’ જેવી ફરજિયાત બાબતો જ્યારે માણસની પહોંચ કે સહનશક્તિની બહાર નીકળી જાય ત્યારે અત્યંત સ્વાભાવિક પ્રતિક્રિયા તરીકે માણસ જુઠ્ઠું બોલે છે.
પ્રેમિકા રોજ મળવાનો આગ્રહ કરતી હોય-અને છોકરાને થોડો સમય પોતાના પુરુષ મિત્ર સાથે વિતાવવો હોય કે પછી બોયફ્રેન્ડ-ફિયોન્સે પોતાની થનારી પત્નીને, ગર્લફ્રેન્ડને અમુક જ કપડા પહેરવાનો આગ્રહ કરે, અમુક લોકોને ન મળવાની શરતો મૂકે ત્યારે સહજ રીતે વ્યક્તિની અંદર રહેલી સ્વતંત્રતાની મૂળ લાગણી વિદ્રોહ કરે છે. દુનિયાના કોઈ માણસ ઉપર અમુક હદથી વધારે આગ્રહ કે દુરાગ્રહ કરવાનો અર્થ જ એ છે કે આપણે એને જુઠ્ઠું બોલવા મજબૂર કરીએ છીએ. સામેની વ્યક્તિ જ્યારે જુઠ્ઠું બોલે છે ત્યારે એનો ઈરાદો આપણને છેતરવાનો નથી હોતો... બલ્કે, એ આપણને ચાહે છે અને નારાજ કરવા નથી માગતા માટે જુઠ્ઠું બોલીને પરિસ્થિતિનો સરળ ઉપાય શોધી કાઢે છે.
માતા-પિતા જ્યારે પારિવારિક લગ્નોમાં, પ્રસંગોમાં આવવાનો આગ્રહ કરે ત્યારે સંતાન ના પાડે... પછી માતા-પિતા બ્લેકમેઈલ કરે છે, ‘અમે તમારા માટે કેટલું બધું કર્યું છે, તમે આટલું ના કરી શકો?’ જેવા વાક્યો લાગણીશીલ સંતાનને થોડો સમય માટે મજબૂર કરી શકે, પરંતુ એક ક્ષણ એવી આવે જ છે કે જ્યારે સંતાન આદર અને લાગણી બંનેને નકારીને સ્પષ્ટ ના પાડે અથવા જુઠ્ઠું બોલીને એમના આગ્રહ-બ્લેકમેઈલમાંથી બચવાનો પ્રયાસ કરે!
પિયર લઈ જવા માટે આગ્રહ કરતી પત્ની કે પોતાના પરિવારના લોકોનું માન રાખવા-એ કહે તેમ કરવા આગ્રહ કરતો પતિ પણ અંતે પોતાના જીવનસાથીને જુઠ્ઠું બોલવાની જ સ્થિતિમાં મૂકે છે.
આપણે આમાંથી કંઈ પણ કરતા હોઈએ તો સમય છે જાગી જવાનો! આજના સમયમાં સૌની પ્રાયોરિટી જુદી છે. નોકરીમાં સરળતાથી રજા નથી મળતી, બાળકોની સ્કૂલમાં લાંબી રજા પાડી નથી શકાતી, પોતાનો વ્યવસાય હોય તો ગેરહાજર નથી રહી શકાતું કે પછી કંઈ ન હોય તેમ છતાં પોતાને મળતો વધારાનો સમય પોતાને ગમે તે રીતે પસાર કરવાની મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે.
આજના સમયમાં સહુ વ્યસ્ત છે ત્યારે થોડોક સમય માંડ બચાવી શકાય એ સ્થિતિમાં, અન્યનું મન કે માન રાખવામાં માંડ મળેલી રજા કે એકાદી સાંજ વેડફી નાખવાનું કોઈને ન પણ ગમે... આપણે શું માનીએ છીએ એના કરતા સામેની વ્યક્તિની સગવડ શું છે, એ સમજવાથી સંબંધ મજબૂત બને છે અને લાંબા ટકે છે.
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/prejudice-compels-one-to-lie-135300566.html
ગ્નનો પાંચ દિવસનો જલસો છે, તમારે આવવું જ પડશે’ અથવા ‘જમ્યા વગર નહીં જ જવાય’ અથવા ‘પાર્ટીમાં તમે ન આવો તો કેમ ચાલે?’ થી શરૂ કરીને ‘તું અત્યારે ને અત્યારે અહીંયા આવ...’ અથવા ‘બેબી! યુ હેવ ટુ મીટ માય ફ્રેન્ડ્સ’ જેવા આગ્રહો સામેની વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દે છે!
આગ્રહ કરનાર વ્યક્તિની લાગણીને આપણે ઓછી નથી આંકતા, પરંતુ દરેક વ્યક્તિના પોતાના ગમા-અણગમા હોય છે, એનો એક કમ્ફર્ટઝોન હોય છે. દરેક વ્યક્તિ દરેક વખતે સામેની વ્યક્તિનું મન અને માન રાખી જ શકે એવો આગ્રહ કરનાર દરેક વ્યક્તિ પોતાની પ્રિય વ્યક્તિને, મિત્રને કે પરિવારની વ્યક્તિને જુઠ્ઠું બોલવાની ફરજ પાડે છે.
આવું જુઠ જ્યારે પકડાય છે ત્યારે આગ્રહ કરનાર વ્યક્તિને ખૂબ દુઃખ થાય છે-એને છેતરાયાની લાગણી થાય છે, પરંતુ જો એકવાર પોતાના હઠાગ્રહ કે દુરાગ્રહને એનાલાઈઝ કરીને જુએ તો ચોક્કસ સમજાય કે લાગણીથી આમંત્રણ આપવું, પોતાની સાથે લઈ જવાની હોંશ કે સ્નેહ રાખવો, પ્રેમથી સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરવો... આ બધું પોતાની જગ્યાએ બરાબર છે, પરંતુ કેટલીક વ્યક્તિને આ અનુકૂળ ન હોય તો નિમંત્રણ આપનાર, આગ્રહ કરનાર અથવા પોતાના સ્નેહનું માન રાખવાની અપેક્ષા રાખનાર વ્યક્તિએ એ પ્રતિકુળતા સમજવી જ પડે!
જેના ઘેર લગ્ન હોય એને માટે અને નિકટના લોકો માટે ચાર-પાંચ દિવસનો જલસો આનંદના, પરિવારને એકત્રિત કરવાના અને મજાના પ્રસંગો છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેને રોજ તૈયાર થઈને અનેક લોકોને મળવું કોઈ સજા જેવું લાગે છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને બે-ચાર વ્યક્તિઓ સાથે ખૂબ મજા પડે, પરંતુ 200-250 લોકો જ્યારે ભેગા થઈ જાય ત્યારે એમને પોતાની હાજરી અપ્રસ્તુત અથવા બોજ લાગવા માંડે છે.
વાત ખોટી પણ નથી જ, પાંચ દિવસ સુધી મળનારા એકના એક માણસો સાથે રોજના ત્રણ-ચાર કલાક શું વાતો થઈ શકે? આવા લોકો સ્નેહને કારણે સાચું નથી બોલી શકતા, એટલે બહાનું કાઢે છે. કોઈની માંદગીનું, કોઈના મરણનું બહાનું તરત સ્વીકારવામાં આવે... ઓફિસના કામનું બહાનું કાઢે તો સામેના માણસને ‘ખોટું લાગે!’ અને, સાચું બોલે તો ‘વધુ ખોટું લાગે!’
આ માત્ર લગ્ન કે પારિવારિક પ્રસંગોની વાત નથી... ક્યારેક માતા-પિતા સંતાનોને દુરાગ્રહ કરતા હોય છે તો ક્યારેક યુવા યુગલ એકમેક ઉપર દુરાગ્રહની હથોડી ઠોકે છે. ‘કરવું જ પડે’, ‘જવું જ પડે’, ‘મળવું જ પડે’ કે ‘બોલાવવા જ પડે’ જેવી ફરજિયાત બાબતો જ્યારે માણસની પહોંચ કે સહનશક્તિની બહાર નીકળી જાય ત્યારે અત્યંત સ્વાભાવિક પ્રતિક્રિયા તરીકે માણસ જુઠ્ઠું બોલે છે.
પ્રેમિકા રોજ મળવાનો આગ્રહ કરતી હોય-અને છોકરાને થોડો સમય પોતાના પુરુષ મિત્ર સાથે વિતાવવો હોય કે પછી બોયફ્રેન્ડ-ફિયોન્સે પોતાની થનારી પત્નીને, ગર્લફ્રેન્ડને અમુક જ કપડા પહેરવાનો આગ્રહ કરે, અમુક લોકોને ન મળવાની શરતો મૂકે ત્યારે સહજ રીતે વ્યક્તિની અંદર રહેલી સ્વતંત્રતાની મૂળ લાગણી વિદ્રોહ કરે છે. દુનિયાના કોઈ માણસ ઉપર અમુક હદથી વધારે આગ્રહ કે દુરાગ્રહ કરવાનો અર્થ જ એ છે કે આપણે એને જુઠ્ઠું બોલવા મજબૂર કરીએ છીએ. સામેની વ્યક્તિ જ્યારે જુઠ્ઠું બોલે છે ત્યારે એનો ઈરાદો આપણને છેતરવાનો નથી હોતો... બલ્કે, એ આપણને ચાહે છે અને નારાજ કરવા નથી માગતા માટે જુઠ્ઠું બોલીને પરિસ્થિતિનો સરળ ઉપાય શોધી કાઢે છે.
માતા-પિતા જ્યારે પારિવારિક લગ્નોમાં, પ્રસંગોમાં આવવાનો આગ્રહ કરે ત્યારે સંતાન ના પાડે... પછી માતા-પિતા બ્લેકમેઈલ કરે છે, ‘અમે તમારા માટે કેટલું બધું કર્યું છે, તમે આટલું ના કરી શકો?’ જેવા વાક્યો લાગણીશીલ સંતાનને થોડો સમય માટે મજબૂર કરી શકે, પરંતુ એક ક્ષણ એવી આવે જ છે કે જ્યારે સંતાન આદર અને લાગણી બંનેને નકારીને સ્પષ્ટ ના પાડે અથવા જુઠ્ઠું બોલીને એમના આગ્રહ-બ્લેકમેઈલમાંથી બચવાનો પ્રયાસ કરે!
પિયર લઈ જવા માટે આગ્રહ કરતી પત્ની કે પોતાના પરિવારના લોકોનું માન રાખવા-એ કહે તેમ કરવા આગ્રહ કરતો પતિ પણ અંતે પોતાના જીવનસાથીને જુઠ્ઠું બોલવાની જ સ્થિતિમાં મૂકે છે.
આપણે આમાંથી કંઈ પણ કરતા હોઈએ તો સમય છે જાગી જવાનો! આજના સમયમાં સૌની પ્રાયોરિટી જુદી છે. નોકરીમાં સરળતાથી રજા નથી મળતી, બાળકોની સ્કૂલમાં લાંબી રજા પાડી નથી શકાતી, પોતાનો વ્યવસાય હોય તો ગેરહાજર નથી રહી શકાતું કે પછી કંઈ ન હોય તેમ છતાં પોતાને મળતો વધારાનો સમય પોતાને ગમે તે રીતે પસાર કરવાની મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે.
આજના સમયમાં સહુ વ્યસ્ત છે ત્યારે થોડોક સમય માંડ બચાવી શકાય એ સ્થિતિમાં, અન્યનું મન કે માન રાખવામાં માંડ મળેલી રજા કે એકાદી સાંજ વેડફી નાખવાનું કોઈને ન પણ ગમે... આપણે શું માનીએ છીએ એના કરતા સામેની વ્યક્તિની સગવડ શું છે, એ સમજવાથી સંબંધ મજબૂત બને છે અને લાંબા ટકે છે.
આપણે સ્નેહથી નિમંત્રણ આપીએ, આપણી અનુકૂળતા જણાવીએ, યોગ્ય આગ્રહ પણ કરીએ, પરંતુ એ પછી જો સામેની વ્યક્તિ ન આવે કે આપણા નિમંત્રણને ન સ્વીકારે તો બહુ સરળતાથી એના એ નિર્ણયને સ્વીકારીને આપણને ગમે તે કરવું અને એને જે ગમે તે કરવા દેવું...
હવે કદાચ એવો સવાલ થાય, કે દરેક માણસ પોતાનું ધાર્યું કરે તો સમાજ કેવી રીતે ટકે? લગ્ન કે પારિવારિક પ્રસંગોએ સહુ ભેગા ન થાય તો પ્રસંગ કેવી રીતે ઉજવાય? પ્રેમી, પ્રેમિકા કે જીવનસાથી એકબીજાની લાગણી ન સમજે, એકબીજાની ઈચ્છાને ન અનુસરે તો સંબંધ કેમ ટકે? આ બધા સવાલોનો જવાબ એ છે કે, માણસ તરીકે આપણે બધા સ્વતંત્રતા ઈચ્છીએ છીએ-પરંતુ, જ્યારે બીજાનો સવાલ આવે ત્યારે આપણે એવું પણ ઈચ્છીએ છીએ કે સામેની વ્યક્તિ આપણી લાગણી સમજે-આગ્રહને અનુસરે...
આ અશક્ય બાબત છે! આપણને આપણા પ્રસંગનું, આપણી લાગણીનું, આપણી ઈચ્છાનું કે આપણી અનુકૂળતાનું જેટલું મહત્વ છે એટલું જ અન્ય વ્યક્તિને પોતાની ઈચ્છા અને અનુકૂળતાનું મહત્વ હોય જ, આ વાત સમજી શકીએ તો જ સામેની વ્યક્તિ આપણી સાથે સાચું બોલશે! દુરાગ્રહ કે હઠાગ્રહ છોડીને સામેની વ્યક્તિને પોતાની સ્વતંત્રતા મુજબ સંબંધ રાખવાની છુટ આપી શકીએ તો જ આપણે એક સાચા અને સારા સંબંધને ટકાવી શકીશું.
હવે કદાચ એવો સવાલ થાય, કે દરેક માણસ પોતાનું ધાર્યું કરે તો સમાજ કેવી રીતે ટકે? લગ્ન કે પારિવારિક પ્રસંગોએ સહુ ભેગા ન થાય તો પ્રસંગ કેવી રીતે ઉજવાય? પ્રેમી, પ્રેમિકા કે જીવનસાથી એકબીજાની લાગણી ન સમજે, એકબીજાની ઈચ્છાને ન અનુસરે તો સંબંધ કેમ ટકે? આ બધા સવાલોનો જવાબ એ છે કે, માણસ તરીકે આપણે બધા સ્વતંત્રતા ઈચ્છીએ છીએ-પરંતુ, જ્યારે બીજાનો સવાલ આવે ત્યારે આપણે એવું પણ ઈચ્છીએ છીએ કે સામેની વ્યક્તિ આપણી લાગણી સમજે-આગ્રહને અનુસરે...
આ અશક્ય બાબત છે! આપણને આપણા પ્રસંગનું, આપણી લાગણીનું, આપણી ઈચ્છાનું કે આપણી અનુકૂળતાનું જેટલું મહત્વ છે એટલું જ અન્ય વ્યક્તિને પોતાની ઈચ્છા અને અનુકૂળતાનું મહત્વ હોય જ, આ વાત સમજી શકીએ તો જ સામેની વ્યક્તિ આપણી સાથે સાચું બોલશે! દુરાગ્રહ કે હઠાગ્રહ છોડીને સામેની વ્યક્તિને પોતાની સ્વતંત્રતા મુજબ સંબંધ રાખવાની છુટ આપી શકીએ તો જ આપણે એક સાચા અને સારા સંબંધને ટકાવી શકીશું.
રસથાળ:વરસાદી મોસમમાં ગરમાગરમ ચાની ચુસકી
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/a-sip-of-hot-tea-in-the-rainy-season-135300551.html
કાશ્મીરી કાવો
સામગ્રી : ચા પત્તી-1 ચમચી, પાણી-2 કપ, કેસર-ચપટી, તજ-નાનો ટુકડો, ઈલાયચી 2થી 3, લવિંગ-2 નંગ, ખાંડ-2 ચમચી, બદામની કતરણ-2 ચમચી
રીત : સૌપ્રથમ એક વાટકીમાં થોડું ગરમ પાણી લઇ તેમાં કેસર ઉમેરી પલળવા દો. હવે એક વાસણમાં બે કપ પાણી ઉકળવા મૂકો.પાણી ઉકળે એટલે તજ, ઈલાયચી, લવિંગ-ખાંડ ઉમેરો. ત્રણથી ચાર મિનિટ ઉકાળ્યા પછી ચા ઉમેરો, વધુ બેથી ત્રણ મિનિટ ઉકાળો. હવે આ પાણીને અન્ય વાસણમાં ગાળી કેસરવાળું પાણી, બદામની કતરણ ઉમેરી એક મિનિટ ઉકાળો. ગરમગરમ કાશ્મીરી કાવાનો સ્વાદ માણો. ચોકલેટ ચા
સામગ્રી : ચા પત્તી-1 ચમચી, દૂધ-1 કપ દૂધ, હોટ ચોકલેટ પાઉડર-1 ચમચી, ચોકલેટના ટુકડા-3થી 4, ખાંડ-2 ચમચી, છીણેલું આદું-પા ચમચી, ચા મસાલો-અડધી ચમચી, પાણી-પા કપ
રીત : તપેલીમાં પાણી ઉકળે એટલે ચા ઉમેરી એક મિનિટ ઉકાળો. થોડો રંગ પકડાય એટલે ચા મસાલો, ખાંડ અને દૂધ રેડો. ત્રણથી ચાર ઉભરા આવે એટલે ચોકલેટ પાઉડર અને ચોકલેટ ઉમેરી ગેસ બંધ કરી લો. ચમટી વડે એક મિનિટ સતત હલાવી ચોકલેટને ઓગાળી લો. ચાને સર્વિંગ કપમાં ગાળી લો. આ ચોકલેટી ચા ખાસ કરીને ચોકલેટ લવર્સને વરસાદી સાંજમાં ખૂબ ભાવશે. લીંબુની ચા
સામગ્રી : ચા પત્તી-અડધી ચમચી, પાણી-2 કપ, મધ-2 ચમચી, લીંબુની સ્લાઈસ-3થી 4, સમારેલો ફુદીનો-1 ચમચી
રીત : મધ સિવાયની બધી સામગ્રીને એક વાસણમાં ઉકળવા મૂકો. પાંચથી સાત મિનિટ ઉકાળ્યા પછી કપમાં
ગાળી લો. મધ મિક્સ કરી અને ફુદીનાના પાન તથા લેમન સ્લાઈસથી ગાર્નિશ કરી રિફ્રેશિંગ લીંબુની ચાનો સ્વાદ માણો. આ ચામાં લીંબુનો સ્વાદ વધુ આવશે તો ગરમગરમ ચુસ્કી લેવાનો ઓર આનંદ આવશે. તુલસીની ચા
સામગ્રી : ચા પત્તી-અડધી ચમચી, પાણી-2 કપ, મધ-2 ચમચી, લીંબુની સ્લાઈસ-3થી
રીત : તુલસીમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે દરેક વાતાવરણમાં તે બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શનથી બચાવે છે. નિયમિત ઉપયોગ લાંબાગાળે સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે. તુલસીની ગ્રીન ટી
સામગ્રી : તુલસી ગ્રીન ટીથી કફ, ઉધરસ, શરદી અને અસ્થમા જેવી સમસ્યામાં રાહત મળશે. વજન નિયંત્રણમાં પણ મદદરૂપ નીવડશે. અડધો ગ્લાસ પાણી ઉકાળી તેમાં 8થી 10 તુલસીના પાંદડા ધોઈને ઉમેરો. છીણેલું આદું અને ઈલાયચી પાઉડર મિક્સ કરો. ઉકળી જાય એટલે ગરણીથી ગાળી મધ અને લીંબુનો રસ ઉમેરો.
તુલસીની ચા દૂધ સાથે: ચા અને પાણીને ઉકળવા મૂકો ત્યારે તુલસીના 5થી 6 પાંદડા ઉમેરો. જો દરરોજ તાજા પાન મેળવવા શક્ય ન હોય તો પાનને સૂકવીને ચા પત્ત્તી સાથે મિક્સ કરી શકાય. તુલસીવાળી ચા પીવાથી એસિડિટીની સમસ્યા થતી નથી. અરેબિક ચા
સામગ્રી : તજ-મોટો ટુકડો, ફુદીનો-8થી 10 પાન, ઈલાયચી-5 નંગ, લવિંગ-5 નંગ, સાકર-2 ચમચી, ચા પત્તી-અડધી ચમચી, પાણી-3 કપ
રીત : આ એક બ્લેક ટી છે જે કેરળના માલાબાર વિસ્તારમાં ખાસ પીવાય છે. આ ચાનો સ્વાદ રૂટિન ચાથી ઘણો અલગ હોય છે, પરંતુ આ અરેબિક ચાનો સ્વાદ તમને ઘણો યુનિક લાગશે. ઉપર જણાવેલી દરેક સામગ્રીને એક વાસણમાં લઈ અને સતત હલાવતા ઉકાળો. પાણી અડધું થઈ જાય એટલે તેને ગાળી લો. સાકરના બદલે મધ કે ગોળ પણ વાપરી શકાય. ગોળની ચા
સામગ્રી : દૂધ-1 કપ, પાણી-અડધો કપ, ગોળ-જરૂર મુજબ, ચા પત્તી-દોઢ ચમચી, ફુદીનો-5થી 6 પાન, ચા મસાલો-અડધી ચમચી, ઈલાયચી પાઉડર-પા ચમચી, આદું-નાનો ટુકડો
રીત : એક તપેલીમાં પાણી અને ચા પત્તીને ઉકળવા મૂકો. થોડું ઉકળે એટલે નવશેકું દૂધ, છીણેલું આદું અને ફુદીનો ઉમેરો. ચારથી પાંચ મિનિટ ઉકાળ્યા પછી તેમાં ફુદીનો અને ઈલાયચી પાઉડર ઉમેરો. ઈલાયચી અને ફુદીનો ચા થવા આવે ત્યારે ઉમેરવાથી તેની સુગંધ સારી આવે છે. હવે ગેસ બંધ કરી ગોળ પાઉડર મિક્સ કરો અને સરસ મજાના કપમાં તાજગીસભર ગોળ-ફુદીના ચાને ગાળી લો.
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/a-sip-of-hot-tea-in-the-rainy-season-135300551.html
કાશ્મીરી કાવો
સામગ્રી : ચા પત્તી-1 ચમચી, પાણી-2 કપ, કેસર-ચપટી, તજ-નાનો ટુકડો, ઈલાયચી 2થી 3, લવિંગ-2 નંગ, ખાંડ-2 ચમચી, બદામની કતરણ-2 ચમચી
રીત : સૌપ્રથમ એક વાટકીમાં થોડું ગરમ પાણી લઇ તેમાં કેસર ઉમેરી પલળવા દો. હવે એક વાસણમાં બે કપ પાણી ઉકળવા મૂકો.પાણી ઉકળે એટલે તજ, ઈલાયચી, લવિંગ-ખાંડ ઉમેરો. ત્રણથી ચાર મિનિટ ઉકાળ્યા પછી ચા ઉમેરો, વધુ બેથી ત્રણ મિનિટ ઉકાળો. હવે આ પાણીને અન્ય વાસણમાં ગાળી કેસરવાળું પાણી, બદામની કતરણ ઉમેરી એક મિનિટ ઉકાળો. ગરમગરમ કાશ્મીરી કાવાનો સ્વાદ માણો. ચોકલેટ ચા
સામગ્રી : ચા પત્તી-1 ચમચી, દૂધ-1 કપ દૂધ, હોટ ચોકલેટ પાઉડર-1 ચમચી, ચોકલેટના ટુકડા-3થી 4, ખાંડ-2 ચમચી, છીણેલું આદું-પા ચમચી, ચા મસાલો-અડધી ચમચી, પાણી-પા કપ
રીત : તપેલીમાં પાણી ઉકળે એટલે ચા ઉમેરી એક મિનિટ ઉકાળો. થોડો રંગ પકડાય એટલે ચા મસાલો, ખાંડ અને દૂધ રેડો. ત્રણથી ચાર ઉભરા આવે એટલે ચોકલેટ પાઉડર અને ચોકલેટ ઉમેરી ગેસ બંધ કરી લો. ચમટી વડે એક મિનિટ સતત હલાવી ચોકલેટને ઓગાળી લો. ચાને સર્વિંગ કપમાં ગાળી લો. આ ચોકલેટી ચા ખાસ કરીને ચોકલેટ લવર્સને વરસાદી સાંજમાં ખૂબ ભાવશે. લીંબુની ચા
સામગ્રી : ચા પત્તી-અડધી ચમચી, પાણી-2 કપ, મધ-2 ચમચી, લીંબુની સ્લાઈસ-3થી 4, સમારેલો ફુદીનો-1 ચમચી
રીત : મધ સિવાયની બધી સામગ્રીને એક વાસણમાં ઉકળવા મૂકો. પાંચથી સાત મિનિટ ઉકાળ્યા પછી કપમાં
ગાળી લો. મધ મિક્સ કરી અને ફુદીનાના પાન તથા લેમન સ્લાઈસથી ગાર્નિશ કરી રિફ્રેશિંગ લીંબુની ચાનો સ્વાદ માણો. આ ચામાં લીંબુનો સ્વાદ વધુ આવશે તો ગરમગરમ ચુસ્કી લેવાનો ઓર આનંદ આવશે. તુલસીની ચા
સામગ્રી : ચા પત્તી-અડધી ચમચી, પાણી-2 કપ, મધ-2 ચમચી, લીંબુની સ્લાઈસ-3થી
રીત : તુલસીમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે દરેક વાતાવરણમાં તે બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શનથી બચાવે છે. નિયમિત ઉપયોગ લાંબાગાળે સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે. તુલસીની ગ્રીન ટી
સામગ્રી : તુલસી ગ્રીન ટીથી કફ, ઉધરસ, શરદી અને અસ્થમા જેવી સમસ્યામાં રાહત મળશે. વજન નિયંત્રણમાં પણ મદદરૂપ નીવડશે. અડધો ગ્લાસ પાણી ઉકાળી તેમાં 8થી 10 તુલસીના પાંદડા ધોઈને ઉમેરો. છીણેલું આદું અને ઈલાયચી પાઉડર મિક્સ કરો. ઉકળી જાય એટલે ગરણીથી ગાળી મધ અને લીંબુનો રસ ઉમેરો.
તુલસીની ચા દૂધ સાથે: ચા અને પાણીને ઉકળવા મૂકો ત્યારે તુલસીના 5થી 6 પાંદડા ઉમેરો. જો દરરોજ તાજા પાન મેળવવા શક્ય ન હોય તો પાનને સૂકવીને ચા પત્ત્તી સાથે મિક્સ કરી શકાય. તુલસીવાળી ચા પીવાથી એસિડિટીની સમસ્યા થતી નથી. અરેબિક ચા
સામગ્રી : તજ-મોટો ટુકડો, ફુદીનો-8થી 10 પાન, ઈલાયચી-5 નંગ, લવિંગ-5 નંગ, સાકર-2 ચમચી, ચા પત્તી-અડધી ચમચી, પાણી-3 કપ
રીત : આ એક બ્લેક ટી છે જે કેરળના માલાબાર વિસ્તારમાં ખાસ પીવાય છે. આ ચાનો સ્વાદ રૂટિન ચાથી ઘણો અલગ હોય છે, પરંતુ આ અરેબિક ચાનો સ્વાદ તમને ઘણો યુનિક લાગશે. ઉપર જણાવેલી દરેક સામગ્રીને એક વાસણમાં લઈ અને સતત હલાવતા ઉકાળો. પાણી અડધું થઈ જાય એટલે તેને ગાળી લો. સાકરના બદલે મધ કે ગોળ પણ વાપરી શકાય. ગોળની ચા
સામગ્રી : દૂધ-1 કપ, પાણી-અડધો કપ, ગોળ-જરૂર મુજબ, ચા પત્તી-દોઢ ચમચી, ફુદીનો-5થી 6 પાન, ચા મસાલો-અડધી ચમચી, ઈલાયચી પાઉડર-પા ચમચી, આદું-નાનો ટુકડો
રીત : એક તપેલીમાં પાણી અને ચા પત્તીને ઉકળવા મૂકો. થોડું ઉકળે એટલે નવશેકું દૂધ, છીણેલું આદું અને ફુદીનો ઉમેરો. ચારથી પાંચ મિનિટ ઉકાળ્યા પછી તેમાં ફુદીનો અને ઈલાયચી પાઉડર ઉમેરો. ઈલાયચી અને ફુદીનો ચા થવા આવે ત્યારે ઉમેરવાથી તેની સુગંધ સારી આવે છે. હવે ગેસ બંધ કરી ગોળ પાઉડર મિક્સ કરો અને સરસ મજાના કપમાં તાજગીસભર ગોળ-ફુદીના ચાને ગાળી લો.
ધારો કે તમને કોઇ એવું કહે કે આજે તમારી જીંદગીનો છેલ્લો દિવસ છે, તો તમે એ દિવસને કેવી રીતે પસાર કરો? શું કરો? અડધો દિવસ વસવસા વચ્ચે પસાર કરી નાખો? હવે શું-એવું વિચારી રડ્યા કરો? કેટલું બધું જીવવાનું બાકી રહી ગયું એવા વિચારે જાત સાથે કકળાટ કરો? છેલ્લા દિવસને હજી થોડો આગળ લંબાવી આપવા ઇશ્વર સાથે મથામણો કરો? ગમતી વ્યક્તિને ફોન કરી એની સાથે બાકી રહેલો દિવસ પસાર કરો? ભાવતા પકવાન પેટ ભરીને જમી લો? થોડા માણસોની યાદી તૈયાર કરી એ દરેકની સાથે વાત કરી લો? કે-આજે તો જીવી જ લઉં-એવું વિચારી હસતા-હસતા ઘરની બહાર નીકળી જાવ?
અમદાવાદની વિમાન દુર્ઘટનાએ ફરી એકવાર જીંદગી માટે-મૃત્યુ માટે વિચારતા કરી દીધા-અચાનક મોત આવ્યું, જીંદગીને સ્ટેચ્યૂ કહ્યું અને એકસામટા સૌને સાથે લઇને જતું રહ્યું. છેલ્લીવાર ચહેરો જોવા ના મળ્યો, એમનાં શરીરને સ્પર્શવા ન મળ્યું, એમને આવજો કહેવાનું બાકી રહી ગયું. છેલ્લીવાર કરવાની હોય એ બધી જ વાતો પણ ના કહી શકાઇ…..
વિમાને બાળી નાખેલા એ શરીરોનાં અગ્નિ સંસ્કાર કરતી વખતે હાથ જોડીને કહેવાયેલા ‘સોરી’, ‘થેંક યુ’, ‘આઇ લવ યુ’, ‘આઇ મિસ યુ’, ‘આઇ નીડ યુ’, ‘તમે મારા માટે ખૂબ કર્યું’, ‘હું તમારા વિના જીવી નહીં શકું!’, ‘તમે મારા માટે ખૂબ મહત્ત્વનાં હતા! વગેરે વગેરે એમનાં કાન સુધી પહોંચ્યા હશે કે ધુમાડા સાથે હવામાં ભળી ગયા હશે ખબર નથી. પણ આ દુર્ઘટનાએ એક વાત ચોક્કસ શીખવી કે સંબંધોમાં લાગણીઓની, અભિવ્યક્તિની ઉધારી બંધ કરી દેવી જોઇએ!
આપણી જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવવા કરતા પણ આપણી ગમતી વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવવું જોઇએ ! આવું એટલા માટે કારણ કે આપણે કેટલા બધા આઇ લવ યુ, કેટલા બધા મિસ યુ, કેટલા બધા આઇ નીડ યુ, કેટલા બધા સોરી-ઉધાર રાખીએ છીએ, કહેતા નથી અથવા તો કહેવાનાં ટાળીએ છીએ. વિચારીએ છીએ-આજે નહીં-કાલે કહીશ-કાલે નહીં-પરમ દિવસે કહીશ-પરમ દિવસે નહીં-કોઇ પ્રસંગ આવશે ત્યારે કહીશ….આવું કરતા કરતા આપણાં આઇ લવ યુ, મિસ યુ, સોરી, નીડ યુ….પર કાટ ચઢતો જાય છે અને જ્યારે આપણે એ કાટને સાફ કરી કહેવાનું વિચારીએ છીએ ત્યારે સામેની વ્યક્તિ કશુંપણ કહ્યા વિના જતી રહે છે અને નહીં કહી શકાયેલા-કહેવાનાં બાકી રહી ગયેલા શબ્દોનું વજન આપણને બાકીની જીંદગી જીવવા દેતું નથી!
આ વજન ખૂબ ભયાવહ હોય છે! તમારી ગમતી વ્યક્તિ, તમારા પિતા, તમારી મા….અચાનક જતા રહે ત્યારે એમની સાથે પસાર થયેલી ક્ષણો આંખોની આરપાર અને એમની સાથે પસાર કરવાની રહી ગયેલી ક્ષણો છાતીની આરપાર નીકળી જતી હોય છે!
વિચારો, તમને એવી ખબર પડે કે તમારી ગમતી વ્યક્તિ કે તમારા પિતા કે તમારી મા પાસે હવે જીવવા માટે જાજા દિવસો નથી તો તમે શું કરો? એમને ખુશ રાખવાની કોશિશ કરો. એમની ઇચ્છાઓ, એમની જરૂરિયાતો પૂરી કરો. એમનાં હિસ્સાનો તમારો સમય એમને આપો. અભિવ્યક્ત થાવ. ટૂંકમાં એ બધું જ કરો-જેનાથી એમનું જીવી જવાનું મનોબળ વધારે ને વધારે મજબૂત બને!
તો હવે સવાલ એ છે કે-આ બધું જ કરવા માટે આપણે આપણી ગમતી વ્યક્તિનાં છેલ્લા દિવસોની રાહ કેમ જોઇએ છીએ? છેલ્લા દિવસો હોય તો જ એમની સાથે આવી રીતે વર્તવાનું એવું કોણે કહ્યું?
અમદાવાદની વિમાની દુર્ઘટના પછી અમલમાં મૂકવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે-જીંદગીનો પ્રત્યેક દિવસ એવી જ રીતે જીવો કે સામેની વ્યક્તિનો-તમને ગમતી વ્યક્તિનો છેલ્લો દિવસ છે! તમારી ગમતી વ્યક્તિ પણ એવું જ વિચારીને જીવે….તો સંબંધોમાં લાગણીની, અભિવ્યક્તિની ઉધારી લગભગ બંધ થઇ જાય.
જ્યારે તમે તમારી જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવો છો ત્યારે તમે તમારા પોતાનાં માટે જીવતા હોવ છો પણ જ્યારે તમે સામેની વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવો ત્યારે તમે બીજા માટે જીવતા હોવ છો! હાર્ટએટેક, કાર્ડિયાક એરેસ્ટ કે આવી કોઇપણ દુર્ઘટના સમયે સામેની વ્યક્તિ તો પળવારમાં જતી રહે છે પણ આપણે વર્ષોનાં વર્ષ સુધી ત્યાંનાં ત્યાં જ રહી જઇએ છીએ-ના તો આગળ વધી શકીએ છીએ અને ના તો પાછળ જઇ શકીએ છીએ!
આવા સમયે બાકી રહી ગયેલું ‘આવજો’, કહેવાનું રહી ગયેલું, ‘આઇ લવ યુ!’, ક્યારેય નહીં કહેલું-’સોરી’ આ બધું આપણાં કાનમાં પડઘાતું રહે છે અને આપણે ચીસ પણ પાડી શકતા નથી!
ગમતી વ્યક્તિ જતી રહે પછી સમજાય કે-જેની સાથે એક છત નીચે જીવ્યા એનાં વિનાની એક સાંજ પણ મુશ્કેલ છે-ઘરેથી નીકળેલા પપ્પા ઘરે પાછા ફરે જ નહીં ત્યારે સમજાય કે-પપ્પા દીવાલ નહીં આપણાં માથા પરની છત હતા! ‘ક્યાં છે?’, ‘કેટલા વાગ્યે આવશે?’-આવું પૂછ્યા કરતી મા જતી રહે પછી એનાં સવાલોનું મહત્ત્વ સમજાય! મા જતી રહે પછી સવાલો પૂછનારું તો કોઇ ના જ રહે પણ જવાબો સાંભળનારું પણ ચાલી જાય! આ જ ગમતી વ્યક્તિને, આ જ પિતાને, આ જ માને છેલ્લીવાર આવજો કહીએ ત્યારે એમની સાથે લાગણીઓની, અભિવ્યક્તિની ‘ઉધારી’ ના જ હોવી જોઇએ!
અમદાવાદની વિમાન દુર્ઘટનાએ ફરી એકવાર જીંદગી માટે-મૃત્યુ માટે વિચારતા કરી દીધા-અચાનક મોત આવ્યું, જીંદગીને સ્ટેચ્યૂ કહ્યું અને એકસામટા સૌને સાથે લઇને જતું રહ્યું. છેલ્લીવાર ચહેરો જોવા ના મળ્યો, એમનાં શરીરને સ્પર્શવા ન મળ્યું, એમને આવજો કહેવાનું બાકી રહી ગયું. છેલ્લીવાર કરવાની હોય એ બધી જ વાતો પણ ના કહી શકાઇ…..
વિમાને બાળી નાખેલા એ શરીરોનાં અગ્નિ સંસ્કાર કરતી વખતે હાથ જોડીને કહેવાયેલા ‘સોરી’, ‘થેંક યુ’, ‘આઇ લવ યુ’, ‘આઇ મિસ યુ’, ‘આઇ નીડ યુ’, ‘તમે મારા માટે ખૂબ કર્યું’, ‘હું તમારા વિના જીવી નહીં શકું!’, ‘તમે મારા માટે ખૂબ મહત્ત્વનાં હતા! વગેરે વગેરે એમનાં કાન સુધી પહોંચ્યા હશે કે ધુમાડા સાથે હવામાં ભળી ગયા હશે ખબર નથી. પણ આ દુર્ઘટનાએ એક વાત ચોક્કસ શીખવી કે સંબંધોમાં લાગણીઓની, અભિવ્યક્તિની ઉધારી બંધ કરી દેવી જોઇએ!
આપણી જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવવા કરતા પણ આપણી ગમતી વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવવું જોઇએ ! આવું એટલા માટે કારણ કે આપણે કેટલા બધા આઇ લવ યુ, કેટલા બધા મિસ યુ, કેટલા બધા આઇ નીડ યુ, કેટલા બધા સોરી-ઉધાર રાખીએ છીએ, કહેતા નથી અથવા તો કહેવાનાં ટાળીએ છીએ. વિચારીએ છીએ-આજે નહીં-કાલે કહીશ-કાલે નહીં-પરમ દિવસે કહીશ-પરમ દિવસે નહીં-કોઇ પ્રસંગ આવશે ત્યારે કહીશ….આવું કરતા કરતા આપણાં આઇ લવ યુ, મિસ યુ, સોરી, નીડ યુ….પર કાટ ચઢતો જાય છે અને જ્યારે આપણે એ કાટને સાફ કરી કહેવાનું વિચારીએ છીએ ત્યારે સામેની વ્યક્તિ કશુંપણ કહ્યા વિના જતી રહે છે અને નહીં કહી શકાયેલા-કહેવાનાં બાકી રહી ગયેલા શબ્દોનું વજન આપણને બાકીની જીંદગી જીવવા દેતું નથી!
આ વજન ખૂબ ભયાવહ હોય છે! તમારી ગમતી વ્યક્તિ, તમારા પિતા, તમારી મા….અચાનક જતા રહે ત્યારે એમની સાથે પસાર થયેલી ક્ષણો આંખોની આરપાર અને એમની સાથે પસાર કરવાની રહી ગયેલી ક્ષણો છાતીની આરપાર નીકળી જતી હોય છે!
વિચારો, તમને એવી ખબર પડે કે તમારી ગમતી વ્યક્તિ કે તમારા પિતા કે તમારી મા પાસે હવે જીવવા માટે જાજા દિવસો નથી તો તમે શું કરો? એમને ખુશ રાખવાની કોશિશ કરો. એમની ઇચ્છાઓ, એમની જરૂરિયાતો પૂરી કરો. એમનાં હિસ્સાનો તમારો સમય એમને આપો. અભિવ્યક્ત થાવ. ટૂંકમાં એ બધું જ કરો-જેનાથી એમનું જીવી જવાનું મનોબળ વધારે ને વધારે મજબૂત બને!
તો હવે સવાલ એ છે કે-આ બધું જ કરવા માટે આપણે આપણી ગમતી વ્યક્તિનાં છેલ્લા દિવસોની રાહ કેમ જોઇએ છીએ? છેલ્લા દિવસો હોય તો જ એમની સાથે આવી રીતે વર્તવાનું એવું કોણે કહ્યું?
અમદાવાદની વિમાની દુર્ઘટના પછી અમલમાં મૂકવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે-જીંદગીનો પ્રત્યેક દિવસ એવી જ રીતે જીવો કે સામેની વ્યક્તિનો-તમને ગમતી વ્યક્તિનો છેલ્લો દિવસ છે! તમારી ગમતી વ્યક્તિ પણ એવું જ વિચારીને જીવે….તો સંબંધોમાં લાગણીની, અભિવ્યક્તિની ઉધારી લગભગ બંધ થઇ જાય.
જ્યારે તમે તમારી જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવો છો ત્યારે તમે તમારા પોતાનાં માટે જીવતા હોવ છો પણ જ્યારે તમે સામેની વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવો ત્યારે તમે બીજા માટે જીવતા હોવ છો! હાર્ટએટેક, કાર્ડિયાક એરેસ્ટ કે આવી કોઇપણ દુર્ઘટના સમયે સામેની વ્યક્તિ તો પળવારમાં જતી રહે છે પણ આપણે વર્ષોનાં વર્ષ સુધી ત્યાંનાં ત્યાં જ રહી જઇએ છીએ-ના તો આગળ વધી શકીએ છીએ અને ના તો પાછળ જઇ શકીએ છીએ!
આવા સમયે બાકી રહી ગયેલું ‘આવજો’, કહેવાનું રહી ગયેલું, ‘આઇ લવ યુ!’, ક્યારેય નહીં કહેલું-’સોરી’ આ બધું આપણાં કાનમાં પડઘાતું રહે છે અને આપણે ચીસ પણ પાડી શકતા નથી!
ગમતી વ્યક્તિ જતી રહે પછી સમજાય કે-જેની સાથે એક છત નીચે જીવ્યા એનાં વિનાની એક સાંજ પણ મુશ્કેલ છે-ઘરેથી નીકળેલા પપ્પા ઘરે પાછા ફરે જ નહીં ત્યારે સમજાય કે-પપ્પા દીવાલ નહીં આપણાં માથા પરની છત હતા! ‘ક્યાં છે?’, ‘કેટલા વાગ્યે આવશે?’-આવું પૂછ્યા કરતી મા જતી રહે પછી એનાં સવાલોનું મહત્ત્વ સમજાય! મા જતી રહે પછી સવાલો પૂછનારું તો કોઇ ના જ રહે પણ જવાબો સાંભળનારું પણ ચાલી જાય! આ જ ગમતી વ્યક્તિને, આ જ પિતાને, આ જ માને છેલ્લીવાર આવજો કહીએ ત્યારે એમની સાથે લાગણીઓની, અભિવ્યક્તિની ‘ઉધારી’ ના જ હોવી જોઇએ!
આપણે આદત પાડીએ લાગણીઓની અભિવ્યક્તિ જે-તે સમયે જ કરવાની, બોલીને અથવા તો લખીને! આપણે આદત પાડીએ-ગમતી વ્યક્તિનાં હિસ્સાનો સમય એને જે-તે સમયે જ આપીએ, એેને આગળ-પાછળ ઠેલ્યા નહીં કરીએ! મા કે પિતાને રોજ જતો વિડીયો કોલ વ્યસ્તતા વચ્ચે ટાળીએ નહીં, માને થેંકયુ, પિતાને લવ યુ કહેવાનું ચૂકીએ નહીં!
આપણી જીંદગીનાં છેલ્લા દિવસ કરતા ગમતી વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ આપણા માટે વધારે મહત્ત્વનો હોય છે-કારણ કે એ આપણી બધી ઉધારી ચૂકવવામાં આપણી મદદ કરે છે અને એટલે જ ગમતી વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવીશું તો સંબંધ વધારે મજબૂત બનશે જ પણ છાતી ચીરી નાખે એવો અફસોસ આપણાં પક્ષે નહીં રહે એની ખાતરી!!!
આપણી જીંદગીનાં છેલ્લા દિવસ કરતા ગમતી વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ આપણા માટે વધારે મહત્ત્વનો હોય છે-કારણ કે એ આપણી બધી ઉધારી ચૂકવવામાં આપણી મદદ કરે છે અને એટલે જ ગમતી વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવીશું તો સંબંધ વધારે મજબૂત બનશે જ પણ છાતી ચીરી નાખે એવો અફસોસ આપણાં પક્ષે નહીં રહે એની ખાતરી!!!
ડોટ કોમે હું વસું છું, જો મને
સેપ્શન ખાલી હતું. ઈના હેન્ડબેગ લઈ વોશરૂમ તરફ જતી રહી...
મીરરમાં ઈના ક્યાંય સુધી પોતાની બ્યુટી જોઇ રહી. હોટલનું ફોર્મલ શર્ટ કાઢી એણે બેગમાંથી નવું ટોપ કાઢી ચડાવ્યું. આખા ટોપ પર કલરફૂલ બટરફલાયસ અને વચ્ચે મોટા અક્ષરોમાં પ્રિન્ટ થયેલું ‘my love’! અમને આપેલા આ ચપોચપ ટોપમાં એ બહુ સેક્સી લાગતી હતી. એણે ખભા પર ઝુલતા વાળ સેટ કર્યા. મોબાઇલની રીંગ વાગી. એણે ફટાફટ ફરી યુનિફોર્મ ચડાવ્યો. પેંન્સિલ હિલ સેંન્ડલના ટપટપ અવાજથી કોરીડોર કલબલ્યું.
‘વોટ્સ અ મેટર બેબી?’ સાયરાએ આંખ મિચકારતાં પૂછ્યું, ‘તારી આંખો એવી ચમકે છે જાણે કોઇ પ્રિન્સ મળ્યો હોય.’
‘અરે યાર...પ્રિન્સ જ.’
‘આ એક વીક હું રજા પર રહી એમાં... કોણ છે યાર?’ ‘અમન!’ એણે સાયરાને બાથમાં લઇ ભીંસી દીધી. ‘હેવ ફન!’
‘સાયરા માય ડાર્લિંગ, આઇ એમ ઇન લવ.’
‘ન્યુ વન?’
‘યા, નાઉ લાસ્ટ એન્ડ ફાઇનલ.’
‘કૂલ, જસ્ટ ઇન સિક્સ ડેઝ?’
‘ડીઅર, ડ્રીમબોય આમ જ મળી જાય.’ કાઉન્ટર સંભાળવા અવિનાશ અને સુમન દાખલ થયાં. સાયરા ખુશ થઇ ગઇ. ‘ચલ લંચટાઇમ ફોર લવસ્ટોરી.’
‘અરે યાર હુંયે એટલી ડેસ્પરેટ છું.’ બંને કાઉન્ટર છોડી ડાઇનીંગ રૂમમાં કોર્નર ટેબલ શોધી ગોઠવાયા.
‘કેવો છે તારો હેન્ડસમ?’
‘હમણાં પાંચેક વાગે દેખાશે ઓકે! સાયુ, છ દિવસમાં લાગે કે જાણે છ વર્ષોથી અમારો અફેર ચાલે છે.’ ‘એટલી બધી આગળ વધી ગઈ છો?’
‘ના બાબા, એ રોડરોમિયો નથી.’
‘વાઉ, ફરિશ્તા?’
‘તું વચ્ચે વચ્ચે બોલીને ઇન્ટરપ્ટ ન કર. હી ઈઝ સો હેન્ડસમ! એ પહેલી વાર રીસેપ્શન પર આવ્યો ને મારી સામે જોતો જ રહી ગયો’તો. જ્યારે હું બોલી, ‘સર!’ અને એની સમાધિ તૂટી. મેં એને પૂછ્યું, ‘વૂડ યુ લાઈક રૂમ નં 404, સી ફેસીંગ છે.’ ને એ કહે ‘આઇ પ્રીફર ટુ સી યોર ફેસ.’ ઓ માય ગોડ...!’
‘અલી, આ રોમિયો જ કહેવાય.’
‘સી, એક તો એ ગેસ્ટ. એનું ઇન્સલ્ટ ન કરાય અને કોઇ આવું કહે તો તનેય ગમે હો! હું જ્યારે આટલી સીરિયસ છું, અને તું મજાક કરે છે! યુ નો, બધું તને કહેવા માટે મારું દિલ કેટલું ઓવરફ્લો થાય છે! એ દિવસે તો મેં એને સ્માઇલ આપીને વાત પૂરી કરી. રૂમની ચાવી હાથમાં રમાડતાં બોલ્યો, વાઉ... બ્યુટીફુલ! યુ નો સાયુ, એની આંખમાં એવું કંઈક છે ને..’
‘પછી?’ ‘એ જ દિવસે સાંજે હું ડ્યુટી પતાવીને બહાર નીકળતી હતી ત્યાં લાઉન્જમાં મળી ગયો. મને કહે, ‘આઈ એમ અમન. હું અહીં નવો છું. થોડું ગાઇડન્સ જોઈએ. કૉફીશોપમાં બેસીએ?’ મારે સોરી કહેવું પડ્યું, પ્લીઝ, કાલે ડે ટાઇમમાં.’ ‘સી યુ ટુમોરો’ કહીને એ જતો રહ્યો. મેં હોટલ છોડી પણ એ મારા મનમાં છવાયેલો રહ્યો. યાર, હી મેઇડ મી મેડ.... આમ તો આપણે ત્યાં કેટલાય આવતા હોય પણ આ કંઇક ‘હટકે’.... નેક્સ્ટ ડે આખો દિવસ મારી નજર એને શોધતી રહી. છેક સાંજે દેખાયો. હું બરાબર ચિડાઇ હતી એટલે એના તરફ ધ્યાન ન આપ્યું. કાઉન્ટર પાસે આવીને, ‘કૉફીશોપમાં તારી રાહ જોઉં છું. સોરી, આખો દિવસ બિઝનેસ મિટિંગ ચાલી.’ જાણે કેમ હું એની રાહ જોતી બેઠી હોઉં! એ દિવસે એણે પોતાની વાતો કરી. દિલ્હીમાં એના પપ્પાનો બિઝનેસ છે. એને એના પપ્પા માટે ખૂબ રિસ્પેક્ટ છે. આખો દિવસ બીઝી રહે છે વગેરે વગેરે...
‘ક્યાં ક્યાં ફર્યા?’ ‘ફરવાની વાત જ ન કર.. મને કહે, ‘હજી ધંધામાં ઝુકાવ્યું જ છે. પપ્પાના બહુ એક્સ્પેક્ટેશન્સ છે. ડ્યુટી ફર્સ્ટ. આ તો તારી સાથે વાત કરવાનું બહુ મન થાય છે! બાકી હું એકદમ ઇંટ્રોવર્ડ છું. લોકોમાં ભળવાનું ન ફાવે.’ સાયુ, આખા વીકમાં અમે એકવાર પણ બહાર નથી ગયા. મને કહે, ‘કોઇ તારા માટે કંઇ કહે એ મને જરાય પસંદ નથી.’ બોલ, દિલ્હીમાં રહેનારો આવું વિચારે?’
‘એની રૂમમાં તો…’સાયરાએ આંખ મીંચકારી.
‘નો નો, રૂમમાં જવાનો તો એણે કદી ઇશારો પણ નથી કર્યો. એટલે જ તો હું એના પર મરું છું!’
‘વાહ, એક એનો બિઝનેસ અને બીજી તું ! કોઇ હર્ડલ ન જોઇએ.’ ‘તું માનીશ! બસ એક વાર એણે મારો હાથ પકડ્યો’તો એ જ. બોલ્યો, યુ આર માય લાઈફ.’
‘ટોટલ ફિલ્મી!’ ‘તું જે માન એ પણ મારી જિંદગી હવે એના નામે…’ અવિનાશ બોલાવવા આવ્યો. ‘સોરી અવિ’ કહેતાં બંને રિસેપ્શન તરફ વળ્યા.
સાંજે છ વાગે અમન હોટલમાં આવ્યો. ઈનાનું બહુ મન હતું કે આજે એ અમનની સાયરા સાથે ઓળખાણ કરાવે પણ અમન કાઉન્ટર પાસે આવીને હળવેથી ગણગણ્યો. ‘આજે નહીં બેસાય. કામ બહુ બાકી છે, બાય!’
ઘરે પહોંચીને ઈનાનો જરાય મુડ નહોતો. ‘ભુખ નથી.’ કહીને એ જમ્યા વગર પોતાના રૂમમાં જતી રહી. એણે ટીવી ઓન કર્યું પણ કંઇ જામ્યું નહીં. કાલે રવિવાર… કદાચ અમન નીકળી જાય તો! એણે એનો મોબાઇલ નંબર માગ્યો’તો પણ એનું કહેવાનું હતું કે દિવસના એ મીટિંગોમાં એટલો બીઝી રહે છે કે એ વાત નહીં કરી શકે. દિલ્હી જતી વખતે ચોક્કસ નંબર આપી દેશે. થાકથી એને ઊંઘ આવી ગઈ. અચાનક ફોનની રીંગ વાગી. ‘ઈના તું ઘરે છે ને?’
સેપ્શન ખાલી હતું. ઈના હેન્ડબેગ લઈ વોશરૂમ તરફ જતી રહી...
મીરરમાં ઈના ક્યાંય સુધી પોતાની બ્યુટી જોઇ રહી. હોટલનું ફોર્મલ શર્ટ કાઢી એણે બેગમાંથી નવું ટોપ કાઢી ચડાવ્યું. આખા ટોપ પર કલરફૂલ બટરફલાયસ અને વચ્ચે મોટા અક્ષરોમાં પ્રિન્ટ થયેલું ‘my love’! અમને આપેલા આ ચપોચપ ટોપમાં એ બહુ સેક્સી લાગતી હતી. એણે ખભા પર ઝુલતા વાળ સેટ કર્યા. મોબાઇલની રીંગ વાગી. એણે ફટાફટ ફરી યુનિફોર્મ ચડાવ્યો. પેંન્સિલ હિલ સેંન્ડલના ટપટપ અવાજથી કોરીડોર કલબલ્યું.
‘વોટ્સ અ મેટર બેબી?’ સાયરાએ આંખ મિચકારતાં પૂછ્યું, ‘તારી આંખો એવી ચમકે છે જાણે કોઇ પ્રિન્સ મળ્યો હોય.’
‘અરે યાર...પ્રિન્સ જ.’
‘આ એક વીક હું રજા પર રહી એમાં... કોણ છે યાર?’ ‘અમન!’ એણે સાયરાને બાથમાં લઇ ભીંસી દીધી. ‘હેવ ફન!’
‘સાયરા માય ડાર્લિંગ, આઇ એમ ઇન લવ.’
‘ન્યુ વન?’
‘યા, નાઉ લાસ્ટ એન્ડ ફાઇનલ.’
‘કૂલ, જસ્ટ ઇન સિક્સ ડેઝ?’
‘ડીઅર, ડ્રીમબોય આમ જ મળી જાય.’ કાઉન્ટર સંભાળવા અવિનાશ અને સુમન દાખલ થયાં. સાયરા ખુશ થઇ ગઇ. ‘ચલ લંચટાઇમ ફોર લવસ્ટોરી.’
‘અરે યાર હુંયે એટલી ડેસ્પરેટ છું.’ બંને કાઉન્ટર છોડી ડાઇનીંગ રૂમમાં કોર્નર ટેબલ શોધી ગોઠવાયા.
‘કેવો છે તારો હેન્ડસમ?’
‘હમણાં પાંચેક વાગે દેખાશે ઓકે! સાયુ, છ દિવસમાં લાગે કે જાણે છ વર્ષોથી અમારો અફેર ચાલે છે.’ ‘એટલી બધી આગળ વધી ગઈ છો?’
‘ના બાબા, એ રોડરોમિયો નથી.’
‘વાઉ, ફરિશ્તા?’
‘તું વચ્ચે વચ્ચે બોલીને ઇન્ટરપ્ટ ન કર. હી ઈઝ સો હેન્ડસમ! એ પહેલી વાર રીસેપ્શન પર આવ્યો ને મારી સામે જોતો જ રહી ગયો’તો. જ્યારે હું બોલી, ‘સર!’ અને એની સમાધિ તૂટી. મેં એને પૂછ્યું, ‘વૂડ યુ લાઈક રૂમ નં 404, સી ફેસીંગ છે.’ ને એ કહે ‘આઇ પ્રીફર ટુ સી યોર ફેસ.’ ઓ માય ગોડ...!’
‘અલી, આ રોમિયો જ કહેવાય.’
‘સી, એક તો એ ગેસ્ટ. એનું ઇન્સલ્ટ ન કરાય અને કોઇ આવું કહે તો તનેય ગમે હો! હું જ્યારે આટલી સીરિયસ છું, અને તું મજાક કરે છે! યુ નો, બધું તને કહેવા માટે મારું દિલ કેટલું ઓવરફ્લો થાય છે! એ દિવસે તો મેં એને સ્માઇલ આપીને વાત પૂરી કરી. રૂમની ચાવી હાથમાં રમાડતાં બોલ્યો, વાઉ... બ્યુટીફુલ! યુ નો સાયુ, એની આંખમાં એવું કંઈક છે ને..’
‘પછી?’ ‘એ જ દિવસે સાંજે હું ડ્યુટી પતાવીને બહાર નીકળતી હતી ત્યાં લાઉન્જમાં મળી ગયો. મને કહે, ‘આઈ એમ અમન. હું અહીં નવો છું. થોડું ગાઇડન્સ જોઈએ. કૉફીશોપમાં બેસીએ?’ મારે સોરી કહેવું પડ્યું, પ્લીઝ, કાલે ડે ટાઇમમાં.’ ‘સી યુ ટુમોરો’ કહીને એ જતો રહ્યો. મેં હોટલ છોડી પણ એ મારા મનમાં છવાયેલો રહ્યો. યાર, હી મેઇડ મી મેડ.... આમ તો આપણે ત્યાં કેટલાય આવતા હોય પણ આ કંઇક ‘હટકે’.... નેક્સ્ટ ડે આખો દિવસ મારી નજર એને શોધતી રહી. છેક સાંજે દેખાયો. હું બરાબર ચિડાઇ હતી એટલે એના તરફ ધ્યાન ન આપ્યું. કાઉન્ટર પાસે આવીને, ‘કૉફીશોપમાં તારી રાહ જોઉં છું. સોરી, આખો દિવસ બિઝનેસ મિટિંગ ચાલી.’ જાણે કેમ હું એની રાહ જોતી બેઠી હોઉં! એ દિવસે એણે પોતાની વાતો કરી. દિલ્હીમાં એના પપ્પાનો બિઝનેસ છે. એને એના પપ્પા માટે ખૂબ રિસ્પેક્ટ છે. આખો દિવસ બીઝી રહે છે વગેરે વગેરે...
‘ક્યાં ક્યાં ફર્યા?’ ‘ફરવાની વાત જ ન કર.. મને કહે, ‘હજી ધંધામાં ઝુકાવ્યું જ છે. પપ્પાના બહુ એક્સ્પેક્ટેશન્સ છે. ડ્યુટી ફર્સ્ટ. આ તો તારી સાથે વાત કરવાનું બહુ મન થાય છે! બાકી હું એકદમ ઇંટ્રોવર્ડ છું. લોકોમાં ભળવાનું ન ફાવે.’ સાયુ, આખા વીકમાં અમે એકવાર પણ બહાર નથી ગયા. મને કહે, ‘કોઇ તારા માટે કંઇ કહે એ મને જરાય પસંદ નથી.’ બોલ, દિલ્હીમાં રહેનારો આવું વિચારે?’
‘એની રૂમમાં તો…’સાયરાએ આંખ મીંચકારી.
‘નો નો, રૂમમાં જવાનો તો એણે કદી ઇશારો પણ નથી કર્યો. એટલે જ તો હું એના પર મરું છું!’
‘વાહ, એક એનો બિઝનેસ અને બીજી તું ! કોઇ હર્ડલ ન જોઇએ.’ ‘તું માનીશ! બસ એક વાર એણે મારો હાથ પકડ્યો’તો એ જ. બોલ્યો, યુ આર માય લાઈફ.’
‘ટોટલ ફિલ્મી!’ ‘તું જે માન એ પણ મારી જિંદગી હવે એના નામે…’ અવિનાશ બોલાવવા આવ્યો. ‘સોરી અવિ’ કહેતાં બંને રિસેપ્શન તરફ વળ્યા.
સાંજે છ વાગે અમન હોટલમાં આવ્યો. ઈનાનું બહુ મન હતું કે આજે એ અમનની સાયરા સાથે ઓળખાણ કરાવે પણ અમન કાઉન્ટર પાસે આવીને હળવેથી ગણગણ્યો. ‘આજે નહીં બેસાય. કામ બહુ બાકી છે, બાય!’
ઘરે પહોંચીને ઈનાનો જરાય મુડ નહોતો. ‘ભુખ નથી.’ કહીને એ જમ્યા વગર પોતાના રૂમમાં જતી રહી. એણે ટીવી ઓન કર્યું પણ કંઇ જામ્યું નહીં. કાલે રવિવાર… કદાચ અમન નીકળી જાય તો! એણે એનો મોબાઇલ નંબર માગ્યો’તો પણ એનું કહેવાનું હતું કે દિવસના એ મીટિંગોમાં એટલો બીઝી રહે છે કે એ વાત નહીં કરી શકે. દિલ્હી જતી વખતે ચોક્કસ નંબર આપી દેશે. થાકથી એને ઊંઘ આવી ગઈ. અચાનક ફોનની રીંગ વાગી. ‘ઈના તું ઘરે છે ને?’
‘કેમ શું થયું?’ ‘અરે ટીવી ઓન કર…’ ઈના પથારીમાંથી કૂદી, ‘મમા મમા...’ ટીવીમાં ન્યુઝ આવી રહ્યા હતા. એની હોટલમાં ભડકા બળતા હતા. ઈના હીબકે ચડી. એની મમ્મી એને વળગી પડી.., ‘યુ આર સેવ્ડ માય ચાઇલ્ડ...’
ઈના બહાવરી બનીને ટીવીમાં કોઇને શોધ્યા કરતી હતી. હોટલમાં બધા ફસાયેલા હતા. લોકોની ચીસાચીસને બુમાબુમ.... ઈનાનું મન અમન માટે ધમપછાડા ખાતું હતું... એનું ચાલત તો એ હોટલ તરફ દોડ લગાવત પણ મમ્મી-પપ્પા એનો હાથ છોડે તો ને! રાત આખી એની આંખો ટીવીમાં ઘુસેલી જ રહી.
વહેલી સવારના ન્યુઝમાં જાહેરાત થઈ. ‘એક આતંકવાદીને ઠાર મરાયો.’ એનો ફોટો સ્ક્રીન પર બતાવાયો..
‘નો નો’.... કહેતાં ઈના બેહોશ થઇ ગઇ...બેહોશીમાં એ લવ્યા કરતી’તી ‘આઇ એમ સેવ્ડ..
ઈના બહાવરી બનીને ટીવીમાં કોઇને શોધ્યા કરતી હતી. હોટલમાં બધા ફસાયેલા હતા. લોકોની ચીસાચીસને બુમાબુમ.... ઈનાનું મન અમન માટે ધમપછાડા ખાતું હતું... એનું ચાલત તો એ હોટલ તરફ દોડ લગાવત પણ મમ્મી-પપ્પા એનો હાથ છોડે તો ને! રાત આખી એની આંખો ટીવીમાં ઘુસેલી જ રહી.
વહેલી સવારના ન્યુઝમાં જાહેરાત થઈ. ‘એક આતંકવાદીને ઠાર મરાયો.’ એનો ફોટો સ્ક્રીન પર બતાવાયો..
‘નો નો’.... કહેતાં ઈના બેહોશ થઇ ગઇ...બેહોશીમાં એ લવ્યા કરતી’તી ‘આઇ એમ સેવ્ડ..
મોહિની મહેતા પ્રશ્ન : મારી દીકરી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. એનું કોલેજનું ગ્રૂપ સારું છે, પણ છેલ્લા થોડા સમયથી એ રાત્રે મોડી ઘરે આવે છે અને એને ઘરે મૂકવા માટે ગ્રૂપના જ કોઇ ને કોઇ યુવાનો આવે છે. મને આ અંગે ચિંતા થાય છે કે એ રાત્રે મોડી અને કોઇ યુવાન સાથે ઘરે આવે તો લોકો એના વિશે કેવી વાતો કરશે? એની સાથે કંઇ દુર્ઘટના બનશે તો? મારે શું કરવું?
- એક મહિલા
ઉત્તર : તમારી દીકરી કોલેજમાં ભણે છે અને હવે એ પોતાના ગ્રૂપ સાથે વધારે સમય વિતાવે છે. જોકે તમારી ચિંતા સ્વાભાવિક છે કે દીકરી રાત્રે મોડી આવે અને એને કોઇ યુવાન ભલે એ જાણીતો હોય, તો પણ આપણા સમાજમાં લોકો વાતો કરતાં થઇ જાય છે. તે સાથે જ તમારી એ ચિંતાને પણ નકારી શકાય નહીં કે હવે યુવતીઓ ભલે સક્ષમ બની છે, પરંતુ સાથોસાથ યુવતીઓ સાથે બનતી દુર્ઘટનાઓના પણ અનેક કિસ્સાઓ આપણે વાંચતાં-સાંભળતાં હોઇએ છીએ. તમે દીકરીને પ્રેમથી સમજાવો કે મોડી રાત સુધી એ બહાર રહે અને એને રાત્રે કોઇ પણ યુવાન ઘરે મૂકવા આવે તે યોગ્ય નથી. એ ભલે એના ગ્રૂપ સાથે જાય, પરંતુ રાત્રે ઘરે સમયસર આવી જાય એવું તેને સમજાવો.
પ્રશ્ન : મારા પતિને લગ્ન પહેલાં એક યુવતી સાથે પ્રેમ હતો. બંનેની સગાઇ પણ થઇ ગઇ હતી, પરંતુ એ યુવતીનાં માતા-પિતાએ કરિયાવર આપવાની ના પાડતાં મારાં સાસુ-સસરાએ એ સગાઇ તોડી નાખી. મને આ વાતની જાણ થયા પછી ચિંતા થાય છે કે મારાં સાસુ-સસરા મારી પાસે (મારાં માતા-પિતા પાસે)થી આવી કોઇ માગણી કરશે તો શું કરવું? હું આ અંગે મારાં માતા-પિતાને જાણ કરું? - એક યુવતી
ઉત્તર : તમારા પતિની ભૂતપૂર્વ પ્રેમિકા સાથે તમારાં સાસુ-સસરાને જે કંઇ વાંધો પડ્યો હોય અને તેમણે એ સગાઇ તોડી નાખી હોય, તેની સાથે તમારે કંઇ લેવાદેવા નથી. અલબત્ત, કરિયાવર બાબતે જો એ લોકોને એટલે કે તમારાં સાસુ-સસરાને લાલચ હોત, તો એમણે લગ્ન સમયે જ તમારાં માતા-પિતા પાસેથી કરિયાવરની માગણી કરી હોત. તેમણે તમને કે તમારાં માતા-પિતાને કંઇ કહ્યું નથી, તેનો અર્થ એ કે તમારાં સાસુ-સસરાને કરિયાવરની લાલચ ન હોય. એવું પણ બનવાજોગ છે કે એ ભૂતપૂર્વ પ્રેમિકાએ પોતાની સગાઇ તૂટવા માટે આ ખોટી વાત ફેલાવી હોય. તમે ચિંતા ન કરો. તમારાં સાસુ-સસરા તમારી પાસે કંઇ માગણી કરશે નહીં. આ બાબતે ચિંતા કરશો નહીં અને આ બાબતે તમારાં માતા-પિતાને જણાવી તેમને પણ ખોટી ચિંતામાં મૂકવાની જરૂર નથી.
પ્રશ્ન : મારી સાથે જ જોબ કરતા એક યુવાનને હું પસંદ છું, પરંતુ મને એ યુવાન ખાસ પસંદ નથી. એ ઘણી વાર લંચ અવરમાં અથવા ટી-બ્રેક વખતે મારા ડેસ્ક પર આવીને બેસે છે. મારું કંઇ કામ પેન્ડિંગ હોય તો તે પૂરું કરાવવામાં મદદ કરવાનું કહે છે, પણ મને એ બધું પસંદ નથી. મને ખ્યાલ છે કે એ આ બધું મારી નજીક રહેવા માટે કહે છે, પણ મારે એને કઇ રીતે ના કહેવી?
- એક યુવતી
ઉત્તર : તમને જે યુવાન પસંદ નથી એની સાથે તમે જો અનિચ્છાએ પણ નિકટતા વધારશો તો એને મનોમન પ્રોત્સાહન મળશે. તમને એ યુવાન પસંદ નથી અને તમને એ પણ ખ્યાલ છે કે એ તમારી નજીક રહેવા માટે તમને મદદરૂપ થવાનું કહે છે, જે તમને ગમતું નથી. તમે આ બાબતે એ યુવાનને સ્પષ્ટ ના કહી દો કે તમને એની મદદ લેવાનું ગમતું નથી. તેમ જ એ લંચ અવરમાં કે ટી-બ્રેકમાં તમારી ડેસ્ક પર આવીને બેસે છે, તે પણ તમને પસંદ નથી. એક વાર સ્પષ્ટ કહી દેવાથી એને કદાચ ખરાબ લાગી શકે, પણ તમને કાયમ માટે શાંતિ મળી જશે.
પ્રશ્ન : મારા પિતા નિવૃત્ત થઇ ગયા છે. મેં એમબીએ કર્યું છે અને જોબ શોધું છું. બે વર્ષ થઇ ગયાં, છતાં હજી મને કોઇ સારી જોબ મળી નથી. અત્યારે તો માતા-પિતાએ કરેલી બચતમાંથી ઘરખર્ચ ચાલે છે, પણ જો મને જોબ ન મળી તો બચત ઉપર ઘર કેટલા સમય સુધી ચાલશે? હું શું કરું?
- એક યુવાન
ઉત્તર : તમે એમબીએ કર્યું છે અને બે વર્ષથી જોબની શોધમાં છો, તો અત્યાર સુધીમાં તમને કોઇ જોબ મળી જ જવી જોઇએ. આજકાલ તો કેટલીય વેકેન્સીની જાહેરાતો છાપાંમાં આવતી હોય છે. તમને તમારાં માતા-પિતાને મદદરૂપ થવાની ચિંતા છે, એ બરાબર, પણ તમે જો કોઇ સારી જોબની જ શોધમાં બેસી રહેશો, તો એ રીતે તમને જોબ નહીં મળે. તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે. તમને અત્યારે જે કોઇ જોબ મળતી હોય તે મેળવી લો અને માતા-પિતાને આર્થિક મદદ કરો. ધીરે ધીરે તમને અનુભવ મળવાની સાથોસાથ ગમતી જોબ પણ ચોક્કસ મળી જશે.
પ્રશ્ન : મારાં લગ્ન થયાં, ત્યારે મારા મિત્રને મારી સાળી ગમી ગઇ હતી. અમે બંનેએ એ મિત્રનાં માતા-પિતા અને મારાં સાસુ-સસરાને વાત કરી, બંનેની સગાઇ કરાવી આપી. હવે એમનાં લગ્ન બે મહિના પછી થવાનાં છે, ત્યારે મારો મિત્ર લગ્ન કરવાની ના કહે છે. આ રીતે એ ના કહે અને સગાઇ તોડી નાખે તો મારી સાળી વિશે બધાં શું વિચારે? એને કઇ રીતે લગ્ન કરવા માટે રાજી કરવો? - એક યુવાન
- એક મહિલા
ઉત્તર : તમારી દીકરી કોલેજમાં ભણે છે અને હવે એ પોતાના ગ્રૂપ સાથે વધારે સમય વિતાવે છે. જોકે તમારી ચિંતા સ્વાભાવિક છે કે દીકરી રાત્રે મોડી આવે અને એને કોઇ યુવાન ભલે એ જાણીતો હોય, તો પણ આપણા સમાજમાં લોકો વાતો કરતાં થઇ જાય છે. તે સાથે જ તમારી એ ચિંતાને પણ નકારી શકાય નહીં કે હવે યુવતીઓ ભલે સક્ષમ બની છે, પરંતુ સાથોસાથ યુવતીઓ સાથે બનતી દુર્ઘટનાઓના પણ અનેક કિસ્સાઓ આપણે વાંચતાં-સાંભળતાં હોઇએ છીએ. તમે દીકરીને પ્રેમથી સમજાવો કે મોડી રાત સુધી એ બહાર રહે અને એને રાત્રે કોઇ પણ યુવાન ઘરે મૂકવા આવે તે યોગ્ય નથી. એ ભલે એના ગ્રૂપ સાથે જાય, પરંતુ રાત્રે ઘરે સમયસર આવી જાય એવું તેને સમજાવો.
પ્રશ્ન : મારા પતિને લગ્ન પહેલાં એક યુવતી સાથે પ્રેમ હતો. બંનેની સગાઇ પણ થઇ ગઇ હતી, પરંતુ એ યુવતીનાં માતા-પિતાએ કરિયાવર આપવાની ના પાડતાં મારાં સાસુ-સસરાએ એ સગાઇ તોડી નાખી. મને આ વાતની જાણ થયા પછી ચિંતા થાય છે કે મારાં સાસુ-સસરા મારી પાસે (મારાં માતા-પિતા પાસે)થી આવી કોઇ માગણી કરશે તો શું કરવું? હું આ અંગે મારાં માતા-પિતાને જાણ કરું? - એક યુવતી
ઉત્તર : તમારા પતિની ભૂતપૂર્વ પ્રેમિકા સાથે તમારાં સાસુ-સસરાને જે કંઇ વાંધો પડ્યો હોય અને તેમણે એ સગાઇ તોડી નાખી હોય, તેની સાથે તમારે કંઇ લેવાદેવા નથી. અલબત્ત, કરિયાવર બાબતે જો એ લોકોને એટલે કે તમારાં સાસુ-સસરાને લાલચ હોત, તો એમણે લગ્ન સમયે જ તમારાં માતા-પિતા પાસેથી કરિયાવરની માગણી કરી હોત. તેમણે તમને કે તમારાં માતા-પિતાને કંઇ કહ્યું નથી, તેનો અર્થ એ કે તમારાં સાસુ-સસરાને કરિયાવરની લાલચ ન હોય. એવું પણ બનવાજોગ છે કે એ ભૂતપૂર્વ પ્રેમિકાએ પોતાની સગાઇ તૂટવા માટે આ ખોટી વાત ફેલાવી હોય. તમે ચિંતા ન કરો. તમારાં સાસુ-સસરા તમારી પાસે કંઇ માગણી કરશે નહીં. આ બાબતે ચિંતા કરશો નહીં અને આ બાબતે તમારાં માતા-પિતાને જણાવી તેમને પણ ખોટી ચિંતામાં મૂકવાની જરૂર નથી.
પ્રશ્ન : મારી સાથે જ જોબ કરતા એક યુવાનને હું પસંદ છું, પરંતુ મને એ યુવાન ખાસ પસંદ નથી. એ ઘણી વાર લંચ અવરમાં અથવા ટી-બ્રેક વખતે મારા ડેસ્ક પર આવીને બેસે છે. મારું કંઇ કામ પેન્ડિંગ હોય તો તે પૂરું કરાવવામાં મદદ કરવાનું કહે છે, પણ મને એ બધું પસંદ નથી. મને ખ્યાલ છે કે એ આ બધું મારી નજીક રહેવા માટે કહે છે, પણ મારે એને કઇ રીતે ના કહેવી?
- એક યુવતી
ઉત્તર : તમને જે યુવાન પસંદ નથી એની સાથે તમે જો અનિચ્છાએ પણ નિકટતા વધારશો તો એને મનોમન પ્રોત્સાહન મળશે. તમને એ યુવાન પસંદ નથી અને તમને એ પણ ખ્યાલ છે કે એ તમારી નજીક રહેવા માટે તમને મદદરૂપ થવાનું કહે છે, જે તમને ગમતું નથી. તમે આ બાબતે એ યુવાનને સ્પષ્ટ ના કહી દો કે તમને એની મદદ લેવાનું ગમતું નથી. તેમ જ એ લંચ અવરમાં કે ટી-બ્રેકમાં તમારી ડેસ્ક પર આવીને બેસે છે, તે પણ તમને પસંદ નથી. એક વાર સ્પષ્ટ કહી દેવાથી એને કદાચ ખરાબ લાગી શકે, પણ તમને કાયમ માટે શાંતિ મળી જશે.
પ્રશ્ન : મારા પિતા નિવૃત્ત થઇ ગયા છે. મેં એમબીએ કર્યું છે અને જોબ શોધું છું. બે વર્ષ થઇ ગયાં, છતાં હજી મને કોઇ સારી જોબ મળી નથી. અત્યારે તો માતા-પિતાએ કરેલી બચતમાંથી ઘરખર્ચ ચાલે છે, પણ જો મને જોબ ન મળી તો બચત ઉપર ઘર કેટલા સમય સુધી ચાલશે? હું શું કરું?
- એક યુવાન
ઉત્તર : તમે એમબીએ કર્યું છે અને બે વર્ષથી જોબની શોધમાં છો, તો અત્યાર સુધીમાં તમને કોઇ જોબ મળી જ જવી જોઇએ. આજકાલ તો કેટલીય વેકેન્સીની જાહેરાતો છાપાંમાં આવતી હોય છે. તમને તમારાં માતા-પિતાને મદદરૂપ થવાની ચિંતા છે, એ બરાબર, પણ તમે જો કોઇ સારી જોબની જ શોધમાં બેસી રહેશો, તો એ રીતે તમને જોબ નહીં મળે. તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે. તમને અત્યારે જે કોઇ જોબ મળતી હોય તે મેળવી લો અને માતા-પિતાને આર્થિક મદદ કરો. ધીરે ધીરે તમને અનુભવ મળવાની સાથોસાથ ગમતી જોબ પણ ચોક્કસ મળી જશે.
પ્રશ્ન : મારાં લગ્ન થયાં, ત્યારે મારા મિત્રને મારી સાળી ગમી ગઇ હતી. અમે બંનેએ એ મિત્રનાં માતા-પિતા અને મારાં સાસુ-સસરાને વાત કરી, બંનેની સગાઇ કરાવી આપી. હવે એમનાં લગ્ન બે મહિના પછી થવાનાં છે, ત્યારે મારો મિત્ર લગ્ન કરવાની ના કહે છે. આ રીતે એ ના કહે અને સગાઇ તોડી નાખે તો મારી સાળી વિશે બધાં શું વિચારે? એને કઇ રીતે લગ્ન કરવા માટે રાજી કરવો? - એક યુવાન
ઉત્તર : તમારા મિત્રને તમારી સાળી લગ્નમાં જોયાં દરમિયાન ગમી ગઇ અને તમે બંનેએ મળીને એ મિત્ર તથા તમારી સાળીની સગાઇ પણ કરાવડાવી આપી. આટલું બધું કરતાં પહેલાં તમારે તમારા મિત્રની થોડી તો ચકાસણી કરવી હતી કે એ આ અંગે પૂરતો ગંભીર છે કે નહીં. વળી, હવે જો એ લગ્ન કરવાની ના કહે છે, તો સગાઇના આટલા સમય પછી કેમ લગ્નની ના કહે છે, તેનું કારણ જાણવાનો તમારાં બંનેમાંથી કોઇએ પ્રયત્ન કર્યો નથી. સૌથી પહેલાં તો એ જાણો કે એ કેમ લગ્ન કરવાની ના કહે છે. જો કોઇ વ્યાજબી કારણ ન હોય, તો તમારા મિત્રને કહો કે એણે જ સામે ચાલીને તમારી સાળી સાથે લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી હતી અને હવે એ ના કહે તો તે યોગ્ય નથી. જરૂર લાગે તો એનાં માતા-પિતાને પણ વાત કરો.
પ્રશ્ન : મારી ઉંમર એકવીસ વર્ષ છે અને હું જે યુવતીને પ્રેમ કરું છું એની ઉંમર અઢાર વર્ષ છે. અમે બંને લગ્ન કરવા માગીએ છીએ, પણ અમારાં માતા-પિતાનું કહેવું છે કે હજી બે-ત્રણ વર્ષ બાદ તેઓ અમારાં લગ્ન કરાવી આપશે. અમારી બંનેની ઇચ્છા પહેલા લગ્ન કરવાની છે, અમારે માતા-પિતાને કઇ રીતે મનાવવા? - એક યુવાન
ઉત્તર : તમે બંને લગ્ન કરવા માટેની યોગ્ય ઉંમર ધરાવતાં તો થઇ ગયાં છો, પરંતુ હજી તમારો કદાચ અભ્યાસ પૂર્ણ નહીં થયો હોય અથવા તો કરિયરમાં કોઇ ચોક્કસ માર્ગે આગળ વધ્યા નહીં હો. માતા-પિતાની વાત સાચી છે કે હજી તમારે રાહ જોવી જોઇએ. ઘણી વાર ઉંમરના આ તબક્કે લગ્ન કરવામાં એકબીજાના સાથ કરતાં વિજાતીય આકર્ષણની ભાવના વધારે હોય છે. માટે તમે બંને હજી થોડો સમય રાહ જુઓ અને પછી પણ જો બંનેને લાગે કે એકબીજા વિના નહીં રહી શકો, તો પછી માતા-પિતાએ તો બે-ત્રણ વર્ષ બાદ તો લગ્ન કરાવી જ આપવાનાં છે. માટે રાહ જુઓ એ જ તમારાં બંને માટે હાલના સમયે હિતાવહ રહેશે.
પ્રશ્ન : મારી ઉંમર એકવીસ વર્ષ છે અને હું જે યુવતીને પ્રેમ કરું છું એની ઉંમર અઢાર વર્ષ છે. અમે બંને લગ્ન કરવા માગીએ છીએ, પણ અમારાં માતા-પિતાનું કહેવું છે કે હજી બે-ત્રણ વર્ષ બાદ તેઓ અમારાં લગ્ન કરાવી આપશે. અમારી બંનેની ઇચ્છા પહેલા લગ્ન કરવાની છે, અમારે માતા-પિતાને કઇ રીતે મનાવવા? - એક યુવાન
ઉત્તર : તમે બંને લગ્ન કરવા માટેની યોગ્ય ઉંમર ધરાવતાં તો થઇ ગયાં છો, પરંતુ હજી તમારો કદાચ અભ્યાસ પૂર્ણ નહીં થયો હોય અથવા તો કરિયરમાં કોઇ ચોક્કસ માર્ગે આગળ વધ્યા નહીં હો. માતા-પિતાની વાત સાચી છે કે હજી તમારે રાહ જોવી જોઇએ. ઘણી વાર ઉંમરના આ તબક્કે લગ્ન કરવામાં એકબીજાના સાથ કરતાં વિજાતીય આકર્ષણની ભાવના વધારે હોય છે. માટે તમે બંને હજી થોડો સમય રાહ જુઓ અને પછી પણ જો બંનેને લાગે કે એકબીજા વિના નહીં રહી શકો, તો પછી માતા-પિતાએ તો બે-ત્રણ વર્ષ બાદ તો લગ્ન કરાવી જ આપવાનાં છે. માટે રાહ જુઓ એ જ તમારાં બંને માટે હાલના સમયે હિતાવહ રહેશે.
બુધવારની બપોરે:બાલ્કનીમાંથી ઘરમાં જવાય?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/can-i-go-into-the-house-from-the-balcony-135305841.html
બે કારીના હૃદયદ્રાવક જમાનામાં પણ મેં સર્કસમાં નોકરી કરી નથી. ભૂખ્યો સૂતો નથી પણ અનેકને સુવડાવ્યા છે. મંદિરોમાં પૂનમની ભીડોમાંથી સાંગોપાંગ દેવ દર્શનો કરી શક્યો નથી, એટલે ફ્લૅટની ચાવી ફ્લૅટમાં રહી ગઇ હોય ત્યારે ફ્લૅટમાં ક્યા માર્ગે જવું, તેનું મને નૉલેજ ન હોય તે સ્વાભાવિક છે.
ઘરનાં બધાં ઘરની બહાર હતાં. એટલે ગમે તેમ કરીને ફ્લૅટમાં જવું તો પડે જ? દરવાજાને નાનકડી 20-25 ધક્કીઓ નહિ, પણ 3-4 તોતિંગ ધક્કા મારી જોયા. કોઇ રિસ્પૉન્સ નહિ. હું ફ્લૅટના પગથિયા પાસે ઢીંચણ ઉપર બન્ને કોણીઓ ગોઠવીને દરવાજા સામે જોતો આઠેક મિનિટ બેસી રહ્યો. કંઇ બોલવા કરવાનું નહિ. બસ. જમવાનું ય અહીં જ મંગાવવું ના પડે, એની ફિકર કરતો હું ફિલ્મ ‘જાગતે રહો’ના રાજ કપૂર જેવો લાગતો હતો....દેખાવમાં નહિ, લાચારીમાં!
મને ખ્યાલ તો આવ્યો કે, ઘરમાં જવું નિહાયત જરૂરી હતું. લાઇફનાં બાકીનાં વર્ષો આમ ફ્લૅટના દરવાજાની સામે ઢીંચણ ચઢાવીને બેસી તો ન રહેવાય ને? કોક જુએ તો શું માને? તમને યાદ હોય તો જંગલના ગોરિલાઓ ખીજાય એટલે ધમધમધમ પોતાની છાતી કૂટે છે.
હવે મને ખ્યાલ આવ્યો કે, એ લોકો ય ચાવી ક્યાંક ભૂલી આવ્યા હશે. એક રસ્તો હતો. અમારી બાલ્કનીમાં પહોંચી જવાય તો પછી અંદરથી સ્ટૉપર કેવી રીતે ખોલવી, એ ઈઝી હશે. મા
રું હજી એ પહેલું જ કદમ હતું એટલે બાજુમાં કે ફ્લૅટની નીચે ભીડ જમા થઇ નહોતી. આ ભીડોનું તો કેવું હોય છે કે, એ લોકોને ખાત્રી થાય કે, હવે આ ઉપરથી નીચે ખાબકે એવો છે, તો નીચે કમર પર બન્ને હાથો ટેકવીને આપણી સામે ઊંચે જોયે રાખે...મોટી આશાઓ લઇને!
ધીમે ધીમે જનમાનસ ભેગું થવા માંડ્યું હતું. એ લોકો હૅલ્પ કરવા માંગતા હતાં કે, મારા પડવાની રાહ જોતાં હતાં, તે હું નીચે જઇ-આવીને પૂછી ન શક્યો. આપણા એ સંસ્કાર જ નહિ. અડોસપડોસમાં સંબંધો ગમે તેટલા સારા હોય તો પણ બાજુવાળા પડોસીને એમ ન કહેવાય કે, ‘મારા બદલે જરા તમે બાલ્કનીમાં ઠેકી આવો ને!’ એવું કહીએ ને સાલો ઠેકી આવે, તો.... પછી ઘર રેઢું કેવી રીતે મૂકવું? બધા પડોસીઓ મારા જેવા સારા, ઈમાનદાર, જોવા ગમે એવા તેમ જ ભરોસેમંદ હોતા નથી. આ તો એક વાત થાય છે.
આખરે પૂજ્ય ભ'ઈ (પપ્પા)નો એક પ્રસંગ યાદ આવ્યો. મારા વતન મોરબીની બક્ષી શેરીમાં અમારું ઘર. સામે મંદિર. વરસાદ ધોધમાર હતો ને શેરીમાં હોવું જોઇએ એટલું પાણી ઘરના ફળિયામાં વહેતું હતું. ભ'ઇ કાચી સેકંડમાં મંદિરથી અમારા ઘર સુધીના આઠ ફૂટનું અંતર ઠેકી ગયા હતા. આઇ મીન, બબ્બે તબક્કે! વચમાં એક વિરાટ પાણો હતો. (પાણો એટલે પથરો) પહેલો જમ્પ એ પાણા ઉ૫૨ ને બીજો ડાયરેક્ટ ઘરના પગથિયા ઉપર! અહીં, મારે કૂદાય એવો પાણો બાલ્કની અને દાદરના કઠેડા વચ્ચે આવતો નહોતો. કામ મુશ્કેલ હતું. પાછો મને કોઇ અડોસપડોસ તરફથી ‘બક-અપ’ પણ નહિ.
ઑલિમ્પિક જેવી ૨મતોમાં ભલે દોડવીરે 100-મી. જ દોડવાનું હોય છે, પણ એને ‘બક-અપ' કરવા સ્ટેડિયમમાં લાખો લોકો ઉપસ્થિત હોય છે. મારે તો કોઇ નહિ. પેલો 100-મી. દોડનારો ન કરે નારાયણ ને ગોથમડું ખાઇ જાય તો બહુ બહુ તો ઢીંચણ કે કોણી છોલાય....મારા કૅસમાં તો પડોસીઓ ટીંચર-આયોડિન પણ લઇને ન આવે. જાણતા હોય કે, આટલે ઊંચેથી ખાબક્યો છે તો, ‘હવે ખોટું ટીંચર બગાડવાની જરૂર નથી. આમેય, એને સવારે તો કાઢી જશે ને?’
મેં દાદરના કઠેડેથી વાંકા વળીને જોયું કે, પ્રવાસ કેટલો દૂર અને ખતરનાક છે? ખતરનાક હતો, પણ દૂર નહોતો. નૉર્મલી, લાંબા પ્રવાસોમાં સાથે શું શું લઇ જવું, એની યાદી બનાવાતી હોય છે. (આવી યાદી બનાવવાના ડોડળીયામાં એક વાર હું હકીને ઉમેરવાનું ભૂલી ગયો હતો!....અને એ પ્રવાસ મુલતવી રાખવો પડ્યો હતો!) હું કોઇ હરક્યુલિસ નહોતો કે, બીક-ફીક ન લાગે. હિંમત કરીને-વાંકા વળીને મેં બાલ્કનીના કઠેડાને અડી જોયું. (એ તાજો રંગેલો નહોતો ને, એ ચૅક કરવા!) સબ-સલામત હતું.
ઘરમાં ઘૂસવું નિહાયત જરૂરી અને હવે પેટલક્ષી ઈમર્જન્સીવાળું પણ હતું. વધુ રાહ જોવાય એવી નહોતી. નીચે પબ્લિક ભરાવા માંડ્યું હતું. મને લાગે છે કે, એ લોકો અંદરોઅંદર કોઇ શરતો મારતાં હતાં, શેની....એ તો મને ખબર નથી, પણ મારા તરફ હાથમાં પૈસાની નૉટો ઊંચી કરીને એ લોકો ‘બક-અપ...બક-અપ’ કરે જતાં હતાં. હું પરમેશ્વરમાં ચોક્કસ માનું છું, એટલે હવે તાકીદની જરૂરત પરમેશ્વર મારામાં કેટલું માને છે, એ જોવાની હતી.
એમનું નામ લઇને હું સફળતાપૂર્વક કઠેડો ઠેકી ગયો અને ‘સૅફ-લૅન્ડિંગ’ બાલ્કનીમાં થયું. હજી મોટો ખતરો અંદરથી બંધ રહેતા દરવાજાને ખોલવાનો હતો. મેં જસ્ટ...એક વાર ખખડાવ્યો, એમાં તો દરવાજો ખૂલી ગયો. સામેથી હકી પ્રગટ થઇ. એ ખીજાણી કે ‘મૅઇન દરવાજેથી નથી અવાતું?’
હું થાકેલો, હારેલો અને પસ્તાયેલો સોફા પર બેસી પડ્યો. ‘તમને એટલું ય યાદ રહેતું નથી કે ફ્લૅટની ચાવી વૅન્ટિલેટરવાળા ખચકામાં રાખીએ છીએ...?’ સિક્સર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/can-i-go-into-the-house-from-the-balcony-135305841.html
બે કારીના હૃદયદ્રાવક જમાનામાં પણ મેં સર્કસમાં નોકરી કરી નથી. ભૂખ્યો સૂતો નથી પણ અનેકને સુવડાવ્યા છે. મંદિરોમાં પૂનમની ભીડોમાંથી સાંગોપાંગ દેવ દર્શનો કરી શક્યો નથી, એટલે ફ્લૅટની ચાવી ફ્લૅટમાં રહી ગઇ હોય ત્યારે ફ્લૅટમાં ક્યા માર્ગે જવું, તેનું મને નૉલેજ ન હોય તે સ્વાભાવિક છે.
ઘરનાં બધાં ઘરની બહાર હતાં. એટલે ગમે તેમ કરીને ફ્લૅટમાં જવું તો પડે જ? દરવાજાને નાનકડી 20-25 ધક્કીઓ નહિ, પણ 3-4 તોતિંગ ધક્કા મારી જોયા. કોઇ રિસ્પૉન્સ નહિ. હું ફ્લૅટના પગથિયા પાસે ઢીંચણ ઉપર બન્ને કોણીઓ ગોઠવીને દરવાજા સામે જોતો આઠેક મિનિટ બેસી રહ્યો. કંઇ બોલવા કરવાનું નહિ. બસ. જમવાનું ય અહીં જ મંગાવવું ના પડે, એની ફિકર કરતો હું ફિલ્મ ‘જાગતે રહો’ના રાજ કપૂર જેવો લાગતો હતો....દેખાવમાં નહિ, લાચારીમાં!
મને ખ્યાલ તો આવ્યો કે, ઘરમાં જવું નિહાયત જરૂરી હતું. લાઇફનાં બાકીનાં વર્ષો આમ ફ્લૅટના દરવાજાની સામે ઢીંચણ ચઢાવીને બેસી તો ન રહેવાય ને? કોક જુએ તો શું માને? તમને યાદ હોય તો જંગલના ગોરિલાઓ ખીજાય એટલે ધમધમધમ પોતાની છાતી કૂટે છે.
હવે મને ખ્યાલ આવ્યો કે, એ લોકો ય ચાવી ક્યાંક ભૂલી આવ્યા હશે. એક રસ્તો હતો. અમારી બાલ્કનીમાં પહોંચી જવાય તો પછી અંદરથી સ્ટૉપર કેવી રીતે ખોલવી, એ ઈઝી હશે. મા
રું હજી એ પહેલું જ કદમ હતું એટલે બાજુમાં કે ફ્લૅટની નીચે ભીડ જમા થઇ નહોતી. આ ભીડોનું તો કેવું હોય છે કે, એ લોકોને ખાત્રી થાય કે, હવે આ ઉપરથી નીચે ખાબકે એવો છે, તો નીચે કમર પર બન્ને હાથો ટેકવીને આપણી સામે ઊંચે જોયે રાખે...મોટી આશાઓ લઇને!
ધીમે ધીમે જનમાનસ ભેગું થવા માંડ્યું હતું. એ લોકો હૅલ્પ કરવા માંગતા હતાં કે, મારા પડવાની રાહ જોતાં હતાં, તે હું નીચે જઇ-આવીને પૂછી ન શક્યો. આપણા એ સંસ્કાર જ નહિ. અડોસપડોસમાં સંબંધો ગમે તેટલા સારા હોય તો પણ બાજુવાળા પડોસીને એમ ન કહેવાય કે, ‘મારા બદલે જરા તમે બાલ્કનીમાં ઠેકી આવો ને!’ એવું કહીએ ને સાલો ઠેકી આવે, તો.... પછી ઘર રેઢું કેવી રીતે મૂકવું? બધા પડોસીઓ મારા જેવા સારા, ઈમાનદાર, જોવા ગમે એવા તેમ જ ભરોસેમંદ હોતા નથી. આ તો એક વાત થાય છે.
આખરે પૂજ્ય ભ'ઈ (પપ્પા)નો એક પ્રસંગ યાદ આવ્યો. મારા વતન મોરબીની બક્ષી શેરીમાં અમારું ઘર. સામે મંદિર. વરસાદ ધોધમાર હતો ને શેરીમાં હોવું જોઇએ એટલું પાણી ઘરના ફળિયામાં વહેતું હતું. ભ'ઇ કાચી સેકંડમાં મંદિરથી અમારા ઘર સુધીના આઠ ફૂટનું અંતર ઠેકી ગયા હતા. આઇ મીન, બબ્બે તબક્કે! વચમાં એક વિરાટ પાણો હતો. (પાણો એટલે પથરો) પહેલો જમ્પ એ પાણા ઉ૫૨ ને બીજો ડાયરેક્ટ ઘરના પગથિયા ઉપર! અહીં, મારે કૂદાય એવો પાણો બાલ્કની અને દાદરના કઠેડા વચ્ચે આવતો નહોતો. કામ મુશ્કેલ હતું. પાછો મને કોઇ અડોસપડોસ તરફથી ‘બક-અપ’ પણ નહિ.
ઑલિમ્પિક જેવી ૨મતોમાં ભલે દોડવીરે 100-મી. જ દોડવાનું હોય છે, પણ એને ‘બક-અપ' કરવા સ્ટેડિયમમાં લાખો લોકો ઉપસ્થિત હોય છે. મારે તો કોઇ નહિ. પેલો 100-મી. દોડનારો ન કરે નારાયણ ને ગોથમડું ખાઇ જાય તો બહુ બહુ તો ઢીંચણ કે કોણી છોલાય....મારા કૅસમાં તો પડોસીઓ ટીંચર-આયોડિન પણ લઇને ન આવે. જાણતા હોય કે, આટલે ઊંચેથી ખાબક્યો છે તો, ‘હવે ખોટું ટીંચર બગાડવાની જરૂર નથી. આમેય, એને સવારે તો કાઢી જશે ને?’
મેં દાદરના કઠેડેથી વાંકા વળીને જોયું કે, પ્રવાસ કેટલો દૂર અને ખતરનાક છે? ખતરનાક હતો, પણ દૂર નહોતો. નૉર્મલી, લાંબા પ્રવાસોમાં સાથે શું શું લઇ જવું, એની યાદી બનાવાતી હોય છે. (આવી યાદી બનાવવાના ડોડળીયામાં એક વાર હું હકીને ઉમેરવાનું ભૂલી ગયો હતો!....અને એ પ્રવાસ મુલતવી રાખવો પડ્યો હતો!) હું કોઇ હરક્યુલિસ નહોતો કે, બીક-ફીક ન લાગે. હિંમત કરીને-વાંકા વળીને મેં બાલ્કનીના કઠેડાને અડી જોયું. (એ તાજો રંગેલો નહોતો ને, એ ચૅક કરવા!) સબ-સલામત હતું.
ઘરમાં ઘૂસવું નિહાયત જરૂરી અને હવે પેટલક્ષી ઈમર્જન્સીવાળું પણ હતું. વધુ રાહ જોવાય એવી નહોતી. નીચે પબ્લિક ભરાવા માંડ્યું હતું. મને લાગે છે કે, એ લોકો અંદરોઅંદર કોઇ શરતો મારતાં હતાં, શેની....એ તો મને ખબર નથી, પણ મારા તરફ હાથમાં પૈસાની નૉટો ઊંચી કરીને એ લોકો ‘બક-અપ...બક-અપ’ કરે જતાં હતાં. હું પરમેશ્વરમાં ચોક્કસ માનું છું, એટલે હવે તાકીદની જરૂરત પરમેશ્વર મારામાં કેટલું માને છે, એ જોવાની હતી.
એમનું નામ લઇને હું સફળતાપૂર્વક કઠેડો ઠેકી ગયો અને ‘સૅફ-લૅન્ડિંગ’ બાલ્કનીમાં થયું. હજી મોટો ખતરો અંદરથી બંધ રહેતા દરવાજાને ખોલવાનો હતો. મેં જસ્ટ...એક વાર ખખડાવ્યો, એમાં તો દરવાજો ખૂલી ગયો. સામેથી હકી પ્રગટ થઇ. એ ખીજાણી કે ‘મૅઇન દરવાજેથી નથી અવાતું?’
હું થાકેલો, હારેલો અને પસ્તાયેલો સોફા પર બેસી પડ્યો. ‘તમને એટલું ય યાદ રહેતું નથી કે ફ્લૅટની ચાવી વૅન્ટિલેટરવાળા ખચકામાં રાખીએ છીએ...?’ સિક્સર
ઈમિગ્રેશન:H-1B વિઝા કેવી રીતે મળે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/how-to-get-an-h-1b-visa-135305831.html
રમેશ રાવલ સવાલ: મારો દીકરો યુકેમાં ms culinary arts કરીને psw (પોસ્ટ સ્ટડી વર્ક) પર છે. હવે તેને યુએસએમાં H-1B વિઝા કઈ રીતે મળી શકે?
- હીના શાહ, અમદાવાદ
જવાબ: અમેરિકાના H-1B વિઝા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડે. જેમકે, (1) તમને અમેરિકામાં Specialty occupation workersની જોબ ઓફર આપનાર કંપની એમ્પ્લોયરે તમારા માટે નોન ઈમિગ્રન્ટ વર્કર તરીકે પિટિશન ફાઈલ કરી લેબર સર્ટિફિકેશન લેવું પડે.
(2) જો તમારી પિટિશન એપ્રૂવ થાય તો તમારે તેની સાથે DS. 160 ફોર્મ ભરી વિઝા માટે એપ્લાય કરો અને વિઝા મળે તો એમેરિકા જઈને જોબ કરી શકાય. (3) આ ઉપરાંત લોટરી સિસ્ટમ અને બીજી ઘણી બાબતોમાંથી પસાર થવું પડે. (4) આ વિઝા માટેની જરૂરી ડિગ્રી વગેરે પણ જરૂરી છે.
સવાલ: હું બિઝનેસમેન છું અને મારી બે કંપનીઓ છે. મારું 400 કરોડનું ટર્નઓવર છે. મારી ઉંમર 66 વર્ષની છે અને મારી પત્નીની ઉંમર 62 વર્ષની છે. હું ઘણા દેશોમાં જેવા કે યુરોપ, ફિનલેન્ડ, પનામા, ઝાંબિયામાં બિઝનેસ તેમજ ટુરિસ્ટ તરીકે ટ્રાવેલ કરી ચૂક્યો છું. હવે મારે અને મારી પત્નીએ અમેરિકાના વિઝિટર વિઝા માટે તમને રૂબરૂ મળવું છે. તો જવાબ આપશો?- છગનભાઈ પટેલ, અમદાવાદ
જવાબ: હવે હું રૂબરૂ મળી શકું તેમ નથી, કારણ કે હવે માત્ર સેવાભાવથી સમાજઉપયોગી થવા માટે નિ:શુલ્ક સેવા આપું છું. તમે બંનેના વિઝિટર વિઝા માટે DS. 160 ભરીને ઓનલાઈન ફી સાથે ફાઈલ કરી શકો છો, જેમાં તમને કોઈ સવાલના જવાબ માટે પ્રોબ્લેમ હોય તો મને ઈમેલ કરી શકો છો. તમારો ટુર્સનો રેકોર્ડ જોતા તમને વિઝિટર વિઝા મળવાના ચાન્સ છે. આ સિવાય તમારો ફોન નંબર જણાવાથી ફોન ઉપર પણ માર્ગદર્શન આપી શકાય.
સવાલ: હું અમેરિકાની સિટીઝન છું અને મને મારું O.C.I. (Overseas Citizen of India) કાર્ડ તારીખ 10-1-2025ના રોજ ઈન્ડિયા આવી ગયા પછી મળી ગયું છે. તો હવે મારી પાસે O.C.I. હોવાથી મારે તારીખ 1-7-2025 પહેલાં ઈન્ડિયા છોડી દેવું પડે?
- નયનાબેન જે. સાપા, અમદાવાદ
જવાબ: ના, તમે અમેરિકાના સિટીઝન હોવાથી અને તમને કાયદેસર રીતે ઈન્ડિયામાં રહેવા માટે O.C.I. કાર્ડ મળેલું છે. તેથી તમારે 6 મહિનામાં અમેરિકા જવું ફરજીયાત નથી. 6 મહિનાનો નિયમ ગ્રીનકાર્ડ હોલ્ડર માટે છે.
સવાલ: મેં અને મારી પત્નીએ અમેરિકાના વિઝા ઈન્ટરવ્યૂ તારીખ 22-4-2025ના રોજ આપ્યા ત્યારે ઓફિસરે કહેલું કે અમારા બંનેના વિઝા એપ્રૂવ થયા છે. મારો પાસપોર્ટ આવી ગયો છે, પરંતુ મારી પત્નીનો પાસપોર્ટ પાછો આવ્યો નહીં હોવાથી મેં ઘણી વાર પાસપોર્ટ સેન્ટરમાં ઈમેલ મોકલ્યો અને તેનો જવાબ આવેલો કે તેણીનો પાસપોર્ટ એમ્બેસી પાસે છે અને તે અંડર પ્રોસેસમાં હોવાથી પાસપોર્ટ રિસિવ કરવા માટે રાહ જોવી પડશે. તો હવે અમારે કેટલા દિવસ સુધી પાસપોર્ટની રાહ જોવી પડશે? એક મહિના સુધી હજુ પાસપોર્ટ મળ્યો નથી.
- મનુ પટેલ, ગાંધીનગર
જવાબ: તમને પ્રોસેસમાં હોવાનો જવાબ મળ્યો છે તેથી વારંવાર ઈમેલ કરવાની જરૂર નથી. આ જવાબ પ્રસિદ્ધ થશે તે દરમ્યાન પાસપોર્ટ મળી જશે તેવું મારું માનવું છે. એટલે વેઈટ એન્ડ વોચ.
સવાલ: મને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળ્યું છે, પરંતુ મારે વિઝિટર વિઝા ગ્રીનકાર્ડ સરેન્ડર કરી વિઝા કેવી રીતે લેવાય?- કીર્તિ ચાહવાલા, સુરત
જવાબ: તમે વિઝિટર વિઝાનું ફોર્મ નંબર DS. 160માં માંગેલી વિગતોના સાચા જવાબો લખી 160 ડોલરની ફી ભરીને ઈન્ટરવ્યૂની તારીખ મેળવીને એપ્લાય કરી શકો છો. રૂબરૂ ગ્રીનકાર્ડ ઈન્ટરવ્યૂમાં બતાવી શકાય. પહેલાં ફોર્મ નંબર I-407 ફાઈલ કરી શકાતું હતું તે ફોર્મ ભરીને સાથે લઈ જવું.
સવાલ: મારા બે વાર વિઝિટર વિઝા રિન્યૂ કરાવેલા. હવે ત્રીજી વખતના વિઝાનું ફોર્મ DS. 160 ફી સાથે ઈન્ટરવ્યૂ વેવર (ડ્રોપ બોક્સ)માં એપ્લાય કરેલ છે. અમને ઈમેલથી સૂચના મળી છે કે ઈન્ટરવ્યૂ વેવરમાં ફેબ્રુઆરી 2025 પછી તેમાં ફેરફારો થયા છે. મને ઈન્ટરવ્યૂની તારીખ 29-9-2025 જણાવી છે. તો શું ઈન્ટરવ્યૂ માફી માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે?- શોભા દવે, અમદાવાદ
જવાબ: તમને જે ઈમેલમાં જવાબ આવ્યો હોય તેની કોપી મોકલ્યા પછી વધુ માહિતી આપી શકાય. સામાન્ય રીતે ડ્રોપ બોક્સમાં એપ્લાય કરનારાને વિઝા મળે છે, પરંતુ તમારા કેસમાં કોઈ પ્રોસેસ માટે તમને ઈન્ટરવ્યૂની તારીખ આપી હોવાથી રૂબરૂ જવું પડે. તેમ છતાં ઈમેલ કરીને કન્ફર્મ કરી શકો છો.
સવાલ: અમારી F-4ની ફાઈલ 15-11-2006ની છે. વિઝા બુલેટિન જૂન 1-12-2006 દર્શાવે છે, તો ફાઈલ ક્યારે ખુલશે?- કાવ્યા ચૌધરી
જવાબ: જો એપ્રૂવલ લેટર પછી વેલકમ લેટર આવી ગયો હોય તો ફાઈલ
ઓપન થઈ કહેવાય. બધાં સ્ટેપ્સ પૂરાં થયાં પછી એક પત્ર આવશે. તેમાં તમને ઈન્ટરવ્યૂની તારીખ જણાવશે. આ વર્ષમાં ઈન્ટરવ્યૂ આવે તો નિયમો બદલાય નહીં તો જ.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/how-to-get-an-h-1b-visa-135305831.html
રમેશ રાવલ સવાલ: મારો દીકરો યુકેમાં ms culinary arts કરીને psw (પોસ્ટ સ્ટડી વર્ક) પર છે. હવે તેને યુએસએમાં H-1B વિઝા કઈ રીતે મળી શકે?
- હીના શાહ, અમદાવાદ
જવાબ: અમેરિકાના H-1B વિઝા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડે. જેમકે, (1) તમને અમેરિકામાં Specialty occupation workersની જોબ ઓફર આપનાર કંપની એમ્પ્લોયરે તમારા માટે નોન ઈમિગ્રન્ટ વર્કર તરીકે પિટિશન ફાઈલ કરી લેબર સર્ટિફિકેશન લેવું પડે.
(2) જો તમારી પિટિશન એપ્રૂવ થાય તો તમારે તેની સાથે DS. 160 ફોર્મ ભરી વિઝા માટે એપ્લાય કરો અને વિઝા મળે તો એમેરિકા જઈને જોબ કરી શકાય. (3) આ ઉપરાંત લોટરી સિસ્ટમ અને બીજી ઘણી બાબતોમાંથી પસાર થવું પડે. (4) આ વિઝા માટેની જરૂરી ડિગ્રી વગેરે પણ જરૂરી છે.
સવાલ: હું બિઝનેસમેન છું અને મારી બે કંપનીઓ છે. મારું 400 કરોડનું ટર્નઓવર છે. મારી ઉંમર 66 વર્ષની છે અને મારી પત્નીની ઉંમર 62 વર્ષની છે. હું ઘણા દેશોમાં જેવા કે યુરોપ, ફિનલેન્ડ, પનામા, ઝાંબિયામાં બિઝનેસ તેમજ ટુરિસ્ટ તરીકે ટ્રાવેલ કરી ચૂક્યો છું. હવે મારે અને મારી પત્નીએ અમેરિકાના વિઝિટર વિઝા માટે તમને રૂબરૂ મળવું છે. તો જવાબ આપશો?- છગનભાઈ પટેલ, અમદાવાદ
જવાબ: હવે હું રૂબરૂ મળી શકું તેમ નથી, કારણ કે હવે માત્ર સેવાભાવથી સમાજઉપયોગી થવા માટે નિ:શુલ્ક સેવા આપું છું. તમે બંનેના વિઝિટર વિઝા માટે DS. 160 ભરીને ઓનલાઈન ફી સાથે ફાઈલ કરી શકો છો, જેમાં તમને કોઈ સવાલના જવાબ માટે પ્રોબ્લેમ હોય તો મને ઈમેલ કરી શકો છો. તમારો ટુર્સનો રેકોર્ડ જોતા તમને વિઝિટર વિઝા મળવાના ચાન્સ છે. આ સિવાય તમારો ફોન નંબર જણાવાથી ફોન ઉપર પણ માર્ગદર્શન આપી શકાય.
સવાલ: હું અમેરિકાની સિટીઝન છું અને મને મારું O.C.I. (Overseas Citizen of India) કાર્ડ તારીખ 10-1-2025ના રોજ ઈન્ડિયા આવી ગયા પછી મળી ગયું છે. તો હવે મારી પાસે O.C.I. હોવાથી મારે તારીખ 1-7-2025 પહેલાં ઈન્ડિયા છોડી દેવું પડે?
- નયનાબેન જે. સાપા, અમદાવાદ
જવાબ: ના, તમે અમેરિકાના સિટીઝન હોવાથી અને તમને કાયદેસર રીતે ઈન્ડિયામાં રહેવા માટે O.C.I. કાર્ડ મળેલું છે. તેથી તમારે 6 મહિનામાં અમેરિકા જવું ફરજીયાત નથી. 6 મહિનાનો નિયમ ગ્રીનકાર્ડ હોલ્ડર માટે છે.
સવાલ: મેં અને મારી પત્નીએ અમેરિકાના વિઝા ઈન્ટરવ્યૂ તારીખ 22-4-2025ના રોજ આપ્યા ત્યારે ઓફિસરે કહેલું કે અમારા બંનેના વિઝા એપ્રૂવ થયા છે. મારો પાસપોર્ટ આવી ગયો છે, પરંતુ મારી પત્નીનો પાસપોર્ટ પાછો આવ્યો નહીં હોવાથી મેં ઘણી વાર પાસપોર્ટ સેન્ટરમાં ઈમેલ મોકલ્યો અને તેનો જવાબ આવેલો કે તેણીનો પાસપોર્ટ એમ્બેસી પાસે છે અને તે અંડર પ્રોસેસમાં હોવાથી પાસપોર્ટ રિસિવ કરવા માટે રાહ જોવી પડશે. તો હવે અમારે કેટલા દિવસ સુધી પાસપોર્ટની રાહ જોવી પડશે? એક મહિના સુધી હજુ પાસપોર્ટ મળ્યો નથી.
- મનુ પટેલ, ગાંધીનગર
જવાબ: તમને પ્રોસેસમાં હોવાનો જવાબ મળ્યો છે તેથી વારંવાર ઈમેલ કરવાની જરૂર નથી. આ જવાબ પ્રસિદ્ધ થશે તે દરમ્યાન પાસપોર્ટ મળી જશે તેવું મારું માનવું છે. એટલે વેઈટ એન્ડ વોચ.
સવાલ: મને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળ્યું છે, પરંતુ મારે વિઝિટર વિઝા ગ્રીનકાર્ડ સરેન્ડર કરી વિઝા કેવી રીતે લેવાય?- કીર્તિ ચાહવાલા, સુરત
જવાબ: તમે વિઝિટર વિઝાનું ફોર્મ નંબર DS. 160માં માંગેલી વિગતોના સાચા જવાબો લખી 160 ડોલરની ફી ભરીને ઈન્ટરવ્યૂની તારીખ મેળવીને એપ્લાય કરી શકો છો. રૂબરૂ ગ્રીનકાર્ડ ઈન્ટરવ્યૂમાં બતાવી શકાય. પહેલાં ફોર્મ નંબર I-407 ફાઈલ કરી શકાતું હતું તે ફોર્મ ભરીને સાથે લઈ જવું.
સવાલ: મારા બે વાર વિઝિટર વિઝા રિન્યૂ કરાવેલા. હવે ત્રીજી વખતના વિઝાનું ફોર્મ DS. 160 ફી સાથે ઈન્ટરવ્યૂ વેવર (ડ્રોપ બોક્સ)માં એપ્લાય કરેલ છે. અમને ઈમેલથી સૂચના મળી છે કે ઈન્ટરવ્યૂ વેવરમાં ફેબ્રુઆરી 2025 પછી તેમાં ફેરફારો થયા છે. મને ઈન્ટરવ્યૂની તારીખ 29-9-2025 જણાવી છે. તો શું ઈન્ટરવ્યૂ માફી માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે?- શોભા દવે, અમદાવાદ
જવાબ: તમને જે ઈમેલમાં જવાબ આવ્યો હોય તેની કોપી મોકલ્યા પછી વધુ માહિતી આપી શકાય. સામાન્ય રીતે ડ્રોપ બોક્સમાં એપ્લાય કરનારાને વિઝા મળે છે, પરંતુ તમારા કેસમાં કોઈ પ્રોસેસ માટે તમને ઈન્ટરવ્યૂની તારીખ આપી હોવાથી રૂબરૂ જવું પડે. તેમ છતાં ઈમેલ કરીને કન્ફર્મ કરી શકો છો.
સવાલ: અમારી F-4ની ફાઈલ 15-11-2006ની છે. વિઝા બુલેટિન જૂન 1-12-2006 દર્શાવે છે, તો ફાઈલ ક્યારે ખુલશે?- કાવ્યા ચૌધરી
જવાબ: જો એપ્રૂવલ લેટર પછી વેલકમ લેટર આવી ગયો હોય તો ફાઈલ
ઓપન થઈ કહેવાય. બધાં સ્ટેપ્સ પૂરાં થયાં પછી એક પત્ર આવશે. તેમાં તમને ઈન્ટરવ્યૂની તારીખ જણાવશે. આ વર્ષમાં ઈન્ટરવ્યૂ આવે તો નિયમો બદલાય નહીં તો જ.
મેંદી રંગ લાગ્યો:સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/in-laws-dont-wear-this-colored-bangle-135305825.html
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી,
મારો સસરો ઠગારા હો રંગની ચૂડી,
મુને લાજ્યું કઢાવે હો રંગની ચૂડી.
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો બાપ ઠગારો હો રંગની ચૂડી,
ભલે લાજું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારી સાસુ ઠગારી હો રંગની ચૂડી,
મને પગે પડાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારી માએ ઠગારી હો રંગની ચૂડી,
ભલે પગે પડાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારો જેઠ ધૂતારો હો રંગની ચૂડી,
મુને લાજ્યું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો ભાઈ ધૂતારો હો રંગની ચૂડી,
ભલે લાજ્યું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારી જેઠાણી ધૂતારી હો રંગની ચૂડી,
મુને કામ કરાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું રંગની ચૂડી.
તારી ભોજાઈ ધૂતારી હો રંગની ચૂડી,
ભલે કામ કરાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારો દેર ઠગારો હો રંગની ચૂડી,
મુને હોળી રમાડે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો ભાઈ ધૂતારો હો રંગની ચૂડી,
ભલે હોળી રમાડે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો બાલિકાથી લઈ વૃદ્ધા માટે વ્રતના મહિના છે. આ મહિનાઓમાં કુમારિકાઓનાં ગૂંગી ગોરના વ્રતથી શરૂ કરી જયાપાર્વતી, એવરતજીવરત, દિવાસો, ફૂલકાજળી, શીતળાસાતમ, કેવડાત્રીજ જેવાં મહિલાઓનાં વ્રતો આવે. વ્રત એટલે આસ્થાપૂર્વક પૂજનઅર્ચન, અલૂણું ભોજન, એકટાણું-ઉપવાસ, જાગરણ. અગાઉ વીજળી ન્હોતી, મનોરંજનનાં સાધનો ન્હોતાં ત્યારે મહિલાઓ ગામની બજારમાં, ચોકમાં, પાદરમાં રાસડા લઈને જાગરણ કરતી જેમાં લોકગીતો ગવાતાં. વ્રતોની ઉજવણી કુમારિકાઓ, યુવતીઓ માટે ભાવિ જીવનની ઇન્ટર્નશિપ હતી!
પચાસ-પોણોસો બહેનો એકસાથે રાસ લેતી ને મધરાત પછી રંગત ચડે એટલે બે ભાગમાં વહેંચાઇ જાય, એકબાજુ ગામની વહુવારુઓ ને બીજીબાજુ દીકરીઓ. બન્ને પક્ષ વડછડનાં લોકગીતો ગાય. ગીત થકી એકબીજાની મસ્તી કરે, મજાક કરે. પરસ્પર વિશે, પરિવારના સભ્યો વિશે ઘસાતું ગાય, સહનશક્તિનો તાગ મેળવે. બધાં મરકતાં રહે, કોઈને દુઃખ ન લાગે. સવારે સૌ સંપીને પોતપોતાને ઘેર જાય. આ
હતું ઉલ્લાસમય ગ્રામ્યજીવન, સંબંધોની ઘનિષ્ઠતા, ઉદાર મન અને વલણ.
‘સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી. . . ’ જાગરણની રાતે નણંદ-ભોજાઈઓ દ્વારા વડછડરૂપે ગવાતું પણ હવે વિસરાઈ ગયેલું લોકગીત છે. ભાભીઓ નણંદને ચિડવવા કહે છે કે હવે હું સાસરિયે નહિ આવું, કેમકે મારા સસરા, સાસુ, જેઠ, જેઠાણી, દેર સૌ ઠગારા-ધૂતારા છે એ લોકો મને પોતપોતાની ઢબે પરેશાન કરે છે. નણંદો કહે છે કે તમારે સાસરિયે તો આવવું પડશે. સાસરિયે લાજ કાઢવી પડે, પગે લાગવું પડે, હોળી રમવી પડે-એમાં તમે કયો ઉપકાર કરો છો? ને તમારા પિતા, માતા,
ભાઈ, ભાભી પણ ઠગારા અને ધૂતારા છે!
આજે સમય બદલાયો છે, આપણે સૌ વધુને વધુ ઈગોઇસ્ટિક થતાં જઈએ છીએ ત્યારે આવા શબ્દો કોઈને કહી શકાય? કોઈ માટે આવું ગાઈ શકાય? ના, એટલે તો આપણે લગ્નમાં ફટાણાં ગાવાનાં બંધ કરી દીધાં છે, ખરું ને?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/in-laws-dont-wear-this-colored-bangle-135305825.html
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી,
મારો સસરો ઠગારા હો રંગની ચૂડી,
મુને લાજ્યું કઢાવે હો રંગની ચૂડી.
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો બાપ ઠગારો હો રંગની ચૂડી,
ભલે લાજું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારી સાસુ ઠગારી હો રંગની ચૂડી,
મને પગે પડાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારી માએ ઠગારી હો રંગની ચૂડી,
ભલે પગે પડાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારો જેઠ ધૂતારો હો રંગની ચૂડી,
મુને લાજ્યું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો ભાઈ ધૂતારો હો રંગની ચૂડી,
ભલે લાજ્યું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારી જેઠાણી ધૂતારી હો રંગની ચૂડી,
મુને કામ કરાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું રંગની ચૂડી.
તારી ભોજાઈ ધૂતારી હો રંગની ચૂડી,
ભલે કામ કરાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારો દેર ઠગારો હો રંગની ચૂડી,
મુને હોળી રમાડે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો ભાઈ ધૂતારો હો રંગની ચૂડી,
ભલે હોળી રમાડે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો બાલિકાથી લઈ વૃદ્ધા માટે વ્રતના મહિના છે. આ મહિનાઓમાં કુમારિકાઓનાં ગૂંગી ગોરના વ્રતથી શરૂ કરી જયાપાર્વતી, એવરતજીવરત, દિવાસો, ફૂલકાજળી, શીતળાસાતમ, કેવડાત્રીજ જેવાં મહિલાઓનાં વ્રતો આવે. વ્રત એટલે આસ્થાપૂર્વક પૂજનઅર્ચન, અલૂણું ભોજન, એકટાણું-ઉપવાસ, જાગરણ. અગાઉ વીજળી ન્હોતી, મનોરંજનનાં સાધનો ન્હોતાં ત્યારે મહિલાઓ ગામની બજારમાં, ચોકમાં, પાદરમાં રાસડા લઈને જાગરણ કરતી જેમાં લોકગીતો ગવાતાં. વ્રતોની ઉજવણી કુમારિકાઓ, યુવતીઓ માટે ભાવિ જીવનની ઇન્ટર્નશિપ હતી!
પચાસ-પોણોસો બહેનો એકસાથે રાસ લેતી ને મધરાત પછી રંગત ચડે એટલે બે ભાગમાં વહેંચાઇ જાય, એકબાજુ ગામની વહુવારુઓ ને બીજીબાજુ દીકરીઓ. બન્ને પક્ષ વડછડનાં લોકગીતો ગાય. ગીત થકી એકબીજાની મસ્તી કરે, મજાક કરે. પરસ્પર વિશે, પરિવારના સભ્યો વિશે ઘસાતું ગાય, સહનશક્તિનો તાગ મેળવે. બધાં મરકતાં રહે, કોઈને દુઃખ ન લાગે. સવારે સૌ સંપીને પોતપોતાને ઘેર જાય. આ
હતું ઉલ્લાસમય ગ્રામ્યજીવન, સંબંધોની ઘનિષ્ઠતા, ઉદાર મન અને વલણ.
‘સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી. . . ’ જાગરણની રાતે નણંદ-ભોજાઈઓ દ્વારા વડછડરૂપે ગવાતું પણ હવે વિસરાઈ ગયેલું લોકગીત છે. ભાભીઓ નણંદને ચિડવવા કહે છે કે હવે હું સાસરિયે નહિ આવું, કેમકે મારા સસરા, સાસુ, જેઠ, જેઠાણી, દેર સૌ ઠગારા-ધૂતારા છે એ લોકો મને પોતપોતાની ઢબે પરેશાન કરે છે. નણંદો કહે છે કે તમારે સાસરિયે તો આવવું પડશે. સાસરિયે લાજ કાઢવી પડે, પગે લાગવું પડે, હોળી રમવી પડે-એમાં તમે કયો ઉપકાર કરો છો? ને તમારા પિતા, માતા,
ભાઈ, ભાભી પણ ઠગારા અને ધૂતારા છે!
આજે સમય બદલાયો છે, આપણે સૌ વધુને વધુ ઈગોઇસ્ટિક થતાં જઈએ છીએ ત્યારે આવા શબ્દો કોઈને કહી શકાય? કોઈ માટે આવું ગાઈ શકાય? ના, એટલે તો આપણે લગ્નમાં ફટાણાં ગાવાનાં બંધ કરી દીધાં છે, ખરું ને?
જયેન્દ્રસિંહ જાદવ કા લે અષાઢનો પહેલો દિવસ. કાલિદાસના પુણ્ય સ્મરણની પળ. ‘મેઘદૂત’માં અષાઢના પહેલા દિવસનું વર્ણન કરતા કાલિદાસ ખૂલ્યા છે અને ખીલ્યા છે. ‘આષાઢસ્ય પ્રથમ દિને’ આકાશમાં ઘુમરાતા, ધરતી પર ઝળૂંબતાં કાળાંભમ્મર વાદળો જોઈને, એ યક્ષને વિરહની વેદનામાં પોતાની પ્રિયતમાનું સ્મરણ થયા કર્યું. તેણે મેઘનું પુષ્પોથી સ્વાગત કર્યું. એ પછી યક્ષે વાદળને વિનંતી કરી. ‘હે મેઘ, કૃપા કરીને મારો સંદેશો અલકાપુરીમાં રહેતી મારી પ્રાણપ્યારીને પહોંચાડ.’ આમ અષાઢ એ મિલનનો માસ છે. એ યક્ષ અને અપ્સરાનું મિલન હોય… વરસાદ અને માટીનું હોય કે પછી ભક્ત અને ભગવાનનું મિલન હોય.
આ એક જ એવો માસ છે કે જેમાં ભગવાન સામે ચાલીને ભક્તને મળવા આવે છે. ભગવાન જગન્નાથજીના બંને હાથ ફેલાયેલા છે. જાણે એક મિત્ર બીજા મિત્રને ભેટવા આતુર ન હોય... ખુદ ઈશ્વર પોતાના હાથ પસારીને ભક્તોના આલિંગનની રાહ જુએ તે કલ્પના જ કેટલી રોચક છે. વિશ્વમિત્ર બનીને ઊભેલા જગન્નાથજીના રથનું દોરડું જ્ઞાતિથી પર અને જાતિથી ઉપર છે. અહીં સર્વનો સ્વીકાર છે.
ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. જગન્નાથ મંદિર પુરીમાં જગન્નાથજી સાથે લક્ષ્મીજી અને સત્યભામા જેવી પ્રિય પત્નીઓ પણ બિરાજે છે પણ નગરચર્યાએ તો ભગવાન ભાઈ-બહેન સાથે જ નીકળે છે. મોટાભાઈ બલભદ્રનો રથ પહેલા છે વચ્ચે બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે પોતે. બહેનનો રથ વચ્ચે રાખવા પાછળ નારી સન્માન અને સુરક્ષાનો ભાવ રહેલો છે. મોટાભાઈ પહેલા હોય એ વડીલોના આદરનું દર્શન કરાવે છે. સામાન્ય રીતે જે દેવનું મંદિર હોય તે પ્રમુખ દેવ મંદિરમાં મધ્યસ્થાને હોય બાકીના બધા આજુબાજુનાં શિખર નીચે હોય. જગન્નાથ પુરીમાં વચ્ચેના સિંહાસનમાં બહેન સુભદ્રાજી બિરાજે છે. આજુબાજુ ભગવાન જગન્નાથ અને બલભદ્રજી છે. ભગવાન જગન્નાથજીનાં પારિવારિક મૂલ્યોની પ્રાણપ્રતિષ્ઠા થાય છે. આઠમો વાર પરિવાર છે.
આજે પણ જગન્નાથ મંદિર પુરીની બધી જ સંપત્તિ બલભદ્રજીના ટ્રસ્ટને નામે છે. જગન્નાથજી સામાન્ય માણસના દેવ છે એટલે જ તે નગરયાત્રાએ નીકળે છે અને એમને આંખો પણ આવે છે. જે બધાંની નજર ઉતારે એને આંખો કેવી રીતે આવે! પણ આ લીલા દ્વારા પ્રભુ આપણને સૌને એ સમજાવે છે કે દુ:ખ, દર્દ અને રોગ એ જીવનનો એક ભાગ છે. તેનો સહર્ષ સ્વીકાર કરવો એ જ જીવનનો મર્મ છે. જગન્નાથજીને આંખમાં ઠંડક અને રાહત મળે તેથી રથયાત્રાના પ્રસાદમાં મગ અપાય છે. આમ પણ અષાઢ-ભાદરવા દરમિયાન આંખને અસર કરતા જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે.
સામાન્ય રીતે પવન સમુદ્રથી જમીન તરફ આવે અને સાંજે જમીનથી સમુદ્ર તરફ જાય છે, પણ જગન્નાથ પુરીમાં આ ઘટના ઊલટી થાય છે. મંદિરના સિંહદ્વારમાં પ્રવેશતાંની સાથે સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઇ જાય છે. જેવા તમે બહાર આવો એટલે સમગ્ર પુરીમાં સમુદ્રનો ઘૂઘવાટ સંભળાય છે. જગન્નાથ પુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશાં પવનની વિપરીત દિશામાં લહેરાય છે. મતલબ વિપરીત સંજોગોમાં પણ ધર્મ તમને અચલ રાખી શકે છે. એક પણ પક્ષી આ મંદિર ઉપરથી ઊડતું જોવા મળતું નથી. ઈશ્વરથી ઉપર કોઈ નથી. મુખ્ય શિખર-ગુંબજની છાયા દિવસે એક પણ દિશામાં જોઇ શકાતી નથી. ઈશ્વર પડછાયા રૂપે આપણી આસપાસ હોય છે, પણ દેખાતા નથી.
કોઇ પણ ક્ષેત્રમાંથી મંદિર પરના સુદર્શન ચક્રના દર્શન કરી શકાય શકાય છે. આનો એક અર્થ એવો પણ થાય છે કે શ્રદ્ધા હોય તો ઈશ્વરના ક્યાંયથી પણ દર્શન કરી શકાય છે. વિશ્વનું સૌથી મોટું રસોડું અહીં છે. હજારેક સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ રસોડાનો લાભ લાખો લોકો લે છે. આ મંદિરનો નિયમ છે કે પહેલાં દ્વારપાળોને ભોગ ધરાવાય છે પછી જ જગન્નાથજી ભોજન જમે છે. કરોડપતિ હોય કે રોડપતિ બધાં એક જ રસોડે જમે છે. જગન્નાથજીની રસોઈ બનાવવાની પદ્ધતિ સંપૂર્ણ સ્વદેશી છે. દેશી ચૂલા પર ઉપરા-ઉપરી હાંડીઓ મૂકીને જગન્નાથજીનું ભોજન બને છે. સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં આવી સેવાની સુવાસ પ્રસરી છે.
સૌથી ઉપરની હાંડીનું ભોજન પહેલાં પાકી જાય છે. તેમાં વિજ્ઞાન અને અધ્યાત્મનો સુભગ સમન્વય છે. જગન્નાથજીના થાળની વિશેષતા એ છે કે તેમાં બધી જ વાનગીઓ સ્વદેશી વસ્તુમાંથી બને છે. જે ધાન્ય ભારતીય મૂળ અને કુળનાં છે તે જ અહીં ઠાકોરજીને ધરાવાય છે. બટાકાં, ટામેટાં જેવાં શાકભાજી આજે પણ નથી વપરાતાં કારણ કે તે વિદેશથી ભારતમાં આવ્યાં છે. વોકલ ફોર લોકલનું આ સુંદર ઉદાહરણ છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થાય ત્યારે પહિંદવિધિ થાય છે. જેમાં ‘શેરી વળાવીને સજ્જ કરું હરિ આવોને’ નરસિંહી નાદ સંભળાય છે. ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે એ સંદેશ આપે છે કે સ્નેહની સરવાણીએ સાવરણી બને છે ત્યારે હૃદયમાંથી ઈર્ષ્યા, દ્વેષ અને અહંકારનો કચરો આપોઆપ નીકળી જાય છે અને જીવનયાત્રા રથયાત્રા જેવી જ ભવ્ય અને દિવ્ય બની જાય છે. આ એક દિવસ આખા વર્ષનું રિચાર્જ બની જાય છે. અંગ્રેજોએ એમ જ નહીં કહ્યું હોય કે ‘ગુડ લોર્ડ, ઇટ્સ એ જગરનોટ!!’ અંતે...
આ એક જ એવો માસ છે કે જેમાં ભગવાન સામે ચાલીને ભક્તને મળવા આવે છે. ભગવાન જગન્નાથજીના બંને હાથ ફેલાયેલા છે. જાણે એક મિત્ર બીજા મિત્રને ભેટવા આતુર ન હોય... ખુદ ઈશ્વર પોતાના હાથ પસારીને ભક્તોના આલિંગનની રાહ જુએ તે કલ્પના જ કેટલી રોચક છે. વિશ્વમિત્ર બનીને ઊભેલા જગન્નાથજીના રથનું દોરડું જ્ઞાતિથી પર અને જાતિથી ઉપર છે. અહીં સર્વનો સ્વીકાર છે.
ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. જગન્નાથ મંદિર પુરીમાં જગન્નાથજી સાથે લક્ષ્મીજી અને સત્યભામા જેવી પ્રિય પત્નીઓ પણ બિરાજે છે પણ નગરચર્યાએ તો ભગવાન ભાઈ-બહેન સાથે જ નીકળે છે. મોટાભાઈ બલભદ્રનો રથ પહેલા છે વચ્ચે બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે પોતે. બહેનનો રથ વચ્ચે રાખવા પાછળ નારી સન્માન અને સુરક્ષાનો ભાવ રહેલો છે. મોટાભાઈ પહેલા હોય એ વડીલોના આદરનું દર્શન કરાવે છે. સામાન્ય રીતે જે દેવનું મંદિર હોય તે પ્રમુખ દેવ મંદિરમાં મધ્યસ્થાને હોય બાકીના બધા આજુબાજુનાં શિખર નીચે હોય. જગન્નાથ પુરીમાં વચ્ચેના સિંહાસનમાં બહેન સુભદ્રાજી બિરાજે છે. આજુબાજુ ભગવાન જગન્નાથ અને બલભદ્રજી છે. ભગવાન જગન્નાથજીનાં પારિવારિક મૂલ્યોની પ્રાણપ્રતિષ્ઠા થાય છે. આઠમો વાર પરિવાર છે.
આજે પણ જગન્નાથ મંદિર પુરીની બધી જ સંપત્તિ બલભદ્રજીના ટ્રસ્ટને નામે છે. જગન્નાથજી સામાન્ય માણસના દેવ છે એટલે જ તે નગરયાત્રાએ નીકળે છે અને એમને આંખો પણ આવે છે. જે બધાંની નજર ઉતારે એને આંખો કેવી રીતે આવે! પણ આ લીલા દ્વારા પ્રભુ આપણને સૌને એ સમજાવે છે કે દુ:ખ, દર્દ અને રોગ એ જીવનનો એક ભાગ છે. તેનો સહર્ષ સ્વીકાર કરવો એ જ જીવનનો મર્મ છે. જગન્નાથજીને આંખમાં ઠંડક અને રાહત મળે તેથી રથયાત્રાના પ્રસાદમાં મગ અપાય છે. આમ પણ અષાઢ-ભાદરવા દરમિયાન આંખને અસર કરતા જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે.
સામાન્ય રીતે પવન સમુદ્રથી જમીન તરફ આવે અને સાંજે જમીનથી સમુદ્ર તરફ જાય છે, પણ જગન્નાથ પુરીમાં આ ઘટના ઊલટી થાય છે. મંદિરના સિંહદ્વારમાં પ્રવેશતાંની સાથે સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઇ જાય છે. જેવા તમે બહાર આવો એટલે સમગ્ર પુરીમાં સમુદ્રનો ઘૂઘવાટ સંભળાય છે. જગન્નાથ પુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશાં પવનની વિપરીત દિશામાં લહેરાય છે. મતલબ વિપરીત સંજોગોમાં પણ ધર્મ તમને અચલ રાખી શકે છે. એક પણ પક્ષી આ મંદિર ઉપરથી ઊડતું જોવા મળતું નથી. ઈશ્વરથી ઉપર કોઈ નથી. મુખ્ય શિખર-ગુંબજની છાયા દિવસે એક પણ દિશામાં જોઇ શકાતી નથી. ઈશ્વર પડછાયા રૂપે આપણી આસપાસ હોય છે, પણ દેખાતા નથી.
કોઇ પણ ક્ષેત્રમાંથી મંદિર પરના સુદર્શન ચક્રના દર્શન કરી શકાય શકાય છે. આનો એક અર્થ એવો પણ થાય છે કે શ્રદ્ધા હોય તો ઈશ્વરના ક્યાંયથી પણ દર્શન કરી શકાય છે. વિશ્વનું સૌથી મોટું રસોડું અહીં છે. હજારેક સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ રસોડાનો લાભ લાખો લોકો લે છે. આ મંદિરનો નિયમ છે કે પહેલાં દ્વારપાળોને ભોગ ધરાવાય છે પછી જ જગન્નાથજી ભોજન જમે છે. કરોડપતિ હોય કે રોડપતિ બધાં એક જ રસોડે જમે છે. જગન્નાથજીની રસોઈ બનાવવાની પદ્ધતિ સંપૂર્ણ સ્વદેશી છે. દેશી ચૂલા પર ઉપરા-ઉપરી હાંડીઓ મૂકીને જગન્નાથજીનું ભોજન બને છે. સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં આવી સેવાની સુવાસ પ્રસરી છે.
સૌથી ઉપરની હાંડીનું ભોજન પહેલાં પાકી જાય છે. તેમાં વિજ્ઞાન અને અધ્યાત્મનો સુભગ સમન્વય છે. જગન્નાથજીના થાળની વિશેષતા એ છે કે તેમાં બધી જ વાનગીઓ સ્વદેશી વસ્તુમાંથી બને છે. જે ધાન્ય ભારતીય મૂળ અને કુળનાં છે તે જ અહીં ઠાકોરજીને ધરાવાય છે. બટાકાં, ટામેટાં જેવાં શાકભાજી આજે પણ નથી વપરાતાં કારણ કે તે વિદેશથી ભારતમાં આવ્યાં છે. વોકલ ફોર લોકલનું આ સુંદર ઉદાહરણ છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થાય ત્યારે પહિંદવિધિ થાય છે. જેમાં ‘શેરી વળાવીને સજ્જ કરું હરિ આવોને’ નરસિંહી નાદ સંભળાય છે. ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે એ સંદેશ આપે છે કે સ્નેહની સરવાણીએ સાવરણી બને છે ત્યારે હૃદયમાંથી ઈર્ષ્યા, દ્વેષ અને અહંકારનો કચરો આપોઆપ નીકળી જાય છે અને જીવનયાત્રા રથયાત્રા જેવી જ ભવ્ય અને દિવ્ય બની જાય છે. આ એક દિવસ આખા વર્ષનું રિચાર્જ બની જાય છે. અંગ્રેજોએ એમ જ નહીં કહ્યું હોય કે ‘ગુડ લોર્ડ, ઇટ્સ એ જગરનોટ!!’ અંતે...